૧૨.૦૮

પ્રતિલોહચુંબકત્વથી પ્રદર્શનવૃત્તિ

પ્રત્યામ્લો (antacids)

પ્રત્યામ્લો (antacids) : જઠરમાંના ઍસિડનું તટસ્થીકરણ કરતાં ઔષધો. તેમનો મુખ્ય ઉપયોગ જઠર કે પક્વાશય(duodenum)માં પડેલું ચાંદું કે અજીર્ણની સારવારમાં થાય છે. મોટે ભાગે તે જરૂર કરતાં ઓછી માત્રામાં વપરાય છે. ઓછી માત્રામાં લેવાય છતાં ધારી અસર ઉપજાવે તેવી અસરને અનૌષધીય અસર (placebo effect) કહે છે. જ્યારે કોઈ અસરકારક ઔષધને સ્થાને…

વધુ વાંચો >

પ્રત્યાયન

પ્રત્યાયન : એક છેડાથી બીજા છેડા સુધી ભાવ, વિચાર કે માહિતીનું થતું સંપ્રેષણ. શરીરભાષાથી માંડીને ઇન્ટરનેટ સુધીની પ્રત્યાયનની અનેક રીતો હોઈ શકે. પ્રત્યેક પ્રત્યાયનની રીત માહિતીનું વહન કરે છે. આમ કરવામાં પ્રેષક (source), સંદેશ (message), સારિણી (channel) અને અભિગ્રાહક (receiver) એમ ચાર ઘટકો સંકળાયેલા હોય છે. એક છેડે માહિતી મોકલનાર…

વધુ વાંચો >

પ્રત્યારોપણ

પ્રત્યારોપણ : સજીવના અંગ કે ભાગને કાઢી લઈ તે જ સજીવના અથવા અન્ય સજીવના શરીરમાં તેનું વિસ્થાપન. પ્રથમ પ્રકારના પ્રત્યારોપણને સ્વરોપણ (autograft) અને બીજા પ્રકારના પ્રત્યારોપણને પરરોપણ (allograft) કહે છે. સંયુક્ત જીવન(parabiosis)ને પ્રત્યારોપણનું ચરમ સ્વરૂપ ગણવામાં આવે  છે; જેમાં બે વ્યક્તિઓનું શલ્યવિધિ દ્વારા એવું જોડાણ કરવામાં આવે છે જેથી તેમના…

વધુ વાંચો >

પ્રત્યાવર્તન (repatriation)

પ્રત્યાવર્તન (repatriation) : વિદેશમાં રોકવામાં આવેલી મૂડીનું પોતાના દેશમાં પ્રત્યાગમન. મૂડીવાદી વિચારસરણી ધરાવતા સાહસિકો પોતાની મૂડીનું સ્વદેશમાં રોકાણ કર્યા પછી પણ તેમની પાસે વધારાની મૂડી બચતી હોય તો તેનું અન્ય વિદેશી રાષ્ટ્રોમાં રોકાણ કરીને વધારે નફો કરવાનું વલણ ધરાવતા હોય છે. આવી પ્રક્રિયામાં વિદેશી હૂંડિયામણની સમસ્યા તથા અસાધારણ સંજોગોમાં વિદેશમાં…

વધુ વાંચો >

પ્રત્યાસ્થતા (elasticity)

પ્રત્યાસ્થતા (elasticity) : બાહ્ય બળની અસર નીચે ઘન પદાર્થમાં લંબાઈ કે આકારમાં ફેરફાર થયા બાદ એ બળ નાબૂદ થતાં પદાર્થની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો ગુણધર્મ. આ ગુણધર્મને સ્થિતિસ્થાપકતા પણ કહે છે. અલબત્ત, બાહ્ય બળની માત્રા વધુ હોય તો તદ્દન મૂળ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે નહિ. આમ તો ઘન પદાર્થોને ર્દઢ…

વધુ વાંચો >

પ્રથમ જીવયુગ (Palaeozoic era)

પ્રથમ જીવયુગ (Palaeozoic era) ભૂસ્તરીય ઇતિહાસના મુખ્ય કાળગાળાઓ પૈકીનો એક. ભૂસ્તરીય કાળક્રમમાં જીવનના સંદર્ભમાં તે સર્વપ્રથમ ગણાતો હોઈ તેને પ્રથમ (પ્રાચીન) જીવયુગ નામ અપાયું છે. પૃથ્વીની ઉત્પત્તિથી આજ સુધીના અંદાજે 460 કરોડ વર્ષના સમયને આવરી લેતા સમગ્ર ભૂસ્તરીય ઇતિહાસને સ્તરવિદોએ બે મહાયુગો(eons)માં વહેંચેલો છે : (1) પ્રી-કૅમ્બ્રિયન મહાયુગ : પ્રથમ…

વધુ વાંચો >

પ્રથમપુરુષ કથનપદ્ધતિ (First Person Narration)

પ્રથમપુરુષ કથનપદ્ધતિ (First Person Narration) : નવલકથામાં પ્રયોજાતી કથનની વિશિષ્ટ પદ્ધતિ. મોટાભાગની નવલકથાઓ સીધી કથનપદ્ધતિથી લખાય છે. તેમાં લેખક પોતે જ વાર્તાકથન કરે છે. પોતે સર્વજ્ઞ હોય તે રીતે પાત્રપ્રસંગની ગોઠવણી કરીને લેખક વાર્તા કહેતો જાય છે. કેટલીક વાર વચ્ચે વચ્ચે સ્વગતોક્તિઓ, સ્વપ્નો, પત્રો, રોજનીશીના ટુકડા વગેરે મૂકીને પાત્રોના આંતરજીવનમાં…

વધુ વાંચો >

પ્રથમ પ્રતિશ્રુતિ (1968)

પ્રથમ પ્રતિશ્રુતિ (1968) : બંગાળી કથાલેખિકાની યશદા નવલકથા. આશાપૂર્ણાદેવીની આ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠે 1967થી 1969ના સમયગાળામાં પ્રગટ થયેલા ભારતીય સાહિત્યના શ્રેષ્ઠ પુસ્તક માટેના એવૉર્ડ માટે પસંદ કરેલી. તે ઉપરાંત આ નવલકથા માટે તેમને રવીન્દ્ર પુરસ્કાર તથા બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયનો સુવર્ણચંદ્રક પણ મળેલા. આનું નાટ્યરૂપાંતર દૂરદર્શન પરથી હપતાવાર પ્રસારિત થયેલું. ‘પ્રથમ…

વધુ વાંચો >

પ્રથમોપચાર (first aid)

પ્રથમોપચાર (first aid) : તબીબની સહાય મળે તે પહેલાં માંદી કે ઈજાગ્રસ્ત વ્યક્તિને તરત અપાતી સારવાર. તેમાં જીવનને જોખમી સ્થિતિની સારવાર તથા ઓછી જોખમી તકલીફોની સારવારનો સમાવેશ થાય છે. તેમાં વિવિધ પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે, જેમ કે ખૂબ તાવ ચડવો, લોહીનું દબાણ ઘટી જવું, બેભાન થઈ જવું, હાડકું ભાંગી જવું…

વધુ વાંચો >

પ્રદક્ષિણા પથ

પ્રદક્ષિણા પથ : મંદિરોમાં ગર્ભગૃહની ફરતે રખાયેલ ભ્રમતિ. આનો લાભ નિજ મંદિરની આજુબાજુ પરિક્રમા કરવા માટે લેવામાં આવે છે. ઉત્તર ભારતનાં મંદિરોના પ્રાકારોમાં આ જાતની વ્યવસ્થા વિશેષ જોવા મળે છે. પ્રદક્ષિણા પથ ધરાવતાં મંદિરને સાંધાર પ્રાસાદ અને પ્રદક્ષિણા પથ વિનાના મંદિરને નિરંધાર પ્રાસાદ કહે છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

પ્રતિલોહચુંબકત્વ (antiferromagnetism)

Feb 8, 1999

પ્રતિલોહચુંબકત્વ (antiferromagnetism) : ઓછી પણ ધન ચુંબકીય સુગ્રાહિતા (susceptibility) ધરાવતા દ્રવ્યનો તાપમાન-આધારિત ગુણધર્મ. લેટિસ(કણોની નિયમિત ગોઠવણી)માં પરમાણુઓ પ્રચક્રણ (spin) કરતા હોય છે. પાડોશી પરમાણુઓનું પ્રચક્રણ સમાંતર કે પ્રતિસમાંતર રેખાંકન (parallel કે antiparallel alignment) ધરાવે છે. પ્રતિલોહચુંબકત્વમાં રેખાંકન પ્રતિસમાંતર હોય છે. લોહચુંબકીય દ્રવ્યનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કરતાં હજારોગણું…

વધુ વાંચો >

પ્રતિવર્તન (પ્રતિવર્તી ક્રિયા)

Feb 8, 1999

પ્રતિવર્તન (પ્રતિવર્તી ક્રિયા) : વિશિષ્ટ ઉદ્દીપનના પ્રતિસાદ રૂપે અભાનાવસ્થા(unconsciousness)માં શરીર દ્વારા ઉદભવતી પ્રત્યાચરણ ક્રિયા. અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં પ્રતિવર્તનો વિશિષ્ટ ભાતને અનુસરે છે. કેળવણીના પ્રભાવ હેઠળ આચરવા ટેવાયેલા અંગુષ્ઠધારી (primates) પ્રાણીઓમાં પણ દૈનિક વ્યવહારમાં પ્રતિવર્તનો મહત્વનો ભાગ ભજવે છે. સામાન્યપણે પ્રતિવર્તન સાથે ચેતાતંત્ર સંકળાયેલું છે; પરંતુ ચેતાકોષોનો અભાવ હોય તેવા પ્રજીવોમાં પણ…

વધુ વાંચો >

પ્રતિવર્તી પ્રક્રિયા (reversible reactions)

Feb 8, 1999

પ્રતિવર્તી પ્રક્રિયા (reversible reactions) : પ્રથમ અગ્રગામી (ડાબી તરફથી જમણી તરફ થતી) હોય અને પરિવેશી સંજોગો બદલાતાં પ્રતિગામી (પ્રતીપ) (જમણી તરફથી ડાબી તરફ) થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયા. આને લીધે તાપમાન કે દબાણ જેવા સંજોગો બદલાતાં પ્રથમ પ્રક્રિયાની નીપજો વિઘટન પામીને પાછી મૂળ ઘટકોમાં ફેરવાય છે; દા.ત., નવસાર(NH4Cl)ને ગરમ કરતાં…

વધુ વાંચો >

પ્રતિવિષ (antidote)

Feb 8, 1999

પ્રતિવિષ (antidote) : ઝેર(વિષ)ની અસરને નાબૂદ કરતાં દ્રવ્યો. તેમને ઝેરનું મારણ પણ કહે છે. તેઓ 3 પ્રકારે કાર્ય કરે છે – ભૌતિક, રાસાયણિક અને દેહધાર્મિક (physiological). કેટલાંક દ્રવ્યો ઝેરને ભૌતિક ક્રિયા દ્વારા નિષ્ક્રિય કરે છે, જેમ કે સક્રિયકૃત કોલસો (activated charcoal) જ્યારે 4થી 5 ગ્રામની માત્રામાં આપવામાં આવે ત્યારે કેટલાંક…

વધુ વાંચો >

પ્રતિવિષાણુ ઔષધો

Feb 8, 1999

પ્રતિવિષાણુ ઔષધો : જુઓ વિષાણુ

વધુ વાંચો >

પ્રતિશોથ ઔષધો બિનસ્ટીરૉઇડી

Feb 8, 1999

પ્રતિશોથ ઔષધો, બિનસ્ટીરૉઇડી : જુઓ પીડાશામકો

વધુ વાંચો >

પ્રતિષ્ઠાન

Feb 8, 1999

પ્રતિષ્ઠાન : પ્રાચીન કાળમાં ભારતમાં પ્રતિષ્ઠાન નામે ત્રણ નગર આવેલાં હતાં : (1) ઉત્તરમાં પ્રયાગ પાસે ગંગા-યમુનાના સંગમ પાસે આવેલ પ્રતિષ્ઠાનપુર આજે ઝૂસી તરીકે ઓળખાય છે. આ સ્થળ અલાહાબાદને સામે કાંઠે ગંગા ઉપર આવેલું છે. બ્રહ્મપુરાણ, હરિવંશ અને કૂર્મપુરાણ તેને ગંગાને કાંઠે હોવાનું કહે છે, જ્યારે લિંગપુરાણ તેને યમુનાને કાંઠે…

વધુ વાંચો >

પ્રતિહાર

Feb 8, 1999

પ્રતિહાર : જુઓ સામગાન અને તેના પ્રકારો

વધુ વાંચો >

પ્રતિહાર-મંદિરો

Feb 8, 1999

પ્રતિહાર-મંદિરો : ગુપ્તકાળ અને મધ્ય યુગની વચ્ચેના ગાળામાં પ્રચલિત કળાશૈલીવાળું સ્થાપત્ય ધરાવતાં મધ્ય અને ઉત્તર ભારતમાંનાં મંદિરો. પ્રતિહાર રાજવીઓનું સામ્રાજ્ય રાજસ્થાનથી શરૂ થઈ પશ્ચિમ ભારતમાં ફેલાયું. આ શૈલીમાં ગુપ્તકાલીન શૈલીઓની અસર મૂળભૂત રીતે સચવાઈ રહેલી અને તેના દ્વારા મધ્યયુગ સુધી આ પ્રણાલીઓનો પ્રભાવ જળવાઈ રહેલો. તેમાં મધ્ય ભારતમાં ચંડેલ, કચ્છપઘાટની…

વધુ વાંચો >

પ્રતિહાર વંશ

Feb 8, 1999

પ્રતિહાર વંશ : જુઓ ગુર્જર પ્રતિહારો

વધુ વાંચો >