ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અસ્થિમજ્જા-પ્રતિરોપણ

Jan 25, 1989

અસ્થિમજ્જા–પ્રતિરોપણ (bone-marrow transplantation) : દાતાની અસ્થિમજ્જાને દર્દીમાં રોપવાની ક્રિયા. દર્દીમાં લોહીના કોષો ઉત્પન્ન કરવાની ક્રિયાને અથવા તેનામાં રોગપ્રતિકારશક્તિ(પ્રતિરક્ષા, immunity)ને ફરી શરૂ કરવા માટે અસ્થિમજ્જાનું પ્રતિરોપણ કરવામાં આવે છે. આ જીવનરક્ષક સારવારના પ્રથમ પ્રયોગો, જેકોબસને 1951માં ઉંદરો પર કર્યા હતા. હાલ આ ચિકિત્સાપદ્ધતિ લોહીના તથા પ્રતિરક્ષાના કેટલાક રોગોમાં ઉપયોગી માલૂમ પડી…

વધુ વાંચો >

અસ્થિમત્સ્યો

Jan 25, 1989

અસ્થિમત્સ્યો (osteichthyes) હાડકાનું અંત:કંકાલ ધરાવતી માછલીઓ. હાલમાં જીવતી હનુધારી (gnathostoma) માછલીઓ બે સ્વતંત્ર વર્ગોમાં વહેંચાયેલી છે : ટીલિયૉસ્ટોમી અને ઇલૅસ્મોબ્રૅકિયેમૉર્ફી. લુપ્ત માછલીઓનો સમાવેશ કરવામાં આવે તો આ વર્ગો વચ્ચેની ભિન્નતા અસ્પષ્ટ બને છે. શક્ય છે કે ટીલિયૉસ્ટોમી માછલીઓ એક યા બીજા તબક્કે વાતાશયો (air bladders) ધરાવતી હોય. આજે જીવતી બધી…

વધુ વાંચો >

અસ્થિમૃદુતા

Jan 25, 1989

અસ્થિમૃદુતા (osteomalacia) : કૅલ્શિયમ અથવા વિટામિન-‘ડી’ની ઊણપથી પુખ્તવયે હાડકાનું પોચું પડી જવું તે. ચયાપચયી (metabolic) વિકારને કારણે કૅલ્શિયમયુક્ત હાડકામાંથી કૅલ્શિયમ સતત ઘટતું રહે છે. તેને સ્થાને અસ્થિદ્રવ્ય (osteoid) જમા થતું રહે છે. બાળકોમાં થતા આવા જ અસ્થિ અને કાસ્થિ(cartilage)ના વિકારને સુકતાન (rickets) કહે છે. અસ્થિમૃદુતાવાળા કરોડ-સ્તંભ(મેરુદંડ)ના મણકા, નિતંબ તથા પગનાં…

વધુ વાંચો >

અસ્થિરોગ, પૅજેટનો

Jan 25, 1989

અસ્થિરોગ, પૅજેટનો : વધારે પ્રમાણમાં બનતા નવા અસ્થિને કારણે થતી હાડકાંની ઘટ્ટતાનો રોગ. સર જેમ્સ પૅજેટ (1812–99) નામના લંડનના સર્જ્યનના નામ પરથી આ રોગનું નામકરણ થયું છે. ખાસ કરીને 4૦ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓના કરોડના મણકા, નિતંબ, જાંઘ તથા પગનાં હાડકાંમાં તેની વધુ અસર જણાય છે. અસ્થિભક્ષી કોષ (osteoclast) દ્વારા…

વધુ વાંચો >

અસ્થિવિચલન

Jan 25, 1989

અસ્થિવિચલન (dislocation of bone) : સાંધામાંથી હાડકાનું ખસી જવું તે. હાડકાની સંધિસપાટીઓ (articular surfaces) ખસી જાય પણ એકબીજાના સંપર્કમાં રહે ત્યારે તેને હાડકાનું ઉપવિચલન (subluxation) કહે છે અને તે કોઈ પણ જાતનો સંપર્ક ન જાળવી શકે ત્યારે તેને હાડકાનું વિચલન કહે છે. હાડકાનું વિચલન અને ઉપવિચલન જન્મજાત, રોગજન્ય, ઈજાજન્ય કે…

