ખંડ ૧૦

નઈ તાલીમથી પવનશક્તિ

નઈ તાલીમ

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નઈ દુનિયા

નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…

વધુ વાંચો >

નકશાશાસ્ત્ર

નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…

વધુ વાંચો >

નકશો

નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…

વધુ વાંચો >

નકારનું પ્રમાણપત્ર (protest)

નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…

વધુ વાંચો >

નકુલ

નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…

વધુ વાંચો >

નક્સલવાદ

નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

નક્ષત્ર અને રાશિ

નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…

વધુ વાંચો >

નક્ષત્રજ્યોતિષ

નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…

વધુ વાંચો >

નક્ષત્રપટ

નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…

વધુ વાંચો >

નુનો દ કુન્હા

Jan 19, 1998

નુનો દ કુન્હા : ઈ. સ. 1529થી 1538 સુધી ભારતમાં રહેલ પોર્ટુગીઝ (ફિરંગી) ગવર્નર. પોર્ટુગીઝ સંસ્થાનોના ગવર્નર તરીકે તેને દીવ કબજે કરવાની સ્પષ્ટ સૂચના સહિત નીમવામાં આવ્યો હતો. આ વખતે ગુજરાતનો સુલતાન બહાદુરશાહ (1527–37) હતો. નુનોએ ઑક્ટોબર, 1529માં ભારત આવીને તરત ખંભાત, સૂરત, રાંદેર, અગાશી તથા દમણનાં બંદરો પર હુમલા…

વધુ વાંચો >

નુબિયન રણ

Jan 19, 1998

નુબિયન રણ : આફ્રિકામાં સુદાનના ઈશાન ભાગમાં આવેલો સૂકો પ્રદેશ.  ભૌગોલિક સ્થાન. 20° 30´ ઉ. અ. અને 33° 00´ પૂ. રે.. તેની પૂર્વમાં રાતો સમુદ્ર અને પશ્ચિમમાં નાઈલ નદી છે. 720 કિમી. લંબાઈ ધરાવતું આ રણ 2,50,000 ચોકિમી. વિસ્તારને આવરી લે છે. ઉત્તર તરફ તે પૂર્વ ઇજિપ્તના અરબી રણ સાથે…

વધુ વાંચો >

નુરાઘે

Jan 19, 1998

નુરાઘે : ઇટાલીના સાર્ડિનિયા ટાપુ પર આવેલી પ્રાગૈતિહાસિક પથ્થરની ઇમારતો. આ ઇમારતો ઈસુ પૂર્વે 1900થી ઈસુ પૂર્વે 730 સુધીમાં ચણાઈ હતી. તેનું તળદર્શન વર્તુળાકાર હોય છે તથા તેમાં પથ્થરના ઉપરના થરો ક્રમશ: અંદરની તરફ નીકળતા રાખી ઉપર ગુંબજ બનાવાયો હોય. વર્તુળાકારની ઇમારતો સ્કૉટલૅન્ડ તથા આયર્લૅન્ડ, ઉપરાંત ભૂમધ્ય સાગરમાં આવેલા ઇટાલીના…

વધુ વાંચો >

નુર્ક્સ, રાગ્નર

Jan 19, 1998

નુર્ક્સ, રાગ્નર (જ. 5 ઑક્ટોબર 1907, ઇસ્ટોનિયા; અ. 1959, જિનિવા) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અર્થશાસ્ત્રી. વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસના પ્રશ્નો, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને નાણાકીય પ્રશ્નોના ઊંડા અભ્યાસી તરીકે તેઓ વિશેષ જાણીતા છે. તેમણે ઉચ્ચશિક્ષણ એડિનબરો અને વિયેનામાં લીધેલું. 1935–45 દરમિયાન લીગ ઑવ્ નૅશન્સમાં અર્થશાસ્ત્રી તરીકે કામગીરી બજાવ્યા બાદ 1945–59 સુધી…

વધુ વાંચો >

નુસરતી, મોહંમદ

Jan 19, 1998

નુસરતી, મોહંમદ : (જ. 1600, બીજાપુર; અ. 1683) : દક્ષિણી ઉર્દૂના અગ્રણી કવિ. ‘નુસરતી’ તેમનું તખલ્લુસ હતું. તેમના વડવાઓ બીજાપુર રાજ્યના લશ્કરમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા હતા, પરંતુ નુસરતીનું મન સિપાહીગીરી કરતાં સાહિત્ય તરફ વળ્યું હતું. તે અભ્યાસી હતા. પ્રતિષ્ઠિત ઉલેમાઓ પાસેથી તેમણે જ્ઞાન મેળવ્યું હતું. તેથી તેમને લોકો મુલ્લા નુસરતી…

વધુ વાંચો >

નૂ, ઊ

Jan 19, 1998

નૂ, ઊ [જ. 25 મે 1907, વાકેમા, મ્યાનમાર (બ્રહ્મદેશ); અ. 11 ફેબ્રુઆરી 1995, રંગૂન] : મ્યાનમારના ભૂતપૂર્વ વડાપ્રધાન તથા અગ્રણી મુત્સદ્દી. વ્યાપારીના પુત્ર. રંગૂન ખાતે યુનિવર્સિટી-કૉલેજમાં શિક્ષણ લીધું. થોડાક સમય માટે પેન્ટાનાવ ખાતે નૅશનલ હાઈસ્કૂલમાં અધ્યાપન કર્યા બાદ કાયદાનો અભ્યાસ કરવા યુનિવર્સિટીમાં પાછા ફર્યા. 1936માં વિદ્યાર્થીઓની હડતાલની આગેવાની કરવા બદલ…

વધુ વાંચો >

નૂતન

Jan 19, 1998

નૂતન (જ. 4 જૂન 1936, મુંબઈ; અ. 21 ફેબ્રુઆરી 1991) : હિંદી ચલચિત્રજગતનાં અગ્રણી અભિનેત્રી. તેમનામાં પાત્રને આત્મસાત્ કરવાની ગજબની આવડત હતી. તેમનાં માતા શોભના સમર્થ તેમના જમાનામાં જાણીતાં અભિનેત્રી હતાં. નૂતનને અભિનેત્રી બનાવવા માટે તેમણે પોતે 1951માં ‘હમારી બેટી’ નામના ચલચિત્રનું નિર્માણ કર્યું. ખ્યાતનામ અભિનેતા મોતીલાલ સાથે મળીને તેમણે…

વધુ વાંચો >

નૂતન વનસ્પતિજ ઔષધો

Jan 19, 1998

નૂતન વનસ્પતિજ ઔષધો છેલ્લા બે શતક દરમિયાન વનસ્પતિમાં રહેલા સક્રિય ઘટકોની માહિતી પ્રાપ્ત થવાને કારણે મેળવાયેલાં ઔષધો. આદિ માનવ વનસ્પતિની પેદાશોનો ઉપયોગ આહાર માટે કરતો. તેમાંથી જે વનસ્પતિની ઝેરી કે અવળી અસર થતી તેનો ઉપયોગ તે આહાર માટે ન કરતાં ઔષધ તરીકે કરતો થયો; દા. ત., એરંડાનાં બીજ રેચક અસર…

વધુ વાંચો >

નૂતન સૌરાષ્ટ્ર

Jan 19, 1998

નૂતન સૌરાષ્ટ્ર : સૌરાષ્ટ્રનું નોંધપાત્ર ગુજરાતી દૈનિક વર્તમાનપત્ર. ભારત સ્વતંત્ર થયું તેના એક વર્ષ પછી રજી સપ્ટેમ્બર, 1948ના રોજ જુગતરામ રાવળે રાજકોટમાં તેની સ્થાપના કરી. શ્રી રાવળ મૂળ સિંધ પ્રાંતમાં (જે હાલ પાકિસ્તાનમાં છે) રહેતા અને ત્યાં 1925ના અરસામાં તેઓ ‘સિંધ સમાચાર’ નામે ગુજરાતી સાપ્તાહિક ચલાવતા. આ સાપ્તાહિક 1931માં દૈનિક…

વધુ વાંચો >

નૂન, (સર) ફીરોજખાન

Jan 19, 1998

નૂન, (સર) ફીરોજખાન [જ. 7 મે 1893, હામોકા, પૂર્વ પંજાબ, હવે પાકિસ્તાન; અ. 9 ડિસેમ્બર 1970, નૂરપૂર નૂન, પંજાબ (પાકિસ્તાન)] : સ્વાધીનતા પૂર્વેના પંજાબના અગ્રણી મુસ્લિમ નેતા તથા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન. તેમના પૂર્વજો મૂળે રાજસ્થાનના અને મુઘલ શાસનની શરૂઆતનાં વર્ષોમાં સ્થાનાંતર કરીને પંજાબ ગયેલા. પ્રસિદ્ધ સંત શેખ ફરીદના હસ્તે તેમણે…

વધુ વાંચો >