Sociology

જાતિ-ઉચ્છેદ

જાતિ-ઉચ્છેદ : કોઈ જાતિ, નૃવંશીય, ધાર્મિક કે રાજકીય જૂથનું ઇરાદાપૂર્વક તથા યોજનાબદ્ધ નિકંદન. 1933–45 દરમિયાન યુરોપમાં બનેલી ઘટનાઓના સંદર્ભમાં રાફેલ લૅમકિન નામના પોલિશ-અમેરિકન વિદ્વાને ગ્રીક શબ્દ ‘genos’ એટલે કે જાતિવિષયક જૂથ તથા લૅટિન શબ્દ ‘cide’ એટલે કે હત્યા આ બે જુદા જુદા શબ્દોના મિશ્રણથી ‘genocide’ શબ્દ 1944માં પ્રચલિત કર્યો. માનવજાતિના…

વધુ વાંચો >

જાહેર ઉત્તરદાયિત્વ

જાહેર ઉત્તરદાયિત્વ : સામાજિક હેતુઓની સિદ્ધિ માટે જાહેર નાણાંનો ઉપયોગ કરીને અસ્તિત્વમાં આવેલા જાહેર ક્ષેત્રના ઉપક્રમો (undertakings) સંબંધે વિધાનમંડળ દ્વારા જનતા તરફ ઉત્તરદાયિત્વ (જવાબદારી). કોઈ પણ સાહસના સંચાલકો તેના માલિકો પ્રત્યે ઉત્તરદાયિત્વ ધરાવે છે. ખાનગી કંપનીઓના સંચાલકોનું ઉત્તરદાયિત્વ તેમના માલિકો એટલે કે શેરધારકો પ્રત્યે હોય છે. ઉત્તરદાયિત્વનો પ્રશ્ન સરકારની માલિકીનું…

વધુ વાંચો >

જાહેર ઉપયોગિતા

જાહેર ઉપયોગિતા : નાગરિકોના રોજિંદા જીવનને સીધી રીતે સ્પર્શતી આવશ્યક વસ્તુઓ કે સેવા. દા.ત., પાણી-પુરવઠો, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, વીજળી-પુરવઠો, જાહેર સ્વાસ્થ્યની સેવા વગેરે. આવી વસ્તુઓ કે સેવા પૂરી પાડવાની પ્રક્રિયા સાથે વિશિષ્ટ પ્રકારની તકનીક સંકળાયેલી હોવાથી તેના પર મહદ્ અંશે રાજ્યનું નિયંત્રણ હોય છે તથા તેના ઉત્પાદન ઘટકો તેના પુરવઠા પર…

વધુ વાંચો >

જાહેર નિગમ

જાહેર નિગમ : સંસદ કે વિધાનસભાના ખાસ ધારાથી અલગ વ્યક્તિત્વ અને આંતરિક સ્વાયત્તતા ધરાવતી અને જાહેર હેતુ માટે રચવામાં આવેલી પેઢી. જેમ કે નૅશનલ ટેક્સ્ટાઇલ કૉર્પોરેશન, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન, ઇન્ડિયન ઍરલાઇન્સ કૉર્પોરેશન, લાઇફ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા વગેરે જાહેર નિગમો છે. ખાસ કાયદાથી સ્થાપના, રાજ્યની માલિકી, આંતરિક સ્વાયત્તતા,…

વધુ વાંચો >

જાંભેકર, હરિ ગોવિંદ

જાંભેકર, હરિ ગોવિંદ (જ. 2 ડિસેમ્બર 1914, ગણદેવી, જિલ્લો સૂરત. અ. 17 ઑગસ્ટ 2011 અમદાવાદ) : ગુજરાત અને ખાસ કરી અમદાવાદના અગ્રણી સામાજિક કાર્યકર અને સેવાભાવી મેડિકલ પ્રૅક્ટિશનર. 1941માં અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજમાંથી એલ. સી. પી. ઍન્ડ એસ. (મુંબઈ) તથા 1976માં ડિપ્લોમા ઇન સ્પૉર્ટ્સ-મેડિસિનની પરીક્ષાઓ પસાર કરી. 1942થી અમદાવાદમાં…

વધુ વાંચો >

જિહોવાના સાક્ષીઓ

જિહોવાના સાક્ષીઓ : ચાર્લ્સ ટેઝ રસેલે પિટ્સબર્ગ, પેન્સિલવેનિયા, યુ.એસ.માં 1872માં શરૂ કરેલા ‘આંતરરાષ્ટ્રીય બાઇબલ વિદ્યાર્થી સંમેલન’માંથી વિકસેલી સંસ્થા. જોકે જિહોવાના સાક્ષીઓ એવું નામાભિધાન તો રસેલના અનુગામી જૉસેફ ફ્રૅન્કલિન રુથરફૉર્ડે કર્યું. તેમના અનુગામી નાથાન હોમર નૉરે ‘વૉચ ટાવર બાઇબલ સ્કૂલ ઑવ્ ગિલ્યાદ’ની સ્થાપના કરી. અન્ય સંપ્રદાયોમાંથી અને રાજકારણથી તે પોતાને તદ્દન…

વધુ વાંચો >

જીવનધોરણ

જીવનધોરણ : સમગ્ર પ્રજા કે કોઈ એક વર્ગના જીવનવ્યવહારના આર્થિક સ્તરની કક્ષા. સામાન્ય રીતે આવક અને સંપત્તિની વહેંચણી ધ્યાનમાં લઈને સમાજને ત્રણ મુખ્ય આર્થિક વર્ગોમાં વહેંચવામાં આવે છે : (1) ગરીબ અથવા નીચલો વર્ગ, (2) મધ્યમવર્ગ, (3) તવંગર અથવા ધનિક વર્ગ. જે વર્ગના લોકો જીવનની લઘુતમ સપાટીએ અથવા તેનાથી પણ…

વધુ વાંચો >

જૈન, શ્રેયાંસપ્રસાદ

જૈન, શ્રેયાંસપ્રસાદ (જ. 3 નવેમ્બર 1908, નાજીબાબાદ; અ. 17 માર્ચ 1992, મુંબઈ) : ભારતના જાણીતા ઉદ્યોગપતિ તથા અગ્રણી સમાજસેવક. જાણીતા જમીનદાર શાહુ કુટુંબમાં જન્મેલા શ્રેયાંસપ્રસાદને નાનપણથી કુટુંબની મિલકતના વહીવટની જવાબદારી ઉઠાવવી પડી. સાથોસાથ યુવાન વયે નાજીબાબાદ નગરપાલિકાના ઉપપ્રમુખ તથા બિજનોર જિલ્લા બોર્ડની શિક્ષણ સમિતિના અધ્યક્ષની કામગીરી માથે લીધી. લાહોરની એક…

વધુ વાંચો >

જૌહર

જૌહર : દુશ્મનો સામે હાર નિશ્ચિત જણાય ત્યારે આક્રમણખોરોથી સ્વધર્મ અને શીલની રક્ષા માટે થતો સ્ત્રીઓનો સામૂહિક અગ્નિપ્રવેશ. ભારતના ઇતિહાસમાં સ્ત્રીઓ જૌહર કરતી તેના કેટલાક ઉલ્લેખ પ્રાપ્ત થયા છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે જૌહરની પ્રથા માત્ર રાજપૂતોમાં જ પ્રચલિત હતી; પરંતુ રાજપૂત ઇતિહાસ પૂર્વે પણ જૌહરના બનાવના…

વધુ વાંચો >

જ્ઞાતિ

જ્ઞાતિ : હિંદુઓની સમાજરચના અંગેની એક વ્યવસ્થા. માનવ- ઇતિહાસના કોઈ પણ તબક્કાને તપાસીએ તો સમાજનું કોઈ ને કોઈ રીતે વિભાગીકરણ થયેલું જણાશે. આ વિભાગીકરણ સામાન્ય રીતે સામાજિક અને આર્થિક સંદર્ભે થયું છે. ભારતીય સંદર્ભમાં ખાસ કરીને હિંદુ સમાજ જ્ઞાતિના આધારે અસમાન રીતે વિભાજિત રહ્યો છે. જ્ઞાતિવ્યવસ્થાના મૂળમાં રહેલી સામાજિક-આર્થિક અસમાનતાને…

વધુ વાંચો >