Religious mythology

સાંકૃત્યાયન રાહુલ

સાંકૃત્યાયન, રાહુલ (જ. 9 એપ્રિલ 1893, પન્દ્રાહા, જિ. આઝમગઢ, ઉત્તર પ્રદેશ; અ. એપ્રિલ 1963) : સર્વતોમુખી સર્જક પ્રતિભા ધરાવનાર નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, ચરિત્રલેખક, ચિંતક તથા વિશ્વયાત્રી. મૂળ નામ કેદારનાથ પાંડેય. બાળપણમાં જ્ઞાનપિપાસાથી પ્રેરાઈને ગૃહત્યાગ કર્યો. મૂળ નામ બદલીને બિહારમાં રામઉદારદાસ નામ ધારણ કરી વૈષ્ણવ સાધુ બની ગયા. પછી હિન્દુ ધર્મનો…

વધુ વાંચો >

સાંખ્યદર્શન

સાંખ્યદર્શન : સૌથી પ્રાચીન ભારતીય દર્શન. આ દર્શનના પ્રવર્તક કપિલ મુનિ હતા. તેઓ શ્રેષ્ઠ સિદ્ધ અને ભગવાનની વિભૂતિ હતા એમ ભગવદગીતા કહે છે. આ દર્શનનાં સૂત્રો પાછળથી રચાયેલાં છે તેથી કપિલે ‘તત્વસમાસ’ જેવા ગ્રંથની રચના કરી હશે અને તેમણે આ દર્શનને પ્રવર્તાવેલું એમ કહી શકાય. પ્રસ્તુત દર્શનનું નામ સાંખ્ય પડવાનું…

વધુ વાંચો >

સાંચીનો સ્તૂપ

સાંચીનો સ્તૂપ : આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ બૌદ્ધ સ્થાપત્ય. મધ્યપ્રદેશમાં વિદિશા અર્થાત્ વર્તમાન ભીલસાથી સાડાપાંચ માઈલ દૂર સાંચીનું સ્થળ આવેલું છે. આ સ્થળે મોટી સંખ્યામાં બૌદ્ધ સ્થાપત્યના અવશેષો આવેલા છે, જે ‘ભીલસા ટૉપ્સ’ના નામે ઓળખાય છે. અહીં આવેલા ત્રણ સ્તૂપો પૈકી સૌથી મોટો સ્તૂપ જગપ્રસિદ્ધ છે. સાંચીનો અસલ સ્તૂપ ઈંટેરી હતો અને…

વધુ વાંચો >

સિનેગૉગ

સિનેગૉગ : યહૂદીઓનું ધાર્મિક સ્થાન. ‘સિનેગૉગ’ – એ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘લોકોની સભા’ (assembly of people) અથવા ‘ઉપાસના માટેની સભા’ (congregation). તે વિશાળ ઇમારત પણ હોઈ શકે અથવા નાનકડો ખાલી ઓરડો પણ હોઈ શકે, જ્યાં લોકો પ્રાર્થના માટે એકઠા થઈ શકે. ઈ. પૂ. છઠ્ઠી સદીમાં બૅબિલૉનથી…

વધુ વાંચો >

સિન્ક્રૉનિઝમ (synchronism)

સિન્ક્રૉનિઝમ (synchronism) : પૅરિસમાં 1912માં બે ચિત્રકારો મૉર્ગન રસેલ અને સ્ટૅન્ટન મૅક્ડૉનાલ્ડ રાઇટ દ્વારા શરૂ કરવામાં આવેલી માત્ર રંગો પર ખાસ ભાર મૂકતી અમૂર્ત ચિત્રકલાની શાખા. આ ચિત્રોમાં રંગરંગીન વમળોની સૃદૃષ્ટિ જોવા મળે છે. એ બંનેએ આ પ્રકારનાં ચિત્રો ચીતરવાની પ્રેરણા ઑર્ફિઝન શાખાના કાર્યરત ચિત્રકારો રૉબર્ટ ડેલોને અને ફ્રૅન્ટિસેક કુટકામાંથી…

વધુ વાંચો >

સિલ્વેસ્ટર-1, સંત (જ. 275, રોમ; અ. 335, રોમ)

સિલ્વેસ્ટર–1, સંત (જ. 275, રોમ; અ. 335, રોમ) : કૅથલિક સંપ્રદાયના વડા પોપ. તેઓ જન્મે રોમન હતા અને ઈ. સ. 314થી 335 સુધી પોપ હતા. પોપ થયા તેના થોડા સમય અગાઉ રોમન સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને તેના સામ્રાજ્યમાં ખ્રિસ્તી ધર્મની તરફેણમાં ધાર્મિક સ્થિતિમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા હતા. સિલ્વેસ્ટર વિશે આધારભૂત માહિતી ઘણી…

વધુ વાંચો >

સિંહનાદ

સિંહનાદ : મહાયાન સંપ્રદાયમાં અવલોકિતેશ્વરનું રોગવિનાશક ઉગ્ર સ્વરૂપ. અવલોકિતેશ્વર બોધિસત્વ તરીકે ચીન, જાપાન, તિબેટ તેમજ પ્રાચીન ભારતમાં ખૂબ લોકપ્રિય હતા. ધ્યાની બુદ્ધ અમિતાભ અને તેમની બુદ્ધશક્તિ પાંડરામાંથી પ્રગટેલા અવલોકિતેશ્વરનાં બધાં સ્વરૂપોમાં મસ્તક પર ધ્યાની બુદ્ધ અમિતાભને ધારણ કરેલા બતાવાય છે. એમનાં પૂજાતાં વિવિધ સ્વરૂપો પૈકી પંદર સ્વરૂપોનું સાધનમાલામાં નામજોગ વર્ણન…

વધુ વાંચો >

સીડોન

સીડોન : પ્રાચીન ફિનિશિયાનું, ભૂમધ્ય સમુદ્ર પરનું બંદર અને વેપારનું મથક. તે લૅબેનોનના કિનારે, બૈરુતની દક્ષિણે 40 કિમી. દૂર આવેલું છે. પ્રાચીન સમયમાં તે કાચ, રંગ તથા દારૂના ઉદ્યોગો માટે જાણીતું હતું. ત્યાં અલંકારોના ધાતુકામના અને કાપડ-વણાટના ઉદ્યોગો પણ હતા. પ્રાચીન સમયથી તે વેપારનું મથક છે. ત્યાંના વિશાળ બગીચાઓમાં થતાં…

વધુ વાંચો >

સુકન્યા

સુકન્યા : રાજા શર્યાતિની પુત્રી અને ચ્યવન ઋષિની પત્ની. શર્યાતિના પુત્રોએ ભાર્ગવ ચ્યવનને હેરાન કર્યા અને ચ્યવન ઋષિએ શાર્યાતોમાં વિગ્રહ કરાવ્યો. તેથી શર્યાતિ રાજાએ પોતાની સુકન્યા નામે યુવાન પુત્રી વૃદ્ધ ચ્યવન સાથે પરણાવીને ઋષિને પ્રસન્ન કર્યા એવી એક વાત શતપથ બ્રાહ્મણમાં આપવામાં આવી છે. અશ્ર્વિનીકુમારોની કૃપાથી વૃદ્ધ ચ્યવન પુનર્યૌવન પામ્યા…

વધુ વાંચો >

સુખવાદ

સુખવાદ (Hedonism) : એક મહત્ત્વનો મૂલ્યનિરૂપક નીતિશાસ્ત્ર(normative ethics)નો સિદ્ધાંત. પાશ્ર્ચાત્ય નીતિશાસ્ત્રમાં મનુષ્યોનાં કાર્યોનું નૈતિક મૂલ્યાંકન કરવાના જે કેટલાક સિદ્ધાંતો છે તેમાંનો તે એક છે. પાશ્ર્ચાત્ય નીતિશાસ્ત્રમાં પરિણામવાદી (consequentialist) અને અપરિણામવાદી (non-consequentialist) – એમ બે પ્રકારના નૈતિક સિદ્ધાંતો છે, તેમાં સુખવાદ એ પરિણામવાદી નૈતિક સિદ્ધાંત છે. નૈતિક પરિણામવાદ પ્રમાણે માત્ર એવાં…

વધુ વાંચો >