ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મહાત્મા મૂળદાસ
મહાત્મા મૂળદાસ (જ. ?; અ. એપ્રિલ 1779, અમરેલી, સૌરાષ્ટ્ર) : સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી જિલ્લાના અત્યંત જાણીતા આત્મસિદ્ધ પુરુષ. મૂળ નામ મૂળો. તેમનાં જન્મસ્થળ અને તારીખ કે વર્ષ વિશે કોઈ માહિતી સાંપડતી નથી. લુહાર જેવા સમાજના નીચલા થરમાંથી આવેલી આ વ્યક્તિનો જીવ માયામાં ચોંટતો નહોતો. અંતરમાં ઊંડે ઊંડે કંઈક ખોજ…
વધુ વાંચો >મહાત્માર પોરા રૂપકોંવરલોઈ
મહાત્માર પોરા રૂપકોંવરલોઈ (1969) : અસમિયા ભાષાનો આત્મચરિત્રાત્મક સંસ્મરણોનો નિબંધસંગ્રહ. આ નિબંધોમાં લેખક લક્ષ્મીનાથ ફૂકને (જ. 1894; અ. 1975) તેમની 50 વર્ષની સુદીર્ઘ અને વૈવિધ્યપૂર્ણ કારકિર્દીમાં તેમના અંગત સંપર્કમાં આવેલી અને અસમિયા સાહિત્ય, કલા, સંસ્કૃતિ, પત્રકારત્વ, રાજકારણ અને વ્યાપારના ક્ષેત્રે વિખ્યાત નીવડેલ 15 વ્યક્તિવિશેષો ઉપરાંત મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુનાં…
વધુ વાંચો >મહાદેવ
મહાદેવ (તેરમી સદીમાં હયાત) : ઈ. સ. 1316માં થયેલા, ભારતીય જ્યોતિષશાસ્ત્રના ગુજરાતી લેખક. તેમણે લખેલ ‘મહાદેવીસારણી’ ગ્રંથના ઉલ્લેખ મુજબ તેઓ તેરમી સદીમાં હયાત હતા. તેમણે ‘વૃત્તાંત’ નામનો કરણગ્રંથ રચ્યો છે. આ ગ્રંથ ‘મહાદેવીસારણી’ તરીકે પ્રસિદ્ધ થયો. ખરેખર તો આ ગ્રંથ ચક્રેશ્વર નામના જ્યોતિષીએ લખ્યો છે, પણ તે અધૂરો રહેતાં મહાદેવે…
વધુ વાંચો >મહાદેવભાઈની ડાયરીઓ
મહાદેવભાઈની ડાયરીઓ : મહાદેવભાઈ દેસાઈએ લખેલી અને ડાયરી રૂપે ગ્રંથસ્થ થયેલી ગાંધીજીના જીવન-કાર્યની કડીબદ્ધ તવારીખ. નવેમ્બર 1917માં મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સાથે જોડાયા ત્યારથી જીવનના અંત સુધી લખેલી ડાયરીના 23 ભાગમાં ડાયરીનું નમૂનેદાર સ્વરૂપ તેમજ ગાંધીજીવનની કથા મળ્યાં છે. હજી 7 ભાગ અપ્રગટ છે. મહાદેવભાઈની ડાયરી એના વસ્તુના ઉદાત્તપણાને લીધે તેમજ…
વધુ વાંચો >મહાદ્વાર
મહાદ્વાર : જુઓ ગોપુરમ્
વધુ વાંચો >મહાધમની-કમાનકુંચિતતા
મહાધમની-કમાનકુંચિતતા (coarctation of Aorta) : મહાધમનીની કમાનમાંથી ડાબા હાથ તરફ જતી અવ-અરીય ધમની (subclavian artery) નીકળ્યા પછીના મહાધમની કમાનના ભાગનું સ્થાનિક સાંકડાપણું. આશરે 25 % દર્દીઓમાં મહાધમનીના દ્વારનો હૃદયમાંનો વાલ્વ (કપાટ) પણ કુરચનાવાળો હોય છે અને તેને ત્રણના બદલે 2 પાંખડીઓ (દલ, cusp) હોય છે. મહાધમનીમાં તથા તેની કુંચિતતા પહેલાં…
વધુ વાંચો >મહાનગર (ચલચિત્ર)
મહાનગર (ચલચિત્ર) (1963) : બંગાળી ભાષાનું ચલચિત્ર. ગરીબ મધ્યમ વર્ગના પરિવારની સમસ્યાઓ અને મજબૂરીઓ દ્વારા દિગ્દર્શક સત્યજિત રાયે મહાનગરની હાડમારીઓનું તેમાં ચિત્રણ રજૂ કર્યું છે. એક પરિવારે પોતાનાં મૂલ્યોને બાજુએ મૂકીને કેવાં સમાધાન કરવાં પડે છે અને પરિવારના સંબંધો પર તેની કેવી વિપરીત અસર પડે છે તેની તથા તેની સાથોસાથ…
વધુ વાંચો >મહાનગરપાલિકા
મહાનગરપાલિકા : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું મોટાં શહેરોને આવરી લેતું રાજકીય અને વહીવટી તંત્ર. લગભગ પ્રત્યેક દેશમાં મોટાં શહેરોમાં વિવિધ સ્વરૂપે મહાનગરપાલિકાઓ કાર્યરત હોય છે. તેનાં સ્વરૂપ અને કાર્યોમાં દેશ-કાળ અનુસાર ભારે વૈવિધ્ય હોય છે. સ્થાનિક સ્વરૂપ ધરાવતા વિવિધ અને વ્યાપક પ્રશ્નો પ્રત્યેક નગરમાં ઊભા થાય છે અને તેને કાર્યક્ષમ રીતે…
વધુ વાંચો >મહાનદી
મહાનદી : ઓરિસા રાજ્યની મુખ્ય નદી. આ નદી મોટી હોવાથી તેનું નામ મહાનદી પડેલું છે. તેની કુલ લંબાઈ 896 કિમી. જેટલી છે. તેનો સ્રાવ-વિસ્તાર 1,32,100 ચોકિમી. જેટલો છે. ભારતીય ઉપખંડની વધુ પ્રમાણમાં કાંપનિક્ષેપ કરતી નદીઓ પૈકીની તે એક ગણાય છે. તે મધ્યપ્રદેશના બસ્તર જિલ્લાની ટેકરીઓમાંથી નીકળે છે. એના મૂળના ભાગે…
વધુ વાંચો >મહાનયપ્રકાશ
મહાનયપ્રકાશ : તેરમી સદીના શૈવ પંડિત શતિકાંતની કાશ્મીરીમાં લખાયેલી અતિ પ્રાચીન કૃતિ. પુરાવા પરથી સાબિત થયું છે કે તે કૃતિ મહારાજા જયસિંહની સૂચનાથી રચવામાં આવી હતી અને તેના રચયિતા પદમપોર(હાલ પમપોર)ના વતની હતા. આ કૃતિની ભાષામાં કાશ્મીરીના પહેલાંના નમૂનાઓ જોવા મળે છે. તેમાં પુષ્કળ સંસ્કૃત ‘તત્સમ’ અને ‘તદભવ’ અને ટૅકનિકલ…
વધુ વાંચો >મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >