૧૩.૧૧

બંધારણીય કાયદોથી બાબા ફરીદ

બંધારણીય કાયદો

બંધારણીય કાયદો : શાસનતંત્રનો ઢાંચો, તેની રચના, તેના સંબંધો અને સત્તાઓ તથા તેના અમલ અંગેના નિયમોનો સમુચ્ચય. બંધારણ એ એક એવું વૈધાનિક માળખું (mechanism) છે, જેની મદદથી કાયદાઓ બનાવવામાં આવે છે. બંધારણીય કાયદો એ કાનૂની નિયમોનો એક એવો સમુચ્ચય છે, જે અમુક નિશ્ચિત રાજકીય બિરાદરીની સરકારનો કાનૂની ઢાંચો, તેનું રચનાવિધાન,…

વધુ વાંચો >

બંસીલાલ

બંસીલાલ (જ. 26 ઑગસ્ટ 1927, ગોલાગઢ, ભિવાની, હરિયાણા) : ભારતના અગ્રણી રાજપુરુષ, કેન્દ્રના પૂર્વ પ્રધાન તથા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી. પિતા ચૌધરી મોહરસિંઘ, માતા વિદ્યાદેવી. તેઓ યુવાન વયથી જ સામાજિક કાર્યોનો શોખ ધરાવતા હતા. તેઓ આર્યસમાજની વિચારધારાથી પ્રભાવિત હતા. 1954માં બી. એ. થયા બાદ તેમણે જલંધરની લૉ કૉલેજમાંથી 1956માં એલએલ.બી.ની પરીક્ષા…

વધુ વાંચો >

બાઈ નારવેકર

બાઈ નારવેકર (જ. 21 નવેમ્બર 1905, અંકોલા, ગોવા; અ. ?) :  ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના આગ્રા ઘરાણાનાં જાણીતાં ગાયિકા. પિતાનું નામ સુબ્બરાવ. માતાનું નામ સુભદ્રાબાઈ, જેઓ પોતે પણ સારાં કલાકાર હતાં. વતની ગોવાનાં, પણ તેઓ મુંબઈમાં વસ્યાં હતાં. સંગીતની પ્રાથમિક તાલીમ તેમણે તેમની માતા પાસેથી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ મુંબઈના…

વધુ વાંચો >

બાઇબલ

બાઇબલ : ખ્રિસ્તીઓનો ધર્મગ્રંથ. પૂરું નામ ‘હોલી બાઇબલ’ એટલે કે પવિત્ર શાસ્ત્ર. ગ્રીક ભાષાના તેના મૂળ શબ્દનો અર્થ ‘પોથીસંગ્રહ’ એવો થાય છે. બાઇબલ કુલ 73 નાનામોટા ગ્રંથોનો સમૂહ છે. તેના બે મુખ્ય ગ્રંથો ‘જૂનો કરાર’ (Old Testament) અને ‘નવો કરાર’ (New Testament) છે. લખાણ અધ્યાય તથા કાવ્યપંકિતઓમાં છે. જૂનો કરાર…

વધુ વાંચો >

બાઇલસ્ટાઇન ફ્રેડરિખ કૉનરાડ

બાઇલસ્ટાઇન ફ્રેડરિખ કૉનરાડ (જ. 17 ફેબ્રુઆરી 1838, સેંટ પીટર્સબર્ગ; અ. 18 ઑક્ટોબર 1906, સેંટ પીટર્સબર્ગ) : કાર્બનિક રસાયણના જર્મન-રશિયન જ્ઞાનકોશકાર. જર્મનીમાં અનેક જાણીતા વૈજ્ઞાનિકોના હાથ નીચે કાર્બનિક રસાયણનો અભ્યાસ કર્યા બાદ બાઇલસ્ટાઇન ગોટિંજનમાં અધ્યાપક તથા ત્યારબાદ 1866માં ઇમ્પીરિયલ ટેક્નોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ, સેંટ પીટર્સબર્ગમાં રસાયણના પ્રાધ્યાપક તરીકે જોડાયા. બાઇલસ્ટાઇનનું પોતાનું સંશોધનકાર્ય ખૂબ…

વધુ વાંચો >

બાઇસિકલ

બાઇસિકલ : હલકા વજનનું, બે પૈડાં અને સ્ટિયરિંગવાળું, વ્યક્તિ વડે સમતુલાપૂર્વક ચલાવાતું યાંત્રિક વાહન. માનવશક્તિમાંથી પ્રણોદન (propulsion) ઉત્પન્ન કરવા માટેનું આ સૌથી વધુ કાર્યક્ષમ યંત્ર છે. બાઇસિકલ ઓગણીસમી સદીની શરૂઆતમાં બની. તે વખતમાં, સંચરણ (transportation) અને રમતગમતમાં તે અગત્યનું સ્થાન ભોગવતી હતી. ઘણા દેશોમાં સાઇકલ રસ્તા ઉપરનું અગત્યનું વાહન છે.…

વધુ વાંચો >

બાઈ હરિરની વાવ

બાઈ હરિરની વાવ : અમદાવાદમાં અસારવા વિસ્તારમાં આવેલી વાવ. અમદાવાદની વાવોમાં તે શિરમોર ગણાય છે. મહમૂદ બેગડા(1459–1511)ના સમયમાં બંધાયેલી આ વાવ સામાન્ય રીતે લોકોમાં ‘દાદા હરિની વાવ’ તરીકે ઓળખાય છે. મહમૂદ બેગડાના અંત:પુરની હરિર નામની બાઈએ તે બંધાવી હતી. લેખમાં વાવ બંધાવ્યાની તારીખ વિ. સં. 1556 પોષ સુદ 13 ને…

વધુ વાંચો >

બાઉડલર, ટૉમસ

બાઉડલર, ટૉમસ (જ. 1754, સમરસેટ, ઇંગ્લૅન્ડ; અ. 1825) : વિદ્વાન સાહિત્ય-રસિક અંગ્રેજ તબીબ. તેમણે કારકિર્દીનો આરંભ કર્યો તબીબ તરીકે, પણ તેમાંથી નિવૃત્ત થઈ, સાહિત્યિક કામગીરી પાછળ સંપૂર્ણ સમય અને ધ્યાન આપવા માટે ‘આઇલ ઑવ્ રાઇટ’માં જઈને વસ્યા. 10 ગ્રંથો રૂપે પ્રગટ થયેલ ‘ધ ફૅમિલી શેક્સપિયર’ (1818) દ્વારા તેમણે અપાર નામના…

વધુ વાંચો >

બાઉન્ટી ટાપુઓ

બાઉન્ટી ટાપુઓ : દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ન્યૂઝીલૅન્ડના દક્ષિણ ટાપુથી અગ્નિકોણ તરફ 668 કિમી.ને અંતરે આવેલા 13 ટાપુઓનો સમૂહ. ભૌગોલક સ્થાન : 47° 41´ દ. અ. અને 179° 03´ પૂ. રે. ટાપુઓનો કુલ વિસ્તાર માત્ર 0.6 ચોકિમી. જેટલો જ છે. ટાપુઓનું ભૂપૃષ્ઠ પ્રપાતી ઢોળાવોવાળું, અસમતળ છે. બધા જ ટાપુઓ ઉજ્જડ તથા…

વધુ વાંચો >

બાઉન્સર

બાઉન્સર : ક્રિકેટમાં ગોલંદાજ દ્વારા નાખવામાં આવતો ટૂંકી પિચવાળો દડો, જે પિચ પર ટપ્પો પડીને બૅટ્સમૅનની છાતી, ખભા કે માથા સુધી ખૂબ વેગથી ઊછળતો હોય. ‘બાઉન્સર’ શબ્દ ક્રિકેટની રમત સાથે સંબંધ ધરાવે છે. બાઉન્સર એટલે કોઈ પદાર્થ(બૉલ)નું કોઈ પણ કઠણ પદાર્થ (પિચ) સામે અથડાઈને પાછું ઊછળવું. બાઉન્સરનો ઉપયોગ બૅટ્સમૅનને ડરાવવા…

વધુ વાંચો >

બાપટ, વસંત

Jan 11, 2000

બાપટ, વસંત (જ. 25 જુલાઈ 1922, કરાડ, જિ. સાતારા) : મરાઠી કવિ. પુણેની સર પરશુરામભાઉ (એસ.પી.) કૉલેજમાંથી 1948માં એમ.એ. થયા. ત્યારબાદ પુણેની નૅશનલ કૉલેજ તથા રામનારાયણ રૂઇયા કૉલેજ(મુંબઈ)માં મરાઠી તથા સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે 1948–74 અને 1974થી મુંબઈ યુનિવર્સિટીમાં તુલનાત્મક સાહિત્યની રવીન્દ્રનાથ ઠાકુરની ચૅર પર પ્રોફેસર તરીકે નિયુક્ત થયા. નાનપણથી રાષ્ટ્રીય…

વધુ વાંચો >

બાપટ, સેનાપતિ

Jan 11, 2000

બાપટ, સેનાપતિ (જ. 12 નવેમ્બર 1880, પારનેર, મહારાષ્ટ્ર; અ. 27 નવેમ્બર 1967, પુણે) : ભારતના અગ્રણી ક્રાંતિકારી, સ્વાતંત્ર્યસેનાની તથા સાહિત્યકાર. આખું નામ પાંડુરંગ મહાદેવ બાપટ. મૂળ વતન ગુહાગર, જિલ્લો રત્નાગિરિ. કોંકણ-વિસ્તારમાંથી સ્થળાંતર કરી પશ્ચિમ મહારાષ્ટ્રમાં વસેલાં કુટુંબોમાં બાપટના વડવાઓ પણ હતા. પિતા સબરજિસ્ટ્રારની કચેરીમાં કારકુન હતા. નિમ્ન મધ્યમ વર્ગમાં જન્મેલા…

વધુ વાંચો >

બાપા રાવળ (બપ્પા રાવલ)

Jan 11, 2000

બાપા રાવળ (બપ્પા રાવલ) (ઈ. સ.ની આઠમી સદી) :  મેવાડના ગોહિલ વંશના રાજા. મેવાડના ગોહિલ વંશના તેઓ સ્થાપક હતા એમ માનવામાં આવે છે. 13મી સદીના વૃત્તાંતો મુજબ બપ્પાએ આનંદપુર-(ગુજરાતનું વડનગર)થી આવીને ગુરુ હારિતરાસીની કૃપાથી ચિતોડનું રાજ્ય મેળવ્યું અને રાવલનું બિરુદ પામ્યા. ગોહિલ વંશના રાજા કાલભોજ તે બપ્પ હતા એમ કેટલાક…

વધુ વાંચો >

બાપોદરા, વિઠ્ઠલદાસ વલ્લભદાસ

Jan 11, 2000

બાપોદરા, વિઠ્ઠલદાસ વલ્લભદાસ (જ. 8 ઑગસ્ટ 1924, પોરબંદર) : ગુજરાતના ખ્યાતનામ હવેલી-સંગીતકાર. હવેલી-સંગીતનો વારસો તેમને વંશપરંપરાગત રીતે મળ્યો છે. તેમના દાદા પરસોતમદાસ તથા પિતા વલ્લભદાસ બંને હવેલી-સંગીતના નિપુણ સંગીતકારો હતા. તેમણે સંગીતશિક્ષણ ભારતના પ્રખ્યાત હાર્મોનિયમ-વાદક સદગત ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજ પાસેથી અને હવેલી-સંગીતની તાલીમ તેમના પિતા વલ્લભદાસ પાસેથી ખૂબ જ નાની…

વધુ વાંચો >

બાપ્ટિસ્ટ્રી

Jan 11, 2000

બાપ્ટિસ્ટ્રી : ખ્રિસ્તી ધર્મદીક્ષાના સંસ્કારો (બાપ્ટિઝમ) આપવાની વિધિ માટે વપરાતું મકાન. ઘણી વાર આ મકાન ચર્ચનો અંતર્ગત ભાગ હોય છે. ધર્મના જે પંથોમાં આખા શરીરને પાણીમાં બોળીને  દીક્ષા આપવી જરૂરી હોય છે તે પંથોના ચર્ચમાં નેવને ટ્રાન્સેપ્ટ્સ જ્યાં છેદે ત્યાંથી શરૂ કરીને પૂર્વમાં વેદિ (alter) સુધીના ભૂતળ (chancel floor) નીચે…

વધુ વાંચો >

બાપ્તિસ્મા

Jan 11, 2000

બાપ્તિસ્મા : ખ્રિસ્તી ધર્મમાં પ્રવેશવા માટેનો સ્નાનવિધિ. ‘બાપ્તિસ્મા’ શબ્દ મૂળ ગ્રીકમાંથી આવેલ છે અને ગ્રીકમાં એનો અર્થ ‘સ્નાન’ થાય છે. તેથી બાપ્તિસ્મા એટલે ‘સ્નાનસંસ્કાર’. આ સંસ્કાર સ્વીકાર્યાથી ભક્ત ખ્રિસ્તી ધર્મસંઘમાં પ્રવેશ પામે છે. ખ્રિસ્તી ધર્મસંઘમાં કુલ 7 સંસ્કારો છે, તેમાંનો સૌથી પહેલો તે સ્નાનસંસ્કાર. આ સંસ્કાર સ્વીકાર્યા પછી જ ખ્રિસ્તી…

વધુ વાંચો >

બાબર

Jan 11, 2000

બાબર (જ. 14 ફેબ્રુઆરી 1483, અંદિજાન, ફરઘાના, મધ્ય એશિયા; અ. 26 ડિસેમ્બર 1530, આગ્રા) : ભારતમાં મુઘલ વંશનો સ્થાપક. તેનું મૂળ આરબ નામ ઝહીરુદ્દીન મુહંમદ હતું. તેના પિતા ઉમરશેખ મીર્ઝા તિમૂરલંગના ચોથા વંશજ અને ફરઘાનાના શાસક હતા. તેની માતા ચંગીઝખાંની તેરમી વંશજ હતી. બાબર અર્થાત્ સિંહનું ઉપનામ તેને તેના નાના…

વધુ વાંચો >

બાબરનામા

Jan 11, 2000

બાબરનામા (સોળમી સદીનો પ્રથમ પાદ) : મુઘલ શહેનશાહ બાબરની આત્મકથા. તે ‘તુઝુકે-બાબરી’ નામે પ્રસિદ્ધ છે. પૂર્વના દેશોની આત્મકથાઓમાં આ ગ્રંથનું સ્થાન મહત્વનું છે. આ ગ્રંથ બાબરે તુર્કી ભાષામાં લખ્યો હતો. 1590માં મીર્ઝા અબ્દુર્ રહીમખાનખાનાએ અકબરના સૂચનથી તેનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. ત્યારબાદ ઓગણીસમી સદીમાં તેના અંગ્રેજી, ફ્રેન્ચ, હિન્દી વગેરે ભાષાઓમાં…

વધુ વાંચો >

બાબરેર પ્રાર્થના

Jan 11, 2000

બાબરેર પ્રાર્થના (1976) : બંગાળના ખ્યાતનામ કવિ અને વિવેચક શંખો ઘોષની જાણીતી કૃતિ. સામાજિક સંઘર્ષ વિશે અનુત્કટ છતાં સક્રિય સહભાગિતા, ભરપૂર કલ્પનાસૃષ્ટિ તેમજ રચના અને ટેક્નિકની પૂરેપૂરી જાણકારી સાથે રોજિંદી ભાષાના ઉપયોગ માટે તેને બંગાળી સાહિત્યમાંનું એક ઉત્કૃષ્ટ પ્રદાન ગણવામાં આવે છે. ‘બાબરેર પ્રાર્થના’માં 47 કાવ્યોને ત્રણ વિભાગ – ‘મણિકર્ણિકા’…

વધુ વાંચો >

બાબાણી, કીરત ચોઇથરામ

Jan 11, 2000

બાબાણી, કીરત ચોઇથરામ [જ. 3 જાન્યુઆરી 1956, મોરોબાખો, જિ. નવાબશાહ, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : સિંધી સાહિત્યકાર. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., એલએલ.બી.ની ડિગ્રી અને એસ.ટી.સી.નો ડિપ્લોમા પ્રાપ્ત કર્યાં હતાં. તેમને તેમની કૃતિ ‘ધર્તી-અ-જો સડુ’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો. તેઓ અખિલ ભારત સિંધી બોલી ઐં સાહિત્ય સભાના…

વધુ વાંચો >