ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
નાક્ષત્રિક કાલ (sidereal time)
નાક્ષત્રિક કાલ (sidereal time) : ખગોલીય ઉપયોગ માટે, તારાઓના સ્થાન ઉપર આધારિત સમયગણતરી. વ્યવહારમાં સમયની ગણતરી સૂર્યના સ્થાનને આધારે લેવામાં આવે છે. આ સામાન્ય ઉપયોગમાં આવતો સમય મુલકી (civil) સમય તરીકે ઓળખાય છે. પૃથ્વીના સૂર્યની આસપાસના ભ્રમણને કારણે તારાઓના સંદર્ભમાં સૂર્યનું સ્થાન દરરોજ 1 અંશ પૂર્વ તરફ ખસતું રહે છે.…
વધુ વાંચો >નાગ
નાગ : કશ્યપ ઋષિ અને દક્ષપુત્રી કદ્રુના પુત્રો. કશ્યપ અને કદ્રુના એક હજાર પુત્રો નાગ તરીકે પુરાણોમાં ઉલ્લેખ પામ્યા છે. એમાં શેષનાગ, વાસુકિ, કર્કોટક, શંખ, મહાશંખ, ઐરાવત, કંબલ, ધનંજય, મહાનીલ, પદ્મ, મહાપદ્મ, અશ્વતર, તક્ષક, એલાપત્ર, ધૃતરાષ્ટ્ર, બલાહક, શંખપાલ, પુષ્પદંત, શુભાનન, શંકુસોમા, બહુલ, વામન, પાણિન, કપિલ, દુર્મુખ, પતંજલિ, કૂર્મ, કુલિક, અનંત,…
વધુ વાંચો >નાગ (cobra)
નાગ (cobra) : ભારતમાં સર્વત્ર દેખાતો, સરીસૃપ વર્ગના સ્ક્વૅમાટા શ્રેણીના ઇલેપિડે કુળનો ઝેરી સાપ. ફેણ, નાગનું વિશિષ્ટ લક્ષણ. ત્રીજા ક્રમાંકથી ત્રીસ ક્રમાંકની પાંસળીઓ વચ્ચે આવેલું શરીર વિસ્તૃત બનવાથી ફેણનું નિર્માણ થાય છે. ફેણના પાછલા ભાગમાં ચશ્માંને મળતી એક આકૃતિ આવેલી હોય છે. આ આકૃતિ બે અથવા એક વર્તુળની બનેલી હોય…
વધુ વાંચો >નાગકેસર (નાગચંપો)
નાગકેસર (નાગચંપો) : દ્વિદળી વર્ગના ગટ્ટીફેરી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ mesua berrea Linn. (સં. नागकेसर, चाम्पेय, नागपुष्प; હિં. બં. તે. ક. નાગકેસર; ગુ. મ. નાગચંપો) છે. તે મધ્યમ કદથી માંડી ખૂબ મોટું, સદાહરિત વૃક્ષ છે. તેનું મુખ્ય પ્રકાંડ ટૂંકું હોય છે અને તલભાગે ઘણી વાર આધાર (buttress) ધરાવે છે.…
વધુ વાંચો >નાગચન્દ્ર (અગિયારમી શતાબ્દી)
નાગચન્દ્ર (અગિયારમી શતાબ્દી) : કન્નડ લેખક. એમણે રામચન્દ્રચરિત પુરાણ લખ્યું છે, જે ‘પંપ રામાયણ’ના તથા ‘મલ્લિનાથ પુરાણ’ના નામથી ઓળખાય છે. આ બંને કૃતિઓ ચંપૂ શૈલીમાં રચાઈ છે. ‘રામચન્દ્રચરિત પુરાણ’ 16 આશ્વાસમાં લખાઈ છે. એમાં 2343 કડીઓ છે, જ્યારે ‘મલ્લિનાથ પુરાણ’માં 14 આશ્વાસ છે અને 1471 કડીઓ છે. એમની કૃતિની શરૂઆતમાં…
વધુ વાંચો >નાગ જાતિ
નાગ જાતિ : અસમની ઉત્તરે પહાડોમાં વસતા લોકો. દેશના ઈશાન ખૂણામાં અસમની ઉત્તરે એક નાના સ્વતંત્ર રાજ્ય તરીકે ઓળખાતા 16,519 ચોકિમી. ક્ષેત્રફળવાળા, બ્રહ્મપુત્ર નદીની ખીણ અને નાગ ટેકરીઓવાળા પ્રદેશમાં રહેનારા લોકો. જૂના ઉલ્લેખોમાં નાગ તરીકે ઓળખાતા તે આ લોકો હશે. બીજી રીતે ઓછાં કપડાં પહેરતા હોઈ નગ્ન પરથી નાગ થયું…
વધુ વાંચો >નાગડા, ચાંપશીભાઈ
નાગડા, ચાંપશીભાઈ (જ. 22 નવેમ્બર 1920, ગઢવાલી, રાપર, કચ્છ; અ. 21 જાન્યુઆરી 2002, મુંબઈ) : ગુજરાતી ચલચિત્રોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર રંગમંચ અને ચલચિત્રોના કલાકાર તથા નિર્માતા. ચાંપશીભાઈ નાગડા કચ્છના વેપારી કુટુંબનું સંતાન હતા. પિતાનું નામ ભારમલ. શાળાંત સુધી અભ્યાસ કર્યો. માત્ર 19 વર્ષની વયે મુંબઈમાં નાટકો સાથે સંકળાયેલા ચાંપશીભાઈએ…
વધુ વાંચો >નાગદા
નાગદા : મધ્યપ્રદેશ રાજ્યનું એક ઔદ્યોગિક નગર. તે ઉજ્જૈન જિલ્લાના ખાયરોદ તાલુકામાં 23° 27´ ઉ. અ. અને 75° 25´ પૂ. રે. પર ઉજ્જૈનથી આશરે 45 કિમી. પર આવેલું છે. તેની પશ્ચિમે રતલામ, ઉત્તરે જાવરા, પૂર્વે મહિદપુર તથા દક્ષિણે ઉજ્જૈન આવેલાં છે. તે પશ્ચિમ રેલવેના મુંબઈ–દિલ્હી માર્ગ પર આવેલું જંકશન છે.…
વધુ વાંચો >નાગદાસક
નાગદાસક : ઈ. સ. પૂ. પાંચમી સદીમાં મગધનો રાજા. મગધના રાજા ઉદયભદ્ર-ઉદયનને ત્રણ પુત્રો અનિરુદ્ધ, મુંડ અને નાગદાસક હતા. ત્રણ ભાઈઓમાં નાગદાસક પ્રસિદ્ધ હોવાનું જણાય છે. પુરાણોમાં એને ‘દર્શક’ તરીકે ઓળખાવેલ છે. નાગદાસકના સમયમાં પારિવારિક ઝઘડા વધવા લાગ્યા. ષડ્યંત્ર અને હત્યાઓ થવા લાગી. રાજવંશ દુર્બળ થયો. શાસનવ્યવસ્થા ઢીલી પડવા લાગી.…
વધુ વાંચો >નાગનિકા
નાગનિકા : સાતવાહન વંશના પ્રતાપી રાજા શાતકર્ણિની રાણી. પુણે જિલ્લામાં આવેલ નાનાઘાટમાં આ રાજા-રાણીના દેહની પ્રતિકૃતિઓ કંડારવામાં આવેલી. તે હાલ સદંતર લુપ્ત થઈ ગઈ છે. તે પ્રતિકૃતિઓનાં મસ્તક ઉપર ‘દેવી નાગનિકા’ અને ‘રાજા શ્રીશાતકર્ણિ’નાં નામ કંડારેલાં છે. નાનાઘાટની ગુફાની દીવાલો ઉપર પ્રાકૃત ભાષામાં લખેલો એક લાંબો લેખ કોતરેલો છે. એમાં…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >