ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અલંકારરત્નાકર
અલંકારરત્નાકર (બારમી શતાબ્દીની આસપાસ) : ત્રયીશ્વર મિત્રના પુત્ર શોભાકર મિત્રરચિત અલંકારશાસ્ત્રનો ગ્રંથ. તેમાં 107સૂત્રો છે. કાશ્મીરી કવિ યશસ્કરે પોતે લખેલ દેવીસ્તોત્રમાં આ સૂત્રો તથા તેનાં ઉદાહરણ આપ્યાં છે. આના ઉપર ‘રત્નોદાહરણ’ નામની સ્વોપજ્ઞ ટીકા પણ લખાઈ છે. ભગવતીપ્રસાદ પંડ્યા
વધુ વાંચો >અલંકારશાસ્ત્ર
અલંકારશાસ્ત્ર : સંસ્કૃત સાહિત્યમાં કાવ્યગત સૌન્દર્યનું વિશ્લેષણ કરતું શાસ્ત્ર. ‘પ્રતાપરુદ્રીય’ની ટીકામાં ‘અલંકારશાસ્ત્ર’ શબ્દનો પ્રયોગ આ માટેનું સમર્થક પ્રમાણ છે. અલંકાર સિવાય કાવ્યના આત્મસ્થાનીય રસ કે ધ્વનિ, કાવ્યના ઉત્કર્ષક ધર્મો જેવા કે ગુણ, રીતિ, ઔચિત્ય વગેરે તત્વોનું નિરૂપણ કરતા આ શાસ્ત્રને ‘અલંકારશાસ્ત્ર’ જ નામ આપવામાં ઔચિત્ય મનાયું છે. આ શાસ્ત્ર માટે…
વધુ વાંચો >અલંકારસર્વસ્વ
અલંકારસર્વસ્વ (બારમી શતાબ્દીનો મધ્યભાગ) : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો પ્રૌઢ ગ્રંથ. કર્તા રાજાનક ઉપનામધારી કાશ્મીરી પંડિત રુય્યક (રુચક). ગ્રંથ સૂત્ર, વૃત્તિ અને ઉદાહરણ – એ પદ્ધતિમાં લખાયો છે. એમાં સૂત્ર તથા વૃત્તિના રચયિતા રુય્યક છે, જ્યારે ઉદાહરણો વિભિન્ન ગ્રંથોમાંથી લેવામાં આવ્યાં છે. ‘અલંકારસર્વસ્વ’ના ટીકાકાર જયરથ સૂત્ર તથા વૃત્તિના રચયિતા રુય્યકને જ માને…
વધુ વાંચો >અલંકાર સંપ્રદાય
અલંકાર સંપ્રદાય : કાવ્યનું સર્વસ્વ અલંકાર છે એવું મંતવ્ય ધરાવનાર એક વિશિષ્ટ વર્ગ. આ સંપ્રદાયમાં રસ, ધ્વનિ જેવાં બધાં તત્વો અલંકારમાં જ સમાવિષ્ટ થાય છે એમ સિદ્ધ થયું છે. આ સંપ્રદાયના પ્રવર્તક ભામહ (સપ્તમ શતક), પોષક દંડી (સપ્તમ શ.), ઉદભટ (અષ્ટમ શ.), રુદ્રટ (નવમ શ.) તથા પ્રતિહારેન્દુરાજ (દશમ શતક) અને…
વધુ વાંચો >અલંગ
અલંગ : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું બંદર. તે ખંભાતના અખાતના પશ્ચિમ કિનારે ખુલ્લા સમુદ્રથી 1.6 કિમી. દૂર, તળાજાથી 20 કિમી. અને ભાવનગરથી 50 કિમી. અંતરે મણાર ગામ નજીક મણારી નદી ઉપર આવેલું છે. તે ભાવનગર-તળાજા-મહુવા કંઠાર ધોરીમાર્ગથી તથા રાજ્યમાર્ગથી રાજ્ય-પરિવહનની સીધી સળંગ બસસેવા દ્વારા જોડાયેલું છે. ‘મિરાતે…
