ખંડ ૧૭

યકૃતથી રાંદેરિયા મધુકર રંગીલદાસ

યકૃત (liver)

યકૃત (liver) : પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ. તેને કલેજું પણ કહે છે. પુખ્ત વયે તેનું વજન 1.4 કિલોગ્રામ (3 શેર) જેટલું હોય છે. તે ઉરોદરપટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલો છે. તે લગભગ બધેથી પરિતનકલા (peritoneum)…

વધુ વાંચો >

યકૃત (માનવેતર પ્રાણીઓ)

યકૃત (માનવેતર પ્રાણીઓ) : જુઓ પાચનતંત્ર (માનવેતર પ્રાણીઓ)

વધુ વાંચો >

યકૃત અર્બુદ

યકૃત અર્બુદ : જુઓ યકૃતમાં ગાંઠ

વધુ વાંચો >

યકૃતકાઠિન્ય (liver cirrhosis)

યકૃતકાઠિન્ય (liver cirrhosis) : ચેપ કે અન્ય કોઈ કારણસર યકૃતકોષોને થયેલી ઈજાને કારણે યકૃતમાં તંતુઓ તથા યકૃતકોષોના ગંડિકા-સ્વરૂપ પુન:સંજનન(regeneration)થી ઉદભવતી સ્થિતિ. તેમાં પેશીવિકૃતિ-સ્વરૂપે મુખ્ય 2 વિકૃતિઓ ઉદભવે છે  તંતુતા (fibrosis) અને ગંડિકાઓ (nodules). આ એક ગંભીર પ્રકારનો રોગ છે અને અમેરિકામાં મૃત્યુનાં કારણોમાં 10મે સ્થાને આવે છે. અમેરિકામાં વય-સંબંધિત મૃત્યુદર…

વધુ વાંચો >

યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું

યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું (Indian childhood cirrhosis) : ફક્ત ભારતીય ઉપખંડમાં જોવા મળતો બાળકોનો યકૃતકાઠિન્યનો વિકાર. તેને ભારતીય લાળ-યકૃતકાઠિન્ય પણ કહે છે. તે 1 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. તેમાં પેટ સતત મોટું થતું રહે છે, બાળક ઉશ્કેરાયેલું રહે છે, કારણ ન દર્શાવી શકાય તેવો અનિયમિત અને મંદતીવ્રતાવાળો તાવ આવે છે,…

વધુ વાંચો >

યકૃતક્ષમતા-કસોટીઓ

યકૃતક્ષમતા-કસોટીઓ (liver function tests) : યકૃતનાં કાર્યો અને તેમાં થતી ક્રિયાઓ દર્શાવતી જૈવરાસાયણિક કસોટીઓ. તેમની મદદથી યકૃતના રોગોનું નિદાન, તેમનો એકબીજાથી નિદાનભેદ, યકૃતને થયેલા નુકસાનની તીવ્રતા તથા સારવારની અસર જાણી શકાય છે. તેમની કેટલીક મર્યાદાઓ પણ છે અને તે ઘણી વખત તીવ્ર વિકારની હાજરીમાં લગભગ સામાન્ય પરિણામો પણ આપે છે.…

વધુ વાંચો >

યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy)

યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy) : યકૃતના રોગને કારણે થતી બેભાનાવસ્થા. તેને કમળી અથવા યકૃતવિકારજન્ય મસ્તિષ્કરુગ્ણતા કહે છે. તેના લક્ષણસમૂહમાં વિવિધ ચેતા-માનસિક લક્ષણો થઈ આવે છે; જેમ કે સભાનતામાં ઘટાડો, વર્તનવિકાર, વ્યક્તિત્વવિકાર, વધઘટ થતાં ચેતાતંત્રીય ચિહ્નો, પંખકંપન (asterixis અથવા flapping tremor) વગેરે. મગજનો વીજાલેખ (મસ્તિષ્કી વીજાલેખ, electroencephalogram) વિશિષ્ટ પ્રકારના ફેરફારો…

વધુ વાંચો >

યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension)

યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension) : આંતરડાં અને બરોળમાંથી આવતા લોહીને યકૃતમાં મોકલવામાં આવે તેવા રુધિરાભિસરણમાં વધેલું દબાણ. બરોળ અને આંતરડાંમાંનું લોહી લઈ જતી શિરાઓ એકબીજીને મળીને નિવાહિકા શિરા (portal vein) બનાવે છે. તે યકૃતમાં પ્રવેશે છે અને યકૃતના કોષોની વચ્ચે આવેલી વિવરિકાભો (sinusoids) નામની પોલી જગ્યાઓમાં લોહી ઠાલવે છે. વિવરિકાભોમાંનું…

વધુ વાંચો >

યકૃતમાં ગાંઠ

યકૃતમાં ગાંઠ : યકૃતમાં કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠ. તેના મુખ્ય 2 પ્રકારો છે : સૌમ્ય (benign) અને મારક (malignant). મારક ગાંઠને કૅન્સર કહે છે. યકૃતમાં થતા કૅન્સરને યકૃતકૅન્સર, યકૃતકોષીય કૅન્સર, યકૃતકોષીય કર્કાર્બુદ (hepato-cellular carcinoma), યકૃતાર્બુદ (hepatoma) – એમ વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. (જુઓ કૅન્સર, યકૃતનું). યકૃતમાં આંતરડાં, જઠર,…

વધુ વાંચો >

યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય

યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય (drug and toxin induced liver disease) : દવાઓ તથા રસાયણોની યકૃત પર થતી ઝેરી અસર. રોજ નવી દવાઓ બને છે, નવાં નવાં રસાયણોના સંસર્ગમાં અવાય છે. કુદરતી (નૈસર્ગિક) કે દ્રુમજન્ય (herbal) ઔષધોનો ઉપયોગ કરાય છે. આ બધાંમાંથી ઘણાં યકૃતમાં વિષતા સર્જે છે. તેને ઘણી વખત વિષાણુજ…

વધુ વાંચો >

યશ પાલ

Jan 2, 2003

યશ પાલ (જ. 26 નવેમ્બર 1926, ઝંગ [હાલ પાકિસ્તાનમાં]) : ભારતના ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની. પંજાબ યુનિવર્સિટીમાંથી 1948માં બી.એસસી. અને 1949માં એમ.એસસી. થયા બાદ યશ પાલે 1950માં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR), મુંબઈ ખાતે કૉસ્મિક કિરણો અને ઉચ્ચ-ઊર્જા ભૌતિકી ઉપર સંશોધનકાર્ય શરૂ કર્યું. 1958માં તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી…

વધુ વાંચો >

યશપાલ

Jan 2, 2003

યશપાલ (જ. 3 ડિસેમ્બર 1903, ફીરોઝપુર; અ. 27 ડિસેમ્બર 1976 ?) : હિંદીના જાણીતા સાહિત્યકાર અને પ્રખર સમાજવાદી ચિંતક. મૂળ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના વતની. પિતા હીરાલાલ વતનમાં એક નાનકડી દુકાન ચલાવતા. માતા પ્રેમદેવી ફીરોઝપુર છાવણીમાં અધ્યાપિકા હતાં. તેઓ આર્યસમાજના અનુયાયી હોવાથી યશપાલનું પ્રાથમિક શિક્ષણ ગુરુકુલ, કાંગડી ખાતે અને માધ્યમિક…

વધુ વાંચો >

યશ:પાલ, કવિ

Jan 2, 2003

યશ:પાલ, કવિ : मोहराजपराजय સંસ્કૃત નાટકના લેખક. ગુજરાતના શંકરભક્ત રાજા કુમારપાલે (ઈ. સ. 1143 –1172) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી ઈ. સ. 1160 (વિ. સં. 1216)માં જૈનધર્મ અંગીકાર કર્યો. ત્યારબાદ થોડાં વર્ષ પછી, કવિ યશ:પાલે આ નાટકની રચના કરી. એ ગુણ-દોષનાં રૂપક-પાત્રો ધરાવતું નાટક છે. આ નાટકમાં કુમારપાલે મોહરાજનો કેવી રીતે પરાજય…

વધુ વાંચો >

યશોદા

Jan 2, 2003

યશોદા : વ્રજના ગોપ જાતિના પ્રમુખ નંદગોપની પત્ની, જેણે બાલકૃષ્ણનું પાલનપોષણ કર્યું હતું. કંસના કારાગૃહમાં કૃષ્ણનો જન્મ થયો તે સમયે યશોદાએ પણ એક કન્યાને જન્મ આપ્યો હતો. વસુદેવ કૃષ્ણને યશોદા પાસે મૂકીને એ કન્યાને લઈ આવ્યા હતા. પુરાણો પ્રમાણે પૂર્વજન્મમાં નંદ-યશોદા ક્રમશઃ વસુઓના પ્રમુખ દ્રોણ અને તેની પત્ની ધરા હતાં.…

વધુ વાંચો >

યશોદા રેડ્ડી, પખાલા (શ્રીમતી)

Jan 2, 2003

યશોદા રેડ્ડી, પખાલા (શ્રીમતી) (જ. 8 ઑગસ્ટ 1929, બિજિનાપલ્લી, જિ. મહેબૂબનગર, આંધ્રપ્રદેશ) : તેલુગુનાં વિદુષી. તેઓ ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી તેલુગુમાં અને સંસ્કૃતમાં એમ.એ. અને પીએચ.ડી. થયાં. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી ડી. લિટ્.ની ડિગ્રી પણ મેળવી. ઓસ્માનિયા યુનિવર્સિટીમાં તેલુગુ વિભાગનાં પ્રાધ્યાપિકા તરીકે નિવૃત્તિ પર્યંત કાર્ય કર્યું. 1990–93 દરમિયાન તેમણે રાજભાષાનાં અધ્યક્ષા તરીકે સફળ…

વધુ વાંચો >

યશોધરા

Jan 2, 2003

યશોધરા : સિદ્ધાર્થ ગૌતમની પત્ની અને એમના પુત્ર રાહુલની માતા. બૌદ્ધ સાહિત્યમાં એને સુભદ્રકા, બિંબા  અને ગોપા પણ કહેલ છે. તેનો અને સિદ્ધાર્થનો જન્મ એક જ દિવસે થયો હતો. 16 વર્ષની વયે તેનું સિદ્ધાર્થ સાથે લગ્ન થયું હતું. યશોધરાને સિદ્ધાર્થથી રાહુલ નામે પુત્ર જન્મ્યો હતો. સિદ્ધાર્થને જીવનની અસારતા જણાતાં તેમણે…

વધુ વાંચો >

યશોધર્મન, વિષ્ણુવર્ધન

Jan 2, 2003

યશોધર્મન, વિષ્ણુવર્ધન (ઈ. સ.ની છઠ્ઠી સદીનો પૂર્વાર્ધ) : ઉત્તર ભારતનો પરાક્રમી રાજા અને મહાન વિજેતા. હૂણો તથા વાકાટકોનાં આક્રમણોના કારણે તથા ગુપ્તોનો અંકુશ નબળો પડવાથી ઈ. સ.ની છઠ્ઠી સદીમાં માળવા પ્રાંત મુશ્કેલીઓમાંથી પસાર થતો હતો. આ પરિસ્થિતિનો લાભ લઈને યશોધર્મન નામના એક સ્થાનિક રાજાએ પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપી. થોડા સમયમાં…

વધુ વાંચો >

યશોવર્મા

Jan 2, 2003

યશોવર્મા (શાસનકાળ : આશરે ઈ. સ. 700–740) : કનોજનો પ્રતાપી રાજા અને મહાન વિજેતા. તેના પૂર્વજો તથા તેનો પૂર્વ ઇતિહાસ જાણવા મળતો નથી; પરંતુ તેના દરબારના પ્રસિદ્ધ રાજકવિ વાક્પતિરાજે પ્રાકૃત ભાષામાં લખેલ ‘ગૌડવહો’ નામના કાવ્યગ્રંથમાંથી તેનું જીવન, શાસન તથા વિજયોની માહિતી પ્રાપ્ત થાય છે. તેમાં કરેલા વર્ણન અનુસાર રાજા યશોવર્મા…

વધુ વાંચો >

યશોવિજયજી

Jan 2, 2003

યશોવિજયજી (જ. આશરે 1619; અ. 1687, ડભોઈ) : જૈન ધર્મ અને તત્વજ્ઞાનના પ્રકાંડ પંડિત સાધુ. કવિ આચાર્ય સિદ્ધસેન દિવાકર, કુંદકુંદાચાર્ય, સમંતભદ્ર, હરિભદ્રસૂરિ, અકલંક, વિદ્યાનંદ અને હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ જૈન વિદ્વાનોની શ્રેણીમાં વિક્રમની સત્તરમી સદીમાં થઈ ગયેલા ઉપાધ્યાય યશોવિજયજીનાં નામ અને કામ યશસ્વી છે. તેઓ જૈન ધર્મ અને દર્શનના પ્રતિભાસંપન્ન વિદ્વાન,…

વધુ વાંચો >

યસ્ટરડે, ટુડે ઍન્ડ ટુમૉરો

Jan 2, 2003

યસ્ટરડે, ટુડે ઍન્ડ ટુમૉરો : ઇટાલિયન ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964, રંગીન. ભાષા : ઇટાલિયન. નિર્માતા : કાર્લો પૉન્ટી. દિગ્દર્શક : વિટ્ટોરિયો દ સિકા. પટકથા : એડ્વર્ડો દ ફિલિપો, ઇસાબેલા ક્વેરેન્ટોટી, સીઝર ઝાવાટ્ટીની અને બિલ્લા બિલ્લા ઝાનુસો. છબિકલા : ગિસેપ્પી, રોટુન્નો. સંગીત : અર્માન્ડો ટ્રોવાજોલી. કલાનિર્દેશન : એઝિયો ફ્રિગેરિયો. મુખ્ય કલાકારો…

વધુ વાંચો >