ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

ભારતયુદ્ધ

Jan 16, 2001

ભારતયુદ્ધ : પાંડવો અને કૌરવો વચ્ચે થયેલું યુદ્ધ. જન્માંધ ધૃતરાષ્ટ્રના પુત્રો અને પાંડુના અનાથ પુત્રો વચ્ચે પૈતૃક રાજવારસા માટે લાંબા સમયથી સંઘર્ષ ચાલતો હતો. આખરે એ સંઘર્ષ યુદ્ધમાં પરિણમ્યો. આ યુદ્ધ ધાર્તરાષ્ટ્રો અને પાંડવો વચ્ચે થયું હતું, પરંતુ એમાં એ બંને પક્ષના સહયોગમાં ભારતના લગભગ સર્વ રાજાઓ સંડોવાયા હતા. ધૃતરાષ્ટ્ર…

વધુ વાંચો >

ભારત સેવાશ્રમ સંઘ

Jan 16, 2001

ભારત સેવાશ્રમ સંઘ : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવધર્મ અને સમાજસેવાને વરેલું લોકહિતૈષી સંગઠન, જેમાં સંન્યાસીઓ અને નિઃસ્વાર્થી કાર્યકર્તા ભ્રાતૃભાવથી ઈ. સ. 1917થી અવિરત જનકલ્યાણનાં કાર્ય કરી રહ્યા છે. સંસ્થાની સ્થાપના યોગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી (1896–1941)એ પોતાના જન્મસ્થાન બાજિતપુરા(જિ. ફરીદપુર, બાંગ્લાદેશ)માં સ્મશાનની નિકટના સ્થાનમાં વનદેવી દુર્ગાના સ્થાનક પાસે આશ્રમ બનાવીને ત્યાં…

વધુ વાંચો >

ભારતીદાસન્

Jan 16, 2001

ભારતીદાસન્ (જ. 21 એપ્રિલ 1891, પૉંડિચેરી; અ. 21 એપ્રિલ 1964) : ખ્યાતનામ તમિળ કવિ. મૂળ નામ કનક સુબ્બુરત્નમ્. પૉંડિચેરીમાં અભ્યાસ. 1908માં તમિળ વિદ્વાન પરીક્ષામાં પ્રથમ આવ્યા. અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા પણ તેઓ જાણતા હતા. તેમણે પૉંચેરીમાં કાલ્વે કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. 1908માં તમિળ કવિ ભારતીના સંપર્કમાં આવ્યા અને તેમનાથી ખૂબ પ્રભાવિત…

વધુ વાંચો >

ભારતી, ધર્મવીર

Jan 16, 2001

ભારતી, ધર્મવીર (જ. 1926, અલ્લાહાબાદ; અ. 1998) : હિંદી ભાષાના લેખક. પિતા ચિરંજીવલાલ શર્મા અને માતા ચંદાદેવી. આઠમા ધોરણમાં હતા ત્યારે પિતાનું અવસાન થતાં મામાની છત્રછાયામાં અભ્યાસ કર્યો. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લીધો અને અભ્યાસમાં વિઘ્ન આવ્યું. 1945માં બી.એ.માં સર્વાધિક ગુણ મેળવી ‘ચિંતામણિ ઘોષ મંડલ’ પુરસ્કાર મેળવ્યો. એમ.એ. કર્યા…

વધુ વાંચો >

ભારતીભૂષણ

Jan 16, 2001

ભારતીભૂષણ : ગુજરાતી સાહિત્યનું ત્રૈમાસિક. 1887માં બાળાશંકર કંથારિયાએ તે શરૂ કરેલું. 1895 સુધીમાં તેના અઢાર અંક પ્રગટ થયા હતા. બાળાશંકરની ગઝલો અને ઊર્મિકાવ્યો ‘ભારતીભૂષણ’માં જ પ્રગટ થયેલાં. આ સામયિકમાં ધર્મ, ઇતિહાસ, રાજકારણ વગેરે વિષયો ઉપર લખાતા લેખો પણ છે. અનુવાદો પણ તેમાં પ્રગટ થતા. ‘મૃચ્છકટિક’નો કાન્તે કરેલો અનુવાદ ‘ભારતીભૂષણ’માં છપાયેલો.…

વધુ વાંચો >

ભારતીય અંગ્રેજી સાહિત્ય

Jan 16, 2001

ભારતીય અંગ્રેજી સાહિત્ય ઈ. સ. 1757માં પ્લાસીના યુદ્ધ પછી વેપારાર્થે ભારત આવેલી ઈસ્ટ ઇંડિયા કંપનીએ બંગાળની ભૂમિ પર શાસનનો દોર હાથમાં લેવા માંડ્યો. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા નંખાયા તેની સાથે અંગ્રેજી શિક્ષણ અને પશ્ચિમની સંસ્કૃતિના સંપર્કથી ભારતીય સાહિત્ય અને સમાજમાં એક પ્રકારની નવચેતના અને રાષ્ટ્રીયતા જાગવા લાગી. તેની…

વધુ વાંચો >

ભારતીય ઉદ્યોગગૃહો

Jan 17, 2001

ભારતીય ઉદ્યોગગૃહો : ભારતનાં આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર નોંધપાત્ર અસર પાડતા ખાનગી ક્ષેત્રના અગ્રણી ઔદ્યોગિક સંકુલો જૂથો. એક જ કુટુંબની વ્યક્તિઓ દ્વારા સંચાલિત એક કે બે પ્રકારના ઉદ્યોગો સાથે સંકળાયેલી ખાનગી ક્ષેત્રની અતિવિશાળ કંપનીઓ અથવા જુદા જુદા પ્રકારના ઉદ્યોગો સાથે સંકળાયેલી ખાનગી ક્ષેત્રની નાનીમોટી કંપનીઓનાં વેચાણ અને મિલકતો ટોચ…

વધુ વાંચો >

ભારતીય કાલગણના

Jan 17, 2001

ભારતીય કાલગણના : સૂર્યચંદ્રના ભ્રમણથી થતા દેખીતા ફેરફારને આધારે સમયની ગણતરી કરવાની ભારતીય પદ્ધતિ. ભારતમાં સૂર્યોદયથી સૂર્યાસ્તના સમયને ‘દિવસ’ અને સૂર્યાસ્તથી સૂર્યોદયના સમયને ‘રાત્રિ’ કહે છે. દિવસ અને રાત્રિને સમાવી લેતા સૂર્યોદયથી સૂર્યોદયના સમયને ‘અહોરાત્ર’ કહે છે, એના અંશોમાં પ્રાત:, પૂર્વાહન, મધ્યાહન, સાયં, ઉત્તરાહન, મધ્યરાત્રિ જેવાં માપ પ્રચલિત થયાં. અહોરાત્રની…

વધુ વાંચો >

ભારતીય ચલચિત્ર

Jan 17, 2001

ભારતીય ચલચિત્ર : જુઓ ચલચિત્ર

વધુ વાંચો >

ભારતીય જનતા પક્ષ

Jan 17, 2001

ભારતીય જનતા પક્ષ : બહોળા અર્થમાં હિંદુત્વમાં શ્રદ્ધા ધરાવતો તથા દેશની સ્વતંત્રતા અને અખંડિતતાને વરેલો જમણેરી રાજકીય પક્ષ. તેની આગવી વિચારસરણી અને સંગઠનની વિશેષતાને લીધે ભારતીય રાજકારણમાં તે ચોક્કસ સ્થાન ધરાવે છે. આ પક્ષનો ચિંતનસ્રોત ઓગણીસમી સદીના પ્રારંભે શરૂ થયેલા પુનરુત્થાનવાદીઓના વિચારોમાં રહેલો જણાય છે. આ ચિંતકોનું માનવું હતું કે…

વધુ વાંચો >