વધુ વાંચો >અલાઉદ્દીન અતા મુહંમદ
અલાઉદ્દીન અતા મુહંમદ (સોળમી સદી) : ગુજરાતના સુલતાન બહાદુરશાહ(1526થી 1537)ના સમકાલીન વિદ્વાન અને ઉચ્ચ કોટિના અરબી શાયર. જ્યારે સુલતાન બહાદુરશાહ મુઘલ બાદશાહ હુમાયૂંના હાથે પરાજય પામીને દીવમાં પોર્ટુગીઝો પાસે નાસી ગયો, ત્યારે પોર્ટુગીઝોએ શાયર અલાઉદ્દીન અતા મુહંમદને કેદ કર્યા હતા. અરબીમાં ‘ઉજૂબાતુઝ્ઝમાન’ (જમાનાની અજાયબીઓ) અને ‘નાદિરતુદ્દૌરાન’ (યુગોની અજાયબી) નામના તેમના…
વધુ વાંચો >અલાન્દ ટાપુઓ
અલાન્દ ટાપુઓ : અલાન્દ સમુદ્રમાં બોથ્નિયાના અખાતના પ્રવેશદ્વારે ફિનલૅન્ડની નૈર્ઋત્યે આવેલ ટાપુઓનો સમૂહ. તે સ્વિડનના દરિયાકિનારેથી 40 કિમી. દૂર આવેલા ફિનલૅન્ડનો ભાગ ગણાતા આશરે 6,100 ટાપુઓથી બનેલો. વિસ્તાર : 1527 ચોકિમી. વસ્તી : 29,789 (2019). પાટનગર : મેરીહાન. કાંસ્યયુગ અને લોહયુગમાં આ ટાપુઓ પર માનવ-વસવાટ હોવાના પુરાવા મળ્યા છે. અલાન્દ…
વધુ વાંચો >અલાસ્કા
અલાસ્કા : અમેરિકાના સંયુક્ત રાજ્યો(U.S.A.)માંનું ઉત્તરમાં વાયવ્યે આવેલું રાજ્ય. વિસ્તાર(15,30,700 ચોકિમી.)ની દૃષ્ટિએ તે અમેરિકાનું સૌથી મોટું રાજ્ય છે; જોકે વસ્તી 7,40,339 (2023) અત્યંત છૂટીછવાયી છે. તેની પશ્ચિમે બેરિંગ સમુદ્ર અને સામુદ્રધુની, ઉત્તર અને વાયવ્યે આર્ક્ટિક મહાસાગર, દક્ષિણે પ્રશાંત મહાસાગર અને અલાસ્કાનો અખાત અને પૂર્વે કૅનેડાનો યુકોન પ્રદેશ તથા બ્રિટિશ કોલંબિયા…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >
અલંકારવિમર્શિની
અલંકારવિમર્શિની (તેરમી સદી) : રુય્યકના ‘અલંકારસર્વસ્વ’ પર જયરથે રચેલી ટીકા. તેને ટીકા કરતાં ભાષ્ય કહેવું વધારે યોગ્ય છે. અત્યંત ગંભીર શૈલીમાં રચાયેલી આ ટીકા પંડિતરાજના ‘રસગંગાધર’ની જેમ અનેક સંદર્ભોથી યુક્ત છે. ‘વિમર્શિની’નું સ્થાન અભિનવગુપ્તના ‘લોચન’ની સમકક્ષ ગણાય છે. અલંકારોના ખંડનમંડનમાંની પ્રૌઢિ, ચિંતનનું ગાંભીર્ય, વિદ્વત્તાપૂર્ણ વિશ્લેષણ તથા મૌલિક વિચારોનું નિરૂપણ વગેરેનું…
વધુ વાંચો >