૧૪.૧૨

ભવનનિર્માણથી ભાન પુષ્કર

ભવનનિર્માણ

ભવનનિર્માણ : માનવીના રહેણાક કે વ્યાવસાયિક કાર્ય માટે ઊભી કરાતી ઇમારતનું નિર્માણ. ભવનનિર્માણમાં તેનો કેવી પરિસ્થિતિમાં અને કયા પ્રકારનો ઉપયોગ કરવાનો છે તે બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ભવનનિર્માણનો મુખ્ય આશય તેનો ઉપયોગ કરનારને ગરમી, ઠંડી, વરસાદ, ધૂળ-કચરો, અવાજ વગેરેથી રક્ષણ આપવું તે છે. કોઈ પણ ભવનનિર્માણમાં નીચેની બાબતો મહત્વની…

વધુ વાંચો >

ભવનાગ

ભવનાગ : ભારશિવ વંશનો એક પ્રતાપી રાજા. ભારશિવો નાગકુલના હતા. તેઓ મહાભૈરવના ભક્ત હતા. તેઓ ખભા પર શિવલિંગ ધારણ કરતા. તેમણે પરાક્રમથી ભાગીરથી પ્રદેશ પ્રાપ્ત કર્યો હતો. તેમણે દસ અશ્વમેધ કર્યા હતા. એ પરથી વારાણસીમાં દશાશ્વમેધ ઘાટનું નામ પડ્યું છે એવું જયસ્વાલે કલ્પ્યું છે. મહારાજ ભવનાગના દૌહિત્ર વાકાટક વંશના મહારાજ…

વધુ વાંચો >

ભવનાણી રણવીરસિંહ

ભવનાણી રણવીરસિંહ (જ. 6 જુલાઈ 1985, મુંબઈ) : ફિલ્મ અભિનેતા. એક સિંધી હિંદુ કુટુંબમાં રણવીર સિંહના દાદા ભારત પાકિસ્તાનના ભાગલા સમયે કરાંચીથી નિર્વાસિત તરીકે આવેલા. અભિનેત્રી સોનમ કપૂર રણવીર સિંહના માતૃ પક્ષે પિતરાઈ થાય. રણવીરસિંહનો અભ્યાસ મુંબઈની એચ. આર. કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાં થયો. ત્યાર બાદ અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

ભવની ભવાઈ

ભવની ભવાઈ : નોંધપાત્ર ગુજરાતી ચલચિત્ર. સાડા છ દાયકાના ગુજરાતી ચલચિત્રના ઇતિહાસમાં ‘ભવની ભવાઈ’ વાસ્તવદર્શી અને કલાત્મક ચલચિત્ર તરીકે વિશિષ્ટ કક્ષાનું બની રહે છે. પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક થયેલા યુવાનોએ ‘સંચાર ફિલ્મ કો-ઑ. સોસાયટી લિ.’ બનાવીને, લોન મેળવી, આ ફિલ્મ બનાવી. નિર્માતા પરેશ મહેતા અને દિગ્દર્શક કેતન મહેતાની આ ફિલ્મમાં…

વધુ વાંચો >

ભવભાવના

ભવભાવના (ઈ. સ. 1114) : પ્રાકૃત કથાગ્રંથ. કર્તા મલધારી હેમચન્દ્રસૂરિ. 531 ગાથાઓ. મેડતા અને છત્રપલ્લીમાં શ્રીમંત શ્રાવકોની વસ્તીમાં રહી ઈ. સ. 1114માં રચ્યો – 13,000 શ્લોકપ્રમાણની સ્વોપજ્ઞવૃત્તિ સાથે. ઋષભદેવ કેશરીમલજી જૈન શ્વેતામ્બર સંસ્થા, રતલામ દ્વારા બે ભાગમાં 1936માં પ્રકાશિત. 12 ભાવનાઓનું 12 દિવસમાં પઠન થાય છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત અને…

વધુ વાંચો >

ભવભૂતિ

ભવભૂતિ (જ. આશરે 675; અ. 760) : સંસ્કૃત સાહિત્યના જાણીતા નાટ્યકાર. પોતાનાં ત્રણ નાટકોની પ્રસ્તાવનામાં નાટકકાર ભવભૂતિએ પોતાના જીવન વિશે આપેલી માહિતી મુજબ તેમના પૂર્વજો સોમરસનું પાન કરનારા, પંચાગ્નિ વચ્ચે રહેવાનું વ્રત કરનારા, અગ્નિહોત્રમાં નિત્ય હોમ કરનારા, ભોજન કરનારાઓની પંગતને પવિત્ર કરનારા, બ્રહ્મના જ્ઞાની, કાશ્યપ ગોત્રમાં જન્મેલા, વાજપેય જેવા અનેક…

વધુ વાંચો >

ભવસ્વામી

ભવસ્વામી (સાતમી સદી) : તૈત્તિરીય શાખાના કૃષ્ણ યજુર્વેદના ભાષ્યલેખક. વૈદિક ભાષ્યકારોમાં ભવસ્વામી ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. એમનો સમય સાતમી સદીના ઉત્તરાર્ધનો ગણી શકાય. ભવસ્વામીએ ‘તૈત્તિરીય સંહિતા’, ‘તૈત્તિરીય બ્રાહ્મણ’ અને ‘બૌધાયન-શ્રૌતસૂત્ર’ ઉપર ભાષ્ય રચ્યાં હતાં. તેમાંથી જુદા જુદા હસ્તપ્રતભંડારોમાં માત્ર ‘બૌધાયનસૂત્ર-વિવરણ’ના છૂટા છૂટા અંશો મળે છે. ‘નારદસ્મૃતિ’ ઉપરના એક ભાષ્યકાર પણ…

વધુ વાંચો >

ભવાઈ

ભવાઈ : જુઓ પરંપરાપ્રાપ્ત ભારતીય નાટ્યપ્રયોગો

વધુ વાંચો >

ભવાની મ્યુઝિયમ ઔંધ

ભવાની મ્યુઝિયમ, ઔંધ (સતારા) (સ્થાપના 1938) : પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન કેન્દ્રીય તથા પંદરમીથી વીસમી સદીનાં યુરોપીય ચિત્રોથી સમૃદ્ધ સંગ્રહસ્થાન. ઔંધ(સતારા)ના રાજા બાલા-સાહેબ પંત-પ્રતિનિધિએ તેની સ્થાપના કરીને વિકસાવેલું. તેમાં જયપુર, પંજાબ અને મુઘલ શૈલીનાં રાગ-રાગિણીઓનાં ચિત્રો, રાજપૂત શૈલીનાં 12 મહિનાનાં તથા કાંગરા શૈલીનાં અષ્ટનાયક ચિત્રો, હિમાલય શૈલીનાં સપ્તશતીનાં તેમજ ગઢવાલ…

વધુ વાંચો >

ભવિષ્યનિધિ ધારો, 1952

ભવિષ્યનિધિ ધારો, 1952 : નિવૃત્તિને કારણે નિયમિત આવકનો મુખ્ય સ્રોત બંધ થવાથી કર્મચારી કે કામદાર માટે જે આર્થિક વિમાસણ ઊભી થાય છે તેને પહોંચી વળવાના હેતુથી સામાજિક સુરક્ષાના ભાગ તરીકે કરવામાં આવતી વચગાળાની જોગવાઈને લગતો ધારો. વેતન મેળવનારાઓએ નિયત ઉંમરે નિવૃત્ત થવાનું હોય છે. નોકરીના સમય દરમિયાન એમને નિર્ધારિત આવક…

વધુ વાંચો >

ભાણદાસ

Jan 12, 2001

ભાણદાસ (સત્તરમી સદી) : અખાની પરંપરાના નોંધપાત્ર વેદાન્તી કવિ. મહામાયાની અનન્ય શક્તિના પ્રબળ આલેખક. ભીમના પુત્ર અને કૃષ્ણપુરીના આ શિષ્ય વિશેષ જાણીતા છે એમની ગરબીઓથી. ‘ગરબી’ સંજ્ઞા પ્રથમ વાર પ્રયોજાયેલી એમની કૃતિમાં મળે છે. ભાણદાસની સુખ્યાત ગરબી છે ‘ગગનમંડળની ગાગરડી’. એ રચના આરંભાય છે – ‘ગગનમંડળની ગાગરડી, ગુણ ગરબી રે…

વધુ વાંચો >

ભાણવડ

Jan 12, 2001

ભાણવડ : ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું નગર. સ્થાન-સીમા-વિસ્તાર : તે આશરે 21° 50´ થી 22° 70´ ઉ. અ. અને 69° 30´ થી 69° 50´ પૂ. રે. વચ્ચેનો 731.9 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે લાલપુર, પૂર્વ તરફ જામજોધપુર તાલુકા, દક્ષિણે પોરબંદર જિલ્લો,…

વધુ વાંચો >

ભાણસરાનાં મંદિરો

Jan 12, 2001

ભાણસરાનાં મંદિરો : પોરબંદર તાલુકાના ભાણસરા ગામમાં આવેલાં મૈત્રકકાલીન મંદિરોનો સમૂહ. આમાં મંદિર નં. 1, 4 અને 5 સ્થાપત્યની ર્દષ્ટિએ અગત્યનાં છે. પૂર્વાભિમુખ નં. 1 નીચી ઊભણી પર બાંધેલું છે.  મંદિરનું અધિષ્ઠાન વિવિધ થરો વડે અલંકૃત કરેલું છે. સાદી દીવાલો ધરાવતા આ મંદિરનું શિખર વિશિષ્ટ પ્રકારનું છે. ઉપરના ભાગે તે…

વધુ વાંચો >

ભાણસાહેબ

Jan 12, 2001

ભાણસાહેબ (જ. 13 ફેબ્રુઆરી 1698, વારાહી, જિ. પાટણ, ગુજરાત; અ. 1755, કમીજડા, જિ. અમરેલી, સૌરાષ્ટ્ર) : રામ-કબીર સંપ્રદાયના કવિ અને રવિ-ભાણ સંપ્રદાયના આદ્યસ્થાપક. લોહાણા પરિવારમાં જન્મ. કલ્યાણજી ભક્તના પુત્ર. માતાનું નામ અંબાબાઈ. માબાપે 4 પુત્રીઓ બાદ થયેલા આ પુત્રનું નામ ‘કાના’ રાખ્યું. માતા-પિતાના અવસાન બાદ 1725માં ભાનબાઈ સાથે લગ્ન કર્યું.…

વધુ વાંચો >

ભાતખંડે, વિષ્ણુ નારાયણ

Jan 12, 2001

ભાતખંડે, વિષ્ણુ નારાયણ (જ. 10 ઑગસ્ટ 1860, મુંબઈ; અ. 19 સપ્ટેમ્બર 1936, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત-શૈલીના વિખ્યાત શાસ્ત્રકાર અને પ્રવર્તક. તેમનો જન્મ એક મહારાષ્ટ્રીય કુટુંબમાં કૃષ્ણજન્માષ્ટમીને દિવસે થયો હતો. નાનપણથી જ તેમને સંગીતમાં રુચિ પેદા થઈ હતી, કારણ કે તેમનાં માતા-પિતાને શાસ્ત્રીય સંગીતમાં રસ હતો. 10–12 વર્ષના હતા…

વધુ વાંચો >

ભાદર

Jan 12, 2001

ભાદર :  સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી. તે રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાંથી પસાર થાય છે. તેની કુલ લંબાઈ 193.12 કિમી. જેટલી છે. જસદણથી ઉત્તરે આવેલા મદાવા ડુંગરમાંથી નીકળીને જેતપુર સુધી તે વેગીલા પ્રવાહ સાથે વહે છે. જેતપુરથી દક્ષિણે જમણી બાજુએથી તેને કરનાલ નદી મળે છે. જેતપુરથી કુતિયાણા સુધી તે પશ્ચિમ…

વધુ વાંચો >

ભાદુડી, શિશિરકુમાર

Jan 12, 2001

ભાદુડી, શિશિરકુમાર (જ. 1889; અ. 29 જૂન 1959, કૉલકાતા) : ભારતીય રંગભૂમિના મેધાવી બંગાળી અભિનેતા. શિક્ષિત પરિવારના ફરજંદ તરીકે એમને ઉચ્ચ ઉદારમતવાદી શિક્ષણની તક મળી. કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં અંગ્રેજી વિષય સાથે એમણે એમ.એ. કર્યું. એમના વિદ્યાગુરુઓમાં ભાષાવિજ્ઞાની સુનીતિકુમાર ચૅટરજી અને કલા-સમીક્ષક સુહરાવર્દી વગેરે હતા. 19 વર્ષની નાની વયે એમણે શેક્સપિયરના…

વધુ વાંચો >

ભાન, પુષ્કર

Jan 12, 2001

ભાન, પુષ્કર (જ. 1926 – ) : કાશ્મીરી લેખક. મધ્યમવર્ગીય કાશ્મીરી પંડિતના પુત્ર. પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની પરીક્ષા પસાર કરીને મુંબઈની મૉડર્ન મિલમાં હિસાબ વિભાગમાં જોડાયા. 1947માં જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે તે ભારતના સૈન્યના સાંસ્કૃતિક વિભાગમાં જોડાયા અને ભારતીય સૈન્યના સાંસ્કૃતિક જૂથમાં થતાં નાટકોમાં અભિનેતા તરીકે પંકાયા. 1951માં…

વધુ વાંચો >