રસેશ જમીનદાર

ઉર

ઉર : સુમેરનું પૂર્વકાલીન નગરરાજ્ય. તે ઇરાકમાં ફરાત નદીની દક્ષિણે દશ કિલોમિટર દૂર ખંડેર રૂપે આવેલું છે. બાઇબલમાં એને ઇબ્રાહીમનું મૂલસ્થાન ગણાવ્યું છે. ઉરમાં થયેલા ઉત્ખનનથી હજારો કબરો હાથ લાગી છે. આ કબરોમાંથી પ્રાપ્ત ચીજવસ્તુઓમાં સોનાની ચીજો મોટા પ્રમાણમાં મળી છે. આ ઉપરાંત કંગન, કુંડલ, હાર જેવા ધાતુના અલંકારો મળ્યા…

વધુ વાંચો >

ઉશમલ

ઉશમલ : આઠ પ્રકારનાં મકાનજૂથોથી શોભતું માયા સંસ્કૃતિનું, હાલ મેક્સિકોના અખાતી વિસ્તારમાં મુકતાનમાં આવેલું અતિ સુંદર શહેર. માયા સંસ્કૃતિના પુનરુત્થાનકાળમાં 987માં બંધાયેલા ઉશમલનો ઇતિહાસ પરંપરા, લોકસાહિત્ય ને લખાણોમાં મળે છે. તારીખવાળા સોળ જેટલા દશમી સદીના ઉત્કીર્ણ-અલંકૃત સ્તંભો ઉશમલ આસપાસથી મળ્યા છે. અહીંનું વામનજીનું દોઢસો પગથિયાંવાળું મંદિર ધ્યાન ખેંચે તેવું છે.…

વધુ વાંચો >

ઉષવદાત

ઉષવદાત (ઈ. પ્રથમ સદીમાં હયાત) : ક્ષત્રપ રાજા નહપાનનો જમાઈ, તેદીનીકનો પુત્ર, દક્ષમિત્રાનો પતિ અને શક જાતિનો ભારતીયકરણ પામેલો ઉષવદાત (ઋષભદત્ત) નાસિક-કાર્લેની ગુફામાંના કોતરલેખોથી ખ્યાતિ પામેલો છે. બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષાનાં એનાં લખાણોથી સમકાલીન ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિની સારી માહિતી મળે છે. ઈસુની પ્રથમ સદી દરમિયાન વિદ્યમાન ઉષવદાતે નાસિકથી…

વધુ વાંચો >

ઊરુવેલા

ઊરુવેલા : ગયા અને બુધગયાની વચ્ચે નેરંજરા (ફલ્ગુ) નદીનો વાલુકામય વિસ્તાર. પાલિ સાહિત્ય અનુસાર ગૌતમ બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્ત કરતાં પૂર્વે લાંબા સમય સુધી આ સ્થળે રહીને કઠિન તપશ્ચર્યા કરી હતી. ઊરુવેલા પાસેના સેનાની કસબાની રહીશ કન્યા સુજાતાએ બોધિસત્વને ખીર ખવડાવી હતી. કપિલવસ્તુથી રાજગૃહ જતાં બુદ્ધે ઊરુવેલામાં નિવાસ કરતા જટાધારી સેંકડો…

વધુ વાંચો >

ઍઝટેક સંસ્કૃતિ

ઍઝટેક સંસ્કૃતિ : ઉત્તર અમેરિકાની સંસ્કૃતિઓમાંની એક. તેનો આરંભ 1168ના અરસામાં અને અંત 1525ના અરસામાં થયો હતો. ઓલ્મેક, ઝોપોટેક, મીક્સટેક, ટોલ્ટેક, ટોટોનેક, હુઆસ્ટેક જેવી પ્રાક્-ઍઝટેક સંસ્કૃતિઓ મેક્સિકી અખાત અને પ્રશાંત મહાસાગર વચ્ચે અસ્તિત્વ ધરાવતી હતી. બારમી સદીના ત્રીજા ચરણમાં ઉત્તર-પશ્ચિમ તરફથી તેનોકાસ (ઍઝટેક) જાતિ અનાહોક સરોવરમાં પ્રવેશી. જમીનવિહોણા અને મિત્રવિહોણા…

વધુ વાંચો >

ઍન્ડ્રુઝ, ચાર્લ્સ ફ્રિયર

ઍન્ડ્રુઝ, ચાર્લ્સ ફ્રિયર (જ. 12 ફેબ્રુઆરી 1871, ન્યૂકેસલ-ઑનેટાઇન, ઇંગ્લૅન્ડ; અ. 5 એપ્રિલ 1940, કોલકાતા) : દીનબંધુ ઍન્ડ્રૂઝ તરીકે જાણીતા, ખ્રિસ્તી ધર્મના સાચા ઉપાસક તથા ગાંધીજીના નિકટના સાથી. તેમના પિતા ધર્મોપદેશક હતા. તેમનું શાળાકીય શિક્ષણ બર્મિંગહામમાં તથા ઉચ્ચ શિક્ષણ કેમ્બ્રિજમાં. તેમણે ત્રણ પ્રશિષ્ટ વિષયો (classical tripos) સાથે પ્રથમ વર્ગમાં પદવી મેળવી…

વધુ વાંચો >

એલન, જૉન

એલન, જૉન (જ. 8 ઑગસ્ટ 1884, સ્કોટલેન્ડ; અ. 29 ઑગસ્ટ 1955, એડિનબર્ગ, યુ. કે.) : ભારતીય સિક્કાશાસ્ત્ર અને સંસ્કૃતના અંગ્રેજ વિદ્વાન. એડિનબરો અને લિપઝિક વિશ્વવિદ્યાલયોમાં પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો હતો. 1907માં તે બ્રિટિશ મ્યુઝિયમમાં જોડાયા અને ચાર દાયકા સુધી કાર્યરત રહ્યા. આ સમય દરમિયાન તેમણે લંડનની સ્કૂલ ઑવ્ ઑરિયેન્ટલ ઍન્ડ…

વધુ વાંચો >

એશિયાટિક સોસાયટી

એશિયાટિક સોસાયટી (1784) : ભારતીય કલા, શાસ્ત્રો, પ્રાચીન સાહિત્ય, ઇતિહાસ અને પ્રાચીન અવશેષો અને સંસ્કૃત ભાષાના જ્ઞાનભંડારોનો શાસ્ત્રીય પદ્ધતિથી અભ્યાસ કરવા માટે 1784માં સ્થપાયેલી સોસાયટી. એશિયાટિક સોસાયટીની સ્થાપના સૌપ્રથમ કોલકાતામાં વિલિયમ જૉન્સ નામના કાયદાશાસ્ત્રી અને પ્રાચ્યવિદ્યાવિશારદે (1746-94) ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્સના પ્રોત્સાહનથી કરી હતી. વિલિયમ ચેમ્બર્સ, ગ્લૅડવિન,…

વધુ વાંચો >

ઓદંતપુરી (ઉદ્દંડપુર)

ઓદંતપુરી (ઉદ્દંડપુર) : પ્રાચીન બિહાર(મગધ)માં આવેલ પ્રમુખ વિદ્યાધામ અને બૌદ્ધતીર્થ. ધર્મપાલે અહીં ભવ્ય વિહાર બંધાવ્યો હતો. તિબેટી પરંપરાનુસાર ગોપાલ અથવા દેવપાલે ઓદંતપુરી વિહારની રચના કરી હતી. બિહારના રાજાશાહી જિલ્લાના પહાડપુરનો ઉત્ખનનમાંથી પ્રાપ્ત વિહાર સંભવત: ઓદંતપુરી વિહાર હોય. આ સ્થળ અને નજીકના ગામનું નામ ઓમપુર આ સંદર્ભે વિચારણીય છે. ધર્મપાલના વિહારની…

વધુ વાંચો >

ઓર્મુઝ

ઓર્મુઝ (Hormuz) : ઓર્મુઝની સામુદ્રધુની ઉપરનો ઈરાનમાં આવેલો એ નામનો ટાપુ. ભૌગોલિક સ્થાન : 260 34′ ઉ. અ. અને 560 15′ પૂ. રે. વિસ્તાર 41 ચોકિમી. બંદર અબ્બાસથી પૂર્વમાં આશરે 80 કિમી. દૂર આધુનિક મિનાબ શહેરની નજીક ઓર્મુઝ શહેર આવેલું હતું. ઓર્મુઝની સામુદ્રધુની ઓમાનના અખાતને પર્શિયન અખાત સાથે સાંકળે છે.…

વધુ વાંચો >