ખંડ ૧૭
યકૃતથી રાંદેરિયા મધુકર રંગીલદાસ
યકૃત (liver)
યકૃત (liver) : પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ. તેને કલેજું પણ કહે છે. પુખ્ત વયે તેનું વજન 1.4 કિલોગ્રામ (3 શેર) જેટલું હોય છે. તે ઉરોદરપટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલો છે. તે લગભગ બધેથી પરિતનકલા (peritoneum)…
વધુ વાંચો >યકૃત (માનવેતર પ્રાણીઓ)
યકૃત (માનવેતર પ્રાણીઓ) : જુઓ પાચનતંત્ર (માનવેતર પ્રાણીઓ)
વધુ વાંચો >યકૃત અર્બુદ
યકૃત અર્બુદ : જુઓ યકૃતમાં ગાંઠ
વધુ વાંચો >યકૃતકાઠિન્ય (liver cirrhosis)
યકૃતકાઠિન્ય (liver cirrhosis) : ચેપ કે અન્ય કોઈ કારણસર યકૃતકોષોને થયેલી ઈજાને કારણે યકૃતમાં તંતુઓ તથા યકૃતકોષોના ગંડિકા-સ્વરૂપ પુન:સંજનન(regeneration)થી ઉદભવતી સ્થિતિ. તેમાં પેશીવિકૃતિ-સ્વરૂપે મુખ્ય 2 વિકૃતિઓ ઉદભવે છે તંતુતા (fibrosis) અને ગંડિકાઓ (nodules). આ એક ગંભીર પ્રકારનો રોગ છે અને અમેરિકામાં મૃત્યુનાં કારણોમાં 10મે સ્થાને આવે છે. અમેરિકામાં વય-સંબંધિત મૃત્યુદર…
વધુ વાંચો >યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું
યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું (Indian childhood cirrhosis) : ફક્ત ભારતીય ઉપખંડમાં જોવા મળતો બાળકોનો યકૃતકાઠિન્યનો વિકાર. તેને ભારતીય લાળ-યકૃતકાઠિન્ય પણ કહે છે. તે 1 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. તેમાં પેટ સતત મોટું થતું રહે છે, બાળક ઉશ્કેરાયેલું રહે છે, કારણ ન દર્શાવી શકાય તેવો અનિયમિત અને મંદતીવ્રતાવાળો તાવ આવે છે,…
વધુ વાંચો >યકૃતક્ષમતા-કસોટીઓ
યકૃતક્ષમતા-કસોટીઓ (liver function tests) : યકૃતનાં કાર્યો અને તેમાં થતી ક્રિયાઓ દર્શાવતી જૈવરાસાયણિક કસોટીઓ. તેમની મદદથી યકૃતના રોગોનું નિદાન, તેમનો એકબીજાથી નિદાનભેદ, યકૃતને થયેલા નુકસાનની તીવ્રતા તથા સારવારની અસર જાણી શકાય છે. તેમની કેટલીક મર્યાદાઓ પણ છે અને તે ઘણી વખત તીવ્ર વિકારની હાજરીમાં લગભગ સામાન્ય પરિણામો પણ આપે છે.…
વધુ વાંચો >યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy)
યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy) : યકૃતના રોગને કારણે થતી બેભાનાવસ્થા. તેને કમળી અથવા યકૃતવિકારજન્ય મસ્તિષ્કરુગ્ણતા કહે છે. તેના લક્ષણસમૂહમાં વિવિધ ચેતા-માનસિક લક્ષણો થઈ આવે છે; જેમ કે સભાનતામાં ઘટાડો, વર્તનવિકાર, વ્યક્તિત્વવિકાર, વધઘટ થતાં ચેતાતંત્રીય ચિહ્નો, પંખકંપન (asterixis અથવા flapping tremor) વગેરે. મગજનો વીજાલેખ (મસ્તિષ્કી વીજાલેખ, electroencephalogram) વિશિષ્ટ પ્રકારના ફેરફારો…
વધુ વાંચો >યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension)
યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension) : આંતરડાં અને બરોળમાંથી આવતા લોહીને યકૃતમાં મોકલવામાં આવે તેવા રુધિરાભિસરણમાં વધેલું દબાણ. બરોળ અને આંતરડાંમાંનું લોહી લઈ જતી શિરાઓ એકબીજીને મળીને નિવાહિકા શિરા (portal vein) બનાવે છે. તે યકૃતમાં પ્રવેશે છે અને યકૃતના કોષોની વચ્ચે આવેલી વિવરિકાભો (sinusoids) નામની પોલી જગ્યાઓમાં લોહી ઠાલવે છે. વિવરિકાભોમાંનું…
વધુ વાંચો >યકૃતમાં ગાંઠ
યકૃતમાં ગાંઠ : યકૃતમાં કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠ. તેના મુખ્ય 2 પ્રકારો છે : સૌમ્ય (benign) અને મારક (malignant). મારક ગાંઠને કૅન્સર કહે છે. યકૃતમાં થતા કૅન્સરને યકૃતકૅન્સર, યકૃતકોષીય કૅન્સર, યકૃતકોષીય કર્કાર્બુદ (hepato-cellular carcinoma), યકૃતાર્બુદ (hepatoma) – એમ વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. (જુઓ કૅન્સર, યકૃતનું). યકૃતમાં આંતરડાં, જઠર,…
વધુ વાંચો >યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય
યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય (drug and toxin induced liver disease) : દવાઓ તથા રસાયણોની યકૃત પર થતી ઝેરી અસર. રોજ નવી દવાઓ બને છે, નવાં નવાં રસાયણોના સંસર્ગમાં અવાય છે. કુદરતી (નૈસર્ગિક) કે દ્રુમજન્ય (herbal) ઔષધોનો ઉપયોગ કરાય છે. આ બધાંમાંથી ઘણાં યકૃતમાં વિષતા સર્જે છે. તેને ઘણી વખત વિષાણુજ…
વધુ વાંચો >યુગદર્શન (1949)
યુગદર્શન (1949) : ગુજરાતી માસિક. તેનો આરંભ ભારતની આઝાદીના ચૈતન્યસંચારમાંથી, 15મી ઑગસ્ટ 1949ને દિવસે, જન્મભૂમિ-પત્રોનું સંચાલન કરનાર સૌરાષ્ટ્ર ટ્રસ્ટે કર્યો. તેના તંત્રી તરીકે સમાજસુધારક, નીડર અને આદર્શપરાયણ લેખક પરમાનંદ કુંવરજી કાપડિયાની નિમણૂક થયેલી. ‘પ્રબુદ્ધ જીવન’ (પ્રબુદ્ધ જૈન) દ્વારા એમની કલમ વર્ષોથી જાણીતી હતી. આ સામયિક દ્વારા તેઓ ‘સત્યની ઉપાસના અને…
વધુ વાંચો >યુગધર્મ
યુગધર્મ : ગુજરાતી સામયિક. 1922માં ઇન્દુલાલ યાજ્ઞિક અને એ પછી ડૉ. સુમંત મહેતા અને રામનારાયણ પાઠક સંપાદિત આ સામયિકે પ્રજાની રાષ્ટ્રભાવનાને સક્રિય કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રભક્તિને પ્રજાહૃદયમાં દૃઢમૂલ કરવા માટે વિશ્વઇતિહાસ, વૈશ્વિક રાજકારણના પ્રવાહો અને સ્વાતંત્ર્ય અર્થે લડતી પ્રજાઓની ભાવનાનું પ્રકટીકરણ ‘યુગધર્મ’નો વિશેષ બની રહ્યા. ‘યુગધર્મ’માં પ્રસિદ્ધ લખાણો…
વધુ વાંચો >યુગલિક
યુગલિક : મધ્યકાળમાં ટપાલને એક ગામથી બીજે ગામ લઈ જનાર દોડતો હલકારો. ‘પ્રબંધચિંતામણિ’માં તેમનો અધિકારીમાં સમાવેશ થતો હોવાનું જણાવ્યું છે. તેઓ ઘણું કરીને સરકારી પત્રાદિને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડતા. કુમારપાલના સમય(1143–1174)માં મેરુતુંગ કહે છે કે કુમારપાલની જ્યારે સકળ જૈન સંઘના પ્રમુખ તરીકે વરણી થઈ ત્યારે તેણે બધા જૈન તીર્થોની…
વધુ વાંચો >યુગાન્ડા
યુગાન્ડા : પૂર્વ-મધ્ય આફ્રિકામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : આશરે 4° 10´ ઉ. અ.થી 1° 15´ દ. અ. અને 29° 30´ પૂ. રે.થી 35° 00´ પૂ. રે. વચ્ચેનો 2,35,880 ચોકિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. તે લગભગ બધી બાજુએથી ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો છે. તેની ઉત્તરે સુદાન, પૂર્વમાં કેન્યા, દક્ષિણે ટાન્ઝાનિયા…
વધુ વાંચો >યુગોસ્લાવ ચલચિત્ર
યુગોસ્લાવ ચલચિત્ર : યુગોસ્લાવિયન ચલચિત્રનો ઇતિહાસ તો ખૂબ જૂનો છે, પણ આ બાલ્કન પ્રદેશમાં ચલચિત્રોનું નિર્માણ હંમેશાં ઓછું રહ્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1918માં સર્બ, ક્રોએટ અને સ્લોવન પ્રજાઓનું રાજ્ય રચાયું. એ પહેલાં એટલે કે છેક 1886માં યુગોસ્લાવિયામાં બેલગ્રેડ ખાતે લુમિયર બંધુઓનાં ચિત્રોનું પ્રદર્શન થઈ ચૂક્યું હતું, પણ ચલચિત્ર-ઉદ્યોગનો પાયો…
વધુ વાંચો >યુગોસ્લાવ સાહિત્ય
યુગોસ્લાવ સાહિત્ય : યુગોસ્લાવિયા(હાલ સોશિયાલિસ્ટ ફેડરલ રિપબ્લિક ઑવ્ યુગોસ્લાવિયા)ની મુખ્ય ભાષાઓ સર્બિયન, ક્રોએશિયન, સ્લોવેનિયન, મૅસિડોનિયન, આલ્બેનિયન અને હંગેરિયન ઉપરાંત અન્ય અલગ સમુદાયોની 20 જેટલી સત્તાવાર ભાષાઓમાં રચાયેલું સાહિત્ય. આ એક દેશમાં રહેતા વિવિધ ભાષાઓ બોલનારાઓ પોતપોતાની પરંપરાઓને જાળવી રહ્યા છે. સર્બિયન અને ક્રોએશિયન સાહિત્યની મૂળભૂત ભાષા એક છે, પરંતુ સર્બ…
વધુ વાંચો >યુગોસ્લાવિયા
યુગોસ્લાવિયા અગ્નિ યુરોપમાં આવેલો પર્વતીય દેશ. તે ‘જુગોસ્લાવિયા’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે આશરે 42° 00´થી 47° 00´ ઉ. અ. અને 13° 30´ થી 23° 00´ પૂ. રે. વચ્ચેનો (અથવા 19° 00´ ઉ. અ. અને 44° 00´ પૂ. રે. આજુબાજુનો) આશરે 2,55,804 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે…
વધુ વાંચો >યુગ્મક (zygote) (સૂક્ષ્મજીવવિજ્ઞાન)
યુગ્મક (zygote) (સૂક્ષ્મજીવવિજ્ઞાન) : લિંગી પ્રજનન દરમિયાન શુક્રકોષ (sperm) અને અંડકોષ(ovam)ના સંયોજનથી નિર્માણ થતા ગર્ભ(embryo)ની પ્રાથમિક અવસ્થા. બે બહુકોષીય સજીવો એક જ જાત(species)ના હોવા છતાં તેમનાં બધાં લક્ષણોમાં સમાનતા હોતી નથી. માનવીનો દાખલો લઈએ. એક વ્યક્તિ શ્યામવર્ણી હોય તો બીજી સાવ ગોરી હોઈ શકે છે. તેમનાં માનસિક લક્ષણોમાં પણ તફાવત…
વધુ વાંચો >યુગ્મતારાઓ
યુગ્મતારાઓ : પરસ્પર આકર્ષણબળને લીધે સંકળાયેલ બે તારાઓનું યુગ્મ. વિશ્વમાં આપણા સૂર્ય જેવા એકાકી તારાઓ તો કુલ તારાઓના 30 ટકા જેટલા જ છે. 70 ટકા તારાઓ તો બે કે તેથી વધુ તારાઓના, પરસ્પરના ગુરુત્વાકર્ષણબળ વડે સંકળાયેલ જૂથમાં આવેલા કે યુગ્મતારાઓ છે. ગુરુત્વાકર્ષણબળના પ્રભાવ નીચે કક્ષાગતિની કેટલીક ખાસિયતોને કારણે નજીક નજીક…
વધુ વાંચો >યુગ્મદેવતા
યુગ્મદેવતા : વૈદિક સૂક્તોમાં જેમની એક સાથે સ્તુતિ થઈ હોય એવા જોડિયા દેવો. વૈદિક સાહિત્ય સ્તુતિપ્રધાન છે. તેમાં દેવોની વિવિધ સ્તુતિઓ છે. વૈદિક દેવતાને કાર્યના સંદર્ભમાં ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) સ્વતંત્ર, (2) યુગ્મ, (3) ગણ. આ વિભાજન દેવતાના કાર્યને અનુલક્ષીને હોય છે તેવો સૂર્યકાન્ત અને મેકડૉનલનો મત…
વધુ વાંચો >