ખંડ ૧૯
લેઇસ વિંગ બગથી વાંસદા
લેઇસ વિંગ બગ
લેઇસ વિંગ બગ : રીંગણ, કેળ, તુલસી વગેરેમાં નુકસાન કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ Urentius hystricellus છે. તેનો સમાવેશ Hemiptera શ્રેણીના Tingidae કુળમાં થયેલ છે. આ બગ 2.4 મિમી. લંબાઈ અને 0.9 મિમી. પહોળાઈ ધરાવે છે. તે કાળાશ પડતા બદામી રંગના હોય છે. માદા સહેજ ટૂંકી અને સહેજ પહોળી હોય છે.…
વધુ વાંચો >લેઉઆ, રાઘવજી થોભણભાઈ
લેઉઆ, રાઘવજી થોભણભાઈ (જ. 1 ઑગસ્ટ 1909, અમરેલી, ગુજરાત; અ. 2 માર્ચ, 1983) : નિષ્ઠાવાન રાજકારણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. ગરીબ શ્રમજીવી વણકર પરિવારમાં જન્મેલા રાઘવજીભાઈને બાળપણથી અસ્પૃદૃશ્યતાનો અનુભવ થયો, પરંતુ વડોદરા રાજ્યની ફરજિયાત શિક્ષણની નીતિને કારણે શિક્ષણ મેળવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે પહેલા નંબરે તેઓ પાસ થતા. શાળાજીવનમાં અસ્પૃદૃશ્યતાના…
વધુ વાંચો >લેઑકોઑન (શિલ્પ) (Laocoon)
લેઑકોઑન (શિલ્પ) (Laocoon): પ્રાચીન ગ્રીક આરસ-શિલ્પ. તે કૉર્ટિલ દેલ બેલવેડર, વૅટિકનમાં આવેલું છે. તેમાં એપૉલોના ટ્રોજન પાદરી લેઑકોઑન તથા તેમના 2 પુત્રો પર સર્પોના આક્રમણનો વિષય કંડારાયો છે. લેઑકોઑનના અવસાનને ટ્રોજનો તેમના શહેર માટેની એક અપશુકનરૂપ ઘટના જ નહિ, પણ દેવી એથીનાએ ફરમાવેલી એક પ્રકારની સજા પણ માનતા હતા; કેમ…
વધુ વાંચો >લેઓપાર્દી, જાકોમો
લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ…
વધુ વાંચો >લેક ડિસ્ટ્રિક્ટ
લેક ડિસ્ટ્રિક્ટ : વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં આવેલો સરોવરો અને પર્વતોથી બનેલો રળિયામણો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 54° 30´ ઉ. અ. અને 3° 10´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 48 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 40 કિમી. જેટલી છે.…
વધુ વાંચો >લૅકોલિથ (Laccolith)
લૅકોલિથ (Laccolith) : એક પ્રકારનું સંવાદી અંતર્ભેદક. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળી સ્તરશ્રેણીમાં સ્તરોને સમાંતર ગોઠવાયેલું હોય છે. આ પ્રકારનું અંતર્ભેદન નીચે તૈયાર થયેલા મૅગ્માસંચયમાંથી અત્યંત બળપૂર્વક ઘૂસી જઈને બિલાડીના ટોપની જેમ કે છત્રી આકારમાં ઊંચકાઈને ગોળ સ્વરૂપ ધારણ કરતું હોય છે. સાથે સાથે ઉપરના સ્તરોને પણ બળપૂર્વક ઊંચકીને,…
વધુ વાંચો >લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis)
લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis) : લૅક્ટિક ઍસિડનું લોહીમાં પ્રમાણ વધવાથી થતો શારીરિક વિકાર. લૅક્ટિક ઍસિડને દુગ્ધામ્લ કહે છે. તેથી આ વિકારને અતિદુગ્ધામ્લવિકાર પણ કહેવાય. તેમાં મુખ્ય વિકારો રૂપે શરીરમાં તીવ્ર અમ્લતાવિકાર (acidosis), લોહીનું ઘટેલું pH મૂલ્ય (7.3 કે ઓછું), રુધિરરસમાં બાયકાર્બોનેટનું ઘટેલું પ્રમાણ (15 મિ. ઈ. ક્વિ./લિ.થી ઓછું), વધતો જતો…
