ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >મહાનુભાવ સંપ્રદાય
મહાનુભાવ સંપ્રદાય : ચક્રધરસ્વામીએ મહારાષ્ટ્રમાં પ્રવર્તાવેલો સંપ્રદાય. વિદર્ભ-મહારાષ્ટ્રના મધ્યકાલીન ધાર્મિક ઇતિહાસમાં આ સંપ્રદાયનું વિશિષ્ટ મહત્વ છે. (1) મહાનુભાવ, (2) મહાત્મા, (3) અચ્યુત, (4) જયકૃષ્ણી, (5) ભટમાર્ગ, (6) પરમાર્ગ – એવાં વિવિધ નામોથી આ સંપ્રદાયને ઓળખવામાં આવે છે. આ પંથના ઉપાસ્ય દેવ વિષ્ણુ કે કૃષ્ણ છે. એના સ્થાપક ચક્રધરસ્વામી ઈસવી સનના…
વધુ વાંચો >મહાનોર, નામદેવ ધોંડો
મહાનોર, નામદેવ ધોંડો [જ. 16 સપ્ટેમ્બર 1942, પળસખેડે, (અજંતાની ગુફાઓ પાસે), જિ. ઔરંગાબાદ] : મરાઠીમાં દલિત સાહિત્યના જાણીતા કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘તીચી કહાણી’ માટે 2000ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. માત્ર 200 ઘરની વસ્તીવાળા નાનકડા ગામના ખેડૂત પરિવારમાં જન્મ. અનેક મુશ્કેલીઓ વેઠીને પળસખેડે, પિંપળગાંવ, શેંદુર્ણીમાં પ્રાથમિક…
વધુ વાંચો >મહાન્તી, કાન્હુચરણ સૂર્યમણિ
મહાન્તી, કાન્હુચરણ સૂર્યમણિ (જ. 16 ઑગસ્ટ 1906, સોનપુર, જિ. બલાંગીર; અ. 6 એપ્રિલ 1994) : ઊડિયા નવલકથાકાર. પ્રખ્યાત નવલકથાકાર ગોપીનાથ મહાન્તીના તેઓ મોટા ભાઈ થાય. 1923–24ની સાલમાં કટકની પી. એમ. અકાદમીમાં નવમા ધોરણમાં ભણતા હતા, ત્યારે તેમણે સૌથી પહેલી નવલકથા ‘ઉત્સવવ્યસને’ લખી હતી. પણ હસ્તપ્રત ખોવાઈ જતાં તે પ્રકાશિત થઈ…
વધુ વાંચો >મહાન્તી, ગુરુપ્રસાદ
મહાન્તી, ગુરુપ્રસાદ (જ. 1924) : ઓરિસાના અગ્રણી કવિ. કટકની રૅવન્શૉ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો. અનેક કૉલેજોમાં અધ્યાપન કર્યા પછી, ભુવનેશ્વરમાં બી. જે. બી. કૉલેજના આચાર્ય નિમાયા. આધુનિક ઊડિયા કવિતાના તેઓ પ્રણેતા ગણાય છે. 1950નાં પ્રારંભિક વર્ષોમાં તેમણે અને સચી રાઉતરાયે મળીને ઊડિયા કવિતામાં રીતસર આધુનિક ચળવળનો પ્રારંભ કર્યો. તેમનો…
વધુ વાંચો >મહાન્તી, ગોપીનાથ
મહાન્તી, ગોપીનાથ (જ. 20 એપ્રિલ 1914, કટક, ઓરિસા ) : ઓરિસાના પ્રખ્યાત નવલકથાકાર. તેમને ‘અમૃતર સંતાન’ નામની નવલકથા માટે 1955ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. શાળાશિક્ષણ સોનેપુરમાં. 1930માં મૅટ્રિક થયા અને 1935માં કટકની રહેવન યુનિવર્સિટીમાંથી તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે એમ. એ.માં વિશેષ ગુણવત્તા મેળવી. આઈ. સી. એસ.…
વધુ વાંચો >મહાન્તી, વીણાપાણિ
મહાન્તી, વીણાપાણિ (જ. 1936 ચંદોલ, જિ. કટક, ઓરિસા) : ઓરિસાના વાર્તાકાર, નવલકથાકાર અને અનુવાદક. તેમના વાર્તાસંગ્રહ ‘પાટદેઈ’ માટે તેમને 1990ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો છે. અર્થશાસ્ત્ર સાથે એમ. એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તેમણે કટક ખાતે એસ. બી. યુનિવર્સિટીમાં એ જ વિષયના રીડર તથા વાઇસ-પ્રિન્સિપાલ તરીકે કામગીરી સંભાળી.…
વધુ વાંચો >મહાન્તી, સુરેન્દ્ર
મહાન્તી, સુરેન્દ્ર (જ. 1922, પુરષોત્તમપુર, કટક; અ. 21 ડિસેમ્બર 1990) : ઊડિયા વાર્તાકાર અને નવલકથાકાર. તેઓ સમાલોચક, નિબંધકાર અને નાટ્યલેખક પણ હતા. તેમનાં લખાણોની જેમ તેમનું જીવન પણ વિવિધતાભર્યું હતું. ‘ભારત છોડો આંદોલન’માં જોડાવા માટે તેમણે અભ્યાસ પડતો મૂક્યો હતો. તેઓ સ્વાતંત્ર્ય-સેનાની, પત્રકાર અને ભારતની લોકસભાના સભ્ય હતા. વતનનાં નદી,…
વધુ વાંચો >મહાપાત્ર અશોક કુમાર (ડૉ.)
મહાપાત્ર અશોક કુમાર (ડૉ.) (જ. 29 ડિસેમ્બર 1952, પુરી) : પ્રસિદ્ધ ન્યુરોસર્જન. જે એસ.ઓ.એ.ડી.યુ.ના ચિકિત્સા સલાહકારના રૂપમાં કાર્યરત છે. પ્રો. (ડૉ.) મહાપાત્રએ 1970માં એમ.કે.સી.જી. મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો, જ્યાંથી તેમણે 1975માં એમ.બી.બી.એસ. પૂરું કર્યું. તેઓએ એમ્સ (AIIMS) દિલ્હીમાંથી ન્યુરો સર્જરીમાં એમ.એસ. અને એમ.સી.એચ. પણ કર્યું. 1983થી 2017 સુધી તેમણે એમ્સ,…
વધુ વાંચો >મહાપાત્ર, કેલુચરણ
મહાપાત્ર, કેલુચરણ (જ. 1 ઑગસ્ટ 1925; રઘુરાજપુર, ઓરિસા) : ઑડિસી નૃત્યશૈલીના વિખ્યાત કલાકાર તથા અગ્રણી કલાગુરુ. સંગીત, નૃત્ય અને ચિત્રકલાને વરેલા પરિવારમાં જન્મ. પિતા ઓરિસાના વિશિષ્ટ ચર્મવાદ્ય ખોલા(drum)ના નિષ્ણાત વાદક હતા અને પ્રવાસી નાટ્યમંડળીઓમાં વાદક તરીકે સેવાઓ આપી પોતાની આજીવિકા મેળવતા હતા. બાલ્યાવસ્થામાં જ કેલુચરણને આવી નાટ્યમંડળીઓ દ્વારા પ્રસ્તુત થતી…
વધુ વાંચો >મહાપાત્ર, ગોદાવરીપ્રસાદ
મહાપાત્ર, ગોદાવરીપ્રસાદ (જ. 1898; અ. 1965) : ઊડિયા ભાષાના કવિ, ટૂંકી વાર્તાના લેખક અને નવલકથાકાર. ઓરિસામાં તેમની કૃતિઓ સૌથી વધુ વંચાય છે. તેમણે કાવ્યલેખનથી પ્રારંભ કર્યો. ‘બનપુર’ (1918), ‘પ્રભાતકુસુમ’ (1920) અને ‘જે ફૂલ ફુટી થિલા’ તેમના પ્રારંભિક કાવ્યસંગ્રહો છે. પછી તેમણે વ્યંગ્યકળા અને કટાક્ષલેખનમાં સારું પ્રભુત્વ દાખવ્યું અને કટાક્ષલક્ષી સામયિકનું…
વધુ વાંચો >