વધુ વાંચો >

અસ્થિવિચલન, પુનરાવર્તી

Jan 25, 1989

અસ્થિવિચલન, પુનરાવર્તી : હાડકાનું વારંવાર ખસી જવું તે. શરૂઆતમાં ક્યારેક ખસી ગયેલું હાડકું સંધિબંધ (ligament) અને સંધિસપાટીઓ(articular surfaces)ને એવી ઈજા પહોંચાડે છે કે તેથી તે સાંધાનું હાડકું વારંવાર ખસી જાય છે. અગાઉની આ ઈજા જોરદાર હોવી જરૂરી નથી અને મોટેભાગે ખૂબ જોરથી થયેલી ઈજા બાદ, પુનરાવર્તી અસ્થિવિચલન થતું પણ નથી.…

વધુ વાંચો >

અસ્થિશોથ, સમજ્જા

Jan 25, 1989

અસ્થિશોથ, સમજ્જા (osteomyelitis) : હાડકાનો તથા તેના પોલાણમાં આવેલી મજ્જાનો ચેપ (infection). તેને અસ્થિ–અસ્થિમજ્જાશોથ પણ કહી શકાય. પરુ કરતા પૂયકારી જીવાણુ(pyogenic bacteria)થી થતા શોથ(inflammation)ને સમજ્જા અસ્થિશોથ કહે છે. ક્ષય અને ઉપદંશ (syphilis) પણ આવો સમજ્જા અસ્થિશોથ કરે છે. સમજ્જા અસ્થિશોથ ઉગ્ર (acute) અને દીર્ઘકાલી (chronic) પ્રકારનો હોય છે. ઉગ્રશોથ, શિશુઓ…

વધુ વાંચો >

અસ્થિસંધિશોથ

Jan 25, 1989

અસ્થિસંધિશોથ (osteoarthritis) : ઘસારાને કારણે થતો હાડકાનો પીડાકારક સોજો. સાંધામાં પાસ-પાસે આવેલાં હાડકાંના છેડાઓ પર કાસ્થિ (cartilage) હોય છે. આ કાસ્થિ હાડકાંની સંધિસપાટી (articular surface) બનાવે છે. કાસ્થિ દેખાવમાં કાચ જેવું લીસું અને સફેદ હોય છે. સુંવાળું હોવાથી હલનચલનમાં અનુકૂળ રહે છે. કાસ્થિના ઘસારાથી તેને સ્થાને નવું હાડકું બને છે.…

વધુ વાંચો >

અસ્પૃશ્યતા

Jan 25, 1989

અસ્પૃશ્યતા : હિન્દુ સમાજમાં સદીઓથી ચાલી આવેલી અમુક વર્ણના લોકોને અસ્પૃશ્ય ગણવાની પ્રથા. સવર્ણ હિન્દુઓએ અમુક જ્ઞાતિઓને અસ્પૃશ્ય ગણી તેને નાગરિક તરીકેના સામાન્ય હક્કોથી પણ વંચિત રાખી. વૈદિક યુગમાં અસ્પૃશ્યતા ન હતી. પરંતુ તેનાં મૂળ વર્ણ અને જ્ઞાતિવ્યવસ્થામાં છે. અસ્પૃશ્યોને પંચમ વર્ણ તરીકે ઓળખવામાં આવતા. બૌદ્ધ ધર્મના પતન પછી અસ્પૃશ્યતા…

વધુ વાંચો >

અસ્યુત

Jan 25, 1989

અસ્યુત : ઇજિપ્તનું શહેર. તે નાઇલ નદીને કિનારે અલ-મિન્યા અને સોહાજ વિભાગોની વચ્ચે આવેલું છે. વસ્તી શહેર : 28,43,૦૦૦ (1995). ખેતી આ વિસ્તારની મુખ્ય પ્રવૃત્તિ છે. તેનું પ્રાચીન નામ લિકોપોલિસ હતું. પ્રાચીન ઇજિપ્તમાં સ્યુત તરીકે ઓળખાતું અસ્યુત શહેર શિયાળનું મુખ ધરાવતા ‘વેપવાવેટ’ ભગવાનની પૂજાનું મુખ્ય કેન્દ્ર હતું. નવપ્લુટોવાદી તત્વચિંતક પ્લૉટિનસનું…

વધુ વાંચો >