વધુ વાંચો >લૅક્ટિક ઍસિડ
લૅક્ટિક ઍસિડ : કાર્બોક્સિલિક ઍસિડ તરીકે ઓળખાતા વર્ગનું એક કાર્બનિક સંયોજન. તે α-હાઇડ્રૉક્સિપ્રૉપિયોનિક ઍસિડ અથવા 2-હાઇડ્રૉક્સિપ્રૉપેનૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : CH3CHOHCOOH. તે કેટલાક છોડવાઓના રસમાં, પ્રાણીઓના લોહી તથા સ્નાયુઓમાં જોવા મળે છે. દહીં, ચીઝ, છાશ (butter milk) જેવી આથવણ દ્વારા બનતી ખાદ્ય ચીજોમાં તે મુખ્ય એસિડિક ઘટક…
વધુ વાંચો >લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance)
લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance) : દૂધમાંની શર્કરાને પચાવી શકવાની અક્ષમતાને કારણે ઉદભવતો વિકાર. દૂધમાંની શર્કરાને દુગ્ધશર્કરા (lactose) કહે છે. તે ખાંડ કરતાં 84 % ઓછી ગળી હોય છે. તે સફેદ ભૂકા જેવી હોય છે અને ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતી નથી. ગાય અને ભેંસના દૂધમાં તે 4.5 % પ્રમાણમાં હોય છે. કેટલાંક…
વધુ વાંચો >લૅક્ટોબૅસિલસ (Lactobacillus)
લૅક્ટોબૅસિલસ (Lactobacillus) : દૂધને દહીંમાં ફેરવવામાં અત્યંત ઉપયોગી એવા જીવાણુ(bacteria)ની કેટલીક જાતો. આ જાતોમાં મુખ્યત્વે L. Casci, L. acidophilus અને L. bulgaricus જેવી જાતોનો સમાવેશ થાય છે. આ જીવાણુઓ ગ્રામધની (gram positive) પ્રકારના અને દંડ (rod) આકારના હોય છે. તેમના સંવર્ધન(culture)ને દૂધમાં ઉમેરતાં સામાન્ય પર્યાવરણિક તાપમાને દૂધમાંથી દહીં બને છે.…
વધુ વાંચો >વાકા
વાકા : જાપાની કવિતાનું સ્વરૂપ. તેના રાજદરબારમાં છઠ્ઠીથી ચૌદમી સદી દરમિયાન રાજકવિઓ વાકા, ચૉકા અને સેદૉકા જેવાં સ્વરૂપોમાં લાંબી, ટૂંકી કાવ્યરચનાઓ કરતા. પાછળથી રેંગા, હાયકાઈ અને હાઇકુ જેવાં કાવ્યસ્વરૂપો પ્રગટ્યાં. તેના મૂળમાં ‘વાકા’ છે. વાકાને તાન્કા પણ કહેતા અને જાપાની કવિતાનું તે મૂળ કાવ્યરૂપ છે. ચૉકા દીર્ઘકાવ્યનો પ્રકાર છે; પરંતુ…
વધુ વાંચો >વાકિદી
વાકિદી (જ. 747, મદીના; અ. 823) : સૌથી પ્રાચીન અરબ ઇતિહાસકાર. તેમનું આખું નામ અબૂ અબ્દુલ્લાહ મુહમ્મદ અલ-વાકિદી હતું. તેમના પિતાનું નામ ઉમર હતું અને તેમના પિતામહ અલ-વાકિદના નામ ઉપરથી તેમનું ઉપનામ ‘અલ-વાકિદી’ પડ્યું હતું. મદીનામાં સંગીતશાસ્ત્રનો પરિચય કરાવનાર સાઇબનાં એક પૌત્રી, વાકિદીની માતા હતાં. અરબસ્તાનના મક્કાનગર પછી મુસલમાનો માટેના…
વધુ વાંચો >વાકિફ, બટાલવી
વાકિફ, બટાલવી (અ. 1780) : ફારસી ભાષાના કવિ. તેમની કવિતામાં કાલ્પનિક વિષયોને બદલે સમકાલીન પરિસ્થિતિ તથા ઘટનાઓનું પ્રતિબિંબ પડે છે. તેનું નામ નૂરૂલ ઐન હતું અને તેમનું કુટુંબ પરંપરાગત રીતે બટાલા શહેરનું કાઝી પદ સંભાળતું હતું. વાકિફે કાઝીપદનો ત્યાગ કરીને સૂફી જીવન ઉપર પસંદગી ઉતારી અને કવિનો વ્યવસાય અખત્યાર કર્યો.…
વધુ વાંચો >વાકુંબા
વાકુંબા : સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ. તેના વિવિધ ભાગો મુખ્યત્વે થડ, ફળ, ફૂલ અને બીજના બનેલા છે. વાકુંબા આંજિયા, આગિયા, મકરવા વગેરે નામોથી પણ ઓળખાય છે. વાકુંબાની આશરે નેવું જેટલી જાતો નોંધાયેલી છે; પણ તે પૈકી ભારતમાં મુખ્યત્વે બે જાતો – ઓરોબેન્કી ઇન્ડિકા અને ઓરોબેન્કી સરન્યુઆ પુષ્કળ નુકસાન કરે છે. આ…
વધુ વાંચો >વાક્ – 1 (વૈદિક)
વાક્ – 1 (વૈદિક) : વૈદિક ખ્યાલ. વૈદિક વિચારધારામાં वाक्(વાણી)નું અત્યંત મહત્વપૂર્ણ નિરૂપણ થયેલું છે. સંસ્કૃતના वच (વચ્) ધાતુ ઉપરથી બનેલ ‘वाक्’ શબ્દનો અર્થ ‘વાણી’ એમ થાય છે. મહર્ષિ યાસ્કન ‘નિરુક્ત’ના આરંભમાં ‘નિઘણ્ટુ’ નામના ગ્રંથમાં वाक् (વાક્) માટે 57 જેટલા પર્યાયો આપેલા છે. સૌપ્રથમ તો ‘વાક્’ માટે ઋગ્વેદના દશમ મંડલમાં…
વધુ વાંચો >વાક્ – 2 (વ્યાકરણ)
વાક્ – 2 (વ્યાકરણ) : સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રનો એક પદાર્થ કે જે શબ્દબ્રહ્મનો પર્યાય છે. વ્યાકરણ(શબ્દશાસ્ત્ર)ના દાર્શનિક સ્વરૂપના ચિન્તક ભર્તૃહરિએ ‘વાક્યપદીય’ નામના ગ્રંથમાં ‘વાક્’ની વ્યાપકતાનું નિરૂપણ કરતાં તેની ‘બ્રહ્મરૂપતા’ દર્શાવી છે. આ જ બ્રહ્મરૂપતાનો નિર્દેશ મહાન આલંકારિક દંડીએ તેમના ‘કાવ્યાદર્શ’(1/34)માં આપતાં જે કહ્યું છે તે પ્રમાણે ‘જો શબ્દરૂપી જ્યોતિ આ સંસારમાં…
વધુ વાંચો >વાક્ – 3 (નાટ્યશાસ્ત્ર)
વાક્ – 3 (નાટ્યશાસ્ત્ર) : નાટ્યશાસ્ત્રમાં વાચિક અભિનયને મહત્વનું સ્થાન એ રીતે આપવામાં આવ્યું છે કે સમગ્ર નાટક અને એની પ્રસ્તુતિનો વિચાર કરવામાં આવે ત્યારે વાચાનો, એની કેળવણીનો, એની શુદ્ધિનો તથા એના વિકાસનો પાકો પદ્ધતિસર અને શાસ્ત્રાનુસાર વિનિયોગ થાય. જૂનામાં જૂની પ્રતિષ્ઠિત કૃતિઓ વેદો હોય તો, એનાં મંડળોમાં વાક્ વિશે…
વધુ વાંચો >વાક્ (speech) અને તેના વિકારો
વાક્ (speech) અને તેના વિકારો : વિચારો, ભાવનાઓ અને માહિતીની આપલે માટે વપરાતા શબ્દસંકેતોનું ઉચ્ચારણ અને તેને સંબંધિત વિકારો. શબ્દસંકેતોનું ઉચ્ચારણ સ્વરપેટી, ગળું, જીભ અને હોઠના હલનચલન વડે થાય છે. આકૃતિ 1માં તે અંગેની ચેતાતંત્રીય વ્યવસ્થા દર્શાવી છે. મોટા મગજની સપાટી પર આવેલા ભૂખરા રંગના વિસ્તારને મસ્તિષ્કી બાહ્યક (cerebral cortex)…
વધુ વાંચો >વાક્ચિકિત્સા
વાક્ચિકિત્સા : જુઓ સ્વરપેટી.
વધુ વાંચો >વાક્ય
વાક્ય : વાગ્વ્યવહારનો એકમ. સામાન્ય રીતે તે જુદાં જુદાં પદોના સમૂહનો બનેલો હોય છે. માનવમાત્રના મનોગત વિચારો અને ભાવોનું પ્રદાન કરવામાં વાક્ય અત્યંત મહત્વનું સાધન છે. વાક્યની વ્યાખ્યા અને સ્વરૂપ અંગે સંસ્કૃત વાઙ્મયમાં વ્યાકરણ અને સાહિત્ય ઉપરાંત ન્યાય, મીમાંસા આદિ શાસ્ત્રોમાં વ્યાપક ચિંતન થયેલું છે. તેમાંય વળી વ્યાકરણક્ષેત્રે મહાવૈયાકરણ અને…
વધુ વાંચો >