ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

બ્રહ્મવિહાર (બૌદ્ધ)

Jan 5, 2001

બ્રહ્મવિહાર (બૌદ્ધ) : સાધક માટે બૌદ્ધ ધર્મમાં ગણાવેલી ચાર માનસિક ભાવનાઓ. બૌદ્ધ ધર્મદર્શનમાં ચાર બ્રહ્મવિહારની વાત કરવામાં આવી છે : (1) મૈત્રી : આ સમાજમાં જે લોકો શુભવૃત્તિવાળા અને સંપન્ન છે તેમના પ્રત્યે મૈત્રી રાખવી. (2) કરુણા : સમાજમાં જે લોકો દુ:ખી છે તેમના પ્રત્યે તિરસ્કાર  ન બતાવતાં કરુણાભાવ ધારણ…

વધુ વાંચો >

બ્રહ્મવિહાર (વેદાંત)

Jan 5, 2001

બ્રહ્મવિહાર (વેદાંત) : જગતના સર્જન માટે પરબ્રહ્મ તત્વ વડે રચવામાં આવેલો ખેલ. અદ્વૈતવાદીઓ એક જ તત્વ જગતમાં રહેલું હોવાનું માને છે. એ સિવાય બીજું કશું નથી. આથી જગતને પરમ તત્વ એવું બ્રહ્મ પોતે જ પોતાનામાંથી સર્જે છે, પોતાની ઇચ્છા મુજબ તેને પાળે છે અને અંતે પોતાનામાં જ સમગ્ર બ્રહ્માંડને સમાવી…

વધુ વાંચો >

બ્રહ્મવૈવર્ત-પુરાણ

Jan 5, 2001

બ્રહ્મવૈવર્ત-પુરાણ : ભારતનાં અઢાર પુરાણોમાંનું દસમું પુરાણ. આ પુરાણને દેવીભાગવત સાતમા, ભાગવત અને કૂર્મપુરાણ નવમા ક્રમે હોવાનું ગણાવે છે. આ પુરાણનું નામાભિધાન બ્રહ્મમાંથી વિવર્ત રૂપે થયેલ બ્રહ્માંડ કે સૃષ્ટિરચનાનું સૂચન કરે છે. વિષ્ણુપુરાણ, માર્કંડેયપુરાણ, લિંગપુરાણ, વાયુપુરાણ, કૂર્મપુરાણ અને પદ્મપુરાણ આ પુરાણની શ્ર્લોક-સંખ્યા આપતાં નથી. શિવમહાપુરાણ, દેવીભાગવત, ભાગવત, નારદીય, મત્સ્ય અને…

વધુ વાંચો >

બ્રહ્મશાંતિ યક્ષની વિરલ પ્રતિમા

Jan 5, 2001

બ્રહ્મશાંતિ યક્ષની વિરલ પ્રતિમા : ભો. જે. વિદ્યાભવન, અમદાવાદના સંગ્રહાલયમાં સુરક્ષિત જૈન પરંપરાની બ્રહ્મશાંતિ યક્ષની વિરલ પ્રતિમા. યક્ષોનાં વર્ણન વૈદિક, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં મળે છે. તેમને ભૂત, કિન્નર, રાક્ષસ, ગંધર્વ, નાગ અને દાનવની શ્રેણીમાં મૂકવામાં આવે છે. પ્રાચીન ભારતમાં એમની પૂજા-ઉપાસના વ્યાપક પ્રમાણમાં થતી હતી. જૈન પરંપરામાં યક્ષ અને…

વધુ વાંચો >

બ્રહ્મસંપ્રદાય

Jan 5, 2001

બ્રહ્મસંપ્રદાય : જુઓ યજુર્વેદ

વધુ વાંચો >

બ્રહ્મસૂત્ર

Jan 5, 2001

બ્રહ્મસૂત્ર : બ્રહ્મને જાણવા માટેનો બાદરાયણ વ્યાસનો એક પ્રખ્યાત ગ્રંથ. વેદવિદ્યાનાં કર્મ, ઉપાસના અને જ્ઞાનકાંડ ત્રણ મુખ્ય પાસાં છે. જ્ઞાનકાંડના તાત્પર્યનો નિર્ણય બ્રહ્મમીમાંસા કે ઉત્તરમીમાંસામાં થાય છે. પૂર્વમીમાંસાનો સંબંધ કર્મકાંડ સાથે છે. જ્ઞાનની સર્વોપરીતા પૂર્વ અને ઉત્તર શબ્દો દ્વારા સૂચવાય છે. બ્રહ્મસૂત્રના આરંભે अथ શબ્દ આ અર્થમાં આનન્તર્ય બતાવે છે.…

વધુ વાંચો >

બ્રહ્મસ્ફુટસિદ્ધાન્ત

Jan 5, 2001

બ્રહ્મસ્ફુટસિદ્ધાન્ત : ભારતીય જ્યોતિષ અને ગણિતશાસ્ત્ર વિશે બ્રહ્મગુપ્તે રચેલો ગ્રંથ. તેના 24 અધ્યાયો મળે છે, પરંતુ ‘ધ્યાનગ્રહ’ નામનો 72 આર્યાઓનો બનેલો 25મો અંતિમ અધ્યાય, જેને સિદ્ધાન્તને બદલે ફળાદેશ કહે છે તે, મળતો નથી. લેખકે તેને વિશ્વાસુ અને લાયક શિષ્યોને જ શીખવવાલાયક, અત્યંત ગુપ્ત અને મહત્વનો અધ્યાય ગણ્યો છે. ‘બ્રહ્મસ્ફુટસિદ્ધાન્ત’ના પહેલા…

વધુ વાંચો >

બ્રહ્મા

Jan 5, 2001

બ્રહ્મા : હિંદુ ધર્મમાં ‘ત્રિમૂર્તિ’સ્વરૂપમાંના સૌપ્રથમ દેવતા. સૃષ્ટિ–સૃજનનું ઉત્તરદાયિત્વ તેમનું છે. સૃષ્ટિ-સૃજન પહેલાં, તે અમૂર્ત અને કેવલાત્મા બ્રહ્મ હતા, પરંતુ રજોગુણ સાથે સંલગ્ન થતાં બ્રહ્મા બન્યા. બ્રહ્માના સૃષ્ટિ-સર્જનકાર્ય વિશે ધાર્મિક ઇતિહાસમાં વિવિધ વૃતાન્તો મળે છે. ભાગવતમાંના વૃત્તાન્ત પ્રમાણે, બ્રહ્મે સૃષ્ટિ-સર્જન અર્થે બ્રહ્માને સર્જ્યા. જ્યાં સત્-અસત્ એકેય નહોતાં એવા અસીમ અવકાશમાં…

વધુ વાંચો >

બ્રહ્માણી (માતૃકા)

Jan 5, 2001

બ્રહ્માણી (માતૃકા) : સપ્તમાતૃકાઓ પૈકીની એક માતૃકા. આ માતૃકાની ગુજરાતમાં અનેક જ્ઞાતિઓની કુળદેવતા તરીકે પૂજા થતી જોવામાં આવે છે અને તેનાં સ્વતંત્ર મંદિરો પણ ક્યાંક ક્યાંક નજરે પડે છે. સાધારણ રીતે બ્રહ્માની પૂજા થતી નથી પરંતુ બ્રહ્માણીની પૂજા થાય છે. આ દેવીનું સ્વરૂપ બ્રહ્માજીને મળતું હોય છે. તેમને ચાર મુખ…

વધુ વાંચો >

બ્રહ્માનંદ

Jan 5, 2001

બ્રહ્માનંદ (જ. 1772, આબુ તળેટીનું ખાણ; અ. 1832) : સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા કવિ. બાળપણનું નામ લાડુદાન. પિતા શંભુદાન ગઢવી. માતા લાલુબા. જ્ઞાતિએ ચારણ. શિરોહી રાજ્યના ખર્ચે કચ્છ-ભુજમાં પિંગળશાસ્ત્રનો અભ્યાસ કરવા ગયેલા. ત્યાં ઈ. સ. 1804માં શ્રી સહજાનંદ સ્વામીનાં દર્શન. ઈ. સ. 1805માં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બન્યા. શરૂઆતમાં શ્રી રંગદાસજી નામ,…

વધુ વાંચો >