૧૫.૧૭
મહી (નદી)થી મહેતા ધીરેન્દ્ર પ્રીતમલાલ
મહી (નદી)
મહી (નદી) : ગુજરાત રાજ્યમાં આવેલી એક મહત્વની નદી. ગુજરાતમાં તે લંબાઈની ર્દષ્ટિએ નર્મદા અને તાપી પછીના ત્રીજા ક્રમે આવે છે. તેનું મૂળ મધ્યપ્રદેશમાં આવેલું છે. સમુદ્રસપાટીથી આશરે 564 મીટર ઊંચાઈ ધરાવતા માળવાના ઉચ્ચપ્રદેશીય વિસ્તારના વિંધ્યાચળના પશ્ચિમ છેડે આવેલાં અમઝેરા શહેર અને ભોયાવર ગામ વચ્ચેનું મેહાડ સરોવર મહીનું ઉદગમસ્થાન છે.…
વધુ વાંચો >મહીધર
મહીધર (ઈ. સોળમી સદીનો ઉત્તરાર્ધ) : ભારતીય શુક્લ યજુર્વેદ પર ભાષ્ય રચનાર લેખક. તેઓ વત્સગોત્રના, જ્ઞાતિએ નાગરબ્રાહ્મણ હતા અને કાશીમાં રહેતા હતા. તેમનું ‘ભૂદાસ’ એવું પણ નામ પ્રચલિત છે. વેદ અને તંત્રમાર્ગના જાણકાર અને ભગવાન રામના ભક્ત હતા. તેમનું વતન અહિચ્છત્ર નામનું ગામ હતું. તેમણે પોતાના ગુરુનું નામ રત્નેશ્વર મિશ્ર…
વધુ વાંચો >મહીપસિંગ
મહીપસિંગ (જ. 1930, અમૃતસર) : હિન્દી તથા પંજાબી લેખક. ટૂંકી વાર્તાઓ, નવલકથા, વિવેચન, નાટક એમ અનેક ક્ષેત્રોમાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કરનાર તથા પંજાબીમાં પણ અનેક સાહિત્યકૃતિઓની રચના કરનાર મહીપસિંગનો જન્મ શીખ કુટુંબમાં થયો હતો. 1952માં હિન્દી વિષય લઈને દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે આવીને મેળવી. એ પછી…
વધુ વાંચો >મહીપાલ (પ્રતીહાર)
મહીપાલ (પ્રતીહાર) : અવન્તિના પ્રતીહાર વંશનો રાજા. અવન્તિના પ્રતીહાર વંશમાં નાગભટ બીજો, ભોજ પહેલો અને મહેન્દ્રપાલ જેવા પ્રતાપી રાજા થયા. મહેન્દ્રપાલના મૃત્યુ પછી એના પુત્રો વચ્ચે ગાદીવારસા માટે ખટરાગ થયો. યુવરાજ મહીપાલે પિતાનો રાજ્યવારસો લીધો, પરંતુ ચેદિરાજ કોક્કલદેવે તથા રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્રે મહીપાલને હરાવી કુમાર ભોજ(બીજા)ને ગાદી અપાવી. ભોજદેવે થોડાં…
વધુ વાંચો >મહીપાલ પહેલો
મહીપાલ પહેલો (શાસનકાળ ઈ. સ. 988–1038) : બંગાળના પાલ વંશનો એક પ્રતાપી સમ્રાટ. તેના પિતા વિગ્રહરાજ બીજાના અવસાન પછી તે ગાદીએ બેઠો ત્યારે પાલ રાજાઓના સામ્રાજ્યનું વિઘટન થઈને માત્ર મગધ એટલે કે દક્ષિણ બિહાર તેમની સત્તા હેઠળ રહ્યું હતું. દુર્ભાગ્યવશાત્ તેમણે બંગાળમાંનું પૂર્વજોનું રાજ્ય ગુમાવ્યું હતું અને તેની સરહદ બહાર…
વધુ વાંચો >મહીપાલ બીજો
મહીપાલ બીજો (શાસનકાળ ઈ. સ. 1070–1075) : બંગાળના પાલ વંશનો રાજા. પાલ વંશના રાજા વિગ્રહપાલ ત્રીજાનું અવસાન થયા બાદ તેના ત્રણ પુત્રો મહીપાલ, સૂરપાલ અને રામપાલ વચ્ચે ગાદી મેળવવા માટે ઝઘડો થયો. તેમાં મહીપાલ રાજા બનવામાં સફળ થયો. વિદેશી આક્રમણોને લીધે તેનું રાજ્ય નબળું પડી ગયું હતું. કેન્દ્ર સરકારની નબળાઈનો…
વધુ વાંચો >મહીપાલકથા
મહીપાલકથા : 1,800 પ્રાકૃત ગાથાઓમાં સંભવત: ઈ.સ.ની બારમી સદીમાં લખાયેલી ચંદ્રગચ્છના મુનિચંદ્રસૂરિના શિષ્ય વીરદેવગણિની રચના. શ્રી હીરાલાલ દ્વારા સંશોધિત આ ગ્રંથ સં. 1998માં અમદાવાદથી પ્રકાશિત થયો છે. બૃહત્ તપાગચ્છના ચારિત્રસુંદરગણિકૃત મહીપાલચરિત્ર આનું સંસ્કૃત રૂપાંતર છે. તેનો રચનાસમય ઈ.સ.ની પંદરમી સદીનો મધ્યભાગ હોવાનો સંભવ છે. આ કથામાં નવકારમંત્રનો પ્રભાવ, ચંડીપૂજા, શાસનદેવની…
વધુ વાંચો >મહીસાગર (જિલ્લો)
મહીસાગર (જિલ્લો) : મહીનદી ઉપરથી આ જિલ્લાને મહીસાગર નામ મળ્યું છે. ભૌગોલિક સ્થાન – આબોહવા : આ જિલ્લો 23 9´ ઉ. અ. અને 73 29´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે રાજસ્થાન રાજ્ય, પૂર્વે દાહોદ, દક્ષિણે પંચમહાલ, નૈર્ઋત્યે ખેડા અને પશ્ચિમે અરવલ્લી જિલ્લાની સીમાઓ પ્રાપ્ત થઈ છે. સમુદ્રથી દૂર આ…
વધુ વાંચો >મહુડી
મહુડી : જુઓ બુદ્ધિસાગરસૂરિ
વધુ વાંચો >મહુડો
મહુડો : દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Madhuca indica J. F. Gmel. syn. M. latifolia Mach; Bassia latifolia Roxb. (સં. મધુક; હિં. મહુવા, મોહવા; બં. મૌલ; મ. મોહાંચા વૃક્ષ; ગુ. મહુડો; તે. ઇપ્પા; ત. મધુકં, એલુપા; મલ. ઇરૂપ્પા, પૂનમ; સાંથાલ-માતકોમ; અં. બટર ટ્રી, ઇલુપાટ્રો) છે.…
વધુ વાંચો >મહેતા, જગન વિ.
મહેતા, જગન વિ. (જ. 21 મે 1909, વિરમગામ; અ. 10 ફેબ્રુઆરી 2003) : ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૌરવ અપાવનાર છબીકાર. તેમના પિતા વાસુદેવભાઈ સ્વાતંત્ર્યસેનાની હતા અને સાણંદમાં વૈદ તરીકે જાણીતા હતા. પિતાની ઇચ્છા તેમને ઉચ્ચ શિક્ષણ આપી સારા હોદ્દાની નોકરી અપાવવાની હતી, પણ જગનભાઈમાં સુષુપ્તાવસ્થામાં રહેલી કળાકાર બનવાની વૃત્તિ…
વધુ વાંચો >મહેતા, જયા
મહેતા, જયા (જ. 16 ઑગસ્ટ 1932, કોળિયાક, જિ. ભાવનગર) : કવયિત્રી, અનુવાદક, વિવેચક, સંપાદક. ઉપનામ : ‘રીટા શાહ’, ‘જાનકી મહેતા’. પિતાનું નામ વલ્લભદાસ. વતન કોળિયાક (જિ. ભાવનગર). હાલમાં મુંબઈ. 1954માં બી.એ.; 1963માં એમ.એ. ‘અખો, પ્રેમાનંદ, શામળ, દલપતરામ અને નવલરામનો વિશિષ્ટ અભ્યાસ’ – એ વિષય પર તેમણે પીએચ.ડી. કર્યું. એ પછી…
વધુ વાંચો >મહેતા, જિતુભાઈ પ્રભાશંકર (‘ચંડૂલ’)
મહેતા, જિતુભાઈ પ્રભાશંકર (‘ચંડૂલ’) (જ. 19 સપ્ટેમ્બર 1904, ભાવનગર; અ. 2 ઑક્ટોબર 1987) : ગુજરાતી પત્રકાર, નવલકથાકાર અને વાર્તાકાર. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. અભ્યાસ મેટ્રિક સુધી. સંજોગવશાત્ માત્ર 17 વર્ષની વયે તેમને ખાંડના કારખાનામાં નોકરી લેવી પડી; ત્યારબાદ નસીબ અજમાવવા તેઓ મુંબઈ પહોંચ્યા. મુંબઈમાં એમનું ચિત્ત પત્રકારત્વની દિશામાં ખેંચાયું…
વધુ વાંચો >મહેતાજી, દુર્ગારામ
મહેતાજી, દુર્ગારામ (જ. 1809; અ. 1876, સૂરત) : ગુજરાતમાં સમાજસુધારાના આદ્ય પ્રવર્તક, સુધારકોમાં અગ્રેસર. તેઓ વડનગરા નાગર જ્ઞાતિના બ્રાહ્મણ હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ સૂરતમાં લીધું અને તે પછી મુંબઈમાં નેટિવ એજ્યુકેશન સોસાયટીમાં તાલીમ લઈને ત્યાંથી પાછા ફરી 1826માં સૂરતમાં તેઓ શિક્ષક બન્યા. મુંબઈના વસવાટ દરમિયાન તેમના ઉપર પોતાના સમયના સુધારક…
વધુ વાંચો >મહેતા, જીવણલાલ અમરશી
મહેતા, જીવણલાલ અમરશી (જ. 1883, ચલાળા, જિ. અમરેલી; અ. 1940) : નિબંધકાર, ચરિત્રકાર, કોશકાર, અનુવાદક અને પ્રકાશક. માતા કસ્તૂરબાઈ, પિતા અમરશી સોમજી. તેઓ સંજોગવશાત્ ઊંચું શિક્ષણ પ્રાપ્ત કરી શક્યા નહોતા. માત્ર છ ધોરણ સુધી પહોંચ્યા પછી એક વર્ષ તેમણે વડોદરાની ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો, પણ સોળ વર્ષની વયે તેમના પિતાનું…
વધુ વાંચો >મહેતા, જીવરાજ (ડૉ.)
