ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અનૌરસતા અને અનૌરસ સંતાન
અનૌરસતા અને અનૌરસ સંતાન : લગ્નેતર સંબંધ દ્વારા સ્ત્રી-પુરુષના દેહસંબંધથી જન્મતાં સંતાન. બધા જ સમાજ/સમુદાયોમાં માન્ય ધોરણો કે કાયદા પ્રમાણે પુરુષ અને સ્ત્રી લગ્ન બાદ સંતાનોને જન્મ આપે તે સંતાનો જ ઔરસતા કે કાયદેસરતા ધરાવે છે. પુરુષ-સ્ત્રીનાં આ સિવાયનાં ગેરકાયદેસર મનાતા દેહસંબંધ દ્વારા પેદા થતાં સંતાનને સમાજ માન્યતા અને કાયદેસરતા…
વધુ વાંચો >અન્ધક
અન્ધક : પૌરાણિક વૃત્તાંત મુજબ યાદવોની એક શાખા. તેઓ મથુરા પર રાજ કરતા હતા. વૃષ્ણિઓ સાથે સંકળાયેલા હોવાથી મહાભારત તથા અન્ય ગ્રંથોમાં તે બંને યાદવ-શાખાઓનાં નામ સાથે હોય છે. મથુરાના રાજા ઉગ્રસેન તથા કંસ અંધક કુળના હતા. યાદવોના પશ્ચિમી સ્થળાંતર પછી અંધકોનું સત્તા-સ્થાન વૃષ્ણિઓએ લીધું દેખાય છે. ભારતયુદ્ધ પછીની સદીઓમાં…
વધુ વાંચો >અન્ધ્ર
અન્ધ્ર : કૃષ્ણા અને ગોદાવરી નદીના અંતરાલ પ્રદેશમાં રહેતી પ્રાચીન પ્રજા. ઐતરેય બ્રાહ્મણમાં ‘પુંડ્ર’, ‘શબર’, ‘પુલિંદ’ અને ‘મૂતિબ’ પ્રજાઓની સાથે એનો ઉલ્લેખ છે. વિશ્વામિત્રે શુન:શેપને દત્તક લીધો તેનો એના 50 મોટેરા પુત્રોએ અસ્વીકાર કરેલો ત્યારે સમાજબહિષ્કૃત કરવામાં આવેલાંઓમાં આ ચાર જાતિઓનો સમાવેશ થયેલો. આ ઉપરથી એમ કહી શકાય કે આ…
વધુ વાંચો >અન્ન અને કૃષિ સંસ્થા
અન્ન અને કૃષિ સંસ્થા : જુઓ, ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન (F.A.O.).
વધુ વાંચો >અન્નપૂર્ણા (શિખર)
અન્નપૂર્ણા (શિખર) : ભારતની ઉત્તરે પૂર્વ-પશ્ચિમ આશરે 2,400 કિમી. લંબાઈ ધરાવતા અને ઉત્તર-દક્ષિણ આશરે 240થી 320 કિમી.ની પહોળાઈ ધરાવતા હિમાલયનાં સાત ઊંચાં શિખરોમાંનું એક. ભૌ. સ્થાન : 280 34´ ઉ. અ. અને 830 50´ પૂ. રે. અગત્યનાં શિખરોમાં ‘માઉન્ટ એવરેસ્ટ’ અથવા ‘ગૌરીશંકર’ 8,848 મીટરની ઊંચાઈ ધરાવે છે. સેટેલાઇટ (ઉપગ્રહીય) મોજણી…
વધુ વાંચો >અન્નપૂર્ણાદેવી
અન્નપૂર્ણાદેવી (જ. 15 એપ્રિલ 1927, મૈહર, મધ્યપ્રદેશ; અ. 13 ઑક્ટોબર 2018, મુંબઈ, મહારાષ્ટ્ર) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં કલાકાર. મધ્યપ્રદેશના મૈહર નામના કસ્બામાં જન્મ. પિતા મશહૂર ગાયક અલાઉદ્દીનખાં. નાનપણમાં જ તેમણે અન્નપૂર્ણાને સિતારનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું. તેમણે ઈ. સ. 1940 સુધી સિતારનું શિક્ષણ લીધું. ત્યારબાદ સૂરબહાર વગાડવાની કલા પણ હસ્તગત…
વધુ વાંચો >અન્નવાહક પેશી
અન્નવાહક પેશી (phloem) : અન્નવાહક (લોએમ – Phloem) : અન્નવાહક અથવા અધોવાહી એ એક પ્રકારની વાહક કે વહન કરનાર પેશી છે અને તે નીચે પ્રમાણેના પદાર્થ તથા ભાગોની બનેલી છે. (અ) ચાલની નળી, ચાલની નલિકા (બ) સાથીકોષ (ક) અન્નવાહક મૃદુતક અને (ડ) અધોવાહી તંતુઓ – (અલ્પ પ્રમાણમાં) અન્નવાહક સંપૂર્ણતયા કાર્ય…
વધુ વાંચો >અન્નસમસ્યા
અન્નસમસ્યા અન્નની અછતમાંથી ઉદ્ભવતી સમસ્યા. અન્નસમસ્યા–જાગતિક : જાગતિક અન્નસમસ્યાના સંદર્ભે ઘણા પલટા લીધા છે. વિશ્વના વિકસિત દેશોને એમના વિકાસકાળ દરમિયાન અન્નની આયાત પર આધાર રાખવો પડેલો. અન્ન અને કાચી સામગ્રી માફકસર ભાવ કરતાંયે નીચે દરે મળે તે ઉદ્દેશથી એમણે અન્ય રાષ્ટ્રોમાં સામ્રાજ્ય સ્થાપેલું. બીજા વિશ્વયુદ્ધ પછી સામ્રાજ્યો ખતમ થયાં. વિદેશી…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >