ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અનંતી
અનંતી (infinity) ∞ : મર્યાદિત સંખ્યાની વિરુદ્ધ અર્થ દર્શાવતી અને અમર્યાદિત રીતે વધતી જતી સંખ્યા. સંજ્ઞા : ∞. અનંતી, અનંત ગણો (sets) અને અનંત પ્રક્રિયાઓ (operations) ગણિતના અધ્યયનમાં અને વિકાસમાં ઘણા મહત્વના ખ્યાલો છે. પ્રખર ગણિતશાસ્ત્રી ડેવિડ હિલ્બર્ટે આધુનિક ગણિતને અનંતીનું વિજ્ઞાન ગણાવ્યું છે. તેમના મતે અનંતીનો ખ્યાલ માનવીની સૌથી વધુ…
વધુ વાંચો >અનાઈમૂડી
અનાઈમૂડી : તામિલનાડુ રાજ્યના કૉઇમ્બતૂર જિલ્લામાં તેમજ કેરળ રાજ્યમાં પથરાયેલી અનાઈમલય પર્વતમાળાનું એક શિખર. ભૌગોલિક સ્થાન : 100 10´ ઉ. અ. અને 770 04´ પૂ. રે. કોડાઈ કેનાલની દક્ષિણે આવેલું આ શિખર 2,695 મીટરની ઊંચાઈ ધરાવે છે. અનાઈમલયનો અર્થ હાથીઓનો પર્વત અને અનાઈમૂડીનો અર્થ હાથીનું મસ્તક એવો થાય છે. અહીંનું…
વધુ વાંચો >અનામત કિંમત
અનામત કિંમત (reservation price) : કિંમતની એવી લઘુતમ સપાટી, જે સપાટીએ વિક્રેતા માલ વેચવાને બદલે માલ અનામત રાખે છે. અનામત કિંમતનાં નિર્ણાયક પરિબળો મુખ્યત્વે પાંચ છે : ભાવિ કિંમતની ધારણા, રોકડ નાણાની માગની તીવ્રતા, સંગ્રહખર્ચ, વસ્તુનું ટકાઉપણું અને તેનું ભાવિ ઉત્પાદન-ખર્ચ. ભવિષ્યમાં કિંમત ઘટશે એવી ધારણા હોય, વિક્રેતાને રોકડ નાણાની…
વધુ વાંચો >અનામત ચલણ
અનામત ચલણ (Reserved Currency) : વિશ્વમાં સાર્વત્રિક સ્વીકૃતિનો ગુણ ધરાવતું વિદેશી ચલણ. દરેક દેશ તેને પોતાની વિદેશી હૂંડિયામણની અનામતોમાં મૂકવા તત્પર હોય છે. વિદેશી દેવાની પતાવટ કરવા તેમજ અતિરિક્ત આયાતોનું મૂલ્ય ચૂકવવા તેનો ઉપયોગ કરવામાં આવે છે. અનામત ચલણમાં ચાર લક્ષણો જરૂરી છે : (1) મૂલ્યસ્થિરતા – તેનું મૂલ્ય સ્થિર…
વધુ વાંચો >અનામત પ્રથા
અનામત પ્રથા : કેટલાંક નિયત સામાજિક જૂથોના ઝડપી ઉત્કર્ષ અને વિકાસ માટે વિવિધ શૈક્ષણિક, રાજકીય, વ્યાવસાયિક, સામાજિક વગેરે ક્ષેત્રોમાં અમુક જગ્યાઓ અનામત રાખવાની નીતિ. ભારતના બંધારણમાં આ નીતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં આ સામાજિક જૂથો ‘નકારાત્મક ભેદભાવ’(negative discrimiation)નો ભોગ બન્યાં હતાં, તેને પરિણામે તેઓમાં પછાતપણું આવ્યું. તે દૂર કરવા…
વધુ વાંચો >અનામત પ્રથા અને આંદોલનો
અનામત પ્રથા અને આંદોલનો વર્ગીકૃત જાતિઓ અને જનજાતિઓ માટે શિક્ષણસંસ્થાઓ તથા સરકારી કે અર્ધસરકારી નોકરીઓમાં અમુક ટકા જગાઓ અનામત રાખવાની પ્રથા સામે ગુજરાતમાં અને અન્યત્ર ચાલેલાં આંદોલનો. 1981ની વસ્તીગણતરી પ્રમાણે ભારતમાં તેની કુલ વસ્તીના 15.75 ટકા અને 7.76 ટકા અનુક્રમે વર્ગીકૃત જાતિઓ અને જનજાતિઓની વસ્તી છે. એટલે કે કુલ વસ્તીનો…
વધુ વાંચો >અનાવરક
અનાવરક (shutter) : કૅમેરાના લેન્સમાંથી પસાર થતા પ્રકાશને નિયત સમય સુધી ફિલ્મ ઉપર પડવા દે તેવી યાંત્રિક કરામત. આધુનિક કૅમેરામાં બે પ્રકારના અનાવરકો – પાંખડી અનાવરક (leaf shutter) અને પડદા અનાવરક (focal plane shutter) – પૈકી કોઈ પણ એકનો ઉપયોગ કરેલો હોય છે. પાંખડી અનાવરક (leaf shutter, between lens shutter…
વધુ વાંચો >અનાવૃત અંગારિયો (ઘઉં)
અનાવૃત અંગારિયો (ઘઉં) : ઘઉંને ફૂગ દ્વારા થતો એક રોગ. રોગજનક ફૂગનું વૈજ્ઞાનિક નામ Ustilago nuda (Jens.) Rostrup. છે. આ બીજજન્ય રોગ ઊંબી/ડૂંડી આવે ત્યારે જ ઓળખાય છે. ઊંબીઓ નીંઘલમાં આવે ત્યારે દાણાની જગ્યાએ માત્ર કાળી ભૂકી જ જોવા મળે છે. દાણા બિલકુલ પોષાતા નથી. રોગગ્રાહ્ય અને રોગિષ્ઠ વિસ્તારનું બીજ…
વધુ વાંચો >અનાવૃત આંજિયો (જુવાર)
અનાવૃત આંજિયો (જુવાર) : જુવારને ફૂગ દ્વારા થતો એક રોગ. રોગજનક ફૂગનું વૈજ્ઞાનિક નામ Sphacelotheca cruenta (Kuhn) Potter છે. આ ફૂગના કણો બીજ ઉપર ચોંટેલા હોય છે, જે ચેપ લગાડે છે. આ રોગથી છોડની વૃદ્ધિ અટકે છે, ડૂંડાં વહેલાં બેસે છે અને ડૂંડાના ફૂલમાં આની અસરને કારણે પક્વતા આવતાં જ…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >