ખંડ ૧૪
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…
વધુ વાંચો >બૉચિયોની, અમ્બર્તો
બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…
વધુ વાંચો >બોજ-બીબાં
બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…
વધુ વાંચો >બૉ, જૉયી
બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…
વધુ વાંચો >બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર
બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…
વધુ વાંચો >બોઝ, આનંદમોહન
બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…
વધુ વાંચો >બોઝ, ખુદીરામ
બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…
વધુ વાંચો >બોઝ, જગદીશચંદ્ર (સર)
બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) : બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…
વધુ વાંચો >બોઝ, દેવકી
બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…
વધુ વાંચો >બોઝ, નંદલાલ
બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…
વધુ વાંચો >ભોપાલ
ભોપાલ : મધ્યપ્રદેશના મધ્ય પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 23° 16´ ઉ. અ. અને 77° 24´ પૂ. રે.ની આજુબાજુનો 2,772 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં ગુના; ઉત્તર ઈશાન અને પૂર્વમાં વિદિશા; પૂર્વ અને અગ્નિમાં રાયસેન;…
વધુ વાંચો >ભોરિંગણી (બેઠી રિંગણી)
ભોરિંગણી (બેઠી રિંગણી) : દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Solanum surattense Burm. F. syn. S. xanthocarpum Schrad & Wendl. (સં. कंटकारिका, क्षुद्रकंटकारी, व्याध्री; હિં. छोटी कटेली (कटेरी), लघु कटाई; બં. કંટકારી; મ. ભૂઈરિંગણી; ગુ. ભોરિંગણી, બેઠી રિંગણી; ક. નેલગુલ્લુ; તે. રેવટીમુલંગા, વ્રાકુટીચેટુ; ત. કરીમુલ્લી; મલ.…
વધુ વાંચો >ભોસલે
ભોસલે : છત્રપતિ શિવાજીનું કુળ. મરાઠાઓમાં ભોંસલે કુળના સરદારો ચિતોડ અને ઉદયપુરના સિસોદિયા રાણાઓના વંશજો હોવાનો દાવો કરે છે. ચૌદમી સદીના આરંભમાં અલાઉદ્દીન ખલજીએ ચિતોડનું રાજ્ય ઉજ્જડ કરી દીધા પછી તેમના કુટુંબના કેટલાક સભ્યો દક્ષિણમાં ગયા. અહમદનગરના નિઝામશાહી સુલતાનની સેવામાં રહેલા મલિક અંબરે યુદ્ધો અને વહીવટમાં હિંદુઓનો સહકાર મેળવીને મુઘલોની…
વધુ વાંચો >ભોસલે, આશા
ભોસલે, આશા (જ. 8 સપ્ટેમ્બર 1932, સાતારા, મહારાષ્ટ્ર) : ભારતીય ચલચિત્રોનાં પાર્શ્વગાયિકા. મોટી બહેન લતા મંગેશકર સાથે તેમણે પણ પિતા દીનાનાથ મંગેશકર પાસે સંગીતનું પ્રાથમિક પ્રશિક્ષણ લીધું. શાસ્ત્રીય સંગીત તથા ગાયનનું શિક્ષણ માસ્ટર નવરંગ પાસે લીધું. આ સિવાય પિતા દીનાનાથ મંગેશકરનાં ગીતોની રેકર્ડ સાંભળીને પોતે જ ગાવાની તાલીમ લીધી. 1944માં…
વધુ વાંચો >ભોસલે, માધુરી
ભોસલે, માધુરી (જ. 1972, ઉજ્જૈન, મધ્યપ્રદેશ) : જાણીતાં ચિત્રકાર. તેમણે ડ્રૉઇંગ અને પેઇન્ટિંગમાં એમ.એ.ની ડિગ્રી સાથે સુવર્ણચંદ્રક મેળવ્યો. ત્યારબાદ ઉજ્જૈનની વિક્રમ યુનિવર્સિટીમાંથી તેમણે પ્રાચીન ભારતીય ઇતિહાસ અને પુરાતત્વવિદ્યામાં પણ એમ.એ.ની ડિગ્રી મેળવી. વળી ખૂબ ઓછી જાણીતી છતાં મહત્વપૂર્ણ લઘુશૈલી (રાજસ્થાની) ‘રાઘવગઢ સ્કૂલ ઑવ્ પેઇન્ટિંગ’ પર વિવેચનાત્મક અભ્યાસ તૈયાર કરીને પીએચ.ડી.…
વધુ વાંચો >ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન મ્યુઝિયમ, અમદાવાદ
ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન મ્યુઝિયમ, અમદાવાદ : ગુજરાતની આદ્ય અને બહુલક્ષી વિદ્યાસંસ્થાનો પુરાવસ્તુસંગ્રહ. અલેકઝાંડર કિન્લૉક ફાર્બસે અમદાવાદમાં 26 ડિસેમ્બર, 1848ના રોજ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્થાપના કરી. તેથી ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંનો અભ્યાસ અને તેને લગતી સામગ્રી એકઠી કરવાનું શરૂ થયું. તેમાં કવિ દલપતરામે પ્રાચીન ગુજરાતી-સંસ્કૃત સાહિત્યને લગતી હસ્તપ્રતો એકઠી કરવા…
વધુ વાંચો >ભોળે, જ્યોત્સ્ના
ભોળે, જ્યોત્સ્ના (જ. 1913) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં આગ્રા ઘરાનાનાં જાણીતાં કલાકાર. મૂળ નામ દુર્ગા કેળેકર. તેમનો જન્મ ગોવાના એક નાના ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષા મુંબઈમાં લેતાં હતાં તે દરમિયાન શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્ય પ્રત્યે રુચિ પેદા થઈ. બાલ્યાવસ્થામાં પંડિત સુખદેવપ્રસાદ પાસેથી કથક નૃત્યની શિક્ષા લીધી…
વધુ વાંચો >ભોંયઆમલી
ભોંયઆમલી : દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Phyllanthus fraternus Webster. syn. P. niruri Hook f. છે. તે 60 સેમી. જેટલી ઊંચાઈ ધરાવતી શાકીય જાતિ છે અને ભારતના ગરમ પ્રદેશોમાં ખાસ કરીને ખેડાયેલી ભૂમિમાં હંમેશાં શિયાળુ-અપતૃણ તરીકે થાય છે. તે સંભવત: બાંગ્લાદેશ અને પશ્ચિમ ભારતની મૂલનિવાસી…
વધુ વાંચો >ભૌતિક રસાયણશાસ્ત્ર
ભૌતિક રસાયણશાસ્ત્ર (physical chemistry) : રાસાયણિક સંયોજનોની સંરચના, તેમના ભૌતિક ગુણધર્મો, તેમની પ્રક્રિયા કરવાની ક્રિયાવિધિ (mechanism) તથા રાસાયણિક સંયોજનોની વિવિધ જાતો (species) વચ્ચે પ્રક્રિયા થવાથી જોવા મળતા ઊર્જાના ફેરફારો સાથે સંકળાયેલ રસાયણશાસ્ત્રની શાખા. તેમાં ભૌતિકશાસ્ત્રના ખ્યાલો અને સિદ્ધાંતોનો રાસાયણિક ઘટનાઓ અંગે મોટી સંખ્યામાં પ્રાપ્ય અવલોકનાત્મક અથવા ગુણાત્મક (qualitative) માહિતીને માત્રાત્મક…
વધુ વાંચો >ભૌતિકવાદ
ભૌતિકવાદ : અધ્યાત્મવાદનો વિરોધી એવો તત્વમીમાંસાનો એક સિદ્ધાન્ત. જીવ, જગત અને ઈશ્વર એ તત્વત્રયના અંતિમ સ્વરૂપની મીમાંસા કરનારી તત્વજ્ઞાનની શાખાને તત્વમીમાંસા કહે છે. તત્વમીમાંસકો તરીકે ભૌતિકવાદીઓનું મૂળભૂત પ્રતિપાદન એ છે કે જીવ, જગત અને ઈશ્વર એ કહેવાતાં ત્રણ તત્વોમાં જીવ કે આત્મા અને ઈશ્વર કે પરમાત્માને વાસ્તવિક અસ્તિત્વ છે જ…
વધુ વાંચો >