ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

ભક્ષકકોષો

Jan 9, 2001

ભક્ષકકોષો (phagocytes) : પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આવેલા શ્વેતકણો (white blood corpuscles)નો એક પ્રકાર. અમીબા આકારના આ ભક્ષકકોષો શરીરના રક્ષણાર્થે રુધિરતંત્રમાંથી બહાર નીકળીને લસિકાસ્થાનો(lymph spaces)માં પ્રવેશે છે અને ત્યાં આવેલા શરીરને હાનિકારક પરજીવી બૅક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવોને ખોટાપગ વડે ઘેરીને તેમનો નાશ કરે છે. તે જ પ્રમાણે વિષદ્રવ્યો બન્યાં હોય અથવા તો અન્ય…

વધુ વાંચો >

ભક્ષણ

Jan 9, 2001

ભક્ષણ (predation) : ભક્ષક દ્વારા થતી, ભક્ષ્ય પ્રાણીનો પીછો કરી, પકડી અને મારી નાખવાની ક્રિયા. ચિત્તા જેવાં ભક્ષક પ્રાણીઓ એકાકી શિકારી હોય છે. ચિત્તો વૃક્ષની શાખા પર લપાઈને પ્રતીક્ષા કરતો બેસે છે અને નિશ્ચિત ભક્ષ્ય પર તરાપ મારે છે. વરુ જેવાં પ્રાણીઓ સામૂહિક શિકારી પ્રાણીઓ છે. તે તેમના ભક્ષ્ય પ્રાણી…

વધુ વાંચો >

ભગત, કહળસંગ

Jan 9, 2001

ભગત, કહળસંગ (જ. 1843; અ. 21 જાન્યુઆરી 1894, સમઢિયાળા); ગંગાસતી (જ.?; અ. 15 માર્ચ 1894, સમઢિયાળા); પાનબાઈ (જ. ?; અ. 19 માર્ચ 1894, સમઢિયાળા) : જાતિ કે વર્ણના ભેદભાવ વગર જીવન જીવી અનન્ય ભક્તિથી પરમતત્વની અનુભૂતિ કરનાર, સૌરાષ્ટ્રની સંતત્રિપુટી. સંતભક્ત કવિ કહળસંગ, કવયિત્રી ગંગાસતી અને તેમનાં પરમ શિષ્યા પાનબાઈની જગ્યા…

વધુ વાંચો >

ભગત, કૃત્તિકા કેશવલાલ

Jan 9, 2001

ભગત, કૃત્તિકા કેશવલાલ (જ. 3 સપ્ટેમ્બર 1983, સૂરત, ગુજરાત) : ગુજરાતનાં તરણસ્પર્ધક. ગાંધીનગર ખાતે સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં ઉચ્ચ અભ્યાસ. 8 વર્ષની નાની વયથી જ સ્પૉટર્સ ઑથોરિટી ઑવ્ ગુજરાત તરફથી તેમને તાલીમ-માર્ગદર્શન મળેલ. 1997માં ચેન્નાઈ ખાતે યોજાયેલ 22મી રાષ્ટ્રીય મહિલા તરણસ્પર્ધા 4 × 100 ફ્રીસ્ટાઇલ રિલે અને 4 × 100 મિડલે રિલેમાં વિજેતા…

વધુ વાંચો >

ભગત ચુનીલાલ આશારામ

Jan 9, 2001

ભગત ચુનીલાલ આશારામ : જુઓ મોટા, પૂજ્યશ્રી

વધુ વાંચો >

ભગત, ધનરાજ

Jan 9, 2001

ભગત, ધનરાજ (જ. 20 ડિસેમ્બર 1917, લાહોર) : ભારતના આધુનિક શૈલીના શિલ્પી. તેમણે લાહોરની મેયો સ્કૂલ ઑવ્ આર્ટમાં શિલ્પનો ડિપ્લોમાં મેળવ્યો હતો. આ જ કૉલેજમાં તેમણે થોડાં વરસ અધ્યાપન કર્યું. આ પછી તેઓ નવી દિલ્હીની કૉલેજ ઑવ્ આર્ટમાં શિલ્પકલાના પ્રાધ્યાપક નિમાયા. ત્યાં તે પછીથી શિલ્પવિભાગના અધ્યક્ષ પણ હતા. ત્યાંથી 1976માં…

વધુ વાંચો >

ભગત, નિરંજન નરહરિ

Jan 9, 2001

ભગત, નિરંજન નરહરિ (જ. 18 મે 1926, અમદાવાદ; અ. 1 ફેબ્રુઆરી 2018) :  ગુજરાતી કવિ અને વિવેચક. અર્વાચીન ગુજરાતી કવિતામાં સુન્દરમ્  ઉમાશંકરની કવિ પેઢી પછીના 2 અગ્રણી કવિઓ તે રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત. પિતા નરહરિ અમદાવાદની લાલભાઈ દલપતભાઈની પેઢીમાં. માતા મેનાંબહેન. મોસાળમાં ઉછેર. અરુણ અને અજિત બે ભાઈ. અજિતનું…

વધુ વાંચો >

ભગત, વજુભાઈ

Jan 9, 2001

ભગત, વજુભાઈ (જ. 1915, લાઠી, ભાવનગર જિલ્લો, ગુજરાત; અ. 1985) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકાર જગન્નાથ અહિવાસી પાસે કલા-અભ્યાસ કરી તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. એ દરમિયાન તેમણે ભીંતચિત્રની ટૅક્નીકનો પણ પરિચય મેળવી લીધેલો. અભ્યાસ કર્યા પછી તેમણે મુંબઈમાં ચિત્રકાર અને ભીંતચિત્રકાર તરીકે કારકિર્દી…

વધુ વાંચો >

ભગવત રસિક

Jan 9, 2001

ભગવત રસિક (જ. ઈ. સ. 1738; અ. –) : વિરક્ત પ્રેમયોગી સાધુ. એમના પૂર્વજીવન વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. નિંબાર્ક સંપ્રદાયના ટટ્ટી સંસ્થાનના ગાદીપતિ સ્વામી લલિતમોહિનીદાસના તેઓ શિષ્ય હતા. નિર્ભીક, નિસ્પૃહ, સત્યવાદી અને ત્યાગી મહાત્મા તરીકે એમની ખ્યાતિ પ્રસરી હતી. ઈ. સ. 1802માં સ્વામી લલિતમોહિનીદાસનું નિધન થતાં તેમના મુખ્ય શિષ્ય…

વધુ વાંચો >

ભગતસિંહ

Jan 9, 2001

ભગતસિંહ [જ. 28 સપ્ટેમ્બર 1907, બંગા, જિ. લાયલપુર (હાલમાં પાકિસ્તાન); અ. 23 માર્ચ 1931, લાહોર] : ભારતના અગ્રણી ક્રાંતિકાર. તેમના પિતા કિશનસિંહ, કાકા અજિતસિંહ, અને પિતામહ અરજણસિંહ દેશભક્તો હતા. તેઓ શીખ જાટ ખેડૂત હતા. આ પરિવારના સભ્યો દેશ માટે કુરબાની આપવા તત્પર રહેતા હતા. બંગામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી ભગતસિંહ…

વધુ વાંચો >