મહેતા, જીવરાજ (ડૉ.) : (જ. 29 ઑગસ્ટ 1887, અમરેલી, ગુજરાત; અ. 7 નવેમ્બર 1978, મુંબઈ) : કુશળ તબીબ, સંનિષ્ઠ રાજનીતિજ્ઞ અને ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન. પિતા નારાયણ મહેતા. માતા ઝમકબહેન મહેતા. અંધ પિતામહીએ પણ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિમાં જોડાવું પડે તેવી ગરીબીમાં તેમનો જન્મ થયો હતો. કિશોરાવસ્થા દરમિયાન અમરેલીના સિવિલ સર્જન ડૉ.…
વધુ વાંચો >મહેતા, ઝવેરીલાલ દલપતરામ
મહેતા, ઝવેરીલાલ દલપતરામ (જ. 7 ઑગસ્ટ 1928, હળવદ; અ. 27 નવેમ્બર 2023, અમદાવાદ) : ગુજરાતના તસવીર-પત્રકાર. ધ્રાંગધ્રામાં મૅટ્રિક સુધી શિક્ષણ લીધું; પછી સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં શિક્ષણ લીધું. મુંબઈનિવાસ સંઘર્ષનો સમય બની રહ્યો. એ જમાનામાં મુંબઈમાં ‘ચેત મછંદર’ નામના સામયિકમાં પ્રૂફવાચનનું કામ કર્યું. એ અરસામાં અમદાવાદની અરવિંદ મિલમાં…
વધુ વાંચો >મહેતા, ઝુબિન
મહેતા, ઝુબિન (જ. 29 એપ્રિલ 1936, મુંબઈ) : સુદીર્ઘ સંગીતરચના(symphony)ના વાદકવૃંદના વિશ્વખ્યાત સંગીતસંચાલક (conductor). પિતા મેહલી મહેતા વાયોલિનવાદક હતા. તેઓ બૉમ્બે સ્ટ્રિંગ ક્વૉર્ટેટ તથા બૉમ્બે સિમ્ફની ઑરકેસ્ટ્રાની સ્થાપનામાં અગ્રેસર હતા. શૈશવથી જ ઝુબિનનો પશ્ચિમી સંગીતના વાતાવરણમાં ઉછેર. 1954થી ’60 દરમિયાન ઑસ્ટ્રિયામાં વિયેના ખાતે હૅન્સ સ્વૅરોવ્સકી પાસે વાદકવૃંદના સંચાલનની તાલીમ. 1958માં…
વધુ વાંચો >મહેતા, તારક જનુભાઈ (જયેન્દ્ર રાય)
મહેતા, તારક જનુભાઈ (જયેન્દ્ર રાય) (જ. 26 ડિસેમ્બર 1929, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર અને હાસ્યલેખક. 1958માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે એમ. એ. ફિલ્મક્ષેત્રમાં પગપેસારો શક્ય ન બનતાં નાટ્યલેખન શરૂ કર્યું. સમાંતરે ભારત સરકારના ફિલ્મ્સ ડિવિઝનમાં 1960થી ’86માં નિવૃત્તિ સુધી (પ્રથમ વર્ગના રાજ્યપત્રિત) કૉમેન્ટરીલેખક તરીકે સેવા આપી. 1971થી ‘ચિત્રલેખા’ સાપ્તાહિકમાં…
વધુ વાંચો >મહેતા, તૈયબ
મહેતા, તૈયબ (જ. 1925, કપડવંજ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં 1947થી ’52 સુધી પેન્ટિંગનો અભ્યાસ કરીને 1959માં તે યુરોપ પહોંચ્યા. યુરોપયાત્રા પછી લંડન સ્થિર થઈ 5 વરસ સતત ચિત્રકામ કર્યું અને તે દરમિયાન તેમણે લંડન અને ઑક્સફર્ડમાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. 1965માં તે…
વધુ વાંચો >