ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

ભાણસાહેબ

Jan 12, 2001

ભાણસાહેબ (જ. 13 ફેબ્રુઆરી 1698, વારાહી, જિ. પાટણ, ગુજરાત; અ. 1755, કમીજડા, જિ. અમરેલી, સૌરાષ્ટ્ર) : રામ-કબીર સંપ્રદાયના કવિ અને રવિ-ભાણ સંપ્રદાયના આદ્યસ્થાપક. લોહાણા પરિવારમાં જન્મ. કલ્યાણજી ભક્તના પુત્ર. માતાનું નામ અંબાબાઈ. માબાપે 4 પુત્રીઓ બાદ થયેલા આ પુત્રનું નામ ‘કાના’ રાખ્યું. માતા-પિતાના અવસાન બાદ 1725માં ભાનબાઈ સાથે લગ્ન કર્યું.…

વધુ વાંચો >

ભાતખંડે, વિષ્ણુ નારાયણ

Jan 12, 2001

ભાતખંડે, વિષ્ણુ નારાયણ (જ. 10 ઑગસ્ટ 1860, મુંબઈ; અ. 19 સપ્ટેમ્બર 1936, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત-શૈલીના વિખ્યાત શાસ્ત્રકાર અને પ્રવર્તક. તેમનો જન્મ એક મહારાષ્ટ્રીય કુટુંબમાં કૃષ્ણજન્માષ્ટમીને દિવસે થયો હતો. નાનપણથી જ તેમને સંગીતમાં રુચિ પેદા થઈ હતી, કારણ કે તેમનાં માતા-પિતાને શાસ્ત્રીય સંગીતમાં રસ હતો. 10–12 વર્ષના હતા…

વધુ વાંચો >

ભાદર

Jan 12, 2001

ભાદર :  સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી. તે રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાંથી પસાર થાય છે. તેની કુલ લંબાઈ 193.12 કિમી. જેટલી છે. જસદણથી ઉત્તરે આવેલા મદાવા ડુંગરમાંથી નીકળીને જેતપુર સુધી તે વેગીલા પ્રવાહ સાથે વહે છે. જેતપુરથી દક્ષિણે જમણી બાજુએથી તેને કરનાલ નદી મળે છે. જેતપુરથી કુતિયાણા સુધી તે પશ્ચિમ…

વધુ વાંચો >

ભાદુડી, શિશિરકુમાર

Jan 12, 2001

ભાદુડી, શિશિરકુમાર (જ. 1889; અ. 29 જૂન 1959, કૉલકાતા) : ભારતીય રંગભૂમિના મેધાવી બંગાળી અભિનેતા. શિક્ષિત પરિવારના ફરજંદ તરીકે એમને ઉચ્ચ ઉદારમતવાદી શિક્ષણની તક મળી. કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં અંગ્રેજી વિષય સાથે એમણે એમ.એ. કર્યું. એમના વિદ્યાગુરુઓમાં ભાષાવિજ્ઞાની સુનીતિકુમાર ચૅટરજી અને કલા-સમીક્ષક સુહરાવર્દી વગેરે હતા. 19 વર્ષની નાની વયે એમણે શેક્સપિયરના…

વધુ વાંચો >

ભાન, પુષ્કર

Jan 12, 2001

ભાન, પુષ્કર (જ. 1926 – ) : કાશ્મીરી લેખક. મધ્યમવર્ગીય કાશ્મીરી પંડિતના પુત્ર. પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની પરીક્ષા પસાર કરીને મુંબઈની મૉડર્ન મિલમાં હિસાબ વિભાગમાં જોડાયા. 1947માં જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે તે ભારતના સૈન્યના સાંસ્કૃતિક વિભાગમાં જોડાયા અને ભારતીય સૈન્યના સાંસ્કૃતિક જૂથમાં થતાં નાટકોમાં અભિનેતા તરીકે પંકાયા. 1951માં…

