ખંડ ૧૯
લેઇસ વિંગ બગથી વાંસદા
વાર્કે, પોંકુન્નમ્
વાર્કે, પોંકુન્નમ્ (જ. 1908, પોંકુન્નમ્, કેરળ) : મલયાળમ લેખક. ‘મલયાળમ વિદ્વાન’ની પરીક્ષા પાસ કર્યા પછી તેમણે શિક્ષકની કારકિર્દી સ્વીકારી. તે પછી નોકરી છોડીને કૉંગ્રેસે શરૂ કરેલી આઝાદીની લડતમાં જોડાયા. પોતાની વાર્તાઓ મારફત વર્ગવિગ્રહ ફેલાવવાના આરોપસર તેમને જેલવાસ મળેલો. પછી પ્રોગ્રેસિવ લિટરરી ઍસોસિયેશનના તેઓ મંત્રી બન્યા. 1967-70 દરમિયાન સાહિત્ય-પ્રવર્તક સહકારન્ સંઘમના…
વધુ વાંચો >વાર્ણેકર, શ્રીધર ભાસ્કર (પ્રજ્ઞાભારતી)
વાર્ણેકર, શ્રીધર ભાસ્કર (પ્રજ્ઞાભારતી) (જ. 31 જુલાઈ 1918, નાગપુર, મહારાષ્ટ્ર) : મરાઠી અને સંસ્કૃત પંડિત. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. (1941) તથા ડી.લિટ.ની પદવી મેળવી હતી. તેઓ નાગપુર યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા પછી કોલકાતા ખાતે સત્યાનંદ મહાપીઠમાં કુલાચાર્ય તરીકે જોડાયેલા. 1952થી 1956 સુધી તેઓ સંસ્કૃત વિશ્વ પરિષદના…
વધુ વાંચો >વાર્ત્તિક
વાર્ત્તિક : સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં પાણિનિનાં સૂત્રો પર મૂળ સૂત્ર જેવું જ પ્રમાણભૂત વિધાન. આચાર્ય પાણિનિએ પોતાની અષ્ટાધ્યાયીમાં સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના નિયમો પ્રસ્તુત કર્યા છે. એના પર કાત્યાયન વગેરેએ પાછળથી વાર્ત્તિકો લખ્યાં છે. જે નિયમ સૂત્રમાં ન કહ્યો હોય (અનુક્ત) અને પોતે ઉમેર્યો હોય તે વિધાન ‘વાર્ત્તિક’ કહેવાય. સૂત્રમાં નિયમ બરાબર ન…
વધુ વાંચો >વાર્નેર વિલિયમ લૉઇડ
વાર્નેર વિલિયમ લૉઇડ (જ. 26 ઑક્ટોબર 1898, રેડલૅન્ડ્ઝ, કાલિફ; અ. 23 મે 1970, શિકાગો) : અમેરિકાના સામાજિક નૃવંશશાસ્ત્રી. તેમણે ઈ. સ. 1926માં બી.એ.ની પદવી નૃવંશશાસ્ત્રમાં લીધી. તેમણે 1927થી 1929 દરમિયાન ઑસ્ટ્રેલિયામાં રહીને મુર્નજિન લોકોનો અભ્યાસ કર્યો. ઈ. સ. 1929માં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં નૃવંશશાસ્ત્રના મદદનીશ પ્રાધ્યાપક તરીકે અને 1935માં શિકાગો યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >વાર્લામૉવ, ઍલેક્ઝાન્ડર
વાર્લામૉવ, ઍલેક્ઝાન્ડર (જ. 27 નવેમ્બર 1801, મૉસ્કો, રશિયા; અ. 27 ઑક્ટોબર 1848, સેંટ પિટર્સબર્ગ, રશિયા) : રશિયન લોકગીતો અને લોકસંગીતના આધારે મૌલિક સંગીતસર્જન કરનાર રશિયન સંગીતકાર અને સ્વરકાર. પિતા લશ્કરી અફસર હતા. બાળપણથી જ ઍલેક્ઝાન્ડર વાર્લામૉવનો કંઠ સુરીલો અને રણકતો હતો. તેથી તેને સેંટ પિટર્સબર્ગ કોયર સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો.…
વધુ વાંચો >વાર્વ (varve)
વાર્વ (varve) : હિમજન્ય સરોવરોમાં મોસમ પ્રમાણે જમાવટ પામતું પડ. હિમનદી દ્વારા તૈયાર થયેલાં નાના પરિમાણવાળાં સરોવરોમાં જે નિક્ષેપ તૈયાર થાય છે તેનું દ્રવ્ય ભિન્ન ભિન્ન કણકદનું હોય છે તેમજ તેમાં મોસમ પ્રમાણે જમા થતું દ્રવ્ય જુદાં જુદાં ભૌતિક લક્ષણોવાળું હોય છે. અહીં વારાફરતી આછા અને ઘેરા રંગવાળાં નિક્ષેપોનાં પડ…
વધુ વાંચો >વાર્ષિક અહેવાલ
વાર્ષિક અહેવાલ : કંપની દ્વારા તેના શૅરહોલ્ડરોને દર વર્ષે મોકલવામાં આવતો અહેવાલ. મોટાભાગની ભારતીય કંપનીઓ ભૂતકાળમાં દર વર્ષે તેમના શૅરહોલ્ડરોને સરવૈયા અને નફાનુકસાન ખાતાની સંક્ષિપ્તમાં નકલ તથા સંચાલકોનો અહેવાલ (Director’s report) મોકલતી હતી. આ અહેવાલમાં કંપનીના નફાનું અનામતો(reserves)માં રૂપાંતર અને ડિવિડન્ડ-વિતરણની ભલામણ તથા ‘સંજોગો ધ્યાનમાં લેતાં કંપનીની સંતોષજનક કામગીરી’ એવી…
વધુ વાંચો >વાર્ષિક હિસાબો
વાર્ષિક હિસાબો : વેપારી અથવા ઔદ્યોગિક પેઢી દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલા નાણાકીય વ્યવહારોનું તેણે વર્ષાન્તે તૈયાર કરેલું કોઠાકીય (tabular) વિવરણ. આ વિવરણ/વાર્ષિક હિસાબોમાં (1) સરવૈયું, (2) નફો અને નુકસાન ખાતું/આવક અને ખર્ચ ખાતું તથા (3) રોકડ ભંડોળ પ્રવાહપત્રક આટલાંનો સમાવેશ થાય છે. જો પેઢી લિમિટેડ કંપની હોય તો તેણે…
વધુ વાંચો >વાલ
વાલ : દ્વિદળી વર્ગમાં આવેલા ફોબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dolichos lablab (Roxb.) L. (હિં. સેમ; બં. લથુંઆ; મ. ગુ. વાલ; તે. પપ્પુકુરા; ત. પારૂપ્યુ કીરાઈ; મલ. શમાચા; ક. અવારે; અં. ઇંડિયન બીન) છે. કઠોળ વર્ગના આ પાકનો ઉપયોગ શાકભાજીમાં લીલા દાણા અને શિંગો તરીકે થાય છે અને…
વધુ વાંચો >વાલભી વાચના
વાલભી વાચના : જૈન ધર્મના આગમ ગ્રંથોની વલભી મુકામે તૈયાર કરેલી વાચના. ઈ. સ. 300ના અરસામાં વલભીમાં મળેલી પરિષદમાં નાગાર્જુનની અધ્યક્ષતામાં જૈન આગમ ગ્રંથોની વાચના તૈયાર કરવામાં આવી હતી. લગભગ તે સમયે (ઈ. સ. 3003-01 અથવા 3133-14માં) મથુરામાં સ્કંદિલાચાર્યની અધ્યક્ષતા હેઠળ મળેલી પરિષદમાં પણ આગમ ગ્રંથોની વાચના તૈયાર થયેલી; પરંતુ…
વધુ વાંચો >લેઇસ વિંગ બગ
લેઇસ વિંગ બગ : રીંગણ, કેળ, તુલસી વગેરેમાં નુકસાન કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ Urentius hystricellus છે. તેનો સમાવેશ Hemiptera શ્રેણીના Tingidae કુળમાં થયેલ છે. આ બગ 2.4 મિમી. લંબાઈ અને 0.9 મિમી. પહોળાઈ ધરાવે છે. તે કાળાશ પડતા બદામી રંગના હોય છે. માદા સહેજ ટૂંકી અને સહેજ પહોળી હોય છે.…
વધુ વાંચો >લેઉઆ, રાઘવજી થોભણભાઈ
લેઉઆ, રાઘવજી થોભણભાઈ (જ. 1 ઑગસ્ટ 1909, અમરેલી, ગુજરાત; અ. 2 માર્ચ, 1983) : નિષ્ઠાવાન રાજકારણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. ગરીબ શ્રમજીવી વણકર પરિવારમાં જન્મેલા રાઘવજીભાઈને બાળપણથી અસ્પૃદૃશ્યતાનો અનુભવ થયો, પરંતુ વડોદરા રાજ્યની ફરજિયાત શિક્ષણની નીતિને કારણે શિક્ષણ મેળવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે પહેલા નંબરે તેઓ પાસ થતા. શાળાજીવનમાં અસ્પૃદૃશ્યતાના…
વધુ વાંચો >લેઑકોઑન (શિલ્પ) (Laocoon)
લેઑકોઑન (શિલ્પ) (Laocoon): પ્રાચીન ગ્રીક આરસ-શિલ્પ. તે કૉર્ટિલ દેલ બેલવેડર, વૅટિકનમાં આવેલું છે. તેમાં એપૉલોના ટ્રોજન પાદરી લેઑકોઑન તથા તેમના 2 પુત્રો પર સર્પોના આક્રમણનો વિષય કંડારાયો છે. લેઑકોઑનના અવસાનને ટ્રોજનો તેમના શહેર માટેની એક અપશુકનરૂપ ઘટના જ નહિ, પણ દેવી એથીનાએ ફરમાવેલી એક પ્રકારની સજા પણ માનતા હતા; કેમ…
વધુ વાંચો >લેઓપાર્દી, જાકોમો
લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ…
વધુ વાંચો >લેક ડિસ્ટ્રિક્ટ
લેક ડિસ્ટ્રિક્ટ : વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં આવેલો સરોવરો અને પર્વતોથી બનેલો રળિયામણો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 54° 30´ ઉ. અ. અને 3° 10´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 48 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 40 કિમી. જેટલી છે.…
વધુ વાંચો >લૅકોલિથ (Laccolith)
લૅકોલિથ (Laccolith) : એક પ્રકારનું સંવાદી અંતર્ભેદક. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળી સ્તરશ્રેણીમાં સ્તરોને સમાંતર ગોઠવાયેલું હોય છે. આ પ્રકારનું અંતર્ભેદન નીચે તૈયાર થયેલા મૅગ્માસંચયમાંથી અત્યંત બળપૂર્વક ઘૂસી જઈને બિલાડીના ટોપની જેમ કે છત્રી આકારમાં ઊંચકાઈને ગોળ સ્વરૂપ ધારણ કરતું હોય છે. સાથે સાથે ઉપરના સ્તરોને પણ બળપૂર્વક ઊંચકીને,…
વધુ વાંચો >લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis)
લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis) : લૅક્ટિક ઍસિડનું લોહીમાં પ્રમાણ વધવાથી થતો શારીરિક વિકાર. લૅક્ટિક ઍસિડને દુગ્ધામ્લ કહે છે. તેથી આ વિકારને અતિદુગ્ધામ્લવિકાર પણ કહેવાય. તેમાં મુખ્ય વિકારો રૂપે શરીરમાં તીવ્ર અમ્લતાવિકાર (acidosis), લોહીનું ઘટેલું pH મૂલ્ય (7.3 કે ઓછું), રુધિરરસમાં બાયકાર્બોનેટનું ઘટેલું પ્રમાણ (15 મિ. ઈ. ક્વિ./લિ.થી ઓછું), વધતો જતો…
વધુ વાંચો >લૅક્ટિક ઍસિડ
લૅક્ટિક ઍસિડ : કાર્બોક્સિલિક ઍસિડ તરીકે ઓળખાતા વર્ગનું એક કાર્બનિક સંયોજન. તે α-હાઇડ્રૉક્સિપ્રૉપિયોનિક ઍસિડ અથવા 2-હાઇડ્રૉક્સિપ્રૉપેનૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : CH3CHOHCOOH. તે કેટલાક છોડવાઓના રસમાં, પ્રાણીઓના લોહી તથા સ્નાયુઓમાં જોવા મળે છે. દહીં, ચીઝ, છાશ (butter milk) જેવી આથવણ દ્વારા બનતી ખાદ્ય ચીજોમાં તે મુખ્ય એસિડિક ઘટક…
વધુ વાંચો >લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance)
લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance) : દૂધમાંની શર્કરાને પચાવી શકવાની અક્ષમતાને કારણે ઉદભવતો વિકાર. દૂધમાંની શર્કરાને દુગ્ધશર્કરા (lactose) કહે છે. તે ખાંડ કરતાં 84 % ઓછી ગળી હોય છે. તે સફેદ ભૂકા જેવી હોય છે અને ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતી નથી. ગાય અને ભેંસના દૂધમાં તે 4.5 % પ્રમાણમાં હોય છે. કેટલાંક…
વધુ વાંચો >લૅક્ટોબૅસિલસ (Lactobacillus)
લૅક્ટોબૅસિલસ (Lactobacillus) : દૂધને દહીંમાં ફેરવવામાં અત્યંત ઉપયોગી એવા જીવાણુ(bacteria)ની કેટલીક જાતો. આ જાતોમાં મુખ્યત્વે L. Casci, L. acidophilus અને L. bulgaricus જેવી જાતોનો સમાવેશ થાય છે. આ જીવાણુઓ ગ્રામધની (gram positive) પ્રકારના અને દંડ (rod) આકારના હોય છે. તેમના સંવર્ધન(culture)ને દૂધમાં ઉમેરતાં સામાન્ય પર્યાવરણિક તાપમાને દૂધમાંથી દહીં બને છે.…
વધુ વાંચો >