૧.૦૯

અધ્વર્યુ, ભૂપેશ ધીરુભાઈથી અનુભવબિંદુ

અધ્વર્યુ ભૂપેશ ધીરુભાઈ

અધ્વર્યુ, ભૂપેશ ધીરુભાઈ (જ. 5 મે 1950, ગણદેવી, ચીખલી, જિ. વલસાડ; અ. 21 મે 1982, ગણદેવી, જિ. વલસાડ) : ગુજરાતી કવિ, વાર્તાકાર, વિવેચક. પિતા શિક્ષક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગણદેવીમાં અને કૉલેજશિક્ષણ બીલીમોરામાં. અમદાવાદમાંથી એમ.એ. થઈ મોડાસા આદિ કૉલેજોમાં ચારેક વર્ષ ગુજરાતીનું અધ્યાપન કર્યું, પણ શિક્ષણની ને આખા સમાજની વ્યવસ્થામાં વ્યક્તિના સ્વાતંત્ર્યને…

વધુ વાંચો >

અધ્વર્યુ વિનોદ બાપાલાલ

અધ્વર્યુ, વિનોદ બાપાલાલ (જ. 24 જાન્યુઆરી 1927, ડાકોર, જિ. ખેડા; અ. 24 નવેમ્બર, 2016, અમદાવાદ) : કવિ, નાટ્યકાર, વિવેચક અને સંપાદક. શિક્ષણ ડાકોરમાં મુંબઈની વિલ્સન કૉલેજમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. (1947). ભારતીય વિદ્યાભવનમાંથી ગુજરાતી વિષય સાથે એમ.એ. ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એડ. ગુજરાતી ગદ્ય, તેમાંય નાટક તેમના રસનો વિષય છે. શરૂઆતમાં…

વધુ વાંચો >

અધ્વર્યુ શિવાનંદ

અધ્વર્યુ, શિવાનંદ (જ. 18 ડિસેમ્બર 1906, બાંદરા, તા. ગોંડલ, સૌરાષ્ટ્ર; અ. 22 ઑક્ટોબર 1998, હૃષીકેશ) : તબીબી વ્યવસાયને આધ્યાત્મિક ઓપ આપનાર અને તે દ્વારા અસંખ્ય નેત્રયજ્ઞોનું સફળ આયોજન કરી સાચા અર્થમાં ‘ચક્ષુદાન’ કરવા માટે વિશ્વભરમાં ખ્યાતિ પામેલા ગુજરાતના સેવાભાવી તબીબ. મૂળ નામ ભાનુશંકર. પિતાનું નામ ગૌરીશંકર અને માતાનું નામ પાર્વતીબહેન.…

વધુ વાંચો >

અનનાસ

અનનાસ : એકદળી વર્ગના બ્રોમેલીએસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ananas comosus  (L.) Merrill. syn. A. Sativus Schult. f. (સં. अनानास, कौतुकसंज्ञक; હિં. अनास; ગુ. અનનાસ) છે. હાલનું નવું નામ A. comosus (L) Merrill છે. કેવડા જેવાં વિશાળ વૃક્ષો. દરેક ભાગ કાંટા ધરાવે છે. તેથી ઢોર ખાઈ શકતાં નથી અને…

વધુ વાંચો >

અનર્ઘરાઘવ (નવમી સદી)

અનર્ઘરાઘવ (નવમી સદી) : લગભગ નવમી સદીના અંતે થયેલ મુરારિરચિત સાત અંકનું સંસ્કૃત નાટક. તેનું વિષયવસ્તુ રામાયણકથા પર આધારિત છે. મૂળ કથામાં બહુ ઓછા ફેરફાર સાથે રચાયેલ આ નાટકમાં મુખ્યત્વે શ્ર્લોકો દ્વારા રજૂઆત થઈ છે. ગદ્યાંશ કેવળ માહિતીના પૂરક રૂપે અથવા તો વર્ણનાત્મક એકોક્તિઓની રજૂઆત માટે જ પ્રયોજાયેલ છે. તેથી…

વધુ વાંચો >

અનવરી

અનવરી (1185 આસપાસ હયાત) : ફારસી વિદ્વાન. અનવરીની જન્મતારીખ અને તેમના જીવન વિશે ખાસ માહિતી મળતી નથી. તે દશ્તે ખાવરાનમાં આવેલ મેહનાની પાસેના અલીવર્દ નામના ગામે જન્મેલા. તેથી શરૂઆતમાં એમણે પોતાનું તખલ્લુસ ‘ખાવરી’ રાખ્યું હતું. પાછળથી અનવરી રાખ્યું. તૂસમાં આવેલ મનસૂરીયાહ નામના મદરેસામાં તેઓ ભણેલા. તર્કશાસ્ત્ર, ખગોળવિદ્યા, ભૂમિતિ, જ્યોતિષ વગેરે…

વધુ વાંચો >

અનવસ્થા (ન્યાય)

અનવસ્થા (ન્યાય) : તર્કમાં સંભવિત એક દોષપ્રકાર. કોઈ અજ્ઞાતસ્વરૂપ બાબત (ઉપપાદ્ય) અંગે ખુલાસા(ઉપપાદક)ની કલ્પના તે તર્ક. એ તર્કમાં જ્યારે અનવસ્થાદોષ પ્રવેશે ત્યારે દરેક ઉપપાદક-ઉપપાદ્ય બની અનંત ઉપપાદક-પરંપરાના જ્ઞાનની અપેક્ષા રાખે છે. એ અશક્ય હોઈ મૂળ ઉપપાદ્ય અજ્ઞાતસ્વરૂપ જ રહે છે. ઉપપાદક અસિદ્ધ ઠરે છે. દા.ત., વૈશેષિકો કારણમાં કાર્યનો ‘સમવાય’ સંબંધ…

વધુ વાંચો >

અનવસ્થિત શુક્રગ્રંથિતા

અનવસ્થિત શુક્રગ્રંથિતા (undescended testis) : જન્મસમયે કે તે પછી શુક્રગ્રંથિકોશા(scrotum) એટલે કે શુક્રગ્રંથિ-કોથળીમાં શુક્રગ્રંથિનું અવતરણ ન થયું હોય તે સ્થિતિ. જન્મસમયે કે તે પછીનાં થોડાં અઠવાડિયાંમાં જો શુક્રગ્રંથિકોશામાં શુક્રગ્રંથિ (શુક્રપિંડ) પેટમાંના તેના ઉદગમસ્થાનેથી ઊતરી ન હોય તો તેને અનવસ્થિત શુક્રગ્રંથિતા અથવા અનવસ્થિત શુક્રપિંડિતા કહે છે. ગર્ભાશયકાળમાં પેટની પાછલી દીવાલ પર…

વધુ વાંચો >

અનસૂયાબહેન સારાભાઈ

અનસૂયાબહેન સારાભાઈ (જ. 11 નવેમ્બર 1885, અમદાવાદ; અ. 11 સપ્ટેમ્બર 1972, અમદાવાદ) : મજૂર પ્રવૃત્તિનાં અગ્રણી, પ્રથમ સ્ત્રી-કામદાર નેતા તથા અમદાવાદ મજૂર મહાજન સંઘનાં સ્થાપક. પિતાનું નામ સારાભાઈ અને માતાનું નામ ગોદાવરીબહેન. અમદાવાદના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિના કુટુંબમાં જન્મ. તેમણે મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી ગૃહસ્થજીવનમાં પ્રવેશ કર્યો.…

વધુ વાંચો >

અનહદ નાદ

અનહદ નાદ (1964) : પંજાબી કાવ્યસંગ્રહ. ડૉ. ગોપાલસિંહ ‘દરદી’ના આ કવિતાસંગ્રહને 1964નો સાહિત્ય અકદામી પુરસ્કાર મળ્યો છે. સંગ્રહની કવિતાઓમાં આધુનિક યુગમાં થઈ રહેલ મૂલ્યોના હ્રાસથી થતી મનોવેદનાને વ્યક્ત કરી છે. તેમણે નૈતિક અને વૈજ્ઞાનિક મૂલ્યોની પુન:સ્થાપનાની હિમાયત કરી છે. માત્ર પ્રવર્તમાન પરિસ્થિતિનું વાસ્તવિક નિરૂપણ અને વિશ્લેષણ કરવા ઉપરાંત એક સુંદર…

વધુ વાંચો >

અનાવરક

Jan 9, 1989

અનાવરક (shutter) : કૅમેરાના લેન્સમાંથી પસાર થતા પ્રકાશને નિયત સમય સુધી ફિલ્મ ઉપર પડવા દે તેવી યાંત્રિક કરામત. આધુનિક કૅમેરામાં બે પ્રકારના અનાવરકો – પાંખડી અનાવરક (leaf shutter) અને પડદા અનાવરક (focal plane shutter) – પૈકી કોઈ પણ એકનો ઉપયોગ કરેલો હોય છે. પાંખડી અનાવરક (leaf shutter, between lens shutter…

વધુ વાંચો >

અનાવૃત અંગારિયો (ઘઉં)

Jan 9, 1989

અનાવૃત અંગારિયો (ઘઉં) : ઘઉંને ફૂગ દ્વારા થતો એક રોગ. રોગજનક ફૂગનું વૈજ્ઞાનિક નામ Ustilago nuda (Jens.) Rostrup. છે. આ બીજજન્ય રોગ ઊંબી/ડૂંડી આવે ત્યારે જ ઓળખાય છે. ઊંબીઓ નીંઘલમાં આવે ત્યારે દાણાની જગ્યાએ માત્ર કાળી ભૂકી જ જોવા મળે છે. દાણા બિલકુલ પોષાતા નથી. રોગગ્રાહ્ય અને રોગિષ્ઠ વિસ્તારનું બીજ…

વધુ વાંચો >

અનાવૃત આંજિયો (જુવાર)

Jan 9, 1989

અનાવૃત આંજિયો (જુવાર) : જુવારને ફૂગ દ્વારા થતો એક રોગ. રોગજનક ફૂગનું વૈજ્ઞાનિક નામ Sphacelotheca cruenta (Kuhn) Potter છે. આ ફૂગના કણો બીજ ઉપર ચોંટેલા હોય છે, જે ચેપ લગાડે છે. આ રોગથી છોડની વૃદ્ધિ અટકે છે, ડૂંડાં વહેલાં બેસે છે અને ડૂંડાના ફૂલમાં આની અસરને કારણે પક્વતા આવતાં જ…

વધુ વાંચો >

અનાવૃત બીજધારી વનસ્પતિઓ

Jan 9, 1989

અનાવૃત બીજધારી વનસ્પતિઓ (Gymnosperms)  તે બીજધારી (Spermatophya) વનસ્પતિઓનો એક વિભાગ છે; જેનાં બીજ ખુલ્લાં હોય છે, બીજાશયના પોલાણમાં હોતાં નથી. ‘Gymnosperm’ બે ગ્રીક શબ્દનો બનેલો સંયુક્ત શબ્દ છે. Gymno-naked; sperma-seed તેનાથી વિરુદ્ધ આવૃતબીજધારી (Angiosperm)માં બીજ બીજાશયના પોલાણમાં હોવાથી આવરિત હોય છે. આ વિભાગની જીવંત વનસ્પતિઓને ચાર વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી…

વધુ વાંચો >

અનિક બિસ્તર

Jan 9, 1989

અનિક બિસ્તર (1980) : આધુનિક પંજાબી કવિતાસંગ્રહ. પંજાબીના 1960 પછીના ગાળાના કવિ પ્રીતમસિંહ ‘સફીર’નાં 48 કાવ્યો આ સંગ્રહમાં સમાવિષ્ટ છે. આ સંગ્રહમાં એક તરફ રંગદર્શિતા છે, તો બીજી તરફ રહસ્યવાદ છે. રંગદર્શિતાની પાંખે ઊડીને કવિ આધ્યાત્મિક ગૂઢજ્ઞાનને આંબવા મથે છે, જોકે કૃષ્ણગોપીનાં કે સૂફીવાદનાં કાવ્યોમાં આ પરંપરા દૃષ્ટિએ પડે છે.…

વધુ વાંચો >

અનિદ્રા

Jan 9, 1989

અનિદ્રા (insomnia) : ઊંઘ ન આવવાની તકલીફ. અનિદ્રા સાપેક્ષ તકલીફ છે. કાયમ ચારથી પાંચ કલાક સૂવા ટેવાયેલા માટે તેટલી ઊંઘ પૂરતી હોય છે. પણ છથી સાત કલાક સૂવા ટેવાયેલા માટે ચાર કલાકની ઊંઘ અપૂરતી હોઈ શકે. નવજાત શિશુ આશરે 18 કલાક ઊંઘે છે. નાનાં બાળકો દિવસના બાર કલાક કે તેથી…

વધુ વાંચો >

અનિરુદ્ધ

Jan 9, 1989

અનિરુદ્ધ : કૃષ્ણ વાસુદેવનો પૌત્ર. પ્રદ્યુમ્ન તથા શુભાંગી(વિદર્ભરાજ રુક્મીની કન્યા)નો પુત્ર. શોણિતપુરના રાજા બાણાસુરની પુત્રી ઉષા અનિરુદ્ધના પ્રેમમાં હતી, તેથી એણે અનિરુદ્ધનું હરણ કરાવી એને પોતાના મહેલમાં રાખ્યો. આની જાણ બાણાસુરને થતાં એણે અનિરુદ્ધને કેદ કર્યો. અનિરુદ્ધને છોડાવવા કૃષ્ણે શોણિતપુર પર ચડાઈ કરી, બાણાસુરનો પરાભવ કર્યો અને અનિરુદ્ધને છોડાવ્યો. ઉષા-અનિરુદ્ધ…

વધુ વાંચો >

અનિર્દેશાત્મક મનશ્ચિકિત્સા

Jan 9, 1989

અનિર્દેશાત્મક મનશ્ચિકિત્સા : જુઓ, મનશ્ચિકિત્સા.

વધુ વાંચો >

અનિશ્ચિતતા સિદ્ધાંત

Jan 9, 1989

અનિશ્ચિતતા સિદ્ધાંત (uncertainty principle) : પરમાણ્વિક કક્ષામાં કોઈ વિશિષ્ટ ઇલેક્ટ્રૉનનું ચોક્કસ સ્થાન, વેગમાન કે અન્ય પ્રાચલો નક્કી થઈ શકે નહીં. આથી દ્રવ્યની મૂળભૂત પ્રકૃતિનું તટસ્થપણે માપન શક્ય નથી. પરમાણુના ઇલેક્ટ્રૉન સતત ગતિશીલ હોવાને લીધે આમ બને છે. આથી ઇલેક્ટ્રૉનના સંભવિત વિસ્તાર માટે કક્ષક સિદ્ધાંતનો ઉદભવ થયો. કક્ષક સિદ્ધાંતની યથાર્થતા ઈ.…

વધુ વાંચો >

અનિષ્ટ

Jan 9, 1989

અનિષ્ટ : ઇષ્ટ નહિ તે. ઇષ્ટનો મુખ્ય અર્થ ‘ધર્મકાર્ય’ થાય છે. તેથી અનિષ્ટ એટલે અધર્મ એવો અર્થ થાય. શ્રીમદ્ભગવદ્ગીતામાં ‘समचितत्वमिष्टानिष्टोपपतिषु’ (‘સારા અને માઠા પ્રસંગે સમચિત્તત્વ’) એમ ઉલ્લેખ છે તે ઉપરથી અનિષ્ટ એટલે વિષાદપ્રેરક એવો અર્થ નીકળે. સુપ્રસિદ્ધ મીમાંસક મંડનમિશ્રે કહ્યું છે કે કોઈ પણ કાર્યમાં પ્રવૃત્તિ ત્યારે જ થાય છે,…

વધુ વાંચો >