Sociology
દફન
દફન : શબનો નિકાલ કરવાની એક વિધિ. દફનનો વિધિ સૌથી જૂનો છે. વિશ્વના સૌથી જૂના નિયેન્ડરથલ માનવના દફન અવશેષો ઇરાકમાં ઉત્તરે શાનદાર ગુફામાં મળ્યા છે, જે 62,000 વર્ષના જૂના ગણાય છે. આદિ માનવ મરણ વિશે શું ધારતો હતો, તે આપણે જાણતા નથી. સામાન્ય રીતે તે શબને ત્યજી દેતો હતો. કદાચ,…
વધુ વાંચો >દયાનંદ સરસ્વતી, સ્વામી
દયાનંદ સરસ્વતી, સ્વામી (જ. 1825, ટંકારા, જિ. રાજકોટ; અ. 30 ઑક્ટોબર 1883, અજમેર) : આર્યસમાજના સ્થાપક. વેદોના ઊંડા અભ્યાસી. અગ્રણી સમાજસુધારક અને મહાન દેશભક્ત. દયાનંદનો જન્મ સારી સ્થિતિના, શિવમાર્ગી ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા કરસનજી લાલજી ત્રિવેદી જમીનદાર અને ધીરધાર કરનાર હતા. દયાનંદનું સાંસારિક નામ મૂળશંકર હતું. તેર…
વધુ વાંચો >દયાનંદ સ્વામી
દયાનંદ સ્વામી (જ. 1789, રેથળ, તા. સાણંદ; અ. 1866, વિસનગર) : સ્વામિનારાયણ સંપ્રદાયના – મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી અને દયાનંદ સ્વામી – અષ્ટ સંતકવિઓ પૈકીના એક. પૂર્વાશ્રમનું નામ લાલજી. પિતા સુંદરજી. માતા અમૃતબાઈ. જ્ઞાતિ લોહાણા. 21 વર્ષના લાલજીને ભગવાન સ્વામિનારાયણે…
વધુ વાંચો >દરજ્જો
દરજ્જો : દરજ્જો અને ભૂમિકાની વિભાવના રાલ્ફ લિંટને (1893–1953) પોતાના અભ્યાસ ‘ધ સ્ટડી ઑવ્ મૅન’(1936)માં આપી છે. દરજ્જો સમાજમાં વ્યક્તિના સ્થાન કે હોદ્દાનો નિર્દેશ કરે છે. દરજ્જાનાં મૂળ સામાજિક ધોરણોમાં છે કારણ કે ધોરણો વ્યક્તિને હકો અને ફરજો આપે છે; દા. ત., શિક્ષક અને વિદ્યાર્થીનો દરજ્જો. દરજ્જા અર્પિત અને પ્રાપ્ત…
વધુ વાંચો >દલવાઈ, હમીદ
દલવાઈ, હમીદ (જ. ૨9 સપ્ટેમ્બર 1932, મિરજોળી, જિ. રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 3 મે 1977, મુંબઈ) : મહારાષ્ટ્રના બુદ્ધિનિષ્ઠ અને કર્મઠ સમાજસુધારક. તેમણે શાળાનું શિક્ષણ ચિપલૂણમાં અને કૉલેજશિક્ષણ મુંબઈમાં લીધું હતું. મુસ્લિમ સમાજમાં સુધારાપ્રવૃત્તિને વેગ આપવા 1966માં ‘ઇન્ડિયન સેક્યુલર સોસાયટી’ની સ્થાપનામાં તે સહભાગી થયા. ત્યારપછી માર્ચ, 1970માં સ્થપાયેલ ‘મુસ્લિમ સત્યશોધક મંડળ’ની…
વધુ વાંચો >દલિત પૅંથર
દલિત પૅંથર : પોતાના સામાજિક અને આર્થિક શોષણ સામે સામૂહિક રીતે લડત આપવા ભારતના દલિત વર્ગના યુવાનોએ ઊભું કરેલ સંગઠન. સદીઓથી કહેવાતા ઉજળિયાત વર્ગના હાથે શોષણનો શિકાર બનેલી જાતિઓ ભારતમાં દલિત તરીકે ઓળખાય છે. સદીઓથી તેમની સાથે અમાનવીય અને ભેદભાવપૂર્ણ વ્યવહાર કરીને, તેમને અસ્પૃશ્ય ગણીને હિંદુ સમાજે તેમને ઘોર અન્યાય…
વધુ વાંચો >દવે, જુગતરામ
દવે, જુગતરામ (જ. 1 સપ્ટેમ્બર 1892, વઢવાણ; અ. 14 માર્ચ 1985, વેડછી) : ગાંધીવાદી રચનાત્મક કાર્યકર અને સ્વાતંત્ર્યસેનાની. સૌરાષ્ટ્રના ઝાલાવાડ(સુરેન્દ્રનગર જિલ્લો)ની ભૂમિમાં મૂળ વીરમગામથી લખતર જઈને વસેલા એક સંસ્કારી પરિવારમાં તેમનો જન્મ. પિતાનું નામ ચીમનલાલ અને માતાનું નામ ડાહીબહેન. જુગતરામભાઈના પિતા ઝાલાવાડથી મુંબઈ નોકરી માટે ગયેલા, ત્યાં પ્લેગનો રોગ ફાટી…
વધુ વાંચો >દવે, સોમનાથ પ્રભાશંકર
દવે, સોમનાથ પ્રભાશંકર (જ. 18 ઑક્ટોબર 1906, રાણપુર; અ. 5 જાન્યુઆરી 1959, મુંબઈ) : ગુજરાતના મજૂર સંગઠન મજૂર મહાજનના ગાંધીવાદી કાર્યકર. વિ. સં. 1963ના બેસતા વર્ષના દિવસે નબળા દેહ સાથે જન્મ. સૌની ચિંતા દૂર કરતાં મોટાબાપા નારણજીએ તેમના વિશે ઊજળી ભવિષ્યવાણી ભાખેલી. તેમનું બાળપણ વિકટ સંજોગોમાં પસાર થયું. માતા મરકીનો…
વધુ વાંચો >દસ્યુ
દસ્યુ : એક પ્રાચીન આર્યવિરોધી પ્રજા. ઋગ્વેદ(1-51-8, 1-103-3, 1-117-21; 2-11-18 ને 19; 3-34-9, 6-18-3, 7-5-6, 10-83-6)માં દસ્યુઓને આર્ય (સંસ્કારી) ભારતીયોના શત્રુઓ કહેવામાં આવ્યા છે; અન્યત્ર (5-70-3, 10-83-6) એમને ચોક્કસ પ્રકારની પ્રજા કહેવામાં આવ્યા છે. આ દસ્યુઓને ‘અકર્મા’ (કર્મકાંડ ન કરનારા, 10-22-8), ‘અદેવયુ, (દેવોના વિષયમાં ઉપેક્ષાવૃત્તિવાળા, 8-70-11), ‘અબ્રહ્મન્ (બેવફા કે ભક્તિહીન,…
વધુ વાંચો >દહેજ
દહેજ : ભારતીય લગ્નવ્યવસ્થાના દૂષણ-સ્વરૂપે વિકસેલી સામાજિક પ્રથા. આ દેશવ્યાપી પ્રથાએ લગ્નસંસ્થા અને સ્ત્રીના સામાજિક દરજ્જા સંદર્ભે ગંભીર પ્રશ્નો અને પડકારો સર્જ્યા છે. હિન્દુઓ, મુસ્લિમો તેમજ ખ્રિસ્તીઓમાં દહેજની બદી ફેલાયેલી છે. હિન્દુઓમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. આ બંધન ત્યારે જ માન્ય ગણાય છે જ્યારે તેમાં કન્યાદાન અપાયું હોય.…
વધુ વાંચો >