ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પંખો (air-fan)

પંખો (air-fan) : હવા ફેંકતું સાધન. હવાના દબાણમાં ફેરફાર કરીને હવાના પ્રવાહ દ્વારા ઠંડક ઉત્પન્ન કરવા માટેનાં અનેક ઉપકરણોમાં પંખો મુખ્ય છે. રાજમહેલોથી માંડી સામાન્ય જનસમાજમાં હાથથી ચલાવાતા જાતજાતના પંખાઓ ખાસ કરીને ઉનાળાની ગરમીથી રાહત મેળવવા વપરાતા રહ્યા છે. હાલ વિદ્યુત-પંખાઓ આ માટે વપરાય છે. વિદ્યુત-પંખાઓ બે, ત્રણ કે ચાર…

વધુ વાંચો >

પંચ ઑર ધ લંડન શારીવારી (સ્થા. 1841)

પંચ ઑર ધ લંડન શારીવારી (સ્થા. 1841) : ઇંગ્લૅન્ડનું ઠઠ્ઠાચિત્રોથી અલંકૃત અને સવિશેષ અંગ્રેજી તરેહનું હાસ્યપ્રધાન રમૂજી અઠવાડિક. શરૂઆતમાં તે ઉગ્ર ઉદ્દામવાદી હતું, પણ પાછળથી ધીમે ધીમે મિતવાદી બન્યું અને રાજકારણના ઝોકથી અળગું રહ્યું. તેની શરૂઆત રાજાશાહી વિરુદ્ધ લોકમતની પ્રચંડ તરફેણ રૂપે થઈ હતી. રાણી વિક્ટોરિયા અને તેનાં સંતાનોને લક્ષમાં…

વધુ વાંચો >

પંચકર્મ

પંચકર્મ : શરીરને તેના દોષોમાંથી મુક્તિ અપાવવા, તેની શુદ્ધિ માટે આયુર્વેદમાં દર્શાવેલી પાંચ ક્રિયાઓ. આ પણ કાયચિકિત્સાની એક સ્વતંત્ર પદ્ધતિ છે. વાગ્ભટે આ પંચકર્મોમાં (1) વમનકર્મ, (2) વિરેચનકર્મ, (3) બસ્તિકર્મ, (4) નસ્યકર્મ અને (5) રક્તમોક્ષણકર્મનો સમાવેશ કર્યો છે. (1) વમનકર્મમાં મુખ વાટે દવા આપીને દરદીને ઊલટી કરાવવામાં આવે છે. મીંઢળ,…

વધુ વાંચો >

પંચગની (Panchgani)

પંચગની (Panchgani) : મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં મહાબળેશ્વર (17o 55′ ઉ. અ. અને 73o 45′ પૂ. રે.) નજીક પૂર્વ તરફ 18 કિમી. અંતરે આવેલું ગામ, ગિરિમથક, આરોગ્યધામ તેમજ પ્રવાસી સ્થળ. તે પુણેથી 100 કિમી.ને અંતરે સુરુલમહાબળેશ્વર માર્ગ પર સહ્યાદ્રિની હારમાળામાં 1313 મીટરની ઊંચાઈએ આવેલું છે. અહીંથી 45 કિમી.ને અંતરે આવેલું વાથાર…

વધુ વાંચો >

પંચજન (पञ्चजना:)

પંચજન (पञ्चजना:) : ઋગ્વેદ-કાલીન પાંચ જાતિઓ. આ પાંચ માનવજાતિ-કુળ કયાં તે અંગે વિવાદ છે. ભારતીય અને પાશ્ચાત્ય પંડિતોના અભિપ્રાય ભિન્ન છે. ઋગ્વેદમાં તેમને पञ्चमनुष्या:, पंञ्चचरण्या: તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે દાશરાજ્ઞ યુદ્ધમાં ભાગ લીધો હતો તેવો પણ એક મત છે. ઐતરેય બ્રાહ્મણ સર્વપ્રથમ વખત પંચજનમાં દેવ, માનવ, ગાંધર્વ (અપ્સરા), પિતૃ…

વધુ વાંચો >

પંચતંત્ર

પંચતંત્ર : ભારતીય પશુકથાઓ અને બોધવાર્તાઓનો સંસ્કૃત ભાષામાં લખાયેલો લોકપ્રિય ગ્રંથ. તેનું શીર્ષક સૂચવે છે તે મુજબ તે પાંચ તંત્રોનો બનેલો ગ્રંથ છે. તેનો પ્રારંભ કથામુખથી થાય છે તેમાં તેની રચના કેવી રીતે થઈ તેની વિગત આપી છે. દક્ષિણ ભારતના મહિલારોપ્ય નામના નગરમાં અમરશક્તિ નામના રાજાને વસુશક્તિ, ઉગ્રશક્તિ અને અનેકશક્તિ…

વધુ વાંચો >

પંચતિક્ત ઘૃત

પંચતિક્ત ઘૃત : પાંચ કડવી વનસ્પતિના રસ અથવા ઉકાળાથી સિદ્ધ કરેલું ઘી. આ પાંચ ઔષધિઓ છે : અરડૂસીનાં પાન, લીમડાની અંતરછાલ, લીમડાની ગળો, ભોરિંગણી તથા કડવા પરવળનાં પાન. આ પાંચેય ઔષધિઓને સરખા પ્રમાણમાં લઈ અધકચરી ખાંડી તેમાં ચારગણું પાણી નાખી ક્વાથ બનાવવામાં આવે છે. ક્વાથ ઊકળતાં ઊકળતાં ચોથા ભાગનો બાકી…

વધુ વાંચો >

પંચન લામા

પંચન લામા : તિબેટમાં આવેલા તાશિલહન્પો બૌદ્ધ મઠના આધ્યાત્મિક વડા. આધ્યાત્મિક વડા તરીકે તેમનું સ્થાન દલાઈ લામા પછીનું ગણાય છે. વિદ્વાન અને ધર્મનું વિશેષ જ્ઞાન ધરાવનારને તાશિલહન્પો મઠના વડા તરીકે પસંદ કરવામાં આવતા હતા. તેથી તેઓ `પંચન’ અર્થાત્ પંડિત કે વિદ્વાન લામા કહેવાતા હતા. સત્તરમી સદીમાં પાંચમા દલાઈ લામાએ જાહેર…

વધુ વાંચો >

પંચપ્રેસ

પંચપ્રેસ : જુઓ ધાતુકાર્ય.

વધુ વાંચો >

પંચમહાભૂત સિદ્ધાંત

પંચમહાભૂત સિદ્ધાંત : આ સૃષ્ટિ(જગત)ની ઉત્પત્તિ સંબંધી ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ઋષિ-મુનિઓની સાંખ્ય મતાનુસાર માન્યતા. તેને આયુર્વેદના ચરક અને સુશ્રુત બંનેએ સ્વીકારેલ છે. સૃષ્ટિક્રમ : સમગ્ર સૃષ્ટિ 24 (અન્ય મતે 25) તત્વોથી બની છે. સર્વપ્રથમ પુરુષ-સંયોગી પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિ સત્વ, રજસ અને તમસ્ આ ત્રણ ગુણોવાળી હોય છે. આવી…

વધુ વાંચો >

પવયણસાર (પ્રવચનસાર)

Jan 1, 1999

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

Jan 1, 1999

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર લલિતા

Jan 1, 1999

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

Jan 1, 1999

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

Jan 1, 1999

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

Jan 1, 1999

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

Jan 1, 1999

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

Jan 1, 1999

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

Jan 1, 1999

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પશુસંવર્ધન

Jan 2, 1999

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >