ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પારેખ નગીનદાસ નારણદાસ ‘ગ્રંથકાર’ ‘ગ્રંથકીટ’
પારેખ, નગીનદાસ નારણદાસ, ‘ગ્રંથકાર’, ‘ગ્રંથકીટ’ (જ. 30 ઑગસ્ટ 1903, વલસાડ; અ. 19 જાન્યુઆરી 1993, અમદાવાદ) : ગુજરાતના શ્રેષ્ઠ અનુવાદક, વિદ્વાન વિવેચક તથા સંપાદક. માતા જીવકોરબહેન; પિતા નારણદાસ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વલસાડમાં. વિદ્યાર્થી તરીકે તેમની કારકિર્દી તેજસ્વી. કિશોરવયથી જ મનોબળ દૃઢ. શાળામાં અભ્યાસકાળ દરમિયાન ગાંધીજીની સત્યાગ્રહની ચળવળનો નાદ લાગવાથી અભ્યાસ…
વધુ વાંચો >પારેખ પ્રહલાદ
પારેખ, પ્રહલાદ (જ. 12 ઑક્ટોબર 1912, ભાવનગર; અ. 2 જાન્યુઆરી 1962, મુંબઈ) : ગુજરાતી કવિ. તેમનું ઘડતર ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં થયું હતું. ત્યાંથી ‘વિનીત’ થઈ તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં અને પછી શાંતિનિકેતનમાં અભ્યાસ કરેલો. ઈ. સ. 1937માં વિલે પારલેની પ્યૂપિલ્સ ઓન સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા અને થોડો સમય ભાવનગરની ઘરશાળામાં…
વધુ વાંચો >પારેખ મધુસૂદન હીરાલાલ (‘પ્રિયદર્શી’)
પારેખ, મધુસૂદન હીરાલાલ (‘પ્રિયદર્શી’) (જ. 14 જુલાઈ 1923, અમદાવાદ; અ. 28 જાન્યુઆરી 2023, અમદાવાદ) : ગુજરાતીના નિવૃત્ત અધ્યાપક, વિવેચક, હાસ્યલેખક, નાટ્યલેખક, બાળસાહિત્યકાર, અનુવાદક અને સંપાદક. પિતા હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ સાહિત્યોપાસક હતા. માતા જડાવબહેન. વતન સૂરત. ઈ. સ. 1939માં પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ, અમદાવાદથી મૅટ્રિક. 1945માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી.એ.…
વધુ વાંચો >પારેખ મંગળદાસ ગિરધરદાસ
પારેખ, મંગળદાસ ગિરધરદાસ (જ. 6 જૂન 1862, અમદાવાદ; અ. 6 ડિસેમ્બર 1930, અમદાવાદ) : અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ અને પ્રજાપ્રિય પરોપકારી સજ્જન. તેમનો જન્મ સાધારણ આર્થિક સ્થિતિવાળા કુટુંબમાં થયો હતો. 20 વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી સુતરાઉ કાપડની મિલમાં ટૂંકા પગારથી તેમણે નોકરીની શરૂઆત કરી હતી. નોકરી દરમિયાન કાપડ-મિલ-ઉદ્યોગની…
વધુ વાંચો >પારેખ માધવી
પારેખ, માધવી (જ. 23 માર્ચ 1942, સંજાયા, જિ. ખેડા) : ગુજરાતનાં મહિલા-ચિત્રકાર. તેમનું બાળપણ ગામ અને ખેતરોમાં તથા વગડામાં રખડવામાં, ડાળીઓ પરથી આંબલી તોડવામાં અને ફૂલો એકઠાં કરવામાં વીત્યું. આ બધી ક્રીડાઓ પુખ્ત વયે માધવીની સર્જનશક્તિને યોગ્ય દિશામાં વાળવામાં કારણભૂત બની. માધવીએ કળાનું કોઈ ઔપચારિક શિક્ષણ લીધું ન હોવા છતાં…
વધુ વાંચો >પારેખ રમેશ મોહનલાલ
પારેખ, રમેશ મોહનલાલ (જ. 27 નવેમ્બર 1940, અમરેલી; અ. 17 મે 2006, રાજકોટ) : ગુજરાતી સાહિત્યના અગ્રણી ગીતકવિ, વાર્તાકાર અને બાળસાહિત્યકાર. માતાનું નામ નર્મદાબહેન. વતન અમરેલીમાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ. 1958માં મૅટ્રિક. 1960થી જિલ્લા પંચાયત – અમરેલી સાથે સંલગ્ન. માતા અને જન્મભૂમિ માટેનો પ્રેમ એમની સર્જકતાનાં પ્રેરક બળો. માતાનું વાત્સલ્ય…
વધુ વાંચો >પારેખ હસમુખભાઈ ઠાકોરભાઈ (એચ. ટી. પારેખ)
પારેખ, હસમુખભાઈ ઠાકોરભાઈ (એચ. ટી. પારેખ) (જ. 10 માર્ચ 1911, રાંદેર; અ. 18 નવેમ્બર 1994, મુંબઈ) : ભારતના ઔદ્યોગિક અને નાણાક્ષેત્રના અગ્રણી વહીવટકર્તા. 1933માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.-(અર્થશાસ્ત્ર)ની પરીક્ષામાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કરી જેમ્સ ટેલર પારિતોષિક મેળવ્યું તથા 1936માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાંથી બૅંકિંગ અને નાણાશાસ્ત્રના વિષયો સાથે બી.એસસી.ની ઉપાધિ…
વધુ વાંચો >પારેખ હીરાલાલ ત્રિભુવનદાસ
પારેખ, હીરાલાલ ત્રિભુવનદાસ (જ. 27 એપ્રિલ 1882, સૂરત; અ. 20 જૂન 1938, અમદાવાદ) : ગુજરાતી લેખક અને સંદર્ભસાહિત્યના સંકલનકાર. 1900માં મૅટ્રિક થઈને 1904માં નોકરી માટે નાગપુર રહેલા, પણ પછી અમદાવાદ આવીને 1904માં ઇતિહાસ અને ફારસી વિષયો સાથે બી.એ. થયા હતા. સાહિત્ય અને કેળવણી પ્રત્યે એમને સહજ અભિરુચિ હતી. અનેક નિબંધ-સ્પર્ધાઓમાં…
વધુ વાંચો >પારો
પારો : જુઓ મર્ક્યુરી.
વધુ વાંચો >પાર્કસ ઑબ્ઝર્વેટરી ઑસ્ટ્રેલિયા
પાર્કસ ઑબ્ઝર્વેટરી, ઑસ્ટ્રેલિયા : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં સિડનીથી આશરે 300 કિમી. પશ્ચિમે આવેલા પાર્કસથી 20 કિમી ઉત્તરે, સમુદ્રની સપાટીથી લગભગ 392 મી.ની ઊંચાઈએ આવેલી ઑસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રેડિયો-ખગોળ વેધશાળા. તે ઑસ્ટ્રેલિયન નૅશનલ રેડિયો એસ્ટ્રૉનોમી ઑબ્ઝર્વેટરી તરીકે ઓળખાય છે. 1971 સુધી દુનિયામાં જે દસેક જેટલા મોટા-મોટા રેડિયો-ટેલિસ્કોપ અસ્તિત્વમાં હતા, તેમાં અહીંના…
વધુ વાંચો >પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >