ખંડ ૧૨

પ્યાર જી પ્યાસથી ફલ્યુરોમયતા

પ્રાકૃતકથાસંગ્રહ (14મી સદી)

પ્રાકૃતકથાસંગ્રહ (14મી સદી) : પ્રાકૃત કથાઓનો સંગ્રહ. પદ્મચંદ્રસૂરિના અજ્ઞાત શિષ્યે ‘વિક્કમસેણચરિય’ નામના પ્રાકૃત કથાગ્રંથની રચના કરી હતી. આની 14 કથાઓમાંથી 12 કથાઓ ‘પ્રાકૃતકથાસંગ્રહ’માં આપવામાં આવી છે. ગ્રંથકર્તાની અને સમયની બાબતમાં આનાથી વધારે કોઈ બીજી માહિતી  મળતી નથી. ‘પ્રાકૃતકથાસંગ્રહ’ની એક પ્રત સંવત 1398(ઈ. સ. 1342)માં લખાઈ હતી, જેનાથી અનુમાન થઈ શકે…

વધુ વાંચો >

પ્રાકૃત કલ્પતરુ (17મી સદી)

પ્રાકૃત કલ્પતરુ (17મી સદી) : પ્રાકૃત ભાષા-વિભાષાઓનો વ્યાકરણગ્રંથ. ‘પ્રાકૃત કલ્પતરુ’ની રચના રામશર્મા તર્કવાગીશ ભટ્ટાચાર્યે કરી હતી. તેમનો સમય સત્તરમી શતાબ્દી મનાય છે. ‘પ્રાકૃત કલ્પતરુ’ની સ્વોપજ્ઞવૃત્તિ મળે છે. ‘પ્રાકૃત કલ્પતરુ’ ત્રણ શાખામાં વિભાજિત છે : પ્રથમ શાખામાં મહારાષ્ટ્રી પ્રાકૃતનાં લક્ષણો નવ સ્તબકમાં આપવામાં આવ્યાં છે, જેમાં અજ્, હલ્, દ્વિત્વ, સન્ધિ, સુબન્ત,…

વધુ વાંચો >

પ્રાકૃતકામધેનુ

પ્રાકૃતકામધેનુ : પ્રાકૃત ભાષાનો વ્યાકરણગ્રંથ. ‘પ્રાકૃતકામધેનુ’ના કર્તા લંકેશ્વર રાવણ છે. તેમના સમય વિષે અથવા કૃતિ વિષે વિશેષ માહિતી મળતી નથી. હાલ મળતા ‘પ્રાકૃતકામધેનુ’માં ચોત્રીસ સૂત્ર મળે છે. પ્રારંભમાં મંગલાચરણ કરીને કર્તા જણાવે છે કે ‘મેં પહેલાં વિસ્તૃત રીતે કહ્યું છે. હવે બાલબોધ માટે સંક્ષેપમાં કહું છું.’ ઉપલબ્ધ ચોત્રીસ સૂત્રોમાંથી કેટલાંક…

વધુ વાંચો >

પ્રાકૃતપ્રકાશ

પ્રાકૃતપ્રકાશ : વરરુચિએ ઈ. પૂ. 1લી સદીમાં રચેલો પ્રાકૃત ભાષાઓનો વ્યાકરણગ્રંથ. આ ગ્રંથમાં 487 સૂત્રો બાર પરિચ્છેદોમાં વિષય મુજબ વહેંચાયેલાં છે. પ્રથમ પરિચ્છેદમાં 44, બીજામાં 47, ત્રીજામાં 66, ચોથામાં 33, પાંચમામાં 47, છઠ્ઠામાં 64, સાતમામાં 34, આઠમામાં 71, નવમામાં 18, દસમામાં 14, અગિયારમામાં 17 અને બારમામાં 32 સૂત્રો આપવામાં આવ્યાં…

વધુ વાંચો >

પ્રાકૃત ભાષા અને સાહિત્ય

પ્રાકૃત ભાષા અને સાહિત્ય ‘પ્રાકૃત’ શબ્દ ‘પ્રકૃતિ’ શબ્દમાંથી બનેલો છે અને એ ર્દષ્ટિએ ‘પ્રાકૃત’ ભાષા એટલે પ્રકૃતિ(જનતા)ની ભાષા. એટલે કે જનભાષા અથવા લોકભાષા કહી શકાય. ભારતમાં પ્રચલિત ભાષાઓનાં મુખ્યત્વે બે કુળ છે : (1) ભારતીય આર્ય કુળ, એટલે ઉત્તર ભારતની ભાષાઓ, જેનો સંબંધ ભારતીય–ઈરાન  (Indo-Iranian) અને ભારોપીય (Indo-European) નામના પરિવાર…

વધુ વાંચો >

પ્રાકૃતમણિદીપ

પ્રાકૃતમણિદીપ : સંસ્કૃતમાં લખાયેલો પ્રાકૃત વ્યાકરણનો ગ્રંથ. બીજું નામ ‘પ્રાકૃતમણિદીપિકા’. લેખક સુપ્રસિદ્ધ શૈવ વેદાન્તી અપ્પય્ય દીક્ષિત (1553–1636). સંપાદક : ટી.ટી. શ્રીનિવાસ ગોપાલાચાર્ય. પ્રકાશક : મૈસૂર વિશ્વવિદ્યાલયનું ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, 1953. પુષ્પવનનાથ, વરરુચિ અને અપ્પય્ય દીક્ષિતના ‘વાર્તિકાર્ણવભાષ્ય’ વગેરેમાં ઘણો વિસ્તાર થયો હોવાથી સંક્ષેપમાં રુચિ ધરાવનારા માટે આ નાનકડી ‘મણિદીપિકા’ લખી છે.…

વધુ વાંચો >

પ્રાકૃતરૂપાવતાર

પ્રાકૃતરૂપાવતાર : પ્રાકૃત ભાષાનો વ્યાકરણગ્રંથ. અજૈન સમુદ્ર-બન્ધયજ્વનના પુત્ર સિંહરાજે પંદરમા સૈકાના પૂર્વાર્ધમાં રચેલું પ્રાકૃત વ્યાકરણ. ઈ. હુલ્ત્શ વડે સંપાદિત આવૃત્તિ લંડનની રૉયલ એશિયાટિક સોસાયટી દ્વારા પ્રકાશિત, 1909. વૈયાકરણ વાલ્મીકિનાં મૂળ સૂત્રો ઉપરની ત્રિવિક્રમદેવની વૃત્તિ આનો મૂળ આધાર છે. આ લેખક ‘કૌમાર’ અર્થાત્ ‘કાતન્ત્ર’ અને પાણિનીય વ્યાકરણોનો ઉલ્લેખ કરે છે, પણ…

વધુ વાંચો >

પ્રાકૃતલક્ષણ

પ્રાકૃતલક્ષણ : પ્રાકૃત ભાષાનો વ્યાકરણગ્રંથ. ‘પ્રાકૃતલક્ષણ’ના કર્તા ચંડ છે. તેમના સમય વિશે કોઈ નિશ્ચિત માહિતી મળતી નથી. ‘પ્રાકૃતલક્ષણ’એ સંક્ષિપ્ત રચના છે, ક્યારેક અપૂર્ણ હોય તેમ પણ લાગે છે. અહીં જે સામાન્ય પ્રાકૃત ભાષાના નિયમો આપવામાં આવ્યા છે તે પ્રાચીન પ્રાકૃત ભાષાના હોય તેમ લાગે છે. અહીં મધ્યવર્તી અલ્પપ્રાણ વ્યંજનોનો લોપ…

વધુ વાંચો >

પ્રાકૃત વ્યાકરણો

પ્રાકૃત વ્યાકરણો : પ્રાકૃત ભાષા વિશે લખાયેલા વ્યાકરણ-ગ્રંથો. પ્રાકૃત ભાષાના વ્યાકરણને વ્યવસ્થિત રૂપ બહુ પાછળથી મળ્યું છે. પાણિનિ, કાત્યાયન અને પતંજલિ જેવા વૈયાકરણો પ્રાકૃતમાં થયા નથી. પ્રાકૃત વૈયાકરણોની બે પરંપરાઓ રહી છે : પૂર્વી અને પશ્ચિમી. પ્રાકૃતપ્રકાશ : પશ્ચિમી પ્રાકૃત વ્યાકરણોમાં વરરુચિ(ઈ. સ. છઠ્ઠી શતાબ્દી)નું ‘પ્રાકૃતપ્રકાશ’ સૌથી પ્રાચીન, વ્યવસ્થિત અને…

વધુ વાંચો >

પ્રાકૃત શિલાલેખીય સાહિત્ય

પ્રાકૃત શિલાલેખીય સાહિત્ય : શિલાલેખોમાં અભિલેખ રૂપે પ્રાકૃત ભાષામાં થયેલી રચનાઓ. આવા શિલાલેખો મુખ્યત્વે નીચે મુજબ છે. (1) હાથીગુફાનો શિલાલેખ : પ્રાકૃત શિલાલેખોમાં રાજા ખારવેલનો હાથીગુફાનો શિલાલેખ ખૂબ પ્રાચીન છે. ઈ. પૂ. પ્રથમ શતાબ્દીના અંતભાગમાં બ્રાહ્મી લિપિમાં ભુવનેશ્વર(જિ. પુરી)ની પાસે ઉદયગિરિ નામની ટેકરીમાં તે કોતરવામાં આવેલો છે. એમાં ખારવેલના રાજ્યનાં…

વધુ વાંચો >

પ્યાર જી પ્યાસ (1972)

Feb 1, 1999

પ્યાર જી પ્યાસ (1972) : જાણીતા સિંધી નવલકથાકાર ને રંગભૂમિના ઉપાસક ગોવિંદ માલ્હીકૃત સિંધી નવલકથા. તેને સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો એવૉર્ડ મળ્યો હતો. આ ‘પ્યાર જી પ્યાસ’ નવલકથાની નાયિકા, સાચકલા પ્રેમની પ્રાપ્તિની ઝંખનામાં વિભિન્ન પુરુષોના સંપર્કમાં આવે છે. તેની વાસનાની તૃપ્તિ થાય છે, પરંતુ તેની પ્રેમતૃષા તો અતૃપ્ત જ રહી…

વધુ વાંચો >

પ્યારેસાહેબ

Feb 1, 1999

પ્યારેસાહેબ : અવધના બાદશાહ વાજિદઅલી શાહના એક વંશજ. એમની ગણના આ સદીની શરૂઆતના મહાન ગાયકો – મૌજુદીનખાં, ગૌહરજાન, જાનકીબાઈ વગેરે ઉપશાસ્ત્રીય સંગીતનાં ખ્યાતનામ ગાયકોમાં થતી હતી. બંગાળ પ્રાંતની એક રિયાસતના રાજા યતીન્દ્રમોહન ટાગોરનો આશ્રય તેમણે સ્વીકાર્યો હતો, જેને પરિણામે ભારતના અગ્રણી સંગીતકારો પાસેથી સંગીતની તાલીમ પ્રાપ્ત કરવાની તક તેમને મળી…

વધુ વાંચો >

પ્યાસા (1957)

Feb 1, 1999

પ્યાસા (1957) : હિંદી ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ સર્જન. નિર્માણવર્ષ : 1957; નિર્માણસંસ્થા : ગુરુદત્ત ફિલ્મ્સ; સંવાદ : અબરાર અલવી; ગીતકાર : સાહિર લુધિયાનવી; દિગ્દર્શન : ગુરુદત્ત; છબીકલા : વી. કે. મૂર્તિ; સંગીત : એસ. ડી. બર્મન; મુખ્ય ભૂમિકા : ગુરુદત્ત, વહીદા રહેમાન, માલા સિંહા, જૉની વૉકર, રહેમાન, કુમકુમ, લીલા મિશ્ર,…

વધુ વાંચો >

પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146)

Feb 1, 1999

પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146) : પ્રાચીન સમયમાં રોમ અને કાર્થેજ વચ્ચે લડાયેલા વિગ્રહો. ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં રોમન સત્તાનો ફેલાવો કરવા રોમ અને કાર્થેજ વચ્ચે ત્રણ યુદ્ધો થયાં, તે ‘પ્યુનિક વિગ્રહો’ તરીકે જાણીતાં છે. તે ત્રણેય વિગ્રહોમાં રોમનો વિજય થયો હતો. ફિનિશિયનોએ કાર્થેજ વસાવ્યું હતું. લૅટિન ભાષામાં ફિનિશિયનો માટે ‘પ્યુનિક’…

વધુ વાંચો >

પ્યુનીકા

Feb 1, 1999

પ્યુનીકા : જુઓ દાડમ

વધુ વાંચો >

પ્યુમીસ (pumice)

Feb 1, 1999

પ્યુમીસ (pumice) : આછા રાખોડી-શ્વેત રંગનો, જ્વાળામુખીજન્ય, વિશેષ સિલિકાધારક લાવાના ફીણમાંથી બનેલો, વધુ પડતો કોષમય કુદરતી કાચ. ખનિજીય બંધારણની ર્દષ્ટિએ સામાન્ય રીતે તે રહાયોલાઇટને સમકક્ષ, પરંતુ અસંખ્ય કોટરોથી ભરપૂર હોય છે. સંજોગભેદે તે ગઠ્ઠાઓ કે કણિકાને સ્વરૂપે પણ જમાવટ પામતો હોય છે, ક્વચિત્ તે ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના સૂક્ષ્મ સ્ફટિકો ધરાવતો…

વધુ વાંચો >

પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852)

Feb 1, 1999

પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852) : ગૉથિક સ્થાપત્યના હિમાયતી આંગ્લ સ્થપતિ. ઓગણીસમી સદીમાં ખ્રિસ્તી સ્થાપત્યમાંથી તેમણે પ્રશિષ્ટ શૈલીના ગૉથિક સ્થાપત્યને પ્રચલિત કર્યું અને દેવળોના ભવનની યથાર્થ અભિવ્યક્તિ રૂપે તેને રજૂ કર્યું. બ્રિટનના રાષ્ટ્રીય સ્મારકરૂપ ધ ન્યૂ પૅલિસ ઑવ્ વેસ્ટમિન્સ્ટર અથવા હાઉસ ઑવ્ પાર્લમેન્ટ(1836–68)ની સ્થાપત્યરચનામાં સર ચાર્લ્સ બેરીકૃત…

વધુ વાંચો >

પ્યોંગયાંગ (Pyongyang)

Feb 1, 1999

પ્યોંગયાંગ (Pyongyang) : એશિયા ખંડની પૂર્વમાં આવેલા ઉત્તર કોરિયા દેશનું પાટનગર. તે 39° 01´ ઉ. અ. અને 125° 45´ પૂ. રે. પર દેશના વાયવ્ય ભાગમાં ગીચ વસ્તીવાળા પ્રદેશમાં આવેલું છે. દેશની પશ્ચિમે આવેલા પીળા સમુદ્રના ભાગરૂપ પશ્ચિમ કોરિયા ઉપસાગરના કિનારાથી તે આશરે 48 કિમી.ને અંતરે અંદરના ભૂમિભાગમાં વસેલું છે. તે…

વધુ વાંચો >

પ્રકટીકરણ (development)

Feb 1, 1999

પ્રકટીકરણ (development) : અર્દશ્ય વસ્તુને પ્રકટ કરીને ર્દશ્યમાન કરવું તે. છબીકલાની દુનિયામાં ફિલ્મ કે કાગળ પર ચિત્ર દેખાય તેમ તેના પર ડાર્કરૂમમાં કરવામાં આવતી રાસાયણિક પ્રક્રિયા માટે પ્રયોજાતા ‘ડેવલપમેન્ટ’નો આ પર્યાય છે. તસવીર ઝડપતી વખતે કૅમેરાની અંદર, પ્રકાશર્દશ્ય ચિત્ર માટેની પૉઝિટિવ ફિલ્મ સિવાયની ફિલ્મ પર અંકિત થયેલ પ્રતિમા પ્રચ્છન્ન અને…

વધુ વાંચો >

પ્રકલ્પ-આયોજન (project planning)

Feb 1, 1999

પ્રકલ્પ-આયોજન (project planning) : પ્રયોજના માટેના જુદા જુદા વિકલ્પોને ધ્યાનમાં લઈ ફક્ત એક વિકલ્પને આખરી સ્વરૂપ આપવા માટે પદ્ધતિસરનું વિશ્લેષણ કરી સમયબદ્ધ અમલ કરવાની પદ્ધતિ. આયોજનના ત્રણ ઘટકો  છે : (1) યોજનાનો હેતુ, (2) તે માટે જુદા જુદા વિકલ્પોનું વિશ્લેષણ, (3) કોઈ એક વિકલ્પને પસંદ કરી સમયબદ્ધ કરવો. આયોજન-પ્રક્રિયામાં સાધનસામગ્રી,…

વધુ વાંચો >