ખંડ ૧૯

લેઇસ વિંગ બગથી વાંસદા

લેઇસ વિંગ બગ

લેઇસ વિંગ બગ : રીંગણ, કેળ, તુલસી વગેરેમાં નુકસાન કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ Urentius hystricellus છે. તેનો સમાવેશ Hemiptera શ્રેણીના Tingidae કુળમાં થયેલ છે. આ બગ 2.4 મિમી. લંબાઈ અને 0.9 મિમી. પહોળાઈ ધરાવે છે. તે કાળાશ પડતા બદામી રંગના હોય છે. માદા સહેજ ટૂંકી અને સહેજ પહોળી હોય છે.…

વધુ વાંચો >

લેઉઆ, રાઘવજી થોભણભાઈ

લેઉઆ, રાઘવજી થોભણભાઈ (જ. 1 ઑગસ્ટ 1909, અમરેલી, ગુજરાત; અ. 2 માર્ચ, 1983) : નિષ્ઠાવાન રાજકારણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. ગરીબ શ્રમજીવી વણકર પરિવારમાં જન્મેલા રાઘવજીભાઈને બાળપણથી અસ્પૃદૃશ્યતાનો અનુભવ થયો, પરંતુ વડોદરા રાજ્યની ફરજિયાત શિક્ષણની નીતિને કારણે શિક્ષણ મેળવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે પહેલા નંબરે તેઓ પાસ થતા. શાળાજીવનમાં અસ્પૃદૃશ્યતાના…

વધુ વાંચો >

લેઑકોઑન (શિલ્પ) (Laocoon)

લેઑકોઑન (શિલ્પ) (Laocoon): પ્રાચીન ગ્રીક આરસ-શિલ્પ. તે કૉર્ટિલ દેલ બેલવેડર, વૅટિકનમાં આવેલું છે. તેમાં એપૉલોના ટ્રોજન પાદરી લેઑકોઑન તથા તેમના 2 પુત્રો પર સર્પોના આક્રમણનો વિષય કંડારાયો છે. લેઑકોઑનના અવસાનને ટ્રોજનો તેમના શહેર માટેની એક અપશુકનરૂપ ઘટના જ નહિ, પણ દેવી એથીનાએ ફરમાવેલી એક પ્રકારની સજા પણ માનતા હતા; કેમ…

વધુ વાંચો >

લેઓપાર્દી, જાકોમો

લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ…

વધુ વાંચો >

લેક ડિસ્ટ્રિક્ટ

લેક ડિસ્ટ્રિક્ટ : વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં આવેલો સરોવરો અને પર્વતોથી બનેલો રળિયામણો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 54° 30´ ઉ. અ. અને 3° 10´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 48 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 40 કિમી. જેટલી છે.…

વધુ વાંચો >

લૅકોલિથ (Laccolith)

લૅકોલિથ (Laccolith) : એક પ્રકારનું સંવાદી અંતર્ભેદક. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળી સ્તરશ્રેણીમાં સ્તરોને સમાંતર ગોઠવાયેલું હોય છે. આ પ્રકારનું અંતર્ભેદન નીચે તૈયાર થયેલા મૅગ્માસંચયમાંથી અત્યંત બળપૂર્વક ઘૂસી જઈને બિલાડીના ટોપની જેમ કે છત્રી આકારમાં ઊંચકાઈને ગોળ સ્વરૂપ ધારણ કરતું હોય છે. સાથે સાથે ઉપરના સ્તરોને પણ બળપૂર્વક ઊંચકીને,…

વધુ વાંચો >

લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis)

લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis) : લૅક્ટિક ઍસિડનું લોહીમાં પ્રમાણ વધવાથી થતો શારીરિક વિકાર. લૅક્ટિક ઍસિડને દુગ્ધામ્લ કહે છે. તેથી આ વિકારને અતિદુગ્ધામ્લવિકાર પણ કહેવાય. તેમાં મુખ્ય વિકારો રૂપે શરીરમાં તીવ્ર અમ્લતાવિકાર (acidosis), લોહીનું ઘટેલું pH મૂલ્ય (7.3 કે ઓછું), રુધિરરસમાં બાયકાર્બોનેટનું ઘટેલું પ્રમાણ (15 મિ. ઈ. ક્વિ./લિ.થી ઓછું), વધતો જતો…

વધુ વાંચો >

લૅક્ટિક ઍસિડ

લૅક્ટિક ઍસિડ : કાર્બોક્સિલિક ઍસિડ તરીકે ઓળખાતા વર્ગનું એક કાર્બનિક સંયોજન. તે α-હાઇડ્રૉક્સિપ્રૉપિયોનિક ઍસિડ અથવા 2-હાઇડ્રૉક્સિપ્રૉપેનૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : CH3CHOHCOOH. તે કેટલાક છોડવાઓના રસમાં, પ્રાણીઓના લોહી તથા સ્નાયુઓમાં જોવા મળે છે. દહીં, ચીઝ, છાશ (butter milk) જેવી આથવણ દ્વારા બનતી ખાદ્ય ચીજોમાં તે મુખ્ય એસિડિક ઘટક…

વધુ વાંચો >

લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance)

લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance) : દૂધમાંની શર્કરાને પચાવી શકવાની અક્ષમતાને કારણે ઉદભવતો વિકાર. દૂધમાંની શર્કરાને દુગ્ધશર્કરા (lactose) કહે છે. તે ખાંડ કરતાં 84 % ઓછી ગળી હોય છે. તે સફેદ ભૂકા જેવી હોય છે અને ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતી નથી. ગાય અને ભેંસના દૂધમાં તે 4.5 % પ્રમાણમાં હોય છે. કેટલાંક…

વધુ વાંચો >

લૅક્ટોબૅસિલસ (Lactobacillus)

લૅક્ટોબૅસિલસ (Lactobacillus) : દૂધને દહીંમાં ફેરવવામાં અત્યંત ઉપયોગી એવા જીવાણુ(bacteria)ની કેટલીક જાતો. આ જાતોમાં મુખ્યત્વે L. Casci, L. acidophilus અને L. bulgaricus જેવી જાતોનો સમાવેશ થાય છે. આ જીવાણુઓ ગ્રામધની (gram positive) પ્રકારના અને દંડ (rod) આકારના હોય છે. તેમના સંવર્ધન(culture)ને દૂધમાં ઉમેરતાં સામાન્ય પર્યાવરણિક તાપમાને દૂધમાંથી દહીં બને છે.…

વધુ વાંચો >

વસો

Jan 20, 2005

વસો : ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 40´ ઉ. અ. અને 72° 45´ પૂ.રે.. તે નડિયાદ-ભાદરણ નૅરોગેજ રેલમાર્ગ પર નડિયાદથી 12 કિમી. દૂર આવેલું છે. આ ગામની સ્થાપના 1168માં વસોધરી માતાના નામ પરથી કરાઈ હોવાનું મનાય છે. ખેડાના તત્કાલીન રાજવી મોરધ્વજની તે કુળદેવી હતાં.…

વધુ વાંચો >

વસ્તી

Jan 20, 2005

વસ્તી પૃથ્વી પર વસવાટ કરતી જનસંખ્યા. વીસમી સદીમાં વિશ્વના દેશોએ બે વિશ્વયુદ્ધો જોયાં, તેની ગંભીરતા જાણી અને અનુભવી. અનેક દેશોને ઓછુંવત્તું સહન કરવું પડ્યું. શાંતિ જાળવી રાખવામાં યુદ્ધ કેટલું નુકસાનકારક છે તેનો પણ ખ્યાલ આવ્યો. અણુબૉમ્બથી થયેલી ખુવારી તેમજ તેની દૂરગામી અસરો જોયા પછીથી વિશ્વના દેશો યુદ્ધનો વિરોધ કરતા રહ્યા…

વધુ વાંચો >

વસ્તીવિદ્યા (Demography)

Jan 21, 2005

વસ્તીવિદ્યા (Demography) : જીવન-મરણ, આરોગ્ય, વગેરે અંગેનું આંકડાશાસ્ત્ર. તે માનવવસ્તીના આંકડાશાસ્ત્ર (demography) તરીકે જાણીતું છે. તેમાં જન્મ-મરણના દર ઉપરાંત લોકોની હેરફેર અને વસ્તીના ફેરફાર પર અસર કરતાં પરિબળોનો અભ્યાસ પણ કરવામાં આવે છે. 1. વસ્તીવિદ્યાનો ઇતિહાસ અને તેનાં લક્ષણો : પૃથ્વી પર છેલ્લાં વીસથી પચીસ લાખ વર્ષોથી માનવજાતિ વસે છે…

વધુ વાંચો >

વસ્તી (પરિસ્થિતિવિદ્યા)

Jan 21, 2005

વસ્તી (પરિસ્થિતિવિદ્યા) સજીવની કોઈ એક જાતિનો સમૂહ. કોઈ પણ સજીવની વસ્તીનો પરિસ્થિતિવિદ્યાની દૃષ્ટિએ પણ અભ્યાસ કરવામાં આવે છે; જેમાં એક જ જાતિઓની વિવિધ પ્રક્રિયાઓ જેવી કે સમુચ્ચયન (aggregation), સજીવનું આંતર-અવલંબન તેમજ વિવિધ પરિબળો કે જે આ પ્રક્રિયાઓ પર અસર કરે છે, તેમનો અભ્યાસ કરવામાં આવે છે. તે આધુનિક પરિસ્થિતિવિદ્યાનું અગત્યનું…

વધુ વાંચો >

વસ્તુ (નાટ્ય અને અન્ય સાહિત્યપ્રકારોમાં)

Jan 21, 2005

વસ્તુ (નાટ્ય અને અન્ય સાહિત્યપ્રકારોમાં) : નાટ્ય કે રૂપકમાં રજૂ થતું સપ્રયોજન ઇતિવૃત્ત કે કથાનક. આવું વસ્તુ મહાકાવ્ય વગેરે અન્ય સાહિત્યપ્રકારોમાં પણ હોય છે. ભરતના નાટ્યશાસ્ત્રથી નાટ્યવસ્તુના અનેક પ્રકારો ગણાવવામાં આવ્યા છે. એટલું જ નહિ, ભરત મુનિએ વસ્તુને નાટ્યનું એક ભેદક તત્વ માનીને રૂપકમાં નાયક અને રસ એ બે અન્ય…

વધુ વાંચો >

વસ્તુ-ઉત્પાદન અને વિકાસ-પ્રક્રિયા

Jan 21, 2005

વસ્તુ-ઉત્પાદન અને વિકાસ-પ્રક્રિયા વસ્તુની પરિકલ્પનાથી આરંભ કરી તેને ગ્રાહકોના સ્વીકાર સુધી લઈ જવાની પ્રક્રિયા. ગ્રાહકની માંગ સંતોષવા પ્રસ્તુત કરવામાં આવેલ પાર્થિવ (tangible) કે ઇન્દ્રિયાતીત (intangible) વસ્તુ, સાકાર, સેવારૂપ, સંગઠન, કલ્પના, વિચાર કે વ્યક્તિત્વ – એમાંથી કાંઈ પણ હોઈ શકે છે. તેનાં લક્ષણો, ગુણધર્મો, કામગીરી તથા કિંમત ગ્રાહકોની જરૂરિયાત અને અપેક્ષા…

વધુ વાંચો >

વસ્તુગત સહસંબંધક (objective correlative)

Jan 21, 2005

વસ્તુગત સહસંબંધક (objective correlative) : પ્રસિદ્ધ અંગ્રેજી કવિ ટી. એસ. એલિયટે સ્થાપેલો પશ્ચિમના વિવેચન-સાહિત્યનો મહત્વનો સિદ્ધાંત. ગુજરાતી સાહિત્યમાં એના વિવિધ પર્યાયો રચવામાં આવ્યા છે. નગીનદાસ પારેખે એને ‘પદાર્થરૂપ નિત્યસંબંધ’ એવું નામ આપ્યું છે, તો અન્યોએ ‘વસ્તુનિષ્ઠ સમીકરણ’, ‘પરલક્ષી સહસંબંધક’, ‘વસ્તુલક્ષી સહસંયોજક’, ‘વસ્તુગત સમવાય સંબંધ’ તરીકે એની ઓળખ આપી છે. સર્જકમાં…

વધુ વાંચો >

વસ્તુપાલ

Jan 21, 2005

વસ્તુપાલ (જ. આશરે ઈ. સ. 1185; અ. 1240) : મધ્યકાલીન ગુજરાતમાં રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર તથા વાઘેલા વીરધવલ અને વીસલદેવના મહામાત્ય. તેઓ પોરવાડ જ્ઞાતિના વણિક હતા. તેમના પિતાનું નામ આશરાજ (કે અશ્વરાજ) અને માતાનું નામ કુમારદેવી હતું. પોતાના પૂર્વજોની માફક તેઓ પણ સોલંકી રાજાની સેવામાં રહ્યા…

વધુ વાંચો >

વસ્તુપાલ-તેજપાલનાં દેરાસર

Jan 21, 2005

વસ્તુપાલ-તેજપાલનાં દેરાસર : જુઓ દેલવાડાનાં મંદિરો.

વધુ વાંચો >

વસ્તુ-વેરા

Jan 21, 2005

વસ્તુ-વેરા : ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપર લેવામાં આવતા કરવેરા. ગ્રાહકની જરૂરિયાતોને સંતોષે તેવા કાચા અને તૈયાર માલ તથા વિવિધ પ્રકારની સેવાઓને વસ્તુ કહેવાય છે. મૂલ્યના સિદ્ધાંત અનુસાર કાચો માલ જેવો કે રૂ, ઊન, શણ અને પ્રાણીઓનાં રૂંવાં, તૈયાર માલ જેવો કે કાપડ, ખાંડ અને આઇસક્રીમ તથા સેવાઓ જેવી કે ટેલિફોન,…

વધુ વાંચો >