દશરથલાલ ગૌરીશંકર વેદિયા
સપ્તસિન્ધુ
સપ્તસિન્ધુ : વેદમાં ઉલ્લેખાયેલી હિમાલયમાંથી વહેતી સાત નદીઓ. સપ્તસિન્ધુ વગેરે નદીઓને સચરાચર જગતની માતાઓ ‘विश्वस्य मतर: सर्वा:’ ગણવામાં આવી છે. વિષ્ણુપુરાણ (2–3), ભાગવતપુરાણ (5–19), પદ્મપુરાણ વગેરે પુરાણોમાં ગંગા, સિન્ધુ, યમુના વગેરે નદીઓનાં વર્ણન મળે છે. ‘સિન્ધુ’ શબ્દની વિભાવના सिम्-धुन्वति ચોમેર પોતાના પ્રવાહથી બધું જ પૂરના કારણે હલબલાવે તે સિન્ધુ. સિન્ધુ…
વધુ વાંચો >સ્કન્દપુરાણ
સ્કન્દપુરાણ : પુરાણસાહિત્યનો ગ્રંથ. મુખ્ય અઢાર મહાપુરાણોમાં તેરમું પુરાણ શિવે કહેલું છે. વિસ્તારની દૃષ્ટિએ આ પુરાણ બધાં પુરાણોમાં સૌથી મોટું છે. ભૂગોળ, કથાનકો અને અન્ય વિગતોની દૃષ્ટિએ આ પુરાણ પદ્મપુરાણ કરતાં પણ વધુ મહત્વનું છે. સ્કંદપુરાણનાં બે સંસ્કરણો મળે છે. એક સંસ્કરણ ખંડાત્મક છે – તે સાત ખંડોમાં વહેંચાયેલું છે;…
વધુ વાંચો >હસ્તરેખાશાસ્ત્ર
હસ્તરેખાશાસ્ત્ર હાથની રેખાઓ અને રચનાના આધારે વ્યક્તિ અને તેના ભવિષ્યને જાણવાનું શાસ્ત્ર – સામુદ્રિકશાસ્ત્ર. સૂર્યના પ્રકાશમાં હાથની બારીક રેખાઓ બરાબર નિહાળી શકાય તે હેતુથી દિવસે જ હાથ જોવાની પરંપરા છે. વળી સવારે પ્રફુલ્લિત હોવાથી રેખાઓ વધુ સ્પષ્ટ જોઈ શકાય છે. હાથ જોવા માટે સવારનો સમય વધુ સારો મનાય છે. એક…
વધુ વાંચો >હસ્તસંજીવન
હસ્તસંજીવન : હસ્તરેખાશાસ્ત્રનો મેઘવિજયગણિકૃત એક પ્રમાણિત ગ્રંથ. આ ગ્રંથમાં રચનાકાળનો કોઈ ઉલ્લેખ નથી, પણ ભાષ્યમાં ગ્રંથકારની લેખનપ્રવૃત્તિ વિક્રમ સંવત 1714થી 1760 દરમિયાન થઈ હોવાથી આ ગ્રંથ લગભગ સંવત 1737ના અરસામાં રચ્યો હશે. ક્યારેક ગ્રંથકાર મેઘવિજયગણિ આને ‘સામુદ્રિક લહરી’ નામે ઓળખાવે છે. વારાણસીના કવિ જીવરામે ‘સામુદ્રિક લહરી ભાષ્ય’ રચ્યું છે. ગ્રંથકારે…
વધુ વાંચો >હિરણ્યગર્ભ
હિરણ્યગર્ભ : ઋગ્વેદ (10–121), શુક્લ યજુર્વેદ વાજસનેયી સંહિતા (અ-32), શૌનકીય અથર્વવેદ (4/27) અને તાંડ્ય બ્રાહ્મણ(9–9–12)માં મળતું હિરણ્યગર્ભ કે પ્રજાપતિનું સૂક્ત. આ સૂક્તના પ્રજાપતિ કે ‘ક’ ઋષિ છે. ત્રિષ્ટુભ છંદ છે. સમગ્ર વિશ્વના સ્રષ્ટા પ્રજાપતિ તે હિરણ્યગર્ભ નામે બ્રહ્મણસ્પતિ (10.32), વિશ્વકર્મા (10, 81–82), આમ્ભૃણી વાક્ (10–125), વૃષભધેનુ (3–38–7) વગેરે નામે ઓળખવામાં…
વધુ વાંચો >હોળી
હોળી : અગત્યનો ભારતીય તહેવાર. ઋતુચક્રની દૃષ્ટિએ વસંતઋતુની અશોકાષ્ટમીથી આરંભાયેલા ઉત્સવોના ચક્રમાં ફાલ્ગુન માસની પૂર્ણિમાએ આવતો ઉત્સવ હોલિકા કે હોલકા નામે ઓળખાય છે. ઉત્તર ભારતમાં આ ઉત્સવ સ્વાતંત્ર્ય અને આનંદનો ઉત્સવ બની રહે છે. મુઘલયુગમાં રાજદરબારમાં પણ આ ઉત્સવ ઊજવાતો હોવાનું અબૂલ ફઝલ નોંધે છે. મુસ્લિમ ગ્રંથોમાં ઈદ-ઇ-ગુલાબી અને અબ-ઇ-પશી…
વધુ વાંચો >