અભિલેખ : કોતરેલું લખાણ. શિલા પર કોતરેલા લખાણને ‘શિલાલેખ’ કહે છે. એ મુદ્રા, શૈલ, ફલક, તકતી, સ્તંભ, યષ્ટિ, પાળિયા, ભાણ્ડ, મંજૂષા, સમુદગક, ગુફાભિત્તિ કે પ્રતિમા રૂપે હોય છે. માટી, ઈંટ-મુદ્રાંક, મૃદભાણ્ડ, શંખ, હાથીદાંત અને કાષ્ઠ પર પણ લેખ કોતરાય છે. સોનું, ચાંદી, તાંબું, પિત્તળ, કાંસું, લોઢું વગેરે ધાતુઓનાં પતરાં; સિક્કા, વાસણો, પ્રતિમાઓ, તકતીઓ, સ્તંભો, આયુધો વગેરે પર પણ લેખ કોતરાય છે. એમાં ‘તામ્રપત્ર’ સુપ્રસિદ્ધ છે. એના પર પ્રાય: ભૂમિદાનને લગતાં શાસન (ખત) કોતરાતાં. કોતરેલાં બીબાંની છાપ લગાવીને પાડેલા મુદ્રાંક-લેખો તથા સિક્કા-લેખોનો પણ અભિલેખમાં સમાવેશ કરવામાં આવે છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી