ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અંગ્રેજી સાહિત્ય
અંગ્રેજી સાહિત્ય અંગ્રેજી સાહિત્યનું સૌથી પ્રાચીન ગણાતું વીરકાવ્ય ‘બેઆવુલ્ફ’ જૂની-અંગ્રેજી ઍંગ્લો-સૅક્સન-ભાષામાં દસમી સદીમાં લખાયેલું. તે છઠ્ઠી સદીની જર્મન પ્રજાના શૌર્યયુગ વિશે છે. ઍંગ્લો-સેક્સન ગદ્યસાહિત્યનો પિતા રાજા આલ્ફ્રેડ (849-899) છે. ઈ. સ. 1૦66માં ફ્રાંસના નૉર્મન રાજા વિલિયમે ઇંગ્લૅન્ડ જીતી લીધું, એને પરિણામે અંગ્રેજી સાહિત્ય પર ફ્રેંચનો પ્રભાવ વધ્યો. ફ્રેંચ લોકોએ પણ…
વધુ વાંચો >અંજન-અંજની
અંજન–અંજની : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલાસ્ટોમેટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Memecylon ambellatum Burm. F. syn. M. edule Roxb. (મ. અંજની, લિંબા; ગુ. અંજની-અંજની; અં. Iron wood Tree) છે. ડૉ. સાન્તાપાઉના મંતવ્ય પ્રમાણે મહારાષ્ટ્ર રાજ્યના મહાબળેશ્વર, લોનાવાલા વગેરે વિવિધ પ્રદેશોમાં ઊગતી આ પ્રજાતિની બધી જ જાતિઓ ‘અંજની’ નામથી…
વધુ વાંચો >અંજલિકાવ્ય
અંજલિકાવ્ય : સ્વજન કે અન્ય પ્રેમાદરપાત્ર જીવિત કે મૃત વ્યક્તિનું તેનાં સદગુણો-સત્કાર્યો અને મહિમાની ભાવપૂર્વક પ્રશસ્તિ ગાતું વ્યક્તિછબીવાળું કાવ્ય. સ્થળ કે પ્રદેશવિશેષની ગુણપ્રશસ્તિવાળું કાવ્ય (ઉદાહરણાર્થ- ખબરદારનું ‘ગુણવંતી ગુજરાત’) પણ તેમાં આવે. કરુણપ્રશસ્તિ કાવ્યો (એલિજી) કેટલીક રીતે અંજલિકાવ્યો નાં લક્ષણો પણ દાખવે છે. એ સિવાયનાં પણ અંજલિકાવ્યો હોય છે; જેમ કે…
વધુ વાંચો >અંજાર
અંજાર : ગુજરાત રાજ્યનાં કચ્છ જિલ્લામાં આવેલું અગત્યનાં નગરોમાંનું એક. લગભગ 300 ઉ. અક્ષાંશ પર આવેલું આ નગર કંડલા અને ગાંધીધામની ઉત્તરે લગભગ 25 કિમી. દૂર આવેલું છે. તેની પશ્ચિમે ભૂજ અને પૂર્વમાં ભચાઉ નામના જાણીતાં નગરો આવેલાં છે. વસ્તી : 1,48,354 (2011). અંજાર પ્રાચીન નગર છે. સ્થાનિક ઇતિહાસ અનુસાર…
વધુ વાંચો >અંજારિયા, જશવંતરાય જયંતિલાલ
અંજારિયા, જશવંતરાય જયંતિલાલ (જ. 15 જુલાઈ 1908, કચ્છ-ભુજ; અ. 10 એપ્રિલ 197૦, દિલ્હી) : વિખ્યાત અર્થશાસ્ત્રી અને ઉચ્ચ કક્ષાના વહીવટકર્તા. મૂળ અંજાર(કચ્છ)ના. અર્થશાસ્ત્રના વિષય સાથે મુંબઈની વિલ્સન કૉલેજમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી મુંબઈ યુનિવર્સિટી તથા લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાંથી અનુસ્નાતક પદવીઓ પ્રાપ્ત કરી. લંડન સ્કૂલના અભ્યાસ દરમિયાન વિખ્યાત અર્થશાસ્ત્રી…
વધુ વાંચો >અંજારિયા, ભૃગુરાય દુર્લભજી
અંજારિયા, ભૃગુરાય દુર્લભજી (જ. 6 ઑક્ટોબર 1913, રાજકોટ; અ. 7 જુલાઈ 198૦, મુંબઈ) : સાહિત્યસંશોધક, વિવેચક. જ્ઞાતિએ નાગર. માતા ચંચળબહેન. પિતા જામનગરમાં શિક્ષક. પ્રાથમિક શિક્ષણ જામનગરમાં. માતાપિતાના અવસાનને કારણે પછીનું મૅટ્રિક સુધીનું શિક્ષણ રાજકોટમાં. બી.એ. 1935માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી, અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે. એ જ વિષયો સાથે એમ.એ.નો અભ્યાસ…
વધુ વાંચો >અંજારિયા, હિંમતલાલ ગણેશજી
અંજારિયા, હિંમતલાલ ગણેશજી (જ. 2 ઑક્ટોબર 1877, રાજકોટ; અ. 26 જૂન 1972) : સાહિત્યશિક્ષણ માટેનાં કેટલાંક પુસ્તકોના સંપાદક. વડોદરાથી બી.એ. થઈ 1899માં ગોંડલ રાજ્યના કેળવણીખાતામાં જોડાયા. 1905માં એમ.એ. થયા પછી 1932 સુધી મુંબઈ નગરપાલિકાની શાળા સમિતિમાં મદદનીશ અને મુખ્ય અધીક્ષક તરીકે કામગીરી બજાવી. નિવૃત્તિ પૂર્વેના એક દાયકા દરમિયાન પાછળથી કર્વે…
વધુ વાંચો >અંજીર
અંજીર : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus carica L. (સં. काकोदंबरिका, अंजीर; હિં. બં. મ. ગુ. અંજીર; અં. common fig. ફિગ) છે. તે પર્ણપાતી વૃક્ષ છે. તેનું મુખ્ય વાવેતર ભૂમધ્ય સમુદ્રના દેશોમાં, અફઘાનિસ્તાન અને અમેરિકામાં થાય છે. ભારતમાં પુણેની આસપાસ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં…
વધુ વાંચો >અંજીર ફૂદું
અંજીર ફૂદું : એક ઉપદ્રવી કીટક. અંજીર ફૂદા(એફિસ્ટિયા કૉટેલા)નો રોમપક્ષશ્રેણીના પાયરેલિડી કુળમાં સમાવેશ કરવામાં આવેલ છે. સંગ્રહેલ ચોખા, ઘઉંનો લોટ તથા બીજાં અનાજ અને સૂકાં ફળમાં આ જીવાતથી નુકસાન થાય છે. અનાજ દળવાની મિલોમાં પણ તેનો ઉપદ્રવ થાય છે. આ કીટક ભૂખરા રંગનો હોય છે. રતાશ પડતી સફેદ ઇયળ પોતાની…
વધુ વાંચો >અંજુમને ઇસ્લામ
અંજુમને ઇસ્લામ : અંગ્રેજો વિરુદ્ધના 1857ના વિપ્લવ પછી મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવા, સામાજિક સુધારાઓ દાખલ કરવા તથા આધુનિક શિક્ષણના પ્રસારના હેતુથી સાર્વજનિક મુસ્લિમ સંસ્થાઓ સ્થાપવામાં આવી હતી, જેમને સામાન્ય રીતે અંજુમને ઇસ્લામ અર્થાત્ મુસ્લિમ મંડળ નામ આપવામાં આવ્યું હતું. જૂના મુંબઈ રાજ્યમાં મુંબઈ શહેર તથા ગુજરાતમાં અમદાવાદ, સૂરત, વડોદરા જેવાં…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >