ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અકાર્બનિક જીવરસાયણ

અકાર્બનિક જીવરસાયણ  (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…

વધુ વાંચો >

આઝીકીવે, નામદી

Feb 4, 1989

આઝીકીવે, નામદી  (જ. 16, નવેમ્બર 1904, ઝુંગેરૂ, નાઇજિરિયા; અ. 11 મે 1996, નાઇજિરિયા) : નાઇજિરિયાના રાષ્ટ્રપ્રમુખ (1963  1966), નાઇજિરિયાના રાષ્ટ્રીય નૅશનાલિસ્ટ પક્ષના સ્થાપક તથા દક્ષિણ નાઇજિરિયાના રાષ્ટ્રવાદના મુખ્ય પ્રવર્તક. 1925થી 1936 સુધી યુ.એસ.માં લિંકન યુનિવર્સિટી(પેન્સિલવૅનિયા)માં રાજ્યશાસ્ત્ર, કોલંબિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વ તથા પેન્સિલવૅનિયા યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રનો અભ્યાસ કરી, 1937માં ઘાના આવી, આકરાથી ‘રેનેસન્ટ…

વધુ વાંચો >

આટરબોમ, પેઅર ડાનિયલ આમાડેઅસ

Feb 4, 1989

આટરબોમ, પેઅર ડાનિયલ આમાડેઅસ (જ. 19 જાન્યુઆરી 1790, ઑસ્બૉર્ન, સ્વિડન; અ. 21 જુલાઈ 1855, સ્ટોકહોમ, સ્વિડન) : સ્વિડિશ કવિ અને વિવેચક. અપ્સાલ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું અને ત્યાં જ 1835માં પ્રાધ્યાપક થયા. સ્વિડનના સ્વચ્છંદતા આંદોલનમાં આગેવાની લીધેલી. સ્વૈરવિહારી સાહિત્યમંડળના સામયિકમાં સંખ્યાબંધ કાવ્યો અને લેખો તેમણે લખેલાં. કાવ્ય વિશેના તેમના વિચારોમાં શેલિંગની…

વધુ વાંચો >

આટલાંટિક ખતપત્ર

Feb 4, 1989

આટલાંટિક ખતપત્ર : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુ.એસ. અને બ્રિટન વચ્ચે થયેલ સમજૂતી અનુસાર કરવામાં આવેલ ‘સિદ્ધાંતોની જાહેરાત’. દ્વિતીય વિશ્વવિગ્રહના બીજા તબક્કા દરમિયાન યુ.એસ.ના પ્રમુખ ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ અને બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલ વચ્ચે ન્યૂફાઉન્ડલૅન્ડના કિનારાથી દૂર યોજવામાં આવેલી પ્રથમ પરિષદને અંતે બંનેએ કરેલી લાંબા ગાળાની નીતિ મુજબની ‘સિદ્ધાંતોની જાહેરાત’ને આટલાંટિક ખતપત્ર (14…

વધુ વાંચો >

આટલાંટિક મહાસાગર

Feb 4, 1989

આટલાંટિક મહાસાગર : પૃથ્વીની પાંચમા ભાગની સપાટીને આવરી લેતો અને યુરોપ તથા આફ્રિકા ખંડોને પૂર્વ તરફ અને અમેરિકા ખંડને પશ્ચિમ તરફ વિભાજિત કરતો ખારા જળનો સમૂહ. પ્રશાન્ત મહાસાગર પછી આટલાંટિક મહાસાગર વિશ્વનો બીજા ક્રમે સૌથી મોટો મહાસાગર છે. આટલાંટિક મહાસાગર અને તેના નાના-મોટા સમુદ્રોનો કુલ વિસ્તાર 1,06,460 હજાર ચોકિમી. છે;…

વધુ વાંચો >

આટાપાટા

Feb 4, 1989

આટાપાટા : એક ભારતીય રમત. અગરપાટ, ખારોપાટ, લૂણીપાટ વગેરે નામોથી ઓળખાતી આ રમત મહારાષ્ટ્ર, ગુજરાત તથા મધ્યપ્રદેશમાં ખૂબ પ્રચિલત જૂની લોકરમત છે. વીસમી સદીના ત્રીજા દાયકામાં મહારાષ્ટ્ર શારીરિક શિક્ષણ મંડળે (પુણે) આ રમતને નિયમબદ્ધ બનાવીને રાષ્ટ્રીય રમત તરીકે પ્રસારિત કરી. 9-9 ખેલાડીઓના બે પક્ષોથી રમાતી આ રમતમાં લગભગ 10-10 ફૂટના…

વધુ વાંચો >

આટરુપ્પડૈ

Feb 4, 1989

આટરુપ્પડૈ : તમિળ કવિતાપ્રકાર. શાબ્દિક અર્થ છે માર્ગ-નિર્દેશક કવિતાઓ. સંઘકાલીન પત્તુપ્પાટ્ટુ(10 દીર્ઘ કાવ્યો)માં 5 આટરુપ્પડૈ છે. એમાં કોઈ દાનવીર આશ્રયદાતા પાસેથી પુરસ્કાર મેળવી ઘરે પાછો ફરતો કલાકાર પોતાના કોઈ નિર્ધન મિત્રના મળવાથી તેને તે આશ્રયદાતા સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. તેને લાગે છે કે આશ્રયદાતાની રાજધાની સુધી પહોંચાડનારા માર્ગનો દરેક…

વધુ વાંચો >

આઠવલે, પાંડુરંગ વૈજનાથ

Feb 4, 1989

આઠવલે, પાંડુરંગ વૈજનાથ (જ. 19 ઑક્ટોબર 1920, રોહા, મહારાષ્ટ્ર, અ. 25 ઑક્ટોબર 2003, મુંબઈ, મહારાષ્ટ્ર) : આધુનિક ભારતના વેદશાસ્ત્રસંપન્ન દાર્શનિક અને ચિંતક.  તેમણે ભારતીય તથા પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને સમાજશાસ્ત્રનો તુલનાત્મક તથા તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. મુંબઈમાં વર્ષોથી ઉપનિષદ તથા ગીતા પર શ્રીમદ્ ભગવદગીતા પાઠશાળામાં તેઓ નિયમિત પ્રવચનો કરે છે અને…

વધુ વાંચો >

આઠવલે, રામચંદ્ર બળવંત

Feb 4, 1989

આઠવલે, રામચંદ્ર બળવંત (જ. 1894, પુણે; અ. 1986, મુંબઈ) : સંસ્કૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન અને જાણીતા અધ્યાપક. જન્મે મહારાષ્ટ્રી હોવા છતાં તેમણે જીવનનો મોટો ભાગ અમદાવાદમાં વિતાવ્યો હતો. તેઓ પુણેમાં 20 વર્ષની વય સુધી રહી બી.એ.ની પરીક્ષામાં સર્વપ્રથમ આવ્યા અને ભાઉ દાજી પ્રાઇઝ મેળવ્યું. એ પછી આચાર્ય આનંદશંકર ધ્રુવ અને…

વધુ વાંચો >

આડ

Feb 4, 1989

આડ (bar) : બાધક બનતો નિક્ષેપજથ્થો. નદીકિનારે, નદીપટમાં, નદીના માર્ગ પર, નદીના મુખપ્રદેશમાં, સરોવરમાર્ગમાં, ખાડી-સરોવરના માર્ગમાં, ખાડીમુખમાં, સમુદ્ર-ફાંટાના માર્ગમાં, સમુદ્રની અંદર, જળવ્યવહારને અંતરાયરૂપ બનતો રેતી, ગ્રૅવલ કે કાંપનો જથ્થો.   સમુદ્રના ઘસારાકાર્યમાં મોજાં કે પ્રવાહો દ્વારા સમુદ્રતળ ઉપર રચાયેલા રેતી અને/અથવા ગ્રૅવલના ભિન્ન ભિન્ન આકાર-પ્રકારના ઓછાવત્તા ડૂબેલા કે ઊપસેલા રહેતા…

વધુ વાંચો >

આડત

Feb 4, 1989

આડત : માલની ખરીદી તથા વેચાણ કરવા ઇચ્છતી વ્યક્તિઓ વચ્ચે સંપર્ક કરાવી આપનાર વ્યક્તિ(આડતિયા)ને આ પ્રકારની સેવા માટે મળતો નાણાકીય બદલો. આડતિયાનો આડતપ્રાપ્તિનો અધિકાર વેપારી સાથેના લેખિત કરાર અથવા ધંધાની ગર્ભિત રૂઢિ પર આધારિત હોય છે. ખરીદવેચાણના સોદામાંથી આડતિયો અંગત નફો કરી શકતો નથી અને જો તે એમ કરે તો…

વધુ વાંચો >