૧૫.૧૭

મહી (નદી)થી મહેતા ધીરેન્દ્ર પ્રીતમલાલ

મહુવા

મહુવા : ભાવનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 00´ ઉ. અ. અને 71° 45´ પૂ. રે. ની આજુબાજુનો આશરે 1,221 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકામાં મહુવા શહેર ઉપરાંત 130 જેટલાં ગામ આવેલાં છે. 1991 મુજબ આ તાલુકાની વસ્તી 2,39,645…

વધુ વાંચો >

મહેતા, અનંત

મહેતા, અનંત (જ. 1942 રાધનપુર, ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર. વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી 1965માં ચિત્રકલાની સ્નાતક પદવી મેળવી. આ પછી તેમણે અમદાવાદમાં શાળાકક્ષાએ કલાશિક્ષણ અને સાથોસાથ ચિત્રકલાની પ્રવૃત્તિ અપનાવી. અનંતનાં ચિત્રોમાં માનવમનના ચંચળ અને રમતિયાળ ભાવો આલેખાયા છે. ચોપાટ રમતી, ગલૂડિયાં જોડે મસ્તી કરતી, પત્તાં રમતી,…

વધુ વાંચો >

મહેતા, અશોક

મહેતા, અશોક (જ. 24 ઑક્ટોબર 1911, ભાવનગર; અ. 1984) : ભારતીય સમાજવાદી ચિંતક અને અગ્રણી રાજકીય નેતા. ભારતીય રાજકારણના બુદ્ધિજીવી રાજપુરુષોમાં અશોક મહેતાનું સ્થાન અતિ મહત્વનું છે. તેમનો જન્મ અગ્રણી સાહિત્યકાર રણજિતરામ વાવાભાઈ મહેતાને ઘેર થયેલો. માતા શાંતિગૌરીની ઊંડી ધર્મશ્રદ્ધાના સંસ્કાર તેમને બાળપણમાં મળ્યા હતા. તેથી જ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી…

વધુ વાંચો >

મહેતા, અશ્વિન

મહેતા, અશ્વિન (જ. 1931) : આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા ગુજરાતના તસવીરકાર. ભારતના આજના ટોચના તસવીરકારોમાં તેમની ગણના થાય છે. તેમનો ઉછેર અને અભ્યાસ મુંબઈમાં થયો. નાનપણથી તેમને અધ્યાત્મ તરફ આકર્ષણ હતું. તેઓ જે. કૃષ્ણમૂર્તિ, વિનોબા ભાવે, ઉમાશંકર જોશી અને સ્વામી આનંદના પરિચયમાં આવ્યા. સ્વામી આનંદ સાથે તેમને ઘનિષ્ઠ સંબંધ સ્થપાયો અને…

વધુ વાંચો >

મહેતા, ઇલા આરબ

મહેતા, ઇલા આરબ (જ. 23  જૂન 1938, મુંબઈ) : ગુજરાતી મહિલા નવલકથાકાર અને વાર્તાકાર. પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર ગુણવંતરાય આચાર્યનાં પુત્રી. એમના વ્યવસાયનું સ્થળ મુંબઈ. વતન જામનગર. 1958માં ગુજરાતી વિષય સાથે બી. એ. 1960માં એ જ વિષયમાં એમ.એ. 1960થી 1967 સુધી રુઇયા કૉલેજ અને 1970થી સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામગીરી.…

વધુ વાંચો >

મહેતા, ઉદયપ્રભાબહેન

મહેતા, ઉદયપ્રભાબહેન (જ. 26 જૂન 1914, અમદાવાદ; અ. 15 એપ્રિલ 1986, અમદાવાદ) : સ્ત્રીજાગૃતિનાં જ્યોતિર્ધર, જ્યોતિસંઘનાં અગ્રગણ્ય કાર્યકર અને સમાજસેવિકા. અમદાવાદની માંડવીની પોળમાં એક ચુસ્ત વૈષ્ણવ કુટુંબમાં જન્મ. પાંચ ભાઈઓ અને બે બહેનોમાં તે સૌથી નાનાં. માત્ર ચાર વર્ષની વયે પિતાનું અવસાન. માતાની કાળજી અને વહાલે તેમને સામાજિક જીવનમાં વિકસવાની…

