દશરથલાલ વેદિયા

કુંડલિની શક્તિ

કુંડલિની શક્તિ : નાભિપ્રદેશ નીચે કુંડલિની આકારે રહેલી શક્તિ. આ શક્તિ વિશે હંસોપનિષદ, ત્રિશિખ બ્રાહ્મણ ઉપનિષદ, યોગશિખોપનિષદ, ધ્યાનબિન્દુ-ઉપનિષદ અને પ્રશ્નોપનિષદમાં વિગતે રજૂઆતો છે. શ્રી ગૌડપાદાચાર્ય-રચિત ‘સુભગોદય’, શ્રી આદિશંકરાચાર્ય-રચિત ‘સૌન્દર્યલહરી’ વગેરેમાં તેના વિશે વિસ્તૃત રજૂઆત છે. ‘કુલાર્ણવતન્ત્ર’, ‘વિજ્ઞાનભૈરવતન્ત્ર’ તથા ‘શ્રી વિદ્યા’ વગેરે દશ મહાવિદ્યાઓમાં તેનું વિગતે વિવરણ મળે છે. હિન્દુ તત્વજ્ઞાન…

વધુ વાંચો >

કૌટિલ્ય

કૌટિલ્ય : પ્રસિદ્ધ અર્થશાસ્ત્ર-વિષયક ગ્રંથના કર્તા વિષ્ણુગુપ્ત ચાણક્ય. તેઓ તેમની રાજનીતિ આદિ વિષયોની વિદ્વત્તાને કારણે વિખ્યાત છે. ‘કૌટિલીય અર્થશાસ્ત્ર’ નામનો તેમનો રાજનીતિવિષયક ગ્રંથ વિશ્વના આ વિષયના પ્રાચીન ગ્રંથોમાં અગ્રિમ સ્થાન ધરાવે છે. ‘ચાણક્ય’ નામ તેમના પિતા ચણકના નામ ઉપરથી પડેલું છે. બુંદેલખંડના નાગૌંદાનગર સમીપના ચણક (આધુનિક નાચના) ગામના નિવાસી હોવાથી…

વધુ વાંચો >

વરાહ (અવતાર)

વરાહ (અવતાર) : હિંદુ પુરાણોમાં માનવામાં આવેલો ભગવાન વિષ્ણુનો મુખ્ય અવતાર. કુલ દસ અવતારોમાં વિષ્ણુનો આ ત્રીજો અવતાર છે. હિરણ્યાક્ષ નામના અસુરના વધ માટે આ અવતાર લીધો હતો. આ યજ્ઞ વરાહ તરીકે જાણીતો અવતાર છે. છેક ઋગ્વેદમાં ઇંદ્ર દ્વારા વરાહના વધની કથા આવે છે. (ઋ.વે. 10/99/6) તૈત્તિરીય સંહિતામાં પ્રજાપતિએ વરાહ…

વધુ વાંચો >

વરાહપુરાણ

વરાહપુરાણ : પ્રાચીન ભારતીય પુરાણસાહિત્યનો ગ્રંથ. વરાહપુરાણ એક સાત્ત્વિક અને વૈષ્ણવ પુરાણ છે. વિષ્ણુએ વરાહ અવતાર લઈ હિરણ્યાક્ષે પૃથ્વીને સમુદ્રમાં છુપાવેલી તેનો ઉદ્ધાર કર્યો ત્યારે પૃથ્વીએ વરાહને પૂછેલા પ્રશ્ર્નોના ઉત્તર રૂપે આ પુરાણ કહેવાયું છે. આ ઉપલબ્ધ પુરાણના 12,000 શ્ર્લોકો અને 218 અધ્યાયો છે. ધાર્મિક પૂજન-અર્ચન, વ્રત-ઉપવાસ, તીર્થો, યાત્રાનાં સ્થાનો,…

વધુ વાંચો >

વામન અવતાર

વામન અવતાર : હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુએ લીધેલો પાંચમો અવતાર. વિષ્ણુએ ઇન્દ્રના રક્ષણ અને વૈરોચન બલિના બંધન માટે આ અવતાર લીધો હતો. ઋગ્વેદમાં આ અવતારનો સ્રોત મળે છે. વિષ્ણુએ ત્રણ ડગલાંથી સમગ્ર સૃદૃષ્ટિને વ્યાપી લીધી. (ઋ. 12-2-1718) ગોપ રક્ષણહાર અને કોઈથી ન દબાય તેવા વિષ્ણુએ ત્રણ ડગ ભર્યાં. તેથી ધર્મોને…

વધુ વાંચો >

વામન પુરાણ

વામન પુરાણ : પ્રાચીન ભારતીય પુરાણસાહિત્યમાંનો એક ગ્રંથ. વિષ્ણુના વામન અવતાર સાથે સંકળાયેલું વૈષ્ણવ પુરાણ. આ વૈષ્ણવ પુરાણમાં કુલ 95 અધ્યાયો છે. આરંભે વર્ષાકાળના વર્ણન પછી નરની ઉત્પત્તિ, શંકરને લાગેલી બ્રહ્મહત્યા, વિષ્ણુ અને વીરભદ્રનું સ્વરૂપ અને શિવ દ્વારા કામદહન વર્ણવાયાં છે (1-6). અધ્યાય 51-53માં શંકરનો મંદરગિરિ પ્રવેશ, કાલીવિવાહ, કાલીનું પાણિગ્રહણ…

વધુ વાંચો >

વાસ્તોષ્પતિ

વાસ્તોષ્પતિ : વેદ અને પુરાણોમાં વર્ણવાયેલા એક દેવતા. પ્રાચીન સમયમાં માનવી ગુફાઓ, નદીકાંઠે કે જંગલમાં રહેતો હતો. વૃક્ષની ડાળીઓને એકબીજા સાથે જોડાતી જોઈ તેને ઘરનો ખ્યાલ પર્ણકુટિ રૂપે આવ્યો. કાળક્રમે તેમાંથી ઘરની કલ્પના સાકાર થઈ. મોહેં-જો-દડોનું ઉત્ખનન ઈ. પૂ. 5000 લગભગ થયું ત્યારે ગૃહરચના અને નગરરચના મૂર્ત થઈ ચૂકી હતી.…

વધુ વાંચો >

શકુનશાસ્ત્ર

શકુનશાસ્ત્ર : શકુન-અપશકુનનું શાસ્ત્ર. પ્રાચીન ભારતીય જ્યોતિષનો સ્રોત વૈદિક જ્યોતિષ (જ્યોતિષવેદાંગ) મનાય છે. પરંતુ શકુનવિદ્યાનાં મૂળ વેદમાં મળે છે. ‘કપોત સૂક્ત’ (10/165) તેનું ઉદાહરણ છે. ઘરમાં કપોત (હોલો) પ્રવેશે તે અપશુકન છે. કાળું પક્ષી પણ ઘરમાં પ્રવેશે તે અપશુકન છે. શકુનને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તના શુભ અને અશુભ પ્રકાર…

વધુ વાંચો >

શાલિગ્રામ

શાલિગ્રામ : ભગવાન વિષ્ણુનું કાળા અને લીલા ગોળ પથ્થરનું સ્વરૂપ. ગંડકી અને ગોમતીમાંથી ઉત્પન્ન થયેલી વજ્રકોટિએ કોરેલી ચક્રયુક્ત શિલાને શાલગ્રામ કે શાલિગ્રામ કહે છે. આ સિવાય દ્વારકામાં પણ આવી શિલા મળે છે. આ શિલામાં ભગવાન વિષ્ણુનો વાસ મનાય છે. આ શિલામાં દેવની પ્રતિષ્ઠા કરવાની હોતી નથી. આ શિલાને વિષ્ણુ ગણી…

વધુ વાંચો >

શુદ્ધીકરણ

શુદ્ધીકરણ : વ્યક્તિનાં શરીર અને મન અશુદ્ધ થાય તેને હિંદુ ધર્મશાસ્ત્રના આધારે શુદ્ધ કરવાની ક્રિયા. મનુ, યાજ્ઞવલ્ક્ય, નારદ, પરાશર આદિની સ્મૃતિઓ વિશ્વરૂપ, મેધાતિથિ, વિજ્ઞાનેશ્વર વગેરેની ટીકાઓ તેમજ લક્ષ્મીધરનું ‘કલ્પતરુ’, દેવજ્ઞ ભટ્ટની ‘સ્મૃતિચંદ્રિકા’, હેમાદ્રિનું ‘ચતુર્વર્ગચિન્તામણિ’, ‘નિર્ણયસિન્ધુ’, ‘ધર્મસિન્ધુ’, ‘સ્મૃતિસમુચ્ચય’ વગેરે નિબંધગ્રંથો ધર્મશાસ્ત્રીય નિર્ણય માટે પ્રમાણભૂત બન્યા છે. દેશ, કાળ, કુળ કે જાતિના…

વધુ વાંચો >