ખંડ ૧૦

નઈ તાલીમથી પવનશક્તિ

નૉયોરી, ર્યોજી (Noyori, Ryoji)

નૉયોરી, ર્યોજી (Noyori, Ryoji) (જ. 3 સપ્ટેમ્બર 1938, કોબે, જાપાન(Kobe, Japan)) : જાપાની રસાયણવિજ્ઞાની અને 2001ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. નૉયોરી ક્યોટો યુનિવર્સિટીની એન્જિનિયરિંગ શાળાના ઔદ્યૌગિક રસાયણ-વિભાગના વિદ્યાર્થી હતા. ત્યાંથી 1961માં સ્નાતક થયા અને તે પછી નગોયા યુનિવર્સિટીની ગ્રૅજ્યુએટ(graduate) સ્કૂલ ઑવ્ એન્જિનિયરિંગમાંથી ઔદ્યોગિક રસાયણમાં અનુસ્નાતક પદવી મેળવી હતી.…

વધુ વાંચો >

નૉરફોક

નૉરફોક : યુ. એસ. ના વર્જિનિયા રાજ્યના અગ્નિ ખૂણે આવેલું રાજ્યનું સૌથી મોટું શહેર, મોટું બંદર અને મહત્વનું નૌકાસૈન્ય-મથક. ભૌગોલિક સ્થાન : 36° 50´ ઉ. અ. અને 76° 17´ પ. રે.. તે હૅમ્પટન રોડની દક્ષિણે એલિઝાબેથ નદી પર વસેલું છે. 1680ના કાયદા મુજબ મૂળ રેડ ઇન્ડિયનોના અસલી ગામના સ્થળે 1682માં…

વધુ વાંચો >

નૉરફોક ટાપુ

નૉરફોક ટાપુ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં ઑસ્ટ્રેલિયાના સિડનીથી ઈશાનમાં 1600 કિમી. અંતરે અને ન્યૂઝીલૅન્ડના ઑકલૅન્ડથી વાયવ્યમાં 1000 કિમી. અંતરે આવેલો ઑસ્ટ્રેલિયન કબજા હેઠળનો નૉરફોકનો ટાપુ મુખ્ય છે, પરંતુ ફિલિપ અને નેપીઅન નામના બીજા બે નાના ટાપુઓ પણ નજીકમાં આવેલા છે. તે બંને વસ્તીવિહીન છે. ઑસ્ટ્રેલિયા-કેનબેરાના મુલ્કી ખાતા મારફતે ગવર્નર જનરલ…

વધુ વાંચો >

નૉરમાર્કાઇટ

નૉરમાર્કાઇટ : સાયનાઇટનો એક પ્રકાર. સબઍસિડિક અગ્નિકૃત-અંત:કૃત પ્રકારનો ખડક. સાયનાઇટનો અતિસંતૃપ્ત પ્રકાર. આલ્કલી-ફેલ્સ્પારથી અતિસમૃદ્ધ હોય, થોડોક ક્વાર્ટ્ઝ હોય, પરંતુ પ્લેજિયોક્લેઝ ન હોય એવા સાયનાઇટને નૉરમાર્કાઇટ કહેવાય. નૉર્વેના નૉરમાર્ક સ્થળમાં મળતા આ લાક્ષણિક પ્રકાર પરથી નામ પડેલું છે. (જુઓ : સાયનાઇટ.) ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

નૉરાઇટ

નૉરાઇટ : ગૅબ્બ્રોનો એક પ્રકાર. બેઝિક અગ્નિકૃત–અંત:કૃત પ્રકારનો ખડક, જેમાં લૅબ્રેડોરાઇટ (પ્લેજિયોક્લેઝ) ઉપરાંત ક્લાઇનોપાયરૉક્સીન કરતાં ઑર્થોપાયરૉક્સીનનું પ્રમાણ વિશેષ હોય. તેની કણરચના ગૅબ્બ્રોના જેવી જ મધ્યમથી સ્થૂળ દાણાદાર હોય છે. ઑલિવિન સહિતનો આ પ્રકાર ઑલિવિન-નૉરાઇટ કહેવાય છે. હાયપરસ્થીન ગૅબ્બ્રો તેનું ઉદાહરણ છે. (જુઓ : ગૅબ્બ્રો.) ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

નોરિ નરસિંહરાવ

નોરિ નરસિંહરાવ (જ. 1900, ગન્ટુર, આંધ્રપ્રદેશ; અ. 1982) : તેલુગુ લેખક. કૉલેજ સુધીનું અને તે પછી એલએલ.બી.નું શિક્ષણ હૈદરાબાદમાં. ત્યાં જ વકીલાત શરૂ કરી. આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીના તેઓ મંત્રી હતા. તેમણે સંસ્કૃત તથા અંગ્રેજી સાહિત્યનું ઊંડું અધ્યયન કર્યું. તેમણે કન્નડ સાહિત્યમાં નવલકથાઓ, વાર્તાઓ, કવિતા, નાટક, વિવેચન એમ અનેક ક્ષેત્રે મહત્વનું…

વધુ વાંચો >

નૉરિશ, રૉનાલ્ડ જ્યૉર્જ રેફર્ડ

નૉરિશ, રૉનાલ્ડ જ્યૉર્જ રેફર્ડ (જ. 9 નવેમ્બર 1897, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ; અ. 7 જૂન 1978, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : સ્ફૂર પ્રકાશઅપઘટન (flash photolysis) તથા ગતિજ સ્પેક્ટ્રમિતિવિજ્ઞાનના પ્રણેતા અને નોબેલ પુરસ્કારના સહવિજેતા કેમ્બ્રિજ બ્રિટિશ રસાયણવિદ. પર્સેસ્કૂલ, કેમ્બ્રિજમાં અભ્યાસ કર્યા બાદ નૉરિશ ઇમૅન્યુઅલ કૉલેજમાં રસાયણના અભ્યાસ માટે જોડાયા. પ્રથમ વિશ્વવિગ્રહ દરમિયાન લશ્કરમાં જોડાવાથી તથા…

વધુ વાંચો >

નૉર્થકોટ-ટ્રેવેલિયન સમિતિ

નૉર્થકોટ-ટ્રેવેલિયન સમિતિ : વહીવટી સેવાની સમીક્ષા કરી તેમાં સુધારાવધારા સૂચવવા માટે ઇંગ્લૅન્ડમાં નીમવામાં આવેલ સમિતિ (1853). એક સમયે ઇંગ્લૅન્ડ અને તેના સામ્રાજ્યના વિસ્તારોના વહીવટમાં લાગવગશાહીનું દૂષણ ઠીક પ્રમાણમાં વિકસ્યું હતું અને વિકલ્પના અભાવે તેને લાંબા સમય સુધી સહન કરવામાં આવ્યું હતું. આ દૂષણની તપાસ કરી તે અંગે સુચિંતિત અહેવાલ રજૂ…

વધુ વાંચો >

નૉર્થ, ડગ્લાસ સેસિલ

નૉર્થ, ડગ્લાસ સેસિલ (જ. 5 નવેમ્બર 1920, કૅમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, અમેરિકા; અ. 23 નવેમ્બર 2015, મિશિગન, અમેરિકા) : 1993ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના રૉબર્ટ વિલિયમ ફૉગેલના સહવિજેતા. અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1953–83 દરમિયાન વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કામ કર્યું. સાથોસાથ અર્થતંત્રને લગતી ઘણી સરકારી અને બિનસરકારી સમિતિઓમાં તેમણે…

વધુ વાંચો >

નૉર્થ્રપ, જૉન હાવર્ડ

નૉર્થ્રપ, જૉન હાવર્ડ (જ. 5 જુલાઈ 1891, યોકર્સ, ન્યૂયૉર્ક; અ. 27 મે 1987, વિકેનબર્ગ, ઍરિઝોના, યુ.એસ.) : અનેક ઉત્સેચકોને સ્ફટિકમય સ્વરૂપમાં મેળવનાર 1946ના નોબેલ પુરસ્કારના સહવિજેતા અમેરિકન જૈવરસાયણવિદ. નૉર્થ્રપના પિતા કોલમ્બિયા યુનિવર્સિટીમાં ઇન્સ્ટ્રક્ટર હતા અને અવસાનના થોડા સમય પહેલાં પ્રયોગશાળામાં થયેલા જીવલેણ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા હતા. તેમનાં માતા એલિસ…

વધુ વાંચો >

નઈ તાલીમ

Jan 1, 1998

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નઈ દુનિયા

Jan 1, 1998

નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…

વધુ વાંચો >

નકશાશાસ્ત્ર

Jan 1, 1998

નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…

વધુ વાંચો >

નકશો

Jan 1, 1998

નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…

વધુ વાંચો >

નકારનું પ્રમાણપત્ર (protest)

Jan 1, 1998

નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…

વધુ વાંચો >

નકુલ

Jan 1, 1998

નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…

વધુ વાંચો >

નક્સલવાદ

Jan 1, 1998

નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

નક્ષત્ર અને રાશિ

Jan 1, 1998

નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…

વધુ વાંચો >

નક્ષત્રજ્યોતિષ

Jan 1, 1998

નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…

વધુ વાંચો >

નક્ષત્રપટ

Jan 1, 1998

નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…

વધુ વાંચો >