વધુ વાંચો >

મહેતા, ઉમેશ

મહેતા, ઉમેશ : જુઓ ઉમેશ કવિ

વધુ વાંચો >

મહેતા, કપિલરાય

મહેતા, કપિલરાય (જ. 9 માર્ચ 1911, ભાવનગર; અ. 1970, અમદાવાદ) : ગુજરાતી પત્રકાર. કપિલરાય મહેતાનો જન્મ નાગર જ્ઞાતિમાં મનવંતરાય મહેતાને ત્યાં થયો હતો. 1923માં વિલેપારલેની રાષ્ટ્રીય શાળામાં દાખલ થઈ માધ્યમિક શિક્ષણ લીધું. અહીંના વાતાવરણથી તેઓ ચુસ્ત ગાંધીવાદી બન્યા. તેમણે અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણમાં સમાજવિદ્યા વિશારદની પદવી પ્રાપ્ત કરી હતી.…

વધુ વાંચો >

મહેતા, કલ્યાણજીભાઈ

મહેતા, કલ્યાણજીભાઈ (જ. 7 નવેમ્બર 1890, વાંઝ, તા. ચોર્યાસી, જિ. સૂરત; અ. 11 જુલાઈ 1973, સૂરત) : સ્વાતંત્ર્ય-સેનાની, સમાજસેવક, મુંબઈ અને ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ. કલ્યાણજી પટેલના પિતા વિઠ્ઠલભાઈ સમૃદ્ધ ખેડૂત અને વેપારી હતા. તેમના મોટા ભાઈ કુંવરજી નામાંકિત સમાજસુધારક અને રાષ્ટ્રવાદી કાર્યકર હતા. કલ્યાણજીએ વાંઝની પ્રાથમિક શાળામાં અને અમદાવાદની પ્રેમચંદ…

વધુ વાંચો >

મહેતા, કાશીરામ લલ્લુભાઈ

મહેતા, કાશીરામ લલ્લુભાઈ (જ. 1895, વલભીપુર; અ. 17 મે 1959, અમદાવાદ) : ભારતના મુક્તિસંગ્રામના અદના સૈનિક, ગાંધીયુગના સત્યનિષ્ઠ આદર્શ ગ્રામસેવક, કેળવણીકાર. પ્રાથમિક શિક્ષકો માટેની ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષણ લીધું. પત્ની નર્મદાબહેન શિક્ષક તરીકે શરૂઆત વલભીપુરમાં. દરબારી શાળામાં બે રૂપિયાના માસિક પગારથી શિક્ષક રહ્યા. સોનગઢ ગુરુકુળમાં પણ હતા; પરંતુ ખીરસરાની શાળામાં બાળકોને…

વધુ વાંચો >

મહી (નદી)

Jan 17, 2002

મહી (નદી) : ગુજરાત રાજ્યમાં આવેલી એક મહત્વની નદી. ગુજરાતમાં તે લંબાઈની ર્દષ્ટિએ નર્મદા અને તાપી પછીના ત્રીજા ક્રમે આવે છે. તેનું મૂળ મધ્યપ્રદેશમાં આવેલું છે. સમુદ્રસપાટીથી આશરે 564 મીટર ઊંચાઈ ધરાવતા માળવાના ઉચ્ચપ્રદેશીય વિસ્તારના વિંધ્યાચળના પશ્ચિમ છેડે આવેલાં અમઝેરા શહેર અને ભોયાવર ગામ વચ્ચેનું મેહાડ સરોવર મહીનું ઉદગમસ્થાન છે.…

વધુ વાંચો >

મહીધર

Jan 17, 2002

મહીધર (ઈ. સોળમી સદીનો ઉત્તરાર્ધ) : ભારતીય શુક્લ યજુર્વેદ પર ભાષ્ય રચનાર લેખક. તેઓ વત્સગોત્રના, જ્ઞાતિએ નાગરબ્રાહ્મણ હતા અને કાશીમાં રહેતા હતા. તેમનું ‘ભૂદાસ’ એવું પણ નામ પ્રચલિત છે. વેદ અને તંત્રમાર્ગના જાણકાર અને ભગવાન રામના ભક્ત હતા. તેમનું વતન અહિચ્છત્ર નામનું ગામ હતું. તેમણે પોતાના ગુરુનું નામ રત્નેશ્વર મિશ્ર…

વધુ વાંચો >

મહીપસિંગ

Jan 17, 2002

મહીપસિંગ (જ. 1930, અમૃતસર) : હિન્દી તથા પંજાબી લેખક. ટૂંકી વાર્તાઓ, નવલકથા, વિવેચન, નાટક એમ અનેક ક્ષેત્રોમાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કરનાર તથા પંજાબીમાં પણ અનેક સાહિત્યકૃતિઓની રચના કરનાર મહીપસિંગનો જન્મ શીખ કુટુંબમાં થયો હતો. 1952માં હિન્દી વિષય લઈને દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે આવીને મેળવી. એ પછી…

વધુ વાંચો >

મહીપાલ (પ્રતીહાર)

Jan 17, 2002

મહીપાલ (પ્રતીહાર) : અવન્તિના પ્રતીહાર વંશનો રાજા. અવન્તિના પ્રતીહાર વંશમાં નાગભટ બીજો, ભોજ પહેલો અને મહેન્દ્રપાલ જેવા પ્રતાપી રાજા થયા. મહેન્દ્રપાલના મૃત્યુ પછી એના પુત્રો વચ્ચે ગાદીવારસા માટે ખટરાગ થયો. યુવરાજ મહીપાલે પિતાનો રાજ્યવારસો લીધો, પરંતુ ચેદિરાજ કોક્કલદેવે તથા રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્રે મહીપાલને હરાવી કુમાર ભોજ(બીજા)ને ગાદી અપાવી. ભોજદેવે થોડાં…

વધુ વાંચો >

મહીપાલ પહેલો

Jan 17, 2002

મહીપાલ પહેલો (શાસનકાળ ઈ. સ. 988–1038) : બંગાળના પાલ વંશનો એક પ્રતાપી સમ્રાટ. તેના પિતા વિગ્રહરાજ બીજાના અવસાન પછી તે ગાદીએ બેઠો ત્યારે પાલ રાજાઓના સામ્રાજ્યનું વિઘટન થઈને માત્ર મગધ એટલે કે દક્ષિણ બિહાર તેમની સત્તા હેઠળ રહ્યું હતું. દુર્ભાગ્યવશાત્ તેમણે બંગાળમાંનું પૂર્વજોનું રાજ્ય ગુમાવ્યું હતું અને તેની સરહદ બહાર…

વધુ વાંચો >

મહીપાલ બીજો

Jan 17, 2002

મહીપાલ બીજો (શાસનકાળ ઈ. સ. 1070–1075) : બંગાળના પાલ વંશનો રાજા. પાલ વંશના રાજા વિગ્રહપાલ ત્રીજાનું અવસાન થયા બાદ તેના ત્રણ પુત્રો મહીપાલ, સૂરપાલ અને રામપાલ વચ્ચે ગાદી મેળવવા માટે ઝઘડો થયો. તેમાં મહીપાલ રાજા બનવામાં સફળ થયો. વિદેશી આક્રમણોને લીધે તેનું રાજ્ય નબળું પડી ગયું હતું. કેન્દ્ર સરકારની નબળાઈનો…

વધુ વાંચો >

મહીપાલકથા

Jan 17, 2002

મહીપાલકથા : 1,800 પ્રાકૃત ગાથાઓમાં સંભવત: ઈ.સ.ની બારમી સદીમાં લખાયેલી ચંદ્રગચ્છના મુનિચંદ્રસૂરિના શિષ્ય વીરદેવગણિની રચના. શ્રી હીરાલાલ દ્વારા સંશોધિત આ ગ્રંથ સં. 1998માં અમદાવાદથી પ્રકાશિત થયો છે. બૃહત્ તપાગચ્છના ચારિત્રસુંદરગણિકૃત મહીપાલચરિત્ર આનું સંસ્કૃત રૂપાંતર છે. તેનો રચનાસમય ઈ.સ.ની પંદરમી સદીનો મધ્યભાગ હોવાનો સંભવ છે. આ કથામાં નવકારમંત્રનો પ્રભાવ, ચંડીપૂજા, શાસનદેવની…

વધુ વાંચો >

મહીસાગર (જિલ્લો)

Jan 17, 2002

મહીસાગર (જિલ્લો) : મહીનદી ઉપરથી આ જિલ્લાને મહીસાગર નામ મળ્યું છે. ભૌગોલિક સ્થાન – આબોહવા : આ જિલ્લો 23 9´ ઉ. અ. અને 73 29´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે રાજસ્થાન રાજ્ય, પૂર્વે દાહોદ, દક્ષિણે પંચમહાલ, નૈર્ઋત્યે ખેડા અને પશ્ચિમે અરવલ્લી જિલ્લાની સીમાઓ પ્રાપ્ત થઈ છે. સમુદ્રથી દૂર આ…

વધુ વાંચો >

મહુડી

Jan 17, 2002

મહુડી : જુઓ બુદ્ધિસાગરસૂરિ

વધુ વાંચો >

મહુડો

Jan 17, 2002

મહુડો : દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Madhuca indica J. F. Gmel. syn. M. latifolia Mach; Bassia latifolia Roxb. (સં. મધુક; હિં. મહુવા, મોહવા; બં. મૌલ; મ. મોહાંચા વૃક્ષ; ગુ. મહુડો; તે. ઇપ્પા; ત. મધુકં, એલુપા; મલ. ઇરૂપ્પા, પૂનમ; સાંથાલ-માતકોમ; અં. બટર ટ્રી, ઇલુપાટ્રો) છે.…

વધુ વાંચો >