ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પારિજાતહરણ (16મી સદી)

પારિજાતહરણ (16મી સદી) : શેષકૃષ્ણનું રચેલું ચંપૂકાવ્ય. શેષકૃષ્ણ શેષનરસિંહના પુત્ર હતા. તેઓ 16મી સદીના પૂર્વાર્ધમાં બનારસના રાજા ગોવિંદચન્દ્ર તાંડવના આશ્રયે રહ્યા હતા. શેષકૃષ્ણના શેષવીરેશ્વર અને શેષનારાયણ નામના બે પુત્રો હતા. જેમાં શેષવીરેશ્વર પંડિતરાજ જગન્નાથ, ભટ્ટોજિ દીક્ષિત અને અન્નંભટ્ટના ગુરુ હતા. શેષકૃષ્ણના સંરક્ષક સમ્રાટ અકબરના વિત્તમંત્રી ટોડરમલ હતા. તેમનું મૃત્યુ ઈ.…

વધુ વાંચો >

પારિયાત્ર

પારિયાત્ર : ભોપાલની પશ્ચિમેથી અરવલ્લી સુધીની ગિરિમાળા. આ ગિરિમાળા પારિયાત્ર અને પારિયાત્રકને નામે પણ ઓળખાય છે. ટૉલેમીએ તેનો ‘પ્રપીઓતઇ’ નામથી ઉલ્લેખ કર્યો છે. વસ્તુત: વિંધ્યાચલની ભોપાલની પશ્ચિમેથી આરંભાઈને છેક અરવલ્લીની ગિરિમાળાને જઈ મળતી ગિરિમાળા જ પારિયાત્રના નામે ઓળખાય છે. બૌધાયને તેનો નિર્દેશ કર્યો છે અને તેને આર્યાવર્તની દક્ષિણ સીમા ગણાવી…

વધુ વાંચો >

પારિસી જ્યૉર્જ્યો (Parisi, Giorgio)

પારિસી જ્યૉર્જ્યો (Parisi, Giorgio) (જ. 4 ઑગસ્ટ 1948, રોમ, ઇટાલી) : પરમાણુઓથી ગ્રહો સુધીના પરિમાણની ભૌતિક પ્રણાલીઓમાં અવ્યવસ્થા અને ઉચ્ચાવચ(વધઘટ)ની પરસ્પર ક્રિયાની શોધ માટે 2021નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય અર્ધભાગ સ્યુકુશે માનાબે તથા ક્લૉસ હૅસલમૅનને પૃથ્વીના હવામાન તથા વધતા જતા ઉષ્ણતામાનને લગતી…

વધુ વાંચો >

પારિસ્થિતિક નિકેત (ecological niche)

પારિસ્થિતિક નિકેત (ecological niche) : સજીવની કોઈ પણ જાતિના વિતરણનું અંતિમ એકમ. તેની રચનાકીય (structural) અને નૈસર્ગિક (instinctive) મર્યાદાઓને લીધે તેનું રહેઠાણ નિશ્ચિત હોય છે. જૉસેફ ગ્રિન્નેલે (1917, 1928) સૌપ્રથમ વાર સૂક્ષ્મ આવાસ(micro- habitat)ના અર્થમાં આ શબ્દ પ્રચલિત કર્યો. કોઈ પણ બે જાતિ એક પ્રદેશમાં એક જ પરિસ્થિતિકીય નિકેતમાં લાંબો…

વધુ વાંચો >

પારિસ્થિતિકી (પરિસ્થિતિવિજ્ઞાન) (ecology)

પારિસ્થિતિકી (પરિસ્થિતિવિજ્ઞાન) (ecology) : જીવો- (organisms)ના અંદરોઅંદરના, વિભિન્ન જીવો વચ્ચેના, તથા જીવો અને તેમના પર્યાવરણ (environment) વચ્ચેનાં સજીવ તેમજ નિર્જીવ પાસાંઓના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ. તેને પર્યાવરણીય જીવશાસ્ત્ર (environmental biology) પણ કહે છે. જીવો અને પર્યાવરણ સાથેના તેમના સંબંધ તરફ 19મા સૈકાના અંતભાગમાં વધુ ધ્યાન આકર્ષિત થયું. પ્રદૂષણ (pollution) અને ઔદ્યોગિક…

વધુ વાંચો >

પારીમૂ રતન (જ. 1932, શ્રીનગર)

પારીમૂ, રતન (જ. 1932, શ્રીનગર) : મહત્વના કળાશિક્ષક તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રખ્યાત કળા-ઇતિહાસકાર. કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા ડૉક્ટર. પિતાની શરૂઆતની નારાજગી પછી 1952માં વડોદરાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં જોડાયા અને ચિત્રકળામાં બેન્દ્રેસાહેબની નિગરાની હેઠળ સ્નાતક અને અનુસ્નાતક થયા. આ પછી કૉમનવેલ્થ સ્કૉલરશિપ મેળવીને લંડન જઈ લંડન યુનિવર્સિટીમાં કળા-ઇતિહાસના અનુસ્નાતક…

વધુ વાંચો >

પારુલ વિનોદ

પારુલ, વિનોદ (જ. 1938, અમદાવાદ; અ. 1998) : ગુજરાતી ચિત્રકાર. મૂળ નામ વિનોદ બ્રહ્મભટ્ટ, પરંતુ બદલેલી અટક ‘પારુલ’ વડે તે જાણીતા થયા. અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ કૉલેજમાં તેમણે બે વર્ષ અભ્યાસ કરી ‘આર્ટ માસ્ટર’નો ડિપ્લોમા મેળવ્યો. આ પછી તેમણે થોડાં વરસ અમદાવાદની વિવિધ શાળાઓમાં ચિત્રકળાના શિક્ષકની કામગીરી બજાવી.…

વધુ વાંચો >

પારેખ આશા

પારેખ, આશા (જ. 2 ઑક્ટોબર 1942, મુંબઈ) : હિન્દી ચલચિત્રોમાં અભિનય કરતાં ગુજરાતી અભિનેત્રી. પિતા બચુભાઈને શાળાશિક્ષણની સાથે નૃત્ય અને અભિનયમાં પણ રસ હતો, તેથી નૃત્યશિક્ષણ લીધું. પ્રસિદ્ધ નૃત્યવિદ મોહનલાલ પાંડે તેમના નૃત્યગુરુ હતા. ડૉક્ટર બનવાની ઇચ્છા હતી, પરંતુ નૃત્ય-અભિનયની આવડતને કારણે અભિનયના ક્ષેત્રમાં આગળ વધ્યાં. 1954માં 12 વર્ષની વયે…

વધુ વાંચો >

પારેખ, કિશોર

પારેખ, કિશોર (જ. – 1930, ભાવનગર, ગુજરાત; અ. – 1982) : ભારતના અગ્રણી ફોટોગ્રાફર અને ફોટોજર્નાલિસ્ટ. ભાવનગરમાં તેમનો જન્મ અને ઉછેર. અહીં અભ્યાસ વેળા તેમણે ફોટોગ્રાફી શરૂ કરી. 1955માં ફોટોગ્રાફીના ગહન અભ્યાસ માટે અમેરિકા ગયા. કૅલિફૉર્નિયામાં લૉસએન્જલસ ખાતેની યુનિવર્સિટી ઑવ્ સધર્ન કૅલિફૉર્નિયામાં પાંચ વરસ સુધી ડૉક્યુમેન્ટરી (દસ્તાવેજી) ફોટોગ્રાફી અને ફિલ્મમેકિંગ…

વધુ વાંચો >

પારેખ છગનલાલ

પારેખ, છગનલાલ (જ. 27 જૂન, 1894, રાજકોટ; અ. 14 ડિસેમ્બર, 1968 મુંબઈ) : દુ:ખી જનોના સંનિષ્ઠ સેવક. ‘છગનબાપા’ના નામે વધારે જાણીતા. ગ્રામ-વિસ્તારોમાં દરિદ્રતા અને નિરક્ષરતાનિવારણ અર્થે નિ:સ્વાર્થ સેવા આપનાર છગનલાલ ક. પારેખનો જન્મ થયો ત્યારે ગુજરાત વ્યાપક રીતે ગાંધીજીના સમાજસેવાના સંસ્કારોથી પ્રભાવિત હતું. છગનલાલે પાડોશી મહિલાઓથી સમાજસેવાનો આરંભ કર્યો. તેમણે…

વધુ વાંચો >

પવયણસાર (પ્રવચનસાર)

Jan 1, 1999

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

Jan 1, 1999

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર લલિતા

Jan 1, 1999

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

Jan 1, 1999

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

Jan 1, 1999

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

Jan 1, 1999

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

Jan 1, 1999

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

Jan 1, 1999

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

Jan 1, 1999

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પશુસંવર્ધન

Jan 2, 1999

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >