બંસીધર શુક્લ

ગોપ, સાગરમલ

ગોપ, સાગરમલ (જ. 3 નવેમ્બર 1890, જેસલમેર, રાજસ્થાન; અ. 3 એપ્રિલ 1946, જેસલમેર) : સ્વાતંત્ર્યસંગ્રામના શહીદ. તેમના પિતાનું નામ અક્ષયરાજ હતું. તેમણે માધ્યમિક શાળા સુધી અભ્યાસ કર્યો હતો. તે જાણીતા રાજકીય નેતા હતા. તેમણે અસહકારની ચળવળ(1921)માં નાગપુરમાં ભાગ લીધો હતો. 1930માં તેમણે જેસલમેર રાજ્યના રાજા સામે લોકઆંદોલન કર્યું; તેથી તેમને…

વધુ વાંચો >

ચુઘતાઈ, ઇસ્મત

ચુઘતાઈ, ઇસ્મત [જ. 21 ઑગસ્ટ 1915, બદાયૂં (Badayun) ઉત્તરપ્રદેશ; અ. 24 ઑક્ટોબર 1991, મુંબઈ] : ઉર્દૂ સાહિત્યનાં આધુનિક વાર્તાલેખિકા. સઆદત હસન મન્ટો, બેદી અને કૃષ્ણચંદ્ર જેવા મહાન લેખકો સાથે તેમની ગણના થાય છે. વાર્તામાં તેમણે આદર્શવાદના સ્થાને વાસ્તવિકતાને મહત્વ આપ્યું. જે કંઈ લખ્યું તે પોતે જોયેલું અને અનુભવેલું છે એમ…

વધુ વાંચો >

ચેટરજી, રામાનંદ

ચેટરજી, રામાનંદ (જ. 28 મે 1865, પાઠકપરા, બંગાળ; અ. 30 સપ્ટેમ્બર 1944, કોલકાતા) : સુપ્રસિદ્ધ ભારતીય પત્રકાર. સ્વતંત્રતા પૂર્વે લગભગ અડધી સદી સુધી અંગ્રેજી શાસન સામે લડત ચલાવનારાં તે સમયનાં નોંધપાત્ર સામયિકો ‘મૉડર્ન રિવ્યૂ’ (અંગ્રેજી), ‘વિશાલ ભારત’ (હિંદી) તથા ‘પ્રવાસી’(બંગાળી)ના તંત્રી અને પ્રકાશક રામબાબુનો જન્મ નિર્ધન બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.…

વધુ વાંચો >

જય હિન્દ

જય હિન્દ : ગુજરાતી ભાષાનું અગ્રણી રાષ્ટ્રીય દૈનિક વર્તમાનપત્ર. તા.15-8-1947ના દિવસે દેશ સ્વતંત્ર થયો. રાજકીય સ્વતંત્રતા સિદ્ધ થઈ, હવે વધારે કપરું કાર્ય પ્રજાની સામાજિક અને આર્થિક આકાંક્ષાઓની પૂર્તિનું આરંભાતું હતું. નવા શાસન સમક્ષ પ્રજાનો નાદ સંભળાય તે રીતે રજૂ કરવાના સંકલ્પ સાથે સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્યસંગ્રામના અગ્રણી નરોત્તમદાસ લક્ષ્મીચંદ શાહ જેઓ બાબુભાઈ…

વધુ વાંચો >

જલાવરણ (ભૂસ્તરશાસ્ત્ર) :

જલાવરણ (ભૂસ્તરશાસ્ત્ર) : પૃથ્વીની સપાટી ઉપર અથવા તેને અડીને આવેલા પાણીનો તૂટક (discontinuous) સ્તર. અન્ય ત્રણ આવરણો તે શિલાવરણ (lithosphere), વાતાવરણ (atmosphere) અને જીવાવરણ (biosphere). જલાવરણમાં દરિયા, સરોવરો, નદીઓ અને હિમનદી સહિત પ્રવાહી અને ઘન પાણીનો તેમજ જમીન અને ખડકોમાંનાં ભૂગર્ભજળ તથા વાતાવરણમાં રહેલ પાણીની બાષ્પનો સમાવેશ થાય છે. કેટલાક…

વધુ વાંચો >

જળહવામાનશાસ્ત્ર (hydrometeorology)

જળહવામાનશાસ્ત્ર (hydrometeorology) : વાતાવરણમાં પાણીનાં ઉદભવ, ગતિ અને તેની સ્થિતિમાં થતાં પરિવર્તનોના અભ્યાસનું શાસ્ત્ર. જલશાસ્ત્રીઓ તેનો એક સીમિત અર્થ પણ કરે છે જેમાં ભૂમિતલ અને વાતાવરણ વચ્ચે થતા જલવિનિમયનો જ વિચાર કરવામાં આવે છે. તેમાં વૃષ્ટિ તથા ઝાકળ અને બાષ્પીભવન તથા પ્રાકૃતિક સપાટીઓ ઉપરથી થતી જલનિષ્કાસનની પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવે…

વધુ વાંચો >

જેટ પ્રવાહ (jet stream)

જેટ પ્રવાહ (jet stream) : પૃથ્વીના મધ્યવર્તી અક્ષાંશના પ્રદેશો પર ક્ષોભમંડળ(troposphere)ની ઉપરના અને સમતાપમંડળ(stratosphere)ની નીચેના અવકાશમાં પશ્ચિમથી પૂર્વમાં જતી પવનની અત્યંત વેગીલી ધારા. આ પવનધારા ધ્રુવપ્રદેશના અધોગામી, ઊંચાઈવાળા, શીતળ વાયુના સ્થાયી ક્ષેત્ર તથા ઉષ્ણકટિબંધના ઊર્ધ્વગામી, નિમ્નદાબવાળા, તપ્તવાયુનાં સ્થાયી ક્ષેત્રોની વચ્ચેના પટા ઉપર વાય છે. તેમને તલપ્રદેશનું ભૂપૃષ્ઠ નડતું નહિ હોવાથી…

વધુ વાંચો >

જ્વાળામુખી શક્તિપીઠ

જ્વાળામુખી શક્તિપીઠ : ઉત્તર ભારતનું પ્રસિદ્ધ શક્તિપીઠ તીર્થ. હિમાચલ પ્રદેશમાં કાંગડા જિલ્લામાં 574 મી. ઊંચાઈ પર હિમાલયની પ્રારંભિક માળાની ખીણમાં આવેલું છે. નિકટમાં 960 મી. ઊંચું જ્વાળામુખી શિખર છે. જમ્મુ, કટરા આદિ સ્થળોથી બસ માર્ગે જવાય છે. લગભગ 400 કિમી. લાંબો માર્ગ વચ્ચે 775 મી. ઊંચાઈ પરથી જાય છે. જ્વાળામુખી…

વધુ વાંચો >

ઝાલા, સુખરાજસિંહ

ઝાલા, સુખરાજસિંહ (જ. 2 નવેમ્બર 1924, લીંબડી) : ગુજરાતી સંગીતકાર. પિતા પથુભા. જન્મ મોસાળમાં, માતા માજીરાજબાની કૂખે. વતન સૌરાષ્ટ્રમાં લાલિયાદ. હાલ નિવાસ અમદાવાદમાં. સંગીતના સંસ્કાર બાળપણથી ઝીલ્યા. માતાપિતા બેઉ મધુર સ્વરે હાલરડાં, ભજનો, પ્રાર્થનાગીતો આદિ ગાય. પિતાની નોકરી સોનગઢ ગુરુકુળમાં. ત્યાં બાળ સુખરાજને પ્રાર્થનાસભાઓ તથા સંગીતસભાઓમાં જોડાવાના પ્રસંગોએ આ સંસ્કાર…

વધુ વાંચો >

ઝૈનુલ આબિદિન

ઝૈનુલ આબિદિન (શાસનકાળ : 1420–1470) : કાશ્મીરનો મહાન સુલતાન. અગાઉ તેનું નામ શાહીખાન હતું. તે ઝૈનુલ આબિદિન ખિતાબ ધારણ કરી ગાદીએ બેઠો. તેની બિનસાંપ્રદાયિક નીતિ તથા સારાં કાર્યોને લીધે મુઘલ શહેનશાહ અકબર સાથે તેને સરખાવવામાં આવ્યો છે. તેના સમયમાં કાશ્મીર રાજ્યની સરહદ સૌથી વધુ વિસ્તાર પામી અને રાજ્ય સમૃદ્ધ થયું.…

વધુ વાંચો >