ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

બ્રાયન્ટ વિલિયમ કલન

Jan 6, 2001

બ્રાયન્ટ વિલિયમ કલન (જ. 1794, કમિંગ્ટન, મૅસેચૂસેટ્સ; અ. 1878) : પ્રથમ અમેરિકન મહાકવિ. 13 વર્ષની વયે એમનું પ્રથમ કાવ્ય પ્રસિદ્ધ થયું. તે ‘એમ્બાર્ગો’ કાવ્યમાં પ્રમુખ થૉમસ જેફરસનની નીતિની હાંસી ઉડાડવામાં આવી છે. વર્તમાનપત્રના પ્રભાવશાળી તંત્રી તરીકે પણ તેઓ પ્રખ્યાત હતા. 50 વર્ષ સુધી પત્રકાર તરીકે જાહેર બાબતોમાં તેમણે અગ્રગણ્ય ભાગ…

વધુ વાંચો >

બ્રાયેલ્સ

Jan 6, 2001

બ્રાયેલ્સ : દ્વિઅંગી વનસ્પતિઓમાં આવેલા વર્ગ બ્રાયોપ્સિડાનું એક ગોત્ર. તેને ઉપવર્ગ બ્રાયિડી તરીકેનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. ફલીસ્કરે (1902–1922) આ વનસ્પતિ-સમૂહને ગોત્ર તરીકેની કક્ષા આપી હતી; પરંતુ વાનસ્પતિક નામાભિધાનની આંતરરાષ્ટ્રીય આચારસંહિતા (International code of Botanical Nomenclature) યુટ્રેચ્ટ(1956)ની ભલામણ અનુસાર તેને બ્રાયિડી ઉપવર્ગ ગણવામાં આવે છે. આ ઉપવર્ગ લગભગ 650…

વધુ વાંચો >

બ્રાયોફાઇલમ

Jan 6, 2001

બ્રાયોફાઇલમ : દ્વિદળી વર્ગના વનસ્પતિસમૂહમાં આવેલા ક્રેસ્યુલેસી કુળની એક પ્રજાતિ. તેની એક જાણીતી જાતિ Bryophyllum pinnatum. (Lam.) Kurz. syn. B. calycinum Salisb. (ગુ. એલચો, પર્ણકૂટી, પાનફૂટી, ઝખ્મે-હયાત, ખાટ-ખટુંબો, ઘાયમારી) છે. કેટલીક જગ્યાએ તેને પાષાણભેદ કહે છે. પાષાણભેદનો સાચો છોડ Bergenia ligulata Ergl. syn.; Saxifraga lingulata Wall. છે. લગભગ 0.75 મી.થી…

વધુ વાંચો >

બ્રાવર લુઇટ્ઝેન એગ્બરટ્સ યાન

Jan 6, 2001

બ્રાવર લુઇટ્ઝેન એગ્બરટ્સ યાન (જ. 27 ફેબ્રુઆરી 1881, ઓવરશી, નેધરલૅન્ડ; અ. 2 ડિસેમ્બર 1966, બ્લેરિકમ) : ડચ ગણિતશાસ્ત્રી. તેમણે ગાણિતિક અંત:સ્ફુરણા(intuitionism)નો સિદ્ધાંત રજૂ કર્યો. 1909થી 1951ના સમયગાળામાં બ્રાવરે એમ્સ્ટર્ડામ યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય કર્યું.  1909થી 1913ના ગાળામાં તેમણે ટૉપૉલૉજીમાં મહત્વનું સંશોધનકાર્ય કર્યું. 1907માં ડેવિડ હિલ્બર્ટના કાર્યના અભ્યાસ દરમિયાન કાર્તિઝિય સમતલ પરના સંસ્થિતિકીય…

વધુ વાંચો >

બ્રાહે, ટાયકો

Jan 6, 2001

બ્રાહે, ટાયકો (જ. 14 ડિસેમ્બર 1546, નુડસ્ટ્રુપ, દક્ષિણ સ્વીડન; અ. 24 ઑક્ટોબર 1601, પ્રાગ) : ડેન્માર્કનો ખગોળશાસ્ત્રી. મહત્વનાં તારાપત્રકો બનાવનાર; દૂરબીન શોધાયા પહેલાંનો મહાન આકાશ-નિરીક્ષક. અત્યંત ચોકસાઈથી તારાઓનાં સ્થાન નિર્ધારિત કરનાર અને ગ્રહોની ગતિ માપનાર એક અસાધારણ વેધકાર. ટાયકો ડેન્માર્કના ઉમરાવ કુટુંબનું સંતાન હતો. તેના પિતાનું નામ ઑટો બ્રાહે (Otto…

વધુ વાંચો >

બ્રાહ્મણસાહિત્ય

Jan 6, 2001

બ્રાહ્મણસાહિત્ય : વૈદિક સાહિત્યનો એક મહત્વનો વિભાગ. વૈદિક સાહિત્યમાં બે વિભાગો છે : (1) મંત્રો અને (2) બ્રાહ્મણો. મંત્રોમાં વેદના ઋષિઓએ કરેલી સ્તુતિઓનો સંગ્રહ છે, જેને સંહિતાઓ કહેવામાં આવે છે; જ્યારે બ્રાહ્મણોમાં એ મંત્રોનો કર્મકાંડમાં ઉપયોગ અને સમજૂતીનો સમાવેશ થાય છે. એ પછી બ્રાહ્મણગ્રંથના અંતિમ બે પેટાવિભાગો કે જેને જ્ઞાનકાંડ…

વધુ વાંચો >

બ્રાહ્મણી (નદી)

Jan 6, 2001

બ્રાહ્મણી (નદી) – (1) : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાની નદી. તે ચોટીલા તાલુકાની ટેકરીઓમાંથી નીકળી મૂળી તાલુકાની પશ્ચિમ સરહદે વહે છે. ત્યારબાદ તે હળવદ તાલુકામાં પ્રવેશે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તેની લંબાઈ 65.6 કિમી. છે અને કચ્છના નાના રણમાં તે સમાઈ જાય છે. આ નદી જિલ્લાના દક્ષિણ ભાગમાંથી નીકળી ઉત્તર તરફ…

વધુ વાંચો >

બ્રાહ્મી ઘૃત

Jan 6, 2001

બ્રાહ્મી ઘૃત : બ્રાહ્મીનાં તાજાં લીલાં પર્ણોના રસ અને ગાયના ઘીમાંથી બનાવવામાં આવતું એક આયુર્વેદિક ઔષધ. તેની બનાવવાની પદ્ધતિ આ પ્રમાણે છે : બ્રાહ્મીનાં તાજાં લીલાં પર્ણોનો રસ 48 ભાગ લઈ તેમાં ગાયનું જૂનું ઘી 12 ભાગ જેટલું મેળવી; ગંધારોવજ 1 ભાગ, કૂઠનું મૂળ 1 ભાગ તથા શંખપુષ્પી 1 ભાગ…

વધુ વાંચો >

બ્રાહ્મી લિપિ

Jan 6, 2001

બ્રાહ્મી લિપિ : પ્રાચીન ભારતની સર્વાંગપૂર્ણ વિકસિત લિપિ. આ લિપિના પ્રાચીનતમ નમૂનાઓ મૌર્ય સમ્રાટ અશોક(ઈ.પૂ. 268–ઈ.પૂ. 231)ના અભિલેખોમાં મળે છે. જૈન આગમગ્રંથ ‘સમવાયંગસૂત્ર’ (ઈ.પૂ. ત્રીજી સદી) અને ‘પણ્ણવણાસૂત્ર’(ઈ.પૂ. બીજી સદી)માં અઢાર લિપિઓની સૂચિ અપાઈ છે. તેમાં તેમજ બૌદ્ધ ગ્રંથ ‘લલિતવિસ્તર’(ઈ.સ. ત્રીજી સદી)માં અપાયેલ 64 લિપિઓની સૂચિમાં પ્રથમ નામ બ્રાહ્મી લિપિનું…

વધુ વાંચો >

બ્રાંકુસી, કૉન્સ્ટન્ટિન

Jan 6, 2001

બ્રાંકુસી, કૉન્સ્ટન્ટિન (જ. 1876, પેસ્ટિસાની ગોરી, રુમાનિયા; અ. 1957, પૅરિસ) : વીસમી સદીના મહાન શિલ્પીઓમાં ગણના પામનાર આધુનિક શિલ્પી. રુમાનિયાના ખેડૂત કુટુંબમાં જન્મ. 1887માં ઘરનો ત્યાગ કર્યો તથા 6–7 વરસ સુધી નાનુંમોટું મજૂરીકામ કરીને પેટ ભર્યું. 1894થી 1898 સુધી ક્રાઇઓવા નગરમાં એક સુથાર પાસે તાલીમ મેળવી તે સાથે શાળાકીય શિક્ષણ…

વધુ વાંચો >