ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પવયણસાર (પ્રવચનસાર)

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર, અજિત અનંતરાવ

પવાર, અજિત અનંતરાવ (જ. 22 જુલાઈ 1959, દેવળાલી (પ્રવરા), મહારાષ્ટ્ર; અ. 28 જાન્યુઆરી 2026, બારામતી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી રહેલા નાયબ મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા ગણાતા અજિત પવાર ‘અજિતદાદા’ના હુલામણા નામે જાણીતા હતા. તેમણે લોકકલ્યાણની યોજના પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમનું મૂળ વતન પુણે…

વધુ વાંચો >

પવાર લલિતા

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પુષ્પભૂતિ વંશ

Jan 15, 1999

પુષ્પભૂતિ વંશ : ઉત્તર ભારતનો છઠ્ઠી અને સાતમી સદી દરમિયાનનો રાજવંશ. પૂર્વ પંજાબમાં શ્રીકંઠ નામે દેશ હતો. એનું પાટનગર સ્થાણ્વીશ્વર (કે થાનેશ્વર – થાનેસર) સરસ્વતી નદીના તીરે આવ્યું હતું. ત્યાં પુષ્પભૂતિ રાજાએ પોતાનું રાજ્ય સ્થાપ્યું. એ વૈશ્ય હતો. શંકરનો ઉપાસક હતો. ભૈરવાચાર્ય નામે શૈવ આચાર્યની કૃપાથી મળેલ ‘અટ્ટહાસ’ નામે ખડ્ગ…

વધુ વાંચો >

પુષ્પાસન

Jan 15, 1999

પુષ્પાસન : પુષ્પીય પ્રરોહ(florat shoot)નો અક્ષ. તે પુષ્પદંડ-(pedicel)નું સીધું વિસ્તરણ (prolongation) છે અને પુષ્પીય પત્રોના ચાર સેટ ધરાવે છે. સામાન્યત: તે સહેજ ફૂલેલી દડા જેવી રચના હોય છે; પરંતુ કેટલીક વાર તે લાંબું અને શંકુ આકારનું [દા. ત., લીલો ચંપો (Artabotrys odoratissima), પીળો ચંપો (Michelia champaka)] અથવા સપાટ ટોચવાળું વાદળી…

વધુ વાંચો >

પુષ્યદેવ

Jan 15, 1999

પુષ્યદેવ : ઈ. સ.ની આઠમી સદીમાં સૈન્ધવ વંશનો ઘૂમલીનો રાજા. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આઠમી સદીમાં ‘સૈન્ધવ’ નામે રાજવંશ સ્થપાયો. એ વંશ પાંડવોના સમકાલીન સિંધુરાજ જયદ્રથમાંથી ઉત્પન્ન થયેલો મનાતો હતો. ઘૂમલીનાં દાનશાસનોમાં પૂર્વજોની વંશાવળી પુષ્યદેવ સુધી આપવામાં આવી છે. પુષ્યદેવ લગભગ ઈ. સ. 735થી 750માં રાજ્ય કરતો હતો. એ અહિવર્મા પહેલાના પુત્ર…

વધુ વાંચો >

પુષ્યમિત્ર શૃંગ

Jan 15, 1999

પુષ્યમિત્ર શૃંગ : શૃંગ વંશનો સ્થાપક તથા છેલ્લા મૌર્ય સમ્રાટ બૃહદ્રથનો બ્રાહ્મણ સેનાપતિ. વૈદિક સાહિત્યમાં શૂંગ આચાર્યોના ઉલ્લેખો મળે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં ‘શૌંગીપુત્ર’નો શિક્ષક તરીકે ઉલ્લેખ છે. તે પતંજલિનો સમકાલીન હતો અને મહાભાષ્યમાં ‘અમે પુષ્યમિત્ર માટે યજ્ઞો કરીએ છીએ’ એવો ઉલ્લેખ છે. ‘યવનોએ સાકેત અને માધ્યમિકોને ઘેરો ઘાલ્યો હતો’ એવો…

વધુ વાંચો >

પુષ્યવર્મા વંશ

Jan 15, 1999

પુષ્યવર્મા વંશ : આસામમાં ચોથીથી સાતમી સદી દરમિયાન થઈ ગયેલો વંશ. પુષ્યવર્મા વંશના સાતમા રાજા નારાયણવર્માએ છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં ગુપ્ત સામ્રાજ્યનું આધિપત્ય ફગાવી દીધું. એના પુત્ર ભૂતિવર્માએ આસપાસના પ્રદેશો પર સત્તા પ્રસારી કામરૂપના રાજ્યનો વિસ્તાર કર્યો. આ વંશના રાજાઓ ‘મહારાજાધિરાજ’ બિરુદ ધારણ કરી અશ્વમેધ યજ્ઞ કરવા લાગ્યા. ભૂતિવર્મા પછી એનો…

વધુ વાંચો >

પુષ્યેણ

Jan 15, 1999

પુષ્યેણ : આઠમી સદીમાં થઈ ગયેલ વલ્લભપુરનો રાજા. વળા(વલ્લભીપુર)માંથી મહારાજ અહિવર્માના પુત્ર મહારાજ મહાસેનાપતિ પુષ્યેણનું મુદ્રાંક મળેલું. અગાઉ આ પુષ્યેણ તે ઘૂમલીના દાનશાસનમાં જણાવેલ પહેલો રાજા પુષ્યદેવ હોવાનો સંભવ મનાયેલો, પરંતુ હવે આંબળાસ(જિ. જૂનાગઢ)માંથી મળેલ તામ્રપત્ર પરથી એ બે વ્યક્તિ ભિન્ન હોવાનું માલૂમ પડ્યું છે. આ દાનશાસન મહારાજ મહાસેનાપતિ પુષ્યેણના…

વધુ વાંચો >

પુસાન

Jan 15, 1999

પુસાન : દક્ષિણ કોરિયાનું સેઉલથી બીજા ક્રમે આવતું મોટામાં મોટું શહેર અને મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 35o 10′ ઉ. અ. અને 129o 05′ પૂ. રે. કોરિયા દ્વીપકલ્પના અગ્નિકિનારા પર તે આવેલું છે. આ બારું ઘણું મોટું છે, ત્યાં એકસાથે આશરે 80 જેટલાં મોટાં વહાણોનો સમાવેશ થઈ શકે છે અને…

વધુ વાંચો >

પુસોં નિકલસ

Jan 15, 1999

પુસોં નિકલસ (જ. 15 જૂન 1594, નૉર્મન્ડી, ઉત્તર ફ્રાંસ; અ. 19 નવેમ્બર 1665 રોમ, ઇટાલી) : ફ્રાંસના પ્રસિદ્ધ ચિત્રકાર. આશરે 1612માં તેઓ પૅરિસ ગયા અને ફ્લેમિશ વ્યક્તિચિત્રકાર એલે પાસે તાલીમ મેળવી. 1621માં તે ફિલિપ દ શાંપેનના હાથ નીચે લક્સમ્બર્ગ પૅલસમાં સુશોભન કરવાના કામમાં જોડાયા. પ્રાચીન ગ્રેકો-રોમન અને ફ્રાંસના રાજદરબારમાં રહેલ…

વધુ વાંચો >

પુસ્તકસંગ્રહાલય (bookmuseum)

Jan 15, 1999

પુસ્તકસંગ્રહાલય (bookmuseum) : પ્રાચીન, વિરલ તથા કોઈક રીતે વિશિષ્ટતા ધરાવતા મુદ્રિત ગ્રંથો, હસ્તપ્રતો તથા આનુષંગિક વસ્તુઓનો સાર્વજનિક પ્રદર્શનના હેતુથી કરાયેલો સંગ્રહ તથા તેવો સંગ્રહ ધરાવતું સ્થળ. પ્રાચીન ભારતમાં પુસ્તકાલયો હતાં. નાલંદા, તક્ષશિલા, વલભી, વિક્રમશીલા જેવી વિદ્યાપીઠોના સરસ્વતીભંડારો જગપ્રસિદ્ધ હતા. વિશેષ અવસરે તેમનાં પ્રદર્શનો યોજાતાં, પણ બહુધા તે નિયમિત અભ્યાસીઓને જ…

વધુ વાંચો >

પુસ્તકાલય

Jan 15, 1999

પુસ્તકાલય : પુસ્તકપ્રવૃત્તિ અંગેનું ગુજરાતનું 75 વર્ષ જૂનું સામયિક. જીવનઘડતર અને સમાજઘડતર માટે પુસ્તક અત્યંત મહત્ત્વનું છે એવી માન્યતા ધરાવતા પુસ્તકાલય-પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ ન. અમીનની પ્રેરણાથી વડોદરામાં 1923માં ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિમિટેડની સ્થાપના કરવામાં આવી. એ સમયે પ્રજા નિરક્ષરતા, અબુધતા, અજ્ઞાન, અનારોગ્ય, કુરિવાજો અને ખોટા વહેમોમાં ફસાયેલી હતી.…

વધુ વાંચો >