વધુ વાંચો >

ભાનુગુપ્ત

Jan 13, 2001

ભાનુગુપ્ત : મગધના ગુપ્ત વંશનો રાજા. મગધના ગુપ્ત વંશના વૃત્તાંતમાં સ્કન્દગુપ્તના ઉત્તરાધિકારીઓ વિશે ઘણો ગૂંચવાડો રહેલો છે. તે રાજાઓમાં બુધગુપ્તના સમયના શિલાલેખ ગુપ્ત સંવત 157ના(ઈ. સ. 476)થી ગુ. સં. 165 (ઈ. સ. 488) સુધીના મળ્યા છે. મહારાજ માતૃવિષ્ણુ અને એના અનુજ ધન્યવિષ્ણુનો નિર્દેશ આવે છે. એ પછી એ જ સ્થળે…

વધુ વાંચો >

ભાનુદત્ત

Jan 13, 2001

ભાનુદત્ત (તેરમી–ચૌદમી સદી) : સંસ્કૃત ભાષાના આલંકારિક અને કવિ. તેઓ મિથિલાના રહેવાસી હતા તેથી તેમને ‘મૈથિલ’ કહેવામાં આવે છે. ભાનુદત્તના પિતાનું નામ ગણેશ્વર અથવા ગણનાથ કે ગણપતિ હતું એમ જુદા જુદા ગ્રંથોના આધારે કહી શકાય. તેમના એક ચમ્પૂકાવ્ય ‘કુમારભાર્ગવીય’માં તેમની વંશાવળી આ પ્રમાણે આપી છે : રસેશ્વર–સુરેશ્વર–વિશ્વનાથ–રવિનાથ–ભવનાથ–મહાદેવ–ગણપતિ–ભાનુદત્ત. આમ તેમની સાત…

વધુ વાંચો >

ભાનુમતી

Jan 13, 2001

ભાનુમતી (1890–91) : આસામી કૃતિ. અસમિયા લેખક પદ્મનાથ ગોંહાઈ બરુઆની નવલકથા. આસામી સાહિત્યની તે પ્રથમ નવલકથા છે. આસામીમાં એ સાહિત્યપ્રકાર તેનાથી શરૂ થાય છે. આ નવલકથા સામયિકમાં ધારાવાહીરૂપે પ્રકાશિત થઈ હતી. એ ભાનુમતી અને ચારુ ગોંહાઈની પ્રણયકથા છે. ભાનુમતીના પિતા એને, કશી વાતનું દુ:ખ ન પડે તે માટે, રાજકુંવર સાથે…

વધુ વાંચો >

ભાનુમિત્ર

Jan 13, 2001

ભાનુમિત્ર (ઈ. પૂ. 1લી સદી) : લાટ દેશ(દક્ષિણ ગુજરાત)ના રાજા બલમિત્રનો નાનો ભાઈ અને યુવરાજ. જૈન અનુશ્રુતિ અનુસાર બલમિત્ર અને ભાનુમિત્ર બંને કાલકાચાર્યના ભાણેજ હતા. તેમનું પાટનગર ભરુકચ્છ (ભરૂચ) હતું. તેમના રાજ્યકાલ દરમિયાન આર્ય ખપુટાચાર્ય, એક સમર્થ વિદ્યાસિદ્ધ આચાર્ય, ભરૂચ ગયા હતા. કાલકાચાર્ય પારસ-કુલ(ઈરાન)થી 96 શાહી શકરાજાઓને લઈ આવ્યા. એ…

વધુ વાંચો >

ભાબુઆ

Jan 13, 2001

ભાબુઆ : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં પટણા વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 03´ ઉ. અ. અને 83° 37´ પૂ.રે.ની આજુબાજુનો આશરે 1,840 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બક્સર જિલ્લો અને ઉત્તર પ્રદેશના ગાઝીપુરનો ભાગ, પૂર્વ અને દક્ષિણે રોહતાસ…

વધુ વાંચો >