પુરાતત્વ

અક્કેડીઅન સંસ્કૃતિ

અક્કેડીઅન સંસ્કૃતિ : પ્રાચીન સમયમાં પશ્ચિમ એશિયામાં અક્કડના નામથી ઓળખાતા બેબિલોનિયાના ઉત્તર ભાગમાં ઈ. સ. પૂ. 3000ના ગાળામાં વસેલી અક્કેડીઅન પ્રજાની સંસ્કૃતિ. ઈ. સ. પૂ. 2750ની આસપાસ સારગોન પહેલાએ આ પ્રદેશનાં નગરોને એકત્રિત કર્યાં. પછી આ પ્રદેશ વ્યાપારી કેન્દ્ર તરીકે વિકાસ પામ્યો. સારગોને સુમેરિયનો ઉપર વિજય મેળવી પોતાની સત્તા ઈરાની…

વધુ વાંચો >

અગ્નિપુરાણ

અગ્નિપુરાણ : અઢાર પુરાણોમાંનું એક. તેનો ક્રમ આઠમો છે. ડૉ. હઝરા છેલ્લે ઉપલબ્ધ થયેલાં વહ્નિપુરાણોને જ મૌલિક અગ્નિપુરાણ માને છે, કારણ કે અગ્નિના મહિમાનું પ્રતિપાદન અગ્નિપુરાણમાં નથી, પણ વહ્નિપુરાણમાં છે અને નિબંધગ્રન્થોમાં અગ્નિપુરાણને નામે જે અવતરણો આપવામાં આવ્યાં છે તે અગ્નિપુરાણમાં નહિ, પણ વહ્નિપુરાણમાં છે. હાલના અગ્નિપુરાણમાં પાંચરાત્ર વૈષ્ણવ પૂજાઓનું…

વધુ વાંચો >

અગ્રવાલ, ડી. પી.

અગ્રવાલ, ડી. પી. (જ. 15 માર્ચ 1933, અલ્મોડા, હાલનું ઉત્તરાખંડ) : જાણીતા પુરાતત્વવિદ્. નામ ધરમપાલ. પુરાતત્વવિદ્યાનો ડિપ્લોમા તથા એ વિષયમાં પીએચ.ડી. ઉપાધિ મેળવી મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચમાં જોડાયા. 1973માં અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા(Physical Research Laboratory)માં સ્થળાંતર કર્યું. એમણે પુરાતત્વવિષયક છ પુસ્તકો લખ્યાં છે જેમાં મુખ્ય છે : ‘પ્રાચીન…

વધુ વાંચો >

અગ્રવાલ, વાસુદેવશરણ

અગ્રવાલ, વાસુદેવશરણ (જ. 7 ઓગસ્ટ 1904 ગાઝિયાબાદ, ઉત્તરપ્રદેશ; અ. 26 જુલાઈ 1967) : ભારતીય પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ, પ્રાચ્યવિદ્યા અને પુરાતત્ત્વના ખ્યાતનામ પંડિત. લખનૌના વણિક પરિવારમાં જન્મેલા પણ સ્વભાવે વિદ્યાપ્રેમી વાસુદેવશરણજી લખનૌ યુનિવર્સિટીમાંથી 1929માં એમ.એ. થયા. બનારસ વિશ્વવિદ્યાલયમાં વધુ અભ્યાસ અર્થે જોડાયા. 1940માં તેમની મથુરાના પુરાતત્ત્વ સંગ્રહાલયના ક્યૂરેટર તરીકે નિયુક્તિ થઈ.…

વધુ વાંચો >

અત્રંજી ખેડા

અત્રંજી ખેડા : આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક કાળનો સંસ્કૃતિદર્શક ટીંબો. તે ઉત્તરપ્રદેશના ઇટાવાથી 16 કિમી. ઉત્તરે કાળી નદીના જમણા કાંઠે આવેલો છે. તે 1,200 × 400 × 6થી 12 મીટર માપનો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રો. નૂરુલ હસન અને પ્રો. ગૌર દ્વારા 1961થી 1967 સુધી ઉત્ખનિત. તેના કુલ છ સાંસ્કૃતિક તબક્કાઓ…

વધુ વાંચો >

અત્રિ છોટુભાઈ મકનજી

અત્રિ છોટુભાઈ મકનજી (જ. 4 જાન્યુઆરી 1931, જામખંભાળિયા, જિ. જામનગર) : ગુજરાતના એક પુરાતત્વવિદ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન ખંભાળિયામાં. સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે સ્નાતક 1957માં. 1959માં સંસ્કૃત-ગુજરાતી સાથે એમ.એ.. 1959થી 1967 સુધી જૂનાગઢ સંગ્રહાલયમાં ક્યુરેટર. 1963થી 1965 સુધી દિલ્હી પુરાતત્વ ડિપ્લોમાના અભ્યાસમાં. 1967થી 1974 અધીક્ષક, પુરાતત્વવિદ, પશ્ર્ચિમ વર્તુળ,…

વધુ વાંચો >

અપરાજિતપૃચ્છા

અપરાજિતપૃચ્છા (12મી સદીનો ઉત્તરાર્ધ) : ગુજરાતમાં રચાયેલો પશ્ર્ચિમ ભારતીય વાસ્તુ, શિલ્પ, ચિત્ર, સંગીત અને નૃત્યકલાને લગતો સર્વસંગ્રહરૂપ ગ્રંથ. ગુજરાતના સોલંકી રાજા મૂળરાજ બીજા (1161)ના પુત્ર અપરાજિતને પ્રસન્ન કરવાના ઉદ્દેશથી કોઈ વાસ્તુવિદ્યાવિદે ‘ભુવનદેવાચાર્ય’ના ઉપનામથી આ અજોડ ગ્રંથ રચ્યો હોવાનું મનાય છે. ગ્રંથમાં પોતાના સહુથી નાના માનસપુત્ર અપરાજિતે પૂછેલા પ્રશ્નોના વાસ્તુવિદ્યાના દેવતા…

વધુ વાંચો >

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન દક્ષિણ-મધ્ય એશિયામાં આવેલો દેશ. સત્તાવાર નામ : ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાન. જ્યાં પ્રમુખશાહી ઇસ્લામિક પ્રજાસત્તાક સરકાર છે. વિસ્તાર : 6,52,230 ચો.કિમી. પાટનગર-કાબુલ. આ ભૂમિબંદિસ્ત દેશની ઉત્તરે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તજાકિસ્તાન; પશ્ચિમે ઈરાન; દક્ષિણે અને પૂર્વે પાકિસ્તાન તથા ઈશાને ચીન આવેલું છે. તેને દરિયાકિનારો નથી. તેનાથી અરબી સમુદ્ર દક્ષિણે 482.7 કિમી.…

વધુ વાંચો >

અભિલેખ

અભિલેખ : કોતરેલું લખાણ. શિલા પર કોતરેલા લખાણને ‘શિલાલેખ’ કહે છે. એ મુદ્રા, શૈલ, ફલક, તકતી, સ્તંભ, યષ્ટિ, પાળિયા, ભાણ્ડ, મંજૂષા, સમુદગક, ગુફાભિત્તિ કે પ્રતિમા રૂપે હોય છે. માટી, ઈંટ-મુદ્રાંક, મૃદભાણ્ડ, શંખ, હાથીદાંત અને કાષ્ઠ પર પણ લેખ કોતરાય છે. સોનું, ચાંદી, તાંબું, પિત્તળ, કાંસું, લોઢું વગેરે ધાતુઓનાં પતરાં; સિક્કા,…

વધુ વાંચો >

અભિલેખવિદ્યા

અભિલેખવિદ્યા : અભિલેખ(કોતરેલા લખાણ)ને લગતી વિદ્યા. એના અભ્યાસીને તે તે દેશ કે પ્રદેશની તે તે કાળની લિપિ તથા ભાષાની જાણકારી હોવી જોઈએ. પ્રાચીન અભિલેખો વાંચવા માટે પ્રાચીન લિપિવિદ્યા જાણવી અનિવાર્ય છે. અભિલેખના સંપાદનમાં લેખનું લિપ્યંતર તથા તેનું ભાષાંતર કે તેનો સાર, વિવેચન તથા મૂળ લેખની છાપ કે છબી સાથે આપવામાં…

વધુ વાંચો >