ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અનુપપત્તિ (ન્યાય)
અનુપપત્તિ (ન્યાય) : એક તર્કદોષ. ‘ઉપપત્તિ’ એટલે તાર્કિક સંગતિ, અવિરોધ; તેનો અભાવ તે ‘અન્-ઉપપત્તિ’. કોઈ પદાર્થ કે સિદ્ધાંતની સ્થાપનામાં નડતો આ એક તર્કદોષ છે. તર્કદૃષ્ટિએ જ્યારે કોઈ તથ્યનું અસ્તિત્વ અમુક અન્ય બાબતનું અસ્તિત્વ ફલિત કરે, ત્યારે તે તથ્ય પેલી અન્ય બાબતના અભાવની સ્થિતિમાં સંભવતું નથી. આથી જ કોઈ નવી (=…
વધુ વાંચો >અનુપમાદેવી
અનુપમાદેવી : ગુજરાતમાં સોલંકી યુગ દરમિયાન 13મી સદીમાં થયેલા ધોળકાના વાઘેલા રાણા વીરધવલના મંત્રી તેજપાલની પત્ની. શ્રી વસ્તુપાલ–તેજપાલ રાજા વીરધવલના મંત્રીઓ હતા. તેઓએ ભારતમાં અનેક તીર્થસ્થાનો તથા ધર્મસ્થાનો કરાવ્યાં હતાં. અનુપમાદેવી શ્યામવર્ણનાં હોઈ તે તેજતપાલને ગમતાં નહોતાં. પરંતુ બુદ્ધિમાં તેઓ તેજસ્વી હતાં, જાણે કે સરસ્વતીનો અવતાર ! સંસારના પ્રશ્નો ઉકેલવામાં…
વધુ વાંચો >અનુપૂરક સ્થાપન કસોટી
અનુપૂરક સ્થાપન કસોટી (complement fixation test) : દ્રવ્ય-પ્રતિદ્રવ્ય(antigen-antibody)ના સંયોજનમાં અનુપૂરકના સ્થાપનના સિદ્ધાંત પર આધારિત કસોટી, જે રક્તરસશાસ્ત્ર(serology)માં ઘણી ઉપયોગી છે. દ્રવ્ય કે પ્રતિદ્રવ્ય એકલાં સાથે અનુપૂરકો સ્થાપન કરી શકાતાં નથી. આ કસોટીમાં દ્રવ્ય, દરદીનું રક્તજલ (patient’s serum : પ્રતિદ્રવ્યના સ્રોત તરીકે) અને અનુપૂરકને ભેગાં કરી 370 સે. તાપમાને 30 મિનિટ…
વધુ વાંચો >અનુપ્રાસ
અનુપ્રાસ : જુઓ, અલંકાર.
વધુ વાંચો >અનુભવબિંદુ
અનુભવબિંદુ (1649) : મધ્યકાલીન ગુજરાતી કવિ અખાની બ્રહ્મજ્ઞાન-વિષયક લઘુ કાવ્યકૃતિ. જીવ, જગત અને ઈશ્વરના યથાર્થ જ્ઞાનની આત્મસૂઝ દ્વારા થયેલી દૃઢ પ્રતીતિ અર્થાત્ બ્રહ્મજ્ઞાન ‘અનુભવબિંદુ’નો વિષય છે. તેનું નિરૂપણ સ્વાનુભવના અર્ક રૂપે હોવાથી નામાભિધાન ‘અનુભવબિંદુ’. અખો અહીં ‘યોગવાસિષ્ઠ’ના અજાતવાદને અનુસરે છે. સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણનું વસ્તુત: અસ્તિત્વ જ નથી. જે…
વધુ વાંચો >અનુભવવાદ
અનુભવવાદ (Empiricism) પાશ્ચાત્ય તત્વચિંતનમાં રજૂ થયેલો જ્ઞાન-મીમાંસા-(epistemology)નો એક સિદ્ધાંત. તેનું મુખ્ય પ્રતિપાદન એ છે કે જ્ઞાનપ્રાપ્તિનાં સાધનોમાં બુદ્ધિનો નહિ, પણ ઇન્દ્રિયાનુભવનો ફાળો મુખ્ય હોય છે. આમ જ્ઞાનમીમાંસાના સિદ્ધાંત તરીકે અનુભવવાદ એ બુદ્ધિવાદ(rationalism)નો વિરોધી સિદ્ધાંત છે. અનુભવ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ ‘experience’ મૂળ ગ્રીક શબ્દ ‘empeiria’ પરથી ઊતરી આવેલો છે. લૅટિનમાં…
વધુ વાંચો >અનુમાન (પ્રમાણ)
અનુમાન (પ્રમાણ) : કોઈ જ્ઞાત વસ્તુ ઉપરથી અજ્ઞાત વસ્તુનું જ્ઞાન જે પ્રમાણથી થાય છે તે. આપણે દૂર પર્વત ઉપર ધુમાડો દેખીએ છીએ પણ અગ્નિને દેખતા નથી. ધુમાડો પ્રત્યક્ષથી જ્ઞાત છે. અગ્નિ અજ્ઞાત છે. જ્ઞાત ધુમાડા ઉપરથી આપણને અજ્ઞાત અગ્નિનું જ્ઞાન થાય છે. આ રીતે થયેલું અગ્નિનું જ્ઞાન અનુમાન છે. અહીં…
વધુ વાંચો >અનુમાપન
અનુમાપન (titration) : રસાયણશાસ્ત્રમાં કદમાપક વિશ્લેષણની એક પદ્ધતિ. તેમાં પદાર્થના નમૂનાના કોઈ એક ઘટકનું પ્રમાણ નક્કી કરવા તે નમૂનાના ચોક્કસ વજન અથવા તેના દ્રાવણના ચોક્કસ કદ સાથે રાસાયણિક પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી બ્યુરેટમાંથી પ્રમાણિત દ્રાવણ (standard solution) ઉમેરવામાં આવે છે અને તેનું કદ નોંધી લેવામાં આવે છે. પૃથક્કરણમાં અનુમાપનનો…
વધુ વાંચો >અનુયાજ
અનુયાજ : પ્રધાન યાગની સમાપ્તિ વખતે થતું ગૌણ કે પૂરક યજ્ઞાનુષ્ઠાન. (अनु + यज् + धञ् = अनुयाग). પ્રાચીન વૈદિક દર્શપૌર્ણમાસેષ્ટિ યાગમાં પ્રધાન યાગ કે દેવતાના યાગની પહેલાં વિશિષ્ટ પાંચ દેવતાઓને ઉદ્દેશીને પાંચ વિશિષ્ટ આહુતિઓ અપાય છે તે પ્રયાજયાગ; અને પ્રધાન યાગ થયા પછી બર્હિ:, નરાશંસ અને સ્વિષ્ટકૃત્ અગ્નિ એમ…
વધુ વાંચો >અનુયુરેનિયમ તત્ત્વો
અનુયુરેનિયમ તત્ત્વો (transuranium અથવા transuranic elements) : યુરેનિયમ (92U) કરતાં વધુ પરમાણુક્રમાંક (93 અને તેથી વધુ) ધરાવતાં રાસાયણિક તત્વો. કુદરતમાં ઠીક ઠીક જથ્થામાં પ્રાપ્ત થતું ભારેમાં ભારે તત્ત્વ યુરેનિયમ છે જેનો પરમાણુક્રમાંક 92 છે. 1940માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલી ખાતે મેકમિલન અને એબલસને દર્શાવ્યું કે જ્યારે યુરેનિયમ ઉપર ન્યૂટ્રૉનનો મારો…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >