ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >માવળંકર, ગણેશ વાસુદેવ
માવળંકર, ગણેશ વાસુદેવ (જ. 27 નવેમ્બર 1888, વડોદરા; અ. 27 ફેબ્રુઆરી 1956, અમદાવાદ) : વિખ્યાત ધારાશાસ્ત્રી, સ્વાતંત્ર્યસેનાની અને ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ. માતાનું નામ ગોપિકાબાઈ. તેમનું સમગ્ર કુટુંબ મૂળે રત્નાગિરિ જિલ્લાના માવલંગે ગામનું. પેશવાકાળ દરમિયાન તેમાંનાં ઘણાં કુટુંબો વિવિધ ગામના મુખી–‘ખોત’ના હોદ્દા ભોગવતા હતા. આ કુટુંબનાં અમુક જૂથો, વડોદરાના ગાયકવાડ…
વધુ વાંચો >માવળંકર, પુરુષોત્તમ ગણેશ
માવળંકર, પુરુષોત્તમ ગણેશ (જ. 3 ઑગસ્ટ 1928, અમદાવાદ) : જાણીતા સમાજસેવક, કેળવણીકાર અને નીડર સાંસદ. પિતા ગણેશ વાસુદેવ માવળંકર સ્વાતંત્ર્યસેનાની, અગ્રણી ધારાશાસ્ત્રી, ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ તથા રાષ્ટ્રકુટુંબના પ્રથમ ભારતીય અધ્યક્ષ તરીકે ભારતમાં અને ભારત બહાર જાણીતા બનેલા. માતા સુશીલા સ્વાતંત્ર્યસેનાની હોવા ઉપરાંત લોકસભાનાં પૂર્વસભ્ય હતાં. ‘પી. જી.’ અથવા ‘અણ્ણાસાહેબ’…
વધુ વાંચો >માશાદો ય રીઝ, ઍન્ટોનિયો
માશાદો ય રીઝ, ઍન્ટોનિયો (જ. 26 જુલાઈ 1875, સેવિલે; અ. 21 ફેબ્રુઆરી 1939, કૉલિયોર, ફ્રાન્સ) : સ્પૅનિશ કવિ અને નાટ્યકાર. તેમના પિતા સેવિલેના જાણીતા લોકસાહિત્યકાર હતા. 1883માં તેઓ સપરિવાર માડ્રિડ જઈ સ્થાયી થયા. તેમણે લિબ્ર દ એન્સેનાઝા ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ લીધું. કેટલોક સમય તેમણે પૅરિસમાં અનુવાદક તરીકે કામ કર્યું. કવિ દારિયોના…
વધુ વાંચો >મા શારદામણિદેવી
મા શારદામણિદેવી (જ. 1853, બાંકુડા, જયરામવાડી, પં. બંગાળ; અ. 20 જુલાઈ 1920, કોલકાતા) : આધુનિક ભારતનાં અગ્રણી મહિલા-સંતોમાંનાં એક. રામકૃષ્ણ પરમહંસનાં સહધર્મચારિણી. પિતાનું નામ રામચંદ્ર મુખોપાધ્યાય. માતાનું નામ શ્યામસુંદરીદેવી. દંપતી ધનની બાબતે દરિદ્ર હતાં, પણ સંસ્કાર તથા ધર્મભાવનામાં અતિસમૃદ્ધ હતાં. કહે છે કે દંપતીને સ્વપ્નમાં એક સુંદર બાલિકાએ દેખા દઈને…
વધુ વાંચો >માશેલકર, રઘુનાથ અનંત
માશેલકર, રઘુનાથ અનંત (જ. 1 જાન્યુઆરી 1943, માશેલ, ગોવા) : ભારતના અગ્રણી વૈજ્ઞાનિક, સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ કાઉન્સિલના પૂર્વમહાસંચાલક, નૅશનલ કેમિકલ લૅબોરેટરીના પૂર્વસંચાલક તથા અમેરિકાની નૅશનલ અકાદમી ઑવ્ સાયન્સિઝના ફેલો. અત્યંત નિર્ધન પરિવારમાં જન્મ. નાનપણમાં છ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં માતાએ તેમનો ઉછેર કર્યો. માતા તદ્દન નિરક્ષર, છતાં રઘુનાથે…
વધુ વાંચો >માસને, જુએલ
માસને, જુએલ (જ. 12 મે 1842, ફ્રાન્સ; અ. 13 ઑગસ્ટ 1912) : ફ્રાન્સના સંગીત-નિયોજક. તેઓ ‘મૅનન’, ‘થાઇસ’ અને ‘વર્ધર’ નામની તેમની 3 ઑપેરા-રચનાઓ માટે અપાર ખ્યાતિ પામ્યા છે. 9 વર્ષની વયે તેઓ પૅરિસ કૉન્ઝર્વેટરીમાં દાખલ થયા અને 1863માં તેઓ ‘ડેવિડ રિઝિયો’ નામની સમૂહસંગીત-રચના (cantata) માટે ગ્રાં પ્રી દ રોમના વિજેતા…
વધુ વાંચો >મા સર્વેશ્વરી
મા સર્વેશ્વરી (જ. 13 નવેમ્બર 1943; કપૂરા, જિ. સૂરત) : ભારતનાં એક અગ્રગણ્ય સિધ્ધસંત. પૂર્વાશ્રમનું નામ સરોજબહેન ભક્ત. રામકબીર ભક્ત સમાજના સંસ્કારી, પ્રભુપ્રેમી અને સંપૂર્ણ રાષ્ટ્રપ્રેમે રંગાયેલા કુટુંબમાં, પિતા કાલિદાસભાઈ ભક્ત અને માતા ભીખીબાનાં સૌથી નાનાં પુત્રી. પૂ. શ્રી યોગેશ્વરજીએ 1978માં એમને ‘સર્વેશ્વરી’ નામ અર્પણ કર્યું, ત્યારથી એ નામે તેઓ…
વધુ વાંચો >માસ સ્પેક્ટ્રમિકી
માસ સ્પેક્ટ્રમિકી (Mass Spectroscopy) દ્રવ્યમાન સ્પેક્ટ્રૉસ્કોપ (mass spectroscope) નામના ઉપકરણ દ્વારા વાયુરૂપ આયનોને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રો વડે જુદા પાડી પદાર્થોના રાસાયણિક બંધારણનું અભિનિર્ધારણ (identification), મિશ્રણોનું નિર્ધારણ (determination) તથા તત્વોનું માત્રાત્મક પૃથક્કરણ કરવાની વિશ્લેષણની એક તકનીક. તેને માસ સ્પેક્ટ્રમિતિ (spectrometry) પણ કહે છે. જો સ્પેક્ટ્રોસ્કોપ અલગ પાડવામાં આવેલા આયનોની પરખ…
વધુ વાંચો >માસાનોબુ, ઑકુમારા
માસાનોબુ, ઑકુમારા (જ. 1690, જાપાન; અ. 1768, જાપાન) : કાષ્ઠકલાના જાપાની ચિત્રકાર. બાલવયથી જ તેમનામાં કલાશક્તિ પ્રૌઢ બની હતી. અગિયાર વરસની ઉંમરે તેમણે રાજદરબારીઓનાં સુંદર ચિત્રો આલેખેલાં. 1701 અને 1711 વચ્ચે તેમણે પોતાનાં કાષ્ઠકલાનાં ચિત્રોનાં 30થી પણ વધુ આલબમ પ્રસિદ્ધ કર્યાં. આ વર્ષો દરમિયાન તેમણે ચિત્રકાર તોરી કિયોનોબુના સ્ટુડિયોમાં પણ…
વધુ વાંચો >માસીન, લેયોનીડ
માસીન, લેયોનીડ (જ. 8 ઑગસ્ટ 1895, મૉસ્કો; અ. 15 માર્ચ 1979) : રશિયાના નામી નૃત્યનિયોજક. એક લાક્ષણિક નર્તક તેમજ નૃત્ય-નિયોજક તરીકે તેઓ વિશ્વવ્યાપી ખ્યાતિ પામ્યા. નૃત્યની તાલીમ તો તેમણે પીટર્સબર્ગ ખાતેની મૉસ્કો ઇમ્પીરિયલ બૅલે સ્કૂલમાં લીધી હતી, પરંતુ નિપુણ કલા-કસબી તરીકે તેમની કારકિર્દી તેજસ્વી ન હતી અને નૃત્યક્ષેત્રનો ત્યાગ કરી…
વધુ વાંચો >