ખંડ ૧૫

મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા

મહેતા, સવિતા નાનજી

મહેતા, સવિતા નાનજી (જ. 16 ઑગસ્ટ 1921) : ગુજરાતનાં મણિપુરી નૃત્યશૈલીનાં નિષ્ણાત કલાકાર. વિખ્યાત ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ મહેતા અને ધર્મનિષ્ઠ સન્નારી સંતોકબાનાં તે પુત્રી થાય. તેમણે વડોદરાની આર્યકન્યા વિદ્યાલયમાં શિક્ષણ લીધું અને અહીં જ ગુજરાતી તેમજ સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ કેળવવા ઉપરાંત વૈદિક ધર્મસંસ્કાર મેળવ્યા. સ્વાતંત્ર્યોત્તર વર્ષોમાં યુવા વર્ગમાં ભારતીય…

વધુ વાંચો >

મહેતા, સિતાંશુ યશશ્ચન્દ્ર

મહેતા, સિતાંશુ યશશ્ચન્દ્ર (જ. 18 ઑગસ્ટ 1941, ભુજ [કચ્છ]) : ગુજરાતીના કવિ, નાટકકાર, વિવેચક. પિતા રાજ્યના ઉચ્ચ અધિકારી. માધ્યમિક શિક્ષણ વડોદરા–મુંબઈમાં. ગુજરાતી મુખ્ય – સંસ્કૃત ગૌણ વિષયો સાથે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ.; 1965માં એ જ વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. 1965થી 1968 સુધી ગુજરાતીના અધ્યાપક. 1968માં ફુલબ્રાઇટ સ્કૉલરશિપ સાથે…

વધુ વાંચો >

મહેતા, સુજાતા પ્રહલાદરાય

મહેતા, સુજાતા પ્રહલાદરાય (જ. 11 માર્ચ 1959, નવસારી) : ગુજરાતી રંગમંચનાં અભિનેત્રી. અભિજાત દશા શ્રીમાળી પોરવાડ પરિવારના સંસ્કારોથી સંપન્ન રેખાબહેન તે તેમની માતા અને સ્વાતંત્ર્યસેનાની પ્રહલાદરાય તે તેમના પિતા. સુજાતા મનોવિજ્ઞાનના વિષય સાથે સ્નાતક થયાં. કાકા હસુ મહેતા અને કાકી દેવયાની મહેતા મુંબઈના તખ્તાના કલાકારો હતાં. તેમના અભિનય-સંસ્કારો ઝીલીને બાળપણથી…

વધુ વાંચો >

મહેતા, (ડૉ.) સુમંતભાઈ

મહેતા, (ડૉ.) સુમંતભાઈ (જ. 1 જુલાઈ 1877, સૂરત; અ. 15 ડિસેમ્બર 1968) : સ્વાતંત્ર્ય-સૈનિક, જાહેર કાર્યકર, સમાજસુધારક. તેમનો જન્મ સૂરતના પ્રગતિશીલ નાગર બ્રાહ્મણ પરિવારમાં. પિતા ડૉ. બટુકરામ શોભારામ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અંગત ડૉક્ટર હતા. તેમની માતા ડાહીગૌરી સૂરતના સંસ્કારી પરિવારનાં સભ્ય હતાં. સુમંતભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા…

વધુ વાંચો >

મહેતા, હંસા

મહેતા, હંસા (જ. 3 જુલાઈ 1897, સૂરત; અ. 4 એપ્રિલ 1995, મુંબઈ) : કેળવણી, બાલસાહિત્ય તેમજ અનુવાદક્ષેત્રે ઉલ્લેખનીય કાર્ય કરનાર ગુજરાતનાં અગ્રણી મહિલા. વડોદરાના દીવાનપદને શોભાવનાર મનુભાઈ મહેતા પિતા. માતાનું નામ હર્ષદકુમારી. ગુજરાતને પ્રથમ ઐતિહાસિક નવલકથા ‘કરણ ઘેલો’ (1866) આપનાર નંદશંકર તુળજાશંકર મહેતાનાં પૌત્રી. દાદાનો સાહિત્યવારસો અને પિતાની તીવ્ર બુદ્ધિ…

વધુ વાંચો >

મહેદવી પંથ

મહેદવી પંથ : ભારતમાં મધ્યકાલમાં પ્રગટેલો ઇસ્લામનો એક ઉદારવાદી પંથ. તેના અનુયાયીઓ ‘ગયર મેહદી’ કે કયામત પહેલાં આવનાર ઇમામ મહેદીમાં નહિ માનતા હોવાથી પોતાને મહેદવી તરીકે ઓળખાવતા. ઇસ્લામની માન્યતા છે કે આ દુનિયા પર પાપ વધી જશે અને ઇસ્લામમાંથી લોકોનું યકીન ઘટી જશે ત્યારે કયામત પહેલાં ઇમામ મહેદી આવીને સાત…

વધુ વાંચો >

મહેન્દ્ર (મહેન્દુ)

મહેન્દ્ર (મહેન્દુ) : અગિયારમી સદીમાં થઈ ગયેલો નડૂલનો ચાહમાન રાજા. ચાહમાનો(ચૌહાણો)નાં કેટલાંક રાજ્યો રાજસ્થાનમાં સ્થપાયાં, તેમાં શાકંભરી(સાંભર-અજમેર)નું રાજ્ય ગણનાપાત્ર છે. શાકંભરીનું ચાહમાન રાજ્ય વાસુદેવે સાતમી સદીમાં સ્થાપ્યું. એના વંશમાં થયેલ દુર્લભરાજના પિતા સિંહરાજના કનિષ્ઠ ભાઈ લક્ષ્મણે નડૂલ કે નાડોલ(જોધપુર પાસે)માં ચાહમાન રાજ્યની એક અલગ શાખા સ્થાપી. એના પુત્ર શોભિતે આબુ…

વધુ વાંચો >

મહેન્દ્રગઢ

મહેન્દ્રગઢ : હરિયાણા રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 47´ 50´´થી 28° 28´ ઉ. અ. અને 75° 54´થી 76° 51´ પૂ. રે. વચ્ચેનો 1,683 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ભિવાની અને રોહતક જિલ્લા; ઈશાન અને પૂર્વમાં ગુરગાંવ જિલ્લો; પૂર્વ,…

વધુ વાંચો >

મહેન્દ્રગિરિ

મહેન્દ્રગિરિ : એક પર્વત તથા એ નામનું શહેર. ઓરિસાથી માંડીને તમિલનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લા સુધીની સમગ્ર ગિરિમાળા. તેને મહેન્દ્રપર્વત પણ કહે છે. આ ગિરિમાળા પૂર્વ ઘાટની દ્યોતક છે. ગંજામ પાસેનો એનો એક ભાગ હજી ‘મહેન્દ્રમલેઈ’ (મહેન્દ્ર ટેકરીઓ) કહેવાય છે. તે મલય પર્વતમાં ભળે છે. રામથી પરાજય પામ્યા પછી પરશુરામ આ…

વધુ વાંચો >

મહેન્દ્રનગર

મહેન્દ્રનગર : નેપાળના નૈર્ઋત્ય ભાગમાં, ભારત-નેપાળની સરહદ નજીક આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 28° 55´ ઉ. અ. અને 80° 20´ પૂ. રે. . હિમાલયની તળેટી ટેકરીઓના તરાઈ વિસ્તારમાં તે આશરે 4,000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ શહેરની દક્ષિણે ગંગાની સહાયક નદીઓ પૈકીની એક નદીનું ઉદગમસ્થાન આવેલું છે. ઊંચાઈને કારણે…

વધુ વાંચો >

મઅર્રી, અબુલ આલા

Jan 1, 2002

મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…

વધુ વાંચો >

મઉ (મઉનાથભંજન)

Jan 1, 2002

મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…

વધુ વાંચો >

મકફેલ, ઍગ્નેસ

Jan 1, 2002

મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…

વધુ વાંચો >

મકબરો

Jan 1, 2002

મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…

વધુ વાંચો >

મકર રાશિ

Jan 1, 2002

મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…

વધુ વાંચો >

મકરવૃત્ત

Jan 1, 2002

મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…

વધુ વાંચો >

મકરસંક્રાન્તિ

Jan 1, 2002

મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…

વધુ વાંચો >

મકરંદ

Jan 1, 2002

મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…

વધુ વાંચો >

મકલૂર, (સર) રૉબર્ટ

Jan 1, 2002

મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…

વધુ વાંચો >

મકવાણા, કરમશી કાનજીભાઈ

Jan 1, 2002

મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…

વધુ વાંચો >