ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અંગવિન્યાસ અને હલનચલન

Jan 27, 1989

અંગવિન્યાસ અને હલનચલન (posture and locomotion) : શરીરની સ્થિર સ્થિતિ તે અંગવિન્યાસ અને ક્રિયા કરવાની સ્થિતિ તે નાનું મગજ અથવા હલનચલન. શરીર સ્થિર હોય ત્યારે માથું, ગળું, ધડ અને હાથપગ જે રીતે ગોઠવાયેલાં રહે તેને અંગવિન્યાસ (posture), દેહસ્થિતિ અથવા મુદ્રા કે છટા (stance) કહે છે. હલનચલન કરતી વખતે ચાલવાની ઢબ(style)ને…

વધુ વાંચો >

અંગારવાયુ

Jan 27, 1989

અંગારવાયુ : જુઓ કાર્બન ડાયૉક્સાઇડ

વધુ વાંચો >

અંગારિયો

Jan 27, 1989

અંગારિયો (Smut) : યુસ્ટિલેજિનેલ્સ ગોત્રની ફૂગ દ્વારા લાગુ પડતો એક પ્રકારનો રોગ. આ રોગથી યજમાન વનસ્પતિ પર કાળા મેશ જેવા બીજાણુઓનો જથ્થો ઉત્પન્ન થાય છે, જે ભૂકી સ્વરૂપે જોવા મળે છે તેથી તેને અંગ્રેજીમાં ‘સ્મટ’ (મેશ) કહે છે. ગેરુ-ફૂગ(rust fungi)ની જેમ આ ફૂગ ધાન્યો અને ઘાસની ઘણી જાતિઓને ચેપ લગાડે…

વધુ વાંચો >

અંગિરસ (1)

Jan 27, 1989

અંગિરસ (1) : ઇન્દ્રના અર્ધદિવ્ય સહાયકો. એક સૂક્ત(1૦, 62)માં અંગિરસોની સમૂહરૂપે પ્રશસ્તિ મળે છે. वल-વધમાં ઇન્દ્રના સાથીદાર. આ द्यौस्-પુત્રોએ ગાયો શોધવામાં પણિઓની શત્રુતા વહોરીને પણ ઇન્દ્રને સહાય કરી હતી. ગાન માટે પ્રસિદ્ધ અંગિરસોને કવિગણ  नः पूर्वे पितरः તરીકે સ્તવે છે. એકવચનમાં અંગિરસ અગ્નિની ઉપાધિ બને છે. જયાનંદ દવે

વધુ વાંચો >

અંગિરસ (2)

Jan 27, 1989

અંગિરસ (2) : બ્રહ્માના માનસપુત્ર. અન્ય ઇતિહાસ પ્રમાણે તેઓ અગ્નિથી ઉત્પન્ન થવાને લીધે અંગિરસ કહેવાય છે. તેમનું લગ્ન કર્દમ ઋષિની પુત્રી શ્રદ્ધા સાથે થયું હતું. તેમને બૃહસ્પતિ ઉપરાંત બે પુત્રો તથા ચાર પુત્રીઓ હતાં. વૈદિક સાહિત્યમાં અંગિરસ એ નામ અનેક વાર આવે છે; ઋગ્વેદના નવમા મંડલનાં કેટલાંક સૂક્તો અંગિરસકુલના દૃષ્ટાઓનાં…

વધુ વાંચો >

અંગુલ

Jan 27, 1989

અંગુલ : ઓડિસાના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌ. સ્થાન : 210. ૦૦’ ઉ. અ. અને 850 ૦૦’ પૂ. રે. આજુબાજુનો 6375 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સુંદરગઢ અને કેન્દુઝાર, પૂર્વમાં ધેનકાનલ, દક્ષિણમાં ફુલબાની, પૂરી અને કટક તથા પશ્ચિમમાં બાલાંગીર, સંબલપુર અને…

વધુ વાંચો >

અંગુલાંત વિપાક

Jan 27, 1989

અંગુલાંત વિપાક (whitlow) : અંગૂઠા કે આંગળીના ટેરવામાં લાગેલો ચેપ. ટેરવું લાલ થઈ સૂજી જાય છે અને લબકારા મારતી પીડા થાય છે. ટાંકણી, સોય, કાંટો કે ફાંસ વાગ્યા પછી ત્યાં જમા થતા જીવાણુઓ (bacteria) આ ચેપ લગાડે છે. વખત જતાં તેમાં પરુ જમા થાય છે. શરીરનાં અન્ય ગૂમડાં (abscesses) કરતાં…

વધુ વાંચો >

અંગુલિમુદ્રા

Jan 27, 1989

અંગુલિમુદ્રા (finger-prints) : આંગળાંની ઝીણી ગડીઓની છાપ. હજાર વર્ષ પહેલાં ચીનના સમ્રાટો આંગળાંના આકારની છાપનો ઉપયોગ દસ્તાવેજ પર મુદ્રા (seal) લગાવવા માટે કરતા હતા. જાપાનમાં પણ ગુલામોના વેચાણખત (sale deed) માટે તેનો ઉપયોગ થતો હતો. અંગુલિમુદ્રા પરનું વૈજ્ઞાનિક સંશોધન સત્તરમી સદીમાં શરૂ થયું. માલફિજીએ 1686માં આંગળીના ટેરવા પરની ભાત (patterns)…

વધુ વાંચો >

અંગુલિવંકતા

Jan 27, 1989

અંગુલિવંકતા (tetany) : શરીરમાં કૅલ્શિયમની ઊણપ અથવા આલ્કલી કે સાઇટ્રેટના વધારાને કારણે આંગળીઓનું વાંકું વળી જવું તે. શરીરમાં કૅલ્શિયમનું પ્રમાણ ઘણી રીતે ઘટે છે; જેમ કે, પરાગલગ્રંથિનો ઘટેલો અંત:સ્રાવ (parathyroid hormone), વિટામિન ‘ડી’ની ઊણપ અને મૂત્રપિંડના રોગો. વધુ પ્રમાણમાં ઊલટી થાય ત્યારે તથા સોડાબાયકાર્બ(રાંધવાનો સોડા)નો દવા તરીકે વધુ પ્રમાણમાં ઉપયોગ…

વધુ વાંચો >

અંગૂઠો ચૂસવો

Jan 27, 1989

અંગૂઠો ચૂસવો : બાળકની લાંબા વખત સુધી અંગૂઠો ચૂસવાની ટેવ. તે આશરે ત્રણથી ચાર વર્ષની ઉંમર સુધી સ્વાભાવિક ગણાય છે. આ ઉંમર પછી પણ જો બાળક અંગૂઠો ચૂસવાનું ચાલુ રાખે તો તેની માઠી અસર પડે છે. તે ઊગતા દાંતની રચના અને જડબાંનાં હાડકાંને નુકસાન કરે છે. અંગૂઠો ચૂસવાથી બાળકના ઉપરના…

વધુ વાંચો >