ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >મહમ્મદ રફી
મહમ્મદ રફી (જ. 4 ડિસેમ્બર 1924, કોટા સુલતાનસિંહ – હવે પાકિસ્તાનમાં; અ. 3 જુલાઈ 1980, મુંબઈ) : ભારતીય ચલચિત્ર-જગતના વિખ્યાત પાર્શ્વગાયક. પિતાનું નામ હાજી અલીમહમ્મદ તથા માતાનું નામ અલ્લારખી. ચૌદ વર્ષની વયે 1938માં લાહોર ગયા અને ત્યાં ખાન અબ્દુલ વહીદખાં, જીવણલાલ મટ્ટો અને ગુલામઅલીખાં પાસેથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી.…
વધુ વાંચો >મહલ (ચલચિત્ર)
મહલ (ચલચિત્ર) (1949) : હિંદી ચિત્રોમાં પુનર્જન્મના કથાનકવાળાં ચિત્રો માટે પ્રેરણાસ્રોત ગણાતું પ્રશિષ્ટ રહસ્યચિત્ર. શ્વેત અને શ્યામ. ભાષા : હિંદી. નિર્માણ સંસ્થા : બૉમ્બે ટૉકિઝ. દિગ્દર્શક-કથા-પટકથા-સંવાદ : કમાલ અમરોહી. ગીત : નક્શાબ. છબિકલા : જૉસેફ વિર્ચિંગ. સંગીત : ખેમચંદ પ્રકાશ. મુખ્ય કલાકારો : અશોકકુમાર, મધુબાલા, કુમાર, વિજયલક્ષ્મી, કનુ રાય. દિગ્દર્શક…
વધુ વાંચો >મહંત, કેશવ
મહંત, કેશવ (જ. 1926, મિજિકાજન ચા-બગીચા, શોણિતપુર, આસામ) : અસમિયા કવિ. તેમને ‘મોર જે કિમાન હેયાહ’ નામક ગીત-સંગ્રહ માટે ભારતીય સાહિત્ય અકાદમીનો 1993ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. શાળાના વિદ્યાર્થીકાળ દરમિયાન 1930ના દશકામાં તેમણે વાર્તાઓ લખવાથી શરૂઆત કર્યા પછી કવિતા તથા ગીતો લખવા માંડ્યાં. અસમિયાના શંકરદેવ, લક્ષ્મીનાથ બેજબરુઆ, જ્યોતિપ્રસાદ અગ્રવાલ તથા…
વધુ વાંચો >મહંમદ પેગંબર
મહંમદ પેગંબર (જ. 29 ઑગસ્ટ 570, મક્કા, અરબસ્તાન; અ. 12 જૂન, 632, મદીના) : ઇસ્લામના સ્થાપક અને પેગંબર. મક્કાના હાકેમ તથા મુહાફિઝ અને કાબાના પવિત્ર ધામના મુખી બની હાશિમના નામે ઓળખાતા અબ્દમુનાફના કુરેશ કુટુંબમાં તેઓ જન્મ્યા હતા. તેમના પિતાનું નામ અબ્દુલ્લા તથા માતાનું નામ અમીના હતું. તેમના જન્મ અગાઉ પિતા…
વધુ વાંચો >મહંમદ યૂનુસ
મહંમદ યૂનુસ (જ. 28 જૂન 1940, બથુઆ, હાથાઝારી, ચિતાગોંગ) : 2006ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારવિજેતા, પ્રથમ અને એકમાત્ર બાંગ્લાદેશી (નોબેલ પુરસ્કાર મહંમદ યૂનુસ અને ગ્રામીણ વિકાસ બૅંકને સરખે હિસ્સે આપવામાં આવ્યો.) પિતા હાજી દુલામિયાં સોદાગર અને માતા સુફિયા ખાતૂન. પિતાનો આભૂષણોનો વ્યવસાય હતો. તેમનાં પત્નીનું નામ છે આફ્રોજી. તેમની બે…
વધુ વાંચો >મહંમદી, નસરીન
મહંમદી, નસરીન (જ. 1937, કરાંચી; અ. 1990, વડોદરા) : ભારતીય મહિલા ચિત્રકાર. પિતા અશરફ અને માતા ઝૈનબનું સાતમું સંતાન. કરાંચી અને મુંબઈમાં શાળાનો અભ્યાસ કર્યા પછી 1954માં લંડન જઈ નસરીને સેંટ માર્ટિન સ્કૂલ ઑવ્ આર્ટમાંથી 1957માં ચિત્રકલાનો અને ડિઝાઇનનો ડિપ્લોમા મેળવ્યો. આ પછી એક વરસના બહેરીનના વસવાટના પરિણામે ત્યાંની મરુભૂમિ…
વધુ વાંચો >મહાકાલ
મહાકાલ : ગુજરાતનું એક જાણીતું આધ્યાત્મિક માસિક. શ્રીમન્નૃસિંહાચાર્યે ઈ.સ. 1882માં ‘શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ’ની સ્થાપના કરી. વર્ગના વિદ્વાન સાધકો છોટાલાલ જીવણલાલ માસ્તર (વિશ્વવંદ્ય), નર્મદાશંકર મહેતા, નગીનદાસ સંઘવી વગેરેને લાગ્યું કે આર્ય સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાન્તોના પ્રસાર માટે, ધર્મક્ષેત્રમાં પ્રવર્તતી અણસમજ કે ગેરસમજણને દૂર કરવા માટે તથા અધ્યાત્મજીવનનાં મૂલ્યોનું સંમાર્જન કરવા…
વધુ વાંચો >મહાકાલેશ્વર
મહાકાલેશ્વર : દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક લિંગ ધરાવતું ઉજ્જયિનીમાં આવેલું સુપ્રસિદ્ધ પ્રાચીન શૈવ તીર્થ. આનું વર્ણન કાલિદાસે ‘મેઘદૂત’(‘પૂર્વમેઘ’, 36)માં યક્ષને સંદેશો આપતી વખતે અને ‘રઘુવંશ’(6–34)માં ઇન્દુમતીસ્વયંવર-પ્રસંગે અવંતિ-નરેશનો પરિચય આપતી વખતે વિસ્તારથી કર્યું છે. ઉજ્જયિની પ્રાચીન કાળમાં ખગોળ અને જ્યોતિષવિદ્યાનું કેન્દ્ર ગણાતું હતું. આજે જેમ ગ્રિનિચથી સમયગણના થાય છે તેમ એ વખતે…
વધુ વાંચો >મહાકાવ્ય
મહાકાવ્ય : વિશ્વસાહિત્યનો એક પ્રાચીન કાવ્યપ્રકાર. એનો ઉદગમસ્રોત કંઠ્ય પરંપરામાં ક્યાંક હોવાનું સ્વીકારાયું છે. કેટલીક પ્રજાઓ પોતાના સમયના કોઈ વીરનાયકને કેન્દ્રમાં રાખી પોતાની એષણાઓ અને આકાંક્ષાઓ, પોતાનાં જીવનમૂલ્યો અને પોતાની જીવનરીતિઓ, પોતાનાં સમસામયિક તથ્યો અને સર્વસામયિક સત્યોને અંકે કરી અનાગતને સુપરત કરવા વાઙ્મય રૂપ આપે છે. આમ, કંઠોપકંઠ ઊતરી આવેલાં…
વધુ વાંચો >મહાકોશલ
મહાકોશલ (ઈ. પૂ. છઠ્ઠી સદી) : ગૌતમ બુદ્ધના સમકાલીન અને કોશલના રાજા. કાશી અને કોશલ બંને પાડોશી રાજ્યો હતાં. બંને વચ્ચે શ્રેષ્ઠતા માટે વારંવાર હરીફાઈ થતી. કેટલીક વાર આ બંને રાજ્યો વચ્ચે મૈત્રી બંધાતી અને લગ્નસંબંધો બંધાતા હતા. કેટલીક વાર આ બંને રાજ્યો પર એક જ રાજા શાસન કરતો હતો.…
વધુ વાંચો >