ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અંતર્વેદિ, અંતર્વેદી
અંતર્વેદિ, અંતર્વેદી : જુઓ, બ્રહ્માવર્ત
વધુ વાંચો >અંત:કર્પરી અર્બુદો
અંત:કર્પરી અર્બુદો (intracranial tumours) : ખોપરીના પોલાણમાં થતી મગજ ઇત્યાદિની ગાંઠો. તેને કારણે ખોપરીમાં દબાણ વધે છે. પરિણામે દર્દીને માથાનો દુખાવો, ઊલટી અને દૃષ્ટિના વિકારો પેદા થાય છે, જે સતત વધ્યા કરે છે. તેને અંત:કર્પરી અતિદાબ (intracranial hypertension) કહે છે. ઝાંખું દેખાવું, બેવડું દેખાવું (દ્વિદૃષ્ટિ, diplopia) કે થોડા સમય માટે…
વધુ વાંચો >અંત:કૃત ખડકો
અંત:કૃત ખડકો (Plutonic rocks) : અગ્નિકૃત ખડકોનો એક પ્રકાર. પોપડાની અંદર વધુ ઊંડાઈએ મૅગ્મામાંથી તૈયાર થતા અંતર્ભેદિત ખડકો. અગ્નિકૃત ખડકોનો આ પ્રકાર ભૂગર્ભમાં મૅગ્માની ઠંડા પડવાની ક્રિયા દરમ્યાન થતા સ્ફટિકીકરણથી તૈયાર થયેલા ખનિજ-સ્ફટિકોનો બનેલો હોય છે. સ્ફટિકીકરણની આ ક્રિયા ખૂબ જ ઊંડાઈએ ઊંચા તાપમાને વાયુઓ તેમજ બાષ્પની હાજરીમાં અત્યંત ઉગ્ર…
વધુ વાંચો >અંત:કોષરસજાળ
અંત:કોષરસજાળ (endoplasmic reticulatum) : સુકોષકેન્દ્રી (eukaryotic) કોષના કોષરસમાં વિસ્તૃત અને આંતરસંબંધિત (interconnected) પટલતંત્ર (membrane system) રચતી અંગિકા. તે બધા જ પ્રાણીકોષો અને વનસ્પતિકોષોમાં જોવા મળે છે. આદિકોષકેન્દ્રી (prokayota), પરિપક્વ રક્તકણો, અંડકોષ કે યુગ્મનજ(zygote)માં તેનો અભાવ હોય છે. આદિશુક્રકોષમાં તે રસધાની સ્વરૂપે વિકાસ પામેલી રચના છે. સંયુક્ત સૂક્ષ્મદર્શકયંત્ર હેઠળ કોષરસમાં જોવા…
વધુ વાંચો >અંત:ક્ષેપ પંપ
અંત:ક્ષેપ પંપ (Infusion pump) : નસ વાટે સતત દવા આપવા માટેની યાંત્રિક યોજના. તેના દ્વારા દર્દીની રોજિંદી ક્રિયામાં ખલેલ ન પહોંચે તે રીતે તેને સતત ઘણા દિવસો માટે કે કાયમ માટે ધમની (artery) કે શિરા (vein) વાટે દવા આપી શકાય છે. તે માટે વપરાતા પંપ બે પ્રકારના હોય છે :…
વધુ વાંચો >અંત:પેશી શેક
અંત:પેશી શેક (diathermy) : ચામડી નીચેની પેશીઓને અપાતો શેક. જુલના નિયમને આધારે એકાંતરિયો (alternate) વીજ-સંચાર (electric current) ગરમી ઉત્પન્ન કરે છે. ઓછી પુનરાવર્તિતાવાળો વીજસંચાર ધ્રુવીકરણ (polarization)ની અસરને કારણે ગરમી ઉત્પન્ન કરતી વખતે પેશીને નુકશાન પહોંચાડે છે, જ્યારે વધુ પુવરાવર્તિતાવાળો અને ઓછી તરંગલંબાઈવાળો વીજ-સંચાર ચામડીને વધુ પડતી ગરમી આપવાને બદલે અંદરની…
વધુ વાંચો >અંત:શોષણ
અંત:શોષણ (imbibition) : વનસ્પતિઓમાં થતા પાણીના પ્રસરણનો વિશિષ્ટ પ્રકાર. આ પ્રક્રિયા દરમિયાન અધિશોષક(adsorbent)ની હાજરીમાં પાણીનું ચોખ્ખું વહન પ્રસરણ-પ્રવણતા (diffusion gradient)ની દિશામાં થાય છે. જો શુષ્ક વનસ્પતિ-દ્રવ્ય પાણીમાં મૂકવામાં આવે તો તે પુષ્કળ પ્રમાણમાં ફૂલે છે; દા.ત., લાકડાંનાં બારી-બારણાં ચોમાસામાં ફૂલી જાય છે. શુષ્ક લાકડું એક સારા અધિશોષક તરીકે વર્તે છે.…
વધુ વાંચો >અંત:સ્થ જળપરિવાહ
અંત:સ્થ જળપરિવાહ : કોઈ પણ પ્રદેશની નદીઓ, મહાસાગરો કે સમુદ્રને મળવાને બદલે આંતરિક સરોવરમાં પડે કે રણવિસ્તારમાં સમાઈ જાય તે પ્રકારનો જળપરિવાહ. યુ.એસ.એ.માં ઉટાહના પશ્ચિમ ભાગ અને નેવાડાના નીચા પ્રદેશનો જળપરિવાહ અંત:સ્થ પ્રકારનો છે. અહીં ખારા સરોવરમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે અથવા તે ભૂમિમાં શોષાઈ જાય છે. મધ્ય-પૂર્વ એશિયાની જૉર્ડન…
વધુ વાંચો >અંત:સ્ફુરણાવાદ
અંત:સ્ફુરણાવાદ : કોઈ પણ વિધાન, વિભાવના કે વસ્તુના અનુમાન વગરનું અવ્યવહિત (immediate) આકલન તે માનસપ્રત્યક્ષ (intuition) શબ્દથી પણ ઓળખવામાં આવે છે. જ્ઞાનનો જે પ્રકાર અનુભવ કે તર્કબુદ્ધિથી સ્વતંત્ર છે તેને અંત:સ્ફુરણાત્મક જ્ઞાન તરીકે સમજવામાં આવે છે. ‘ઇન્ટ્યૂઇશન’ શબ્દ બિનઅનુમાનજન્ય (noninferential) જ્ઞાન માટે તેમજ તેવું જ્ઞાન મેળવવા માટેની મનની સહજ-શક્તિને માટે…
વધુ વાંચો >અંત:સ્રાવ
અંત:સ્રાવ (hormone) : શરીરની ક્રિયાઓનું નિયમન કરતાં લોહીમાં સીધાં ઝરતાં રસાયણો. ઇન્સ્યુલિન, એડ્રીનાલિન, કૉર્ટિકોસ્ટીરૉઇડ, ગલગ્રંથિ(thyroid)ના સ્રાવો વગેરે ઘણા અંત:સ્રાવો શરીરમાં હોય છે. તેમનાં મુખ્ય ચાર કાર્યક્ષેત્રો હોય છે : (1) શરીરની આંતરિક પરિસ્થિતિ અને રાસાયણિક બંધારણનું નિયમન; (2) ઈજા, ચેપ, ભૂખમરો, શરીરમાંથી પાણીનું ઘટી જવું, ખૂબ લોહી વહી જવું, અતિશય…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >