ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

ભાવકત્વ

Jan 19, 2001

ભાવકત્વ : રસની નિષ્પત્તિ બાબતમાં આચાર્ય ભટ્ટનાયકે તેમના લુપ્ત ગ્રંથ ‘હૃદયદર્પણ’માં રજૂ કરેલા ભુક્તિવાદમાં માનેલી ત્રણ શક્તિઓમાંની વચલી શક્તિ. ભટ્ટનાયકના મતે શબ્દની ત્રણ શક્તિઓ છે : (1) અભિધા શક્તિ, (2) ભાવકત્વ શક્તિ અને (3) ભોજકત્વ શક્તિ. શક્તિને શાસ્ત્રીય ભાષામાં ‘વ્યાપાર’ પણ કહે છે તેથી ‘ભાવકત્વ વ્યાપાર’ એમ પણ કહેવામાં આવે…

વધુ વાંચો >

ભાવનગર

Jan 19, 2001

ભાવનગર : ગુજરાત રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 59´થી 22° 21´ ઉ. અ. અને 71° 13´થી 72° 29´ પૂ. રે. વચ્ચેનો 11,155 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે રાજ્યના કુલ વિસ્તારનો આશરે 5.69% જેટલો ભાગ ધરાવે છે અને રાજ્યમાં તે વિસ્તારની…

વધુ વાંચો >

ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ (1887)

Jan 19, 2001

ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ (1887) : ભૂતપૂર્વ ભાવનગર રાજ્યના પ્રાચીન શોધખાતા તરફથી પ્રગટ થયેલો, મહત્વની ઐતિહાસિક સામગ્રીરૂપ શિલાલેખોની નકલો, માહિતી વગેરે આપતો સંદર્ભગ્રંથ. મહારાજા તખ્તસિંહજી ગોહિલે ગોહિલોનો પ્રમાણભૂત ઇતિહાસ તૈયાર કરાવવા માટે પ્રાચીન શોધખાતાની સ્થાપના કરી હતી. આ ખાતા દ્વારા પૂર્વમાં ઘોઘાથી પશ્ચિમે દ્વારકા સુધી અને દક્ષિણમાં દીવથી લઈને ઉત્તરમાં છેક…

વધુ વાંચો >

ભાવનગર યુનિવર્સિટી

Jan 19, 2001

ભાવનગર યુનિવર્સિટી : ભાવનગર જિલ્લાના ભૌગોલિક વિસ્તાર માટે સ્થપાયેલી યુનિવર્સિટી. સૌરાષ્ટ્રમાં ઉચ્ચશિક્ષણનો આરંભ 1885માં ભાવનગરમાં શામળદાસ કૉલેજની સ્થાપનાથી થયો હતો. મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન શામળદાસ કૉલેજ શરૂ થઈ ત્યારે ગુજરાતમાં માત્ર બે જ કૉલેજ હતી : અમદાવાદમાં ગુજરાત કૉલેજ અને વડોદરામાં બરોડા કૉલેજ. સૌરાષ્ટ્રમાં શામળદાસ કૉલેજની સ્થાપનાથી ઉચ્ચ અભ્યાસાર્થે સૌરાષ્ટ્ર…

વધુ વાંચો >

ભાવનાની, મોહન દયારામ

Jan 19, 2001

ભાવનાની, મોહન દયારામ (જ. 1903, હૈદરાબાદ, સિંધ; અ. 1962) : હિંદી ચલચિત્રોના સિંધી દિગ્દર્શક. 1921થી 1924 દરમિયાન માન્ચેસ્ટરની ટૅકનૉલૉજી કૉલેજમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ જર્મનીમાં ફિલ્મનિર્માણનું શિક્ષણ લીધું. 1925–26માં કોહિનૂર ફિલ્મ કંપનીમાં કૉન્ટ્રૅક્ટ કર્યો અને હૉલિવુડ જેવી અભિનેત્રી સુલોચનાની ફિલ્મઉદ્યોગને ભેટ આપી. ‘સિનેમાની રાની’ ફિલ્મમાં તે અભિનેત્રીની ભૂમિકા ભજવે છે, જે…

વધુ વાંચો >

ભાવ-નિર્ધારણ

Jan 19, 2001

ભાવ-નિર્ધારણ : ઉત્પાદનની વેચાણકિંમત નક્કી કરવા માટે વિવિધ પરિબળોને લક્ષમાં રાખીને ઉત્પાદકે લીધેલો નિર્ણય. ભાવ-નિર્ધારણ વેચાણવ્યવસ્થાનો એક મહત્વનું પાસું છે. કોઈ પણ વસ્તુના ભાવ કેટલા રાખવા તે ઉત્પાદક પરિપક્વ વિચારણાને આધારે નક્કી કરે છે. ઉત્પાદક એકમ અમુક ઉદ્દેશોને ધ્યાનમાં રાખી ભાવનિર્ધારણ કરે છે : (1) રોકાયેલ મૂડી પર વાજબી વળતર…

વધુ વાંચો >

ભાવપ્રકાશ

Jan 19, 2001

ભાવપ્રકાશ : એક અત્યંત લોકપ્રિય અને સર્વોપયોગી આયુર્વેદિક સંગ્રહગ્રંથ. ઉત્તર પ્રદેશમાં આવેલા કનોજના રહીશ લટકમિશ્રના પુત્ર પંડિત ભાવમિશ્રે (1556થી 1605 દરમિયાન) ભારતમાં પૉર્ટુગીઝોના આગમન બાદ આ ગ્રંથ લખ્યો છે. આયુર્વેદીય ઉપલબ્ધ સાહિત્યમાં ચરક, સુશ્રુત અને ‘અષ્ટાંગહૃદય’ને ‘બૃહદ્ત્રયી’ અને ‘માધવનિદાન’, ‘ભાવપ્રકાશ’ અને ‘શાઙર્ગધરસંહિતા’ને ‘લઘુત્રયી’ કહે છે. આયુર્વેદનો આ ગ્રંથ વનસ્પતિચિકિત્સાપ્રધાન છે.…

વધુ વાંચો >

ભાવબૃહસ્પતિ

Jan 19, 2001

ભાવબૃહસ્પતિ (ઈ.સ. 12મી સદી) (જ. ?, વારાણસી): સોલંકીકાલીન ગુજરાતના પાશુપત મતના વિદ્વાન આચાર્ય. તેઓ ગાર્ગ્ય ગોત્રના કાન્યકુબ્જ બ્રાહ્મણ હતા. ભાવબૃહસ્પતિ નંદીશ્વરનો અવતાર ગણાતા. બાળપણમાં એમને અધ્યયન વિના પૂર્વના સંસ્કારોના બળે ચૌદ પ્રકારની વિદ્યાઓમાં નિપુણતા પ્રાપ્ત થઈ હતી. એમણે પાશુપત વ્રત ગ્રહણ કર્યું હતું. પોતે પરમ પાશુપતાચાર્ય હતા અને પાશુપત મતને…

વધુ વાંચો >

ભાવસાર, નટવર પ્રહલાદજી

Jan 19, 2001

ભાવસાર, નટવર પ્રહલાદજી (જ. 7 એપ્રિલ 1934, ગોઠવા, ગુજરાત) : અમેરિકામાં સ્થિર થયેલા ગુજરાતના ચિત્રકાર. પિતા ગામડાની શાળાના આચાર્ય. અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં રસિકલાલ પરીખના માર્ગદર્શન નીચે 1956માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યા પછી મુંબઈ જઈ 1958માં તેમણે સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી આર્ટ માસ્ટરનો ડિપ્લોમા મેળવ્યો. આ…

વધુ વાંચો >

ભાવસાર, ભીખુભાઈ

Jan 20, 2001

ભાવસાર, ભીખુભાઈ (જ. 3 મે 1929, વલસાડ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી કલાકાર. વ્યવસાયે જાણીતા વેપારી હોવા ઉપરાંત સંગીતક્ષેત્રે ગાયક તરીકે તેમણે નામના મેળવી છે. ગુજરાતી ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે 1942ના ‘હિંદ છોડો’ આંદોલન દરમિયાન અભ્યાસને તિલાંજલિ આપી અને હાર્મોનિયમવાદનથી સંગીતક્ષેત્રમાં પદાપર્ણ કર્યું. પિતા ભગવાનદાસ પોતે સારા હાર્મોનિયમવાદક હતા…

વધુ વાંચો >