૧૨.૦૮

પ્રતિલોહચુંબકત્વથી પ્રદર્શનવૃત્તિ

પ્રતિહારો (જૈન મૂર્તિવિધાન)

પ્રતિહારો (જૈન મૂર્તિવિધાન) : હિંદુ મંદિરોની જેમ જિનમંદિરોમાં મુકાતાં મોટે ભાગે પૂરા કદનાં દ્વારપાળનાં મૂર્તિશિલ્પો. આ શિલ્પો શાસ્ત્રના નિયમ પ્રમાણે કંડારાયેલાં છે. રૂપમંડન અને રૂપાવતાર જેવા શિલ્પગ્રંથો આ દ્વારપાળોનાં આયુધો, ઉપકરણો, અભિધાનો વગેરે શાસ્ત્રીય રીતે કંડારવાનો આગ્રહ રાખે છે. દરેક પ્રતિહાર ચતુર્ભુજ હોય છે તેમનું મૂર્તિવિધાન કોષ્ટકમાં આ પ્રમાણે નિર્દેશી…

વધુ વાંચો >

પ્રતીક

પ્રતીક : સાહિત્યિક પરિભાષાની એક સંજ્ઞા. સાહિત્યના સંદર્ભમાં પ્રતીકના મુખ્ય બે અર્થ થાય છે : સાહિત્યિક પ્રક્રિયા તરીકેનો અને સાહિત્યિક મૂલ્ય તરીકેનો. ભાષાનો પ્રત્યેક શબ્દ પ્રતીક બની શકે, સાહિત્ય પોતે પણ પ્રતીક બની શકે. સાહિત્યના સંદર્ભમાં પ્રતીક એટલે સંબંધ સ્થાપવાની, વક્તવ્યની, અભિવ્યક્તિની વિશિષ્ટ રીત. સાહિત્યમાં કોઈ પણ શબ્દ ત્રણ રૂપે…

વધુ વાંચો >

પ્રતીકવાદ

પ્રતીકવાદ : ઓગણીસમી સદીના અંતિમ બે દાયકામાં વિકસેલી સાહિત્યજગતની પ્રતીકકેન્દ્રી સર્જનની વિચારધારા. વીસમી સદીના વિશ્વસાહિત્ય માટે તે પ્રભાવક પુરવાર થઈ છે. આધુનિક કવિતાના સર્જન પાછળ અસ્તિત્વવાદ કે અસંગતવાદની ફિલસૂફી કે સમય વિશેની બર્ગસોનિયન વિચારધારા અવશ્ય પ્રભાવક હતી, પણ સૌથી વધુ પ્રભાવ પડ્યો પ્રતીકવાદનો. સત્તરમી-અઢારમી સદીના ભૌતિકતાવાદ અને નવપ્રશિષ્ટવાદનું દર્શન હતું…

વધુ વાંચો >

પ્રતીત્યસમુત્પાદ

પ્રતીત્યસમુત્પાદ : જગતના કારણરૂપ અનાદિ ભવચક્રનો સિદ્ધાંત. બૌદ્ધદર્શનનો આ પાયાનો સિદ્ધાંત એ દર્શનના બધા સંપ્રદાયોના પાયામાં રહેલો છે. જગત-કારણની બાબતમાં અન્ય ભારતીય દર્શનો સત્કાર્યવાદ, અસત્કાર્યવાદ, યદૃચ્છાવાદ (ચાર્વાક્) તેમજ વિવર્તવાદ કે માયાવાદને માને છે. બુદ્ધ કોઈ પ્રકૃત્તિ, પુરુષ, માયા કે ઈશ્વરને જગતના કારણરૂપ નહિ માનતા આ ભવચક્રને અનાદિ બતાવ્યું છે. આ…

વધુ વાંચો >

પ્રતીપ-સંકરણ (back cross અથવા test cross)

પ્રતીપ-સંકરણ (back cross અથવા test cross) : પ્રથમ સંતાનીય (filial = F1) પેઢીનું બે પિતૃઓ પૈકીમાંના એક પિતૃ સાથેનું સંકરણ. F1 સંતતિનું પ્રભાવી (dominant) પિતૃ સાથે સંકરણ કરવામાં આવે ત્યારે બધી જ F2 સંતતિ પ્રભાવી લક્ષણનો વિકાસ કરે છે; પરંતુ F1 સંતતિનું પ્રચ્છન્ન (recessive) પિતૃ સાથે સંકરણ કરાવતાં F2 પેઢીમાં…

વધુ વાંચો >

પ્રતીહારેન્દુરાજ

પ્રતીહારેન્દુરાજ : ઈ. સ. 900ના અરસામાં થયેલા સંસ્કૃત આલંકારિક, કોંકણના વતની. મુકુલભટ્ટના શિષ્ય અને આલંકારિક ઉદભટના ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ પર ‘લઘુવૃત્તિ’ નામે ટીકાના રચયિતા. એમાં એમણે ભામહ, દંડી, વામન, રુદ્રટ અને ‘ધ્વન્યાલોક’માંથી ઉદ્ધરણો આપ્યાં છે. આનંદવર્ધનના ધ્વનિસિદ્ધાંતથી તેઓ સારી પેઠે પરિચિત હતા; આમ છતાં તેના તેઓ અનુયાયી ન હતા. આનંદવર્ધનના ટીકાકાર અભિનવગુપ્ત…

વધુ વાંચો >

પ્રત્યક્ષીકરણ (perception)

પ્રત્યક્ષીકરણ (perception) : વિવિધ પદાર્થોને જાણવાની – પર્યાવરણથી માહિતગાર થવાની પ્રક્રિયા. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા જેવાં જ્ઞાનેન્દ્રિયોરૂપી દ્વારમાં થઈને પર્યાવરણમાંના ઉદ્દીપકો મગજમાં પહોંચે છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા કોઈ પણ પદાર્થના પ્રાથમિક જ્ઞાનને સંવેદન (sensation) કહે છે. વાસ્તવમાં, સંવેદનનો અલગ અનુભવ થતો નથી; પરંતુ તે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાનો જ અંતર્ગત…

વધુ વાંચો >

પ્રત્યભિજ્ઞા (recognition)

પ્રત્યભિજ્ઞા (recognition) : કોઈ વસ્તુને પૂર્વપરિચિતતાની લાગણી દ્વારા જોવી તે. અંગ્રેજી શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે પ્રત્યભિજ્ઞા એટલે રેકૉગ્નિશન એટલે કે (જેને પૂર્વે અનુભવ્યું છે તેને) ફરીથી જાણવું. પ્રત્યભિજ્ઞા એટલે જે તે વસ્તુને પરિચિતતાની લાગણી સાથે, ‘તે પહેલાં જોયેલી છે’ એવી પ્રતીતિ સાથે, જોવી. વર્તમાનમાં રજૂ થયેલ ઉદ્દીપક અંગે ‘આ તો ભૂતકાળમાં…

વધુ વાંચો >

પ્રત્યભિજ્ઞાદર્શન (ઈ. સ. 1000થી)

પ્રત્યભિજ્ઞાદર્શન (ઈ. સ. 1000થી) : કાશ્મીરમાં જાણીતો શૈવદર્શનનો સૌથી મહત્વનો અને અંતિમ વિભાગ. કાશ્મીરમાં પ્રચલિત શૈવદર્શનના ત્રણ વિભાગો છે : (1) આગમશાસ્ત્ર, (2) સ્પન્દશાસ્ત્ર અને (3) પ્રત્યભિજ્ઞાશાસ્ત્ર. શૈવદર્શનના પ્રથમ વિભાગ આગમશાસ્ત્રમાં શૈવદર્શનની અનુશ્રુતિ રજૂ થઈ છે; બીજા વિભાગ સ્પન્દશાસ્ત્રમાં શૈવદર્શનના સિદ્ધાન્તોને વિસ્તારથી રજૂ કરવામાં આવ્યા છે; જ્યારે ત્રીજો અને અંતિમ…

વધુ વાંચો >

પ્રત્યર્પણ (extradition)

પ્રત્યર્પણ (extradition) : કોઈ આરોપી કે ગુનેગાર એક દેશમાંથી છટકીને બીજા દેશમાં નાસી ગયો હોય તો તેને પકડીને પરત કરવાની પ્રક્રિયા. આમાં જે દેશના કાયદા મુજબ ગુનો થતો હોય તે દેશ, જે દેશમાં ગુનેગાર રહેતો હોય તે દેશ પાસે, તે આરોપી કે ગુનેગારની પોતાના દેશના કાયદા મુજબ અદાલતી કાર્યવહી ચલાવવા…

વધુ વાંચો >

પ્રતિલોહચુંબકત્વ (antiferromagnetism)

Feb 8, 1999

પ્રતિલોહચુંબકત્વ (antiferromagnetism) : ઓછી પણ ધન ચુંબકીય સુગ્રાહિતા (susceptibility) ધરાવતા દ્રવ્યનો તાપમાન-આધારિત ગુણધર્મ. લેટિસ(કણોની નિયમિત ગોઠવણી)માં પરમાણુઓ પ્રચક્રણ (spin) કરતા હોય છે. પાડોશી પરમાણુઓનું પ્રચક્રણ સમાંતર કે પ્રતિસમાંતર રેખાંકન (parallel કે antiparallel alignment) ધરાવે છે. પ્રતિલોહચુંબકત્વમાં રેખાંકન પ્રતિસમાંતર હોય છે. લોહચુંબકીય દ્રવ્યનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કરતાં હજારોગણું…

વધુ વાંચો >

પ્રતિવર્તન (પ્રતિવર્તી ક્રિયા)

Feb 8, 1999

પ્રતિવર્તન (પ્રતિવર્તી ક્રિયા) : વિશિષ્ટ ઉદ્દીપનના પ્રતિસાદ રૂપે અભાનાવસ્થા(unconsciousness)માં શરીર દ્વારા ઉદભવતી પ્રત્યાચરણ ક્રિયા. અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં પ્રતિવર્તનો વિશિષ્ટ ભાતને અનુસરે છે. કેળવણીના પ્રભાવ હેઠળ આચરવા ટેવાયેલા અંગુષ્ઠધારી (primates) પ્રાણીઓમાં પણ દૈનિક વ્યવહારમાં પ્રતિવર્તનો મહત્વનો ભાગ ભજવે છે. સામાન્યપણે પ્રતિવર્તન સાથે ચેતાતંત્ર સંકળાયેલું છે; પરંતુ ચેતાકોષોનો અભાવ હોય તેવા પ્રજીવોમાં પણ…

વધુ વાંચો >

પ્રતિવર્તી પ્રક્રિયા (reversible reactions)

Feb 8, 1999

પ્રતિવર્તી પ્રક્રિયા (reversible reactions) : પ્રથમ અગ્રગામી (ડાબી તરફથી જમણી તરફ થતી) હોય અને પરિવેશી સંજોગો બદલાતાં પ્રતિગામી (પ્રતીપ) (જમણી તરફથી ડાબી તરફ) થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયા. આને લીધે તાપમાન કે દબાણ જેવા સંજોગો બદલાતાં પ્રથમ પ્રક્રિયાની નીપજો વિઘટન પામીને પાછી મૂળ ઘટકોમાં ફેરવાય છે; દા.ત., નવસાર(NH4Cl)ને ગરમ કરતાં…

વધુ વાંચો >

પ્રતિવિષ (antidote)

Feb 8, 1999

પ્રતિવિષ (antidote) : ઝેર(વિષ)ની અસરને નાબૂદ કરતાં દ્રવ્યો. તેમને ઝેરનું મારણ પણ કહે છે. તેઓ 3 પ્રકારે કાર્ય કરે છે – ભૌતિક, રાસાયણિક અને દેહધાર્મિક (physiological). કેટલાંક દ્રવ્યો ઝેરને ભૌતિક ક્રિયા દ્વારા નિષ્ક્રિય કરે છે, જેમ કે સક્રિયકૃત કોલસો (activated charcoal) જ્યારે 4થી 5 ગ્રામની માત્રામાં આપવામાં આવે ત્યારે કેટલાંક…

વધુ વાંચો >

પ્રતિવિષાણુ ઔષધો

Feb 8, 1999

પ્રતિવિષાણુ ઔષધો : જુઓ વિષાણુ

વધુ વાંચો >

પ્રતિશોથ ઔષધો બિનસ્ટીરૉઇડી

Feb 8, 1999

પ્રતિશોથ ઔષધો, બિનસ્ટીરૉઇડી : જુઓ પીડાશામકો

વધુ વાંચો >

પ્રતિષ્ઠાન

Feb 8, 1999

પ્રતિષ્ઠાન : પ્રાચીન કાળમાં ભારતમાં પ્રતિષ્ઠાન નામે ત્રણ નગર આવેલાં હતાં : (1) ઉત્તરમાં પ્રયાગ પાસે ગંગા-યમુનાના સંગમ પાસે આવેલ પ્રતિષ્ઠાનપુર આજે ઝૂસી તરીકે ઓળખાય છે. આ સ્થળ અલાહાબાદને સામે કાંઠે ગંગા ઉપર આવેલું છે. બ્રહ્મપુરાણ, હરિવંશ અને કૂર્મપુરાણ તેને ગંગાને કાંઠે હોવાનું કહે છે, જ્યારે લિંગપુરાણ તેને યમુનાને કાંઠે…

વધુ વાંચો >

પ્રતિહાર

Feb 8, 1999

પ્રતિહાર : જુઓ સામગાન અને તેના પ્રકારો

વધુ વાંચો >

પ્રતિહાર-મંદિરો

Feb 8, 1999

પ્રતિહાર-મંદિરો : ગુપ્તકાળ અને મધ્ય યુગની વચ્ચેના ગાળામાં પ્રચલિત કળાશૈલીવાળું સ્થાપત્ય ધરાવતાં મધ્ય અને ઉત્તર ભારતમાંનાં મંદિરો. પ્રતિહાર રાજવીઓનું સામ્રાજ્ય રાજસ્થાનથી શરૂ થઈ પશ્ચિમ ભારતમાં ફેલાયું. આ શૈલીમાં ગુપ્તકાલીન શૈલીઓની અસર મૂળભૂત રીતે સચવાઈ રહેલી અને તેના દ્વારા મધ્યયુગ સુધી આ પ્રણાલીઓનો પ્રભાવ જળવાઈ રહેલો. તેમાં મધ્ય ભારતમાં ચંડેલ, કચ્છપઘાટની…

વધુ વાંચો >

પ્રતિહાર વંશ

Feb 8, 1999

પ્રતિહાર વંશ : જુઓ ગુર્જર પ્રતિહારો

વધુ